________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 92 ] [ પ્રવચનસાર પ્રવચનો અભાવ છે તેને અતભાવ કહે છે. દર્શન ગુણ જ્ઞાનની અપેક્ષા રાખતો નથી અને જ્ઞાનગુણ દર્શનની અપેક્ષા રાખતો નથી. ગુણો અસહાય છે, સ્વતંત્ર નિરપેક્ષ છે તેવી જ રીતે જ્ઞાનની શુદ્ધ પર્યાય જે પ્રગટ છે તે જ્ઞાનગુણ સામાન્યની અપેક્ષા રાખતી નથી. શુદ્ધ પર્યાયમાં ત્રિકાળી જ્ઞાનગુણનો અભાવ છે. એક એક શુદ્ધ પર્યાય-સમ્યજ્ઞાનની અથવા કેવળજ્ઞાનની અસહાય છે, નિરપેક્ષ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે નિરપેક્ષ પર્યાય કહીને શું પર્યાયદષ્ટિ કરાવવી છે? ઉત્તરઃ ના, પર્યાયદષ્ટિ કરાવવી નથી. સમય સમયની પર્યાય સત્ અહેતુક છે. તે નિમિત્તની કે રાગની અપેક્ષા તો રાખતી નથી પણ જ્ઞાનગુણ સામાન્ય છે તેની પણ અપેક્ષા રાખતી નથી, એમ નિરપેક્ષતા બતાવવી છે. શુદ્ધ પર્યાયરૂપે પરિણમેલો તે જ આત્મા છે, આત્મા પોતે જ શુદ્ધ પર્યાય છે. એમ બતાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવી છે. સામાન્ય તથા વિશેષના ભેદવાળો આત્મા તે સમ્યગ્દર્શનનો ધ્યેય નથી. શુદ્ધ પર્યાય તે જ આત્મા છે એમ કહી અભેદદષ્ટિ કરાવવી છે. આ પ્રમાણે અહીં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ= પ્રત્યભિજ્ઞાનનું કારણ, ગ્રહણ જ્ઞાનગુણ ત્રિકાળી સામાન્ય. એટલે જેને જ્ઞાનગુણ સામાન્ય નથી એવો આત્મા તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા ત્રિકાળી જ્ઞાનગુણથી નહિ સ્પર્શાયેલો એવો શુદ્ધ પર્યાય છે. આત્મા પોતે જ શુદ્ધ પર્યાય છે. આત્મા અને શુદ્ધ પર્યાયમાં ભેદ નથી, એમ તારા સ્વયને જાણ. આવા સ્વય આત્માને જાણવો-શ્રદ્ધવો તે ધર્મ છે. (*) - (*) - (*) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com