________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬]
[ પ્રવચનસાર પ્રવચનો નથી, કેમ કે ત્યાં રુચિ પડી છે. તેમ અંતર સ્વભાવ આખા દ્રવ્યને લક્ષમાં લે તેવો છે, તે ખંડખંડ દશાને કે અધૂરી દશાને લક્ષમાં લે તેવો નથી. પોતે અખંડ વસ્તુ છે, તે પર પદાર્થથી રહિત, વિકારથી રહિત, ગુણભેદથી રહિત, નિર્મળ પર્યાયના ભેદથી રહિત છે. તેનું જેને ભાન નથી તે બહારના સંયોગો કે જે કોઈ કાળે પોતા સાથે રહે તેવા નથી તેમાં અખંડપણાની કલ્પના કરે છે. તે સંયોગો કોઈ કાળે તેના થાય તેમ નથી ને અખંડપણે તેની સાથે રહે તેવા છે જ નહિ, છતાં અજ્ઞાની તેમાં અખંડપણે માની સુખ મેળવવા માગે છે તે તેનો મોહ છે અને તે સંસારનું કારણ છે. ધર્મની રુચિવાળા જીવે ત્રિકાળી સ્વરૂપની શ્રદ્ધા
કરવી જોઈએ. માટે જેને સંસારનો નાશ કરવો હોય તેણે અખંડ જ્ઞાયકસ્વભાવની શ્રદ્ધા કરવી જોઈએ. જે સ્વભાવમાં વિકારનો અભાવ છે, જે સ્વભાવમાં ગુણભેદ નથી, તેમ જ જે સ્વભાવ નિર્મળ જ્ઞાનપર્યાય જેટલો નથી પણ ત્રિકાળી એકરૂપ છે, જે નિત્યાનંદ ધ્રુવ વસ્તુ છે તેના આશ્રયે જ સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે.
ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લીધા વગર, માત્ર બાહ્ય ક્રિયાકાંડમાં જે જીવ ધર્મ માને છે તેને કદાપિ ધર્મ થતો નથી. ૧. જિનમંદિર આદિ જડ પદાર્થો છે તેને આત્મા કરી શકતો નથી,
છતાં તેની ક્રિયા આત્મા કરી શકે એમ માને તો મિથ્યાત્વ થાય
વળી જિનમંદિરને લીધે રાગ થયો અથવા રાગ થયો માટે જિનમંદિર થયું એમ માને તો મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે. જિનમંદિરનો શુભરાગ થયો માટે જીવને ધર્મ થશે એમ માને તે મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે.
૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com