Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] [૬૧ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા શુક્ર અને આર્તવને અનુવિધાયી (અનુસરીને થનારો) નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. પાંચ ઈદ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ અને આયુ-એ દસ પ્રાણ છે, પણ તેનાથી જીવ જીવતો નથી; કારણકે તે દસે પ્રાણો જડ છે, ને આત્મા તો ચૈતન્ય-પ્રાણવાળો છે. જડ પ્રાણનો આત્મામાં અભાવ છે તેથી આત્મા તે જડ પ્રાણથી જીવતો નથી. અજ્ઞાનીની પ્રાણ સંબંધી ભ્રમણા અજ્ઞાની માને છે કે શ્વાસ ને આયુ ટકે ત્યાં સુધી જીવ જીવે છે, મન વચન કાયા હોય તો ટકે, પાંચ ઇન્દ્રિયો સારી હોય તો જીવ ટકે, વાણી સરખી બોલાતી હોય ત્યાં સુધી જીવ કહેવાય, મન નબળું પડી ગયા પછી જીવથી કામ ઓછું થાય છે, પણ આ બધી ભ્રમણા છે. કારણ કે મન, વચન, કાયા એ બધા જડ પદાર્થો છે, તેનાથી આત્મા જીવતો નથી. વળી અજ્ઞાની માને છે કે – પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ ઘેર ચાર દીકરા; ત્રીજાં સુખ તે સુકુળની નાર, ચોથું સુખ તે કોઠીએ જાર. આવી રીતે અજ્ઞાની શરીર, દીકરા, સ્ત્રી તથા અનાજમાં સુખ માને છે, તે મહા ભ્રમણા છે. અહીં તો પાંચ ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થોને કાઢી નાખ્યા છે, તેનાથી જીવ જીવતો નથી તો પછી દસ પ્રાણથી પ્રત્યક્ષ જુદાં એવા બાહ્ય પદાર્થો-દીકરા, નાર, અનાજ વગેરે સુખનાં કારણ ક્યાંથી હોઈ શકે ? તે સુખનાં કારણ છે જ નહિ. અજ્ઞાનીઓ પૈસાને પણ પ્રાણ માને છે તે બધી સ્થૂલ ભ્રમણા છે. દસ પ્રાણ તો અજીવ તત્ત્વ છે. અજીવ તો જીવનું જ્ઞય છે માટે અજીવ એવા દસ પ્રાણોથી જીવ જીવતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99