________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
[ પ્રવચનસાર પ્રવચનો દર્શનનો વિષય આખો આત્મા છે-એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
આત્મા અભેદ-એકરૂપ વસ્તુ છે, તે જ્ઞાનવિશેષને અડતો નથી. તેને જાણ્યા વિના ધર્મ થાય નહિ. ધર્મ ધર્મીમાંથી આવે છે. અભેદ એકરૂપ આત્માની શ્રદ્ધા કરવાથી નવી ધર્મપર્યાય પ્રગટે છે.
ત્રિકાળી અભેદ સ્વભાવમાં જ્ઞાનાદિ ગુણભેદનો અભાવ છે.
અભેદ આત્મા જ્ઞાનાદિગુણભેદને સ્પર્શતો નથી અને આખા દ્રવ્યમાં જ્ઞાનગુણના ભેદનો અભાવ છે. બે વસ્તુ હોય તેમાં કોઈ પ્રકારે અભાવ બતાવાય. જો વસ્તુ ન જ હોય તો અભાવ બતાવી શકાય નહિ. માટે આત્મામાં જ્ઞાન આદિનો ગુણભેદ છે, ગુણભેદ જ કોઈ ન માને તો તેનો વ્યવહાર જ સાચો નથી. ભેદ અને અભેદરૂપ વસ્તુ એકી સમયે છે. એમ વ્યવહારે જ્ઞાન કરાવ્યા પછી અભેદ દ્રવ્યમાં જ્ઞાન ગુણના ભેદનો અભાવ બતાવાય છે. ભેદના લક્ષે સમ્યગ્દર્શન થતું નથી પણ અભેદના લક્ષે સમ્યકદર્શન થાય છે.
આ પ્રમાણે ગુણભેદથી નહિ સ્પર્ધાયેલો અભેદ આત્મા તારું સ્વજ્ઞય છે એમ તું જાણ. આમ શ્રદ્ધા-જ્ઞાન કરવાથી ધર્મ થાય છે.
(૧૯) આત્મા જ્ઞાનપર્યાયવિશેષથી નહિ સ્પર્શાયેલું
શુદ્ધદ્રવ્ય છે-એમ સ્વયને જાણ. લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધવિશેષ તે જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય
અહીં લિંગ એટલે કે પર્યાય, પણ પર્યાયો તો અનંત છે તેથી ગ્રહણનો અર્થ જ્ઞાનનો પર્યાય લીધો છે. તે જેને એટલે કે આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com