________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ] ૨.
[ પ્રવચનસાર પ્રવચનો દયા, દાન, કામ, ક્રોધ આદિના ભાવો તે પાધિકભાવ છે, કૃત્રિમ છે; તે વસ્તુ સ્વરૂપમાં નથી માટે તેના લક્ષે ધર્મ થાય નહિ. આત્મા અનંતગુણરૂપ એક અભેદ વસ્તુ છે. તે અભેદ વસ્તુમાં આ જ્ઞાન ગુણ છે એવો ભેદ પાડે તો વસ્તુ અભેદ રહેતી નથી. એવા ભેદને લક્ષે પણ ધર્મ થતો નથી તેથી અહીં કહે છે કે અભેદ આત્મા એક જ્ઞાનગુણને સ્પર્શતો નથી એમ તું આત્માને જાણ.
આ શેય અધિકાર છે. શય આત્મપદાર્થ કેવો છે કે જેની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય? સમ્યગ્દર્શન એટલે પ્રથમ ધર્મ અનાદિકાળથી નહિ થયેલો અપૂર્વ સમ્યગ્દર્શનરૂપી ધર્મ, કેવા આત્માને શ્રદ્ધામાં લેવાથી થાય ?
આત્મસ્વરૂપથી વિપરીત માન્યતાવાળો અજૈન છે
| મિથ્યાદષ્ટિ છે.
هم
به
૧. આત્મામાં પર વસ્તુનો તો અભાવ છે, માટે જે જીવ આત્માને
શરીરવાળો કે કર્મવાળો માને તે મિથ્યાદષ્ટિ છે. વળી આત્મામાં શુભાશુભ પરિણામ થાય છે તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ તત્ત્વ છે, તેને જીવતત્ત્વ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. આત્મા એક અભેદ વસ્તુ છે તેમાં આ જ્ઞાનગુણ છે ને આ જ્ઞાનગુણનો ધરનાર ગુણી છે એવા ભેદ પાડીને તેમાં અટકે તે પણ મિથ્યાષ્ટિ છે.
તેથી આ બોલમાં કહે છે કે અભેદ આત્મા જ્ઞાનગુણને સ્પર્શતો નથી, આલિંગતો નથી, અડતો નથી, તે એકરૂપ શુદ્ધ અસંગી તત્ત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com