________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
[ પ્રવચનસાર પ્રવચનો કહો તો નિરપેક્ષપણું સ્વતંત્ર રહેતું નથી. વળી શુદ્ધ પર્યાયમાં ત્રિકાળી સામાન્ય જ્ઞાનગુણનો અભાવ છે, એટલે વિશેષમાં સામાન્યનો અભાવ છે. અભાવ શેમાં બતાવાય? બે અંશ વર્તમાનમાં હોય તેમાં અભાવ બતાવાય. જે તે અતિરૂપ વસ્તુ જ ન હોય તો અભાવ બતાવી શકાય
નહિ.
જેમ ૧૮મા બોલમાં કહ્યું હતું કે દ્રવ્ય અભેદ છે તે જ સમયે જ્ઞાનાદિ ગુણભેદ છે ખરો પણ અભેદ સ્વભાવમાં જ્ઞાનાદિ ગુણભેદનો અભાવ છે માટે દ્રવ્ય જ્ઞાનને સ્પર્શતું નથી.
૧૯મા બોલમાં કહ્યું હતું કે ગુણો સામાન્ય છે તે જ સમયે જ્ઞાનની નિર્મળ પર્યાય છે પણ સામાન્યશક્તિસ્વરૂપ ગુણમાં જ્ઞાનની નિર્મળ પર્યાયનો અભાવ છે. એટલે સામાન્યમાં વિશેષનો અભાવ છે માટે દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.
અહીં ૨૦મા બોલમાં એમ કહે છે કે શુદ્ધ પર્યાય છે તે જ સમયે ત્રિકાળી ધ્રુવ જ્ઞાનગુણ છે. પણ જ્ઞાનની શુદ્ધ પર્યાયમાં જ્ઞાનના ધ્રુવ સામાન્યપણાનો અભાવ છે એટલે કે વિશેષમાં સામાન્યનો અભાવ છે માટે શુદ્ધ પર્યાય સામાન્ય જ્ઞાનગુણને સ્પર્શતી નથી.
શુદ્ધ પર્યાયમાં સામાન્યનો અભાવ છે કારણ કે વિશેષમાં સામાન્યનો અભાવ ન હોય તો વિશેષ અને સામાન્ય એક થઈ જાય. વસ્તુસ્વરૂપ એવું નથી. વિશેષ વિશેષથી જ છે, સામાન્યથી નથી.
વિશેષ નિરપેક્ષ છે તે સાબિત કરવું છે.
૧૮-૧૯-૨૦ બોલમાં બન્ને પ્રકારને વર્તમાન સિદ્ધ કરીને એકબીજાને અડતો નથી એમ કહી અભેદની શ્રદ્ધા કરાવવી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com