Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 90
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮૩ અલિંગગ્રહણ ગાથા ૧૭૨] છે. શરીર-મન-વાણી-વિનાનો કર્મ વિનાનો; શુભાશુભ પરિણામ જેટલો નહિ તેમ જ ગુણભેદમાં અટકે તેવો પણ નહિ; શુદ્ધ અભેદ એકાકાર પરિપૂર્ણ આત્મા છે તેને દષ્ટિમાં લેવો-શ્રદ્ધામાં લેવો તે સમ્યકદર્શન છે. પરના અભાવસ્વભાવવાળો આત્મા. ૧. શરીર, મન, વાણી, કર્મ, જડ ચીજો તથા બીજા આત્માઓ તે બધાનો આ આત્મામાં અભાવ છે એટલે કે તે તેનાથી અભાવસ્વભાવવાળો છે. પુણ્ય-પાપના ભાવો ત્રિકાળી સ્વભાવમાં નથી માટે આત્મા તેનાથી અભાવ-સ્વભાવવાળો છે. આત્માને વિકારવાળો માનવાથી સાચી શ્રદ્ધા થતી નથી. ૩. સામાન્યમાં વિશેષનો અભાવ છે. નિશ્ચયથી સામાન્ય પદાર્થ વિશેષને સ્પર્શે તો સામાન્ય અને વિશેષ એક થઈ જાય. સામાન્ય- વિશેષના ભેદ રહિત અભેદ એકાકાર આત્મા તે શુદ્ધ દ્રવ્ય છે. આ ગાથામાં લિંગનો અર્થ ગુણ કર્યો છે. પણ ગુણો તો ઘણા છે તેથી ગ્રહણ શબ્દનો અર્થ જ્ઞાન કર્યો છે. અભેદ આત્મા જ્ઞાન ગુણને સ્પર્શતો નથી. અનાદિથી અજ્ઞાની જીવ માને છે કે એક શરીર બીજા શરીરને અડે છે, એક આત્મા શરીરને અડે છે, કર્મને અડે છે અને બીજા આત્માને અડે છે, ત્રિકાળી સ્વભાવ વિકારને અડે છે અને ગુણભેદને અડે છે પણ આ બધી માન્યતા ભૂલભરેલી છે. એકનો બીજામાં અભાવ હોવાથી એક બીજાને પરમાર્થ અડતું નથી. આ રીતે આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. વસ્તુ અભેદ છે તેમાં ગુણ-ગુણીના ભેદ પડતા નથી. સમ્યક Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99