Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 95
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮] [ પ્રવચનસાર પ્રવચનો શુદ્ધ જ્ઞાનના પર્યાયને પણ અડતો નથી-સ્પર્શતો નથી એવું શુદ્ધ દ્રવ્ય છે એમ સ્વયને જાણ. આવું સ્વજ્ઞય શ્રદ્ધા જ્ઞાનમાં લેવું તે ધર્મનું કારણ છે. (૨૦) આત્મા સામાન્ય ત્રિકાળી જ્ઞાનગુણથી નહિ સ્પર્ધાયેલો એવો શુદ્ધ પર્યાય છે એમ સ્પશેયને જાણ. લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય છે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય પહેલાં પ્રત્યભિજ્ઞાનનો અર્થ કહેવાય છે. આત્મામાં અનંત ગુણો છે, તેમાં સમયે સમયે અવસ્થા થાય છે. ગુણો કાયમ રહે છે. પ્રત્યભિજ્ઞાન તે એક સમયની જ્ઞાનની પર્યાય છે. આ તે જ વસ્તુ છે જે પૂર્વે જોઈ હતી તેવા ડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. તે પ્રત્યભિજ્ઞાનની પર્યાયનું કારણ ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય છે. આત્મા ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્યથી નહિ સ્પર્ધાયેલો શુદ્ધ પર્યાય છે, અવિકારી જ્ઞાનની પર્યાય ત્રિકાળી ગુણના આધારે પ્રગટતી નથી, નિશ્ચયથી તેને સામાન્યનો પણ આધાર નથી-એમ અહીં સાબિત કરવું છે. અહીં ઝીણી વાત લેવી છે. અઢારમા બોલમાં એમ કહ્યું હતું-ત્રિકાળી દ્રવ્ય સામાન્ય તે જ્ઞાનરૂપ ગુણભેદને અડતું નથી. આત્મામાં જ્ઞાનગુણનો ભેદ નથી એટલે કે આત્મા સામાન્ય અભેદરૂપ છે એમ કહ્યું હતું. ઓગણીસમાં બોલમાં એમ કહ્યું હતું-ત્રિકાળી જ્ઞાનગુણમાં જ્ઞાનની પર્યાય નથી એટલે કે સામાન્યમાં વિશેષ નથી, સામાન્યમાં વિશેષનો અભાવ છે એમ કહ્યું હતું. અહીં વીસમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99