________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[ પ્રવચનસાર પ્રવચનો વીતરાગી નિમિત્તો મળ્યાં માટે શુદ્ધ પર્યાય પ્રગટી, એમ કોઈ કહે તો તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. શુભરાગ તે વ્યવહાર છે માટે તેને લીધે શુદ્ધ પર્યાય પ્રગટી એમ કોઈ કહે તો પણ તે સ્વતંત્ર રહેતી નથી, પરાધીન થઈ જાય છે. ત્રિકાળી જ્ઞાનગુણ સામાન્ય છે માટે સમ્યજ્ઞાનની પર્યાય પ્રગટી એ પણ બરાબર નથી કારણ કે એમ હોય તો શુદ્ધ પર્યાય “છે” એમ રહેતું નથી. શુદ્ધ પર્યાય સ્વતંત્ર સત્ અહેતુક છે એમ અહીં કહેવું છે. વેદન-જાણવું તો પર્યાયમાં જ છે, અપ્રગટ શક્તિરૂપ ત્રિકાળી સામાન્યને કોઈ વેદન, ક્રિયા વા જાણવું નથી–એમ પર્યાય સમાં આત્મા જાગ્યો ત્યારે તે શુદ્ધ પર્યાયને આત્મા કહ્યો.
જે શુદ્ધ પર્યાયનો અનુભવ કરે છે તે આત્મા છે, જે રાગનો અનુભવ કરે છે તે આત્મા નથી. નિમિત્ત, વિકલ્પ અને ભેદ ઉપરની દષ્ટિ છૂટી, ચિદાનંદ સ્વભાવની દષ્ટિ થઈ તે સંવર-નિર્જરાની અનુભૂતિરૂપ શુદ્ધ પર્યાય થઈ તે જ આત્મા છે-એમ સ્વયને જાણ.
આમ સ્યાદ્વાદ સહિત સ્વજ્ઞયને યથાર્થ જાણવું તે ધર્મનું કારણ છે.
*
*
*
*
*
(માહ વદ ૯ શુક્રવાર) આજે આ ૧૮-૧૯-૨૦ બોલ ફરીથી લેવાય છે. (૧૮) આત્મા ગુણભેદથી નહિ સ્પર્શાવેલ એવું
શુદ્ધ દ્રવ્ય છે-એમ સ્વયને જાણ. આ આત્મા કેવો છે કે જે જાણે ધર્મ થાય? ધર્મ કરનારો આત્મા છે. ધર્મ કરનારમાં શાંતિ છે કે બહારથી આવે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com