Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 94
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] [૮૭ ૪. પર્યાય ઉપર દષ્ટિ રાખે પણ અખંડ દ્રવ્યને ખ્યાલમાં ન લ્ય તોપણ મિથ્યાત્વ થાય છે. ત્રિકાળી શુદ્ધસ્વભાવ સામાન્યમાં નિર્મળ જ્ઞાન પર્યાયવિશેષનો અભાવ છે. માટે જીવે જેમ છે તેમ આત્મા ખ્યાલમાં લેવો જોઈએ. આ બોલમાં નિર્મળ પર્યાયથી પણ નહિ સ્પર્શાયેલું એવું શુદ્ધ દ્રવ્ય કહેવું છે, એટલે ત્રિકાળી દ્રવ્યમાં વર્તમાન જ્ઞાનપર્યાયનો પણ અભાવ છે. પરંતુ તે અભાવ ક્યારે કહેવાય? પ્રથમ બે અંશ છે એમ બતાવીને પછી અભાવ કહેવાય. અહીં શુદ્ધ પર્યાય ભવિષ્યમાં પ્રગટવાની છે એમ લેવું નથી કારણ કે જે વર્તમાનમાં ન હોય તેની સાથે અભાવ વર્તે છે એમ કહી શકાતું નથી. પણ ત્રિકાળી દ્રવ્ય જે સમયે છે તે જ સમયે શુદ્ધ જ્ઞાનપર્યાય છે, આગળ પાછળ નથી. એમ વ્યવહારો પર્યાય સાબિત કરી છે, “છે' તેનું જ્ઞાન કરાવેલ છે. પછી કહ્યું છે કે શુદ્ધ જ્ઞાનપર્યાય તો વર્તમાન પૂરતી છે અને તે વર્તમાન પર્યાયનો ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે. નિર્મળ પર્યાય તે અંશ છે તેના લક્ષે સમ્યગ્દર્શન થતું નથી પણ અંશી એવા આત્માના લક્ષે સમ્યગ્દર્શન થાય છે તેથી જ્ઞાનની પર્યાય જે અંશ છે તેનો, અંશી એવા આત્મામાં અભાવ બતાવી, અંશી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરાવ્યું છે. આત્મા સામાન્ય છે ને પર્યાય વિશેષ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે, એમ કહી સામાન્ય દ્રવ્યનું લક્ષ કરાવ્યું છે. આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અગનહિ, લિંગપર્યાય, ગ્રહણ=જ્ઞાનનો પર્યાય-તે જેને નથી એટલે આત્મા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99