________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧.
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૮૫ નથી તે શુદ્ધ દ્રવ્ય છે. અહીં આત્માને જ્ઞાનનો પર્યાય નથી એટલે કે શુદ્ધ દ્રવ્ય એક પર્યાય જેટલું નથી, ત્રિકાળી દ્રવ્યમાં ક્ષણિક પર્યાયનો અભાવ છે એમ કહેવું છે.
સમ્યગ્દર્શન કોના આશ્રયે પ્રગટે છે તે કહે છે. ત્રિકાળી સ્વભાવ જ નિમિત્તનો આશ્રય કરે તો પર સાથે એકતાબુદ્ધિ થાય છે, સમ્યગ્દર્શન થતું નથી. ત્રિકાળી સ્વભાવ જો દયાદાનાદિનો આશ્રય કરે તો આત્મા વિકારી થઈ જાય અને તેથી ધર્મ થવાનો પ્રસંગ રહે નહિ. ત્રિકાળી સ્વભાવ જો નિર્મળ પર્યાય જેટલો માને તો પણ ધર્મ થતો નથી. (૧) શુદ્ધ સ્વભાવ ત્રિકાળી છે ને પર્યાય એક સમયની છે. (૨) શુદ્ધ સ્વભાવ અંશી છે ને પર્યાય તે અંશ છે. (૩) શુદ્ધ સ્વભાવ સામાન્ય છે ને પર્યાય તે વિશેષ છે.
નિશ્ચયથી અંશી સ્વભાવ અંશને અડે તો અંશી ને અંશ જુદા રહેતા નથી, તે વસ્તુસ્વરૂપથી વિપરીત છે. માટે આત્મા જ્ઞાનપર્યાયથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે. પોતાના સ્વભાવનું અખંડપણું ભૂલી અજ્ઞાની જીવ
પરમાં અખંડપણું કહ્યું છે. જેમ લૌકિકમાં કોઈની પાસે પાંચ કરોડ રૂપિયાની મૂડી હોય તો તેના દીકરા, દીકરી, દીકરાની વહુ જે હોય તે બધા એમ માને કે અમે પાંચ કરોડના આસામી છીએ. ઘરમાં ૨૫ જણા હોય તેમાં એક જણાને તો પચીસમા ભાગે મૂડી આવવાની છે, છતાં કહે છે કે અમે પાંચ કરોડના આસામી છીએ. ત્યાં ખંડ પાડવો પાલવતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com