________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૬૯ છે. વળી તે ઈન્દ્રિયોથી જણાય એવો નથી, પણ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી છે એમ કહ્યું છે. ઈન્દ્રિયોથી જ્ઞાન થાય છે એવો ભ્રમ છે, પણ ઈન્દ્રિયોથી ખરેખર આત્મા સ્વ-પરને જાણતો નથી. બધા બોલમાં વ્યવહાર બતાવી, તેનો નિષેધ કરાવી જ્ઞાન કરાવ્યું છે.
આત્મા દ્રવ્ય તથા ભાવવેદથી રહિત છે.
સોળમો બોલ ફરીથી કહેવામાં આવે છે. આત્માને લિંગોનું એટલે કે સ્ત્રી-પુરુષ વેદોનું ગ્રહણ નથી, સ્ત્રી-પુરુષોના આકાર આત્મામાં નથી. વ્યવહારે શરીર સ્ત્રી-પુરુષના આકારરૂપે સંયોગે હોય છે પણ તે આત્મામાં નથી. વળી સ્ત્રી કે પુરુષ વેદનો ભાવ ઔપાધિકભાવ છે પણ તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, તે એક સમય પૂરતી અવસ્થા છે; માટે જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવને છોડી એના જેટલો આત્માને માનવો તે પર્યાયબુદ્ધિ છે, ભ્રમણા છે, અજ્ઞાન છે. પુરુષાદિના આકારને આત્મા માનવો તે જડને જીવ માનવા બરાબર છે ને ભાવવંદને આત્મા માનવો તે પાપ તત્ત્વને જીવતત્ત્વ માનવા બરાબર છે. અજીવને જીવ માનવો તથા પાપને જીવ માનવો તે અધર્મ છે. પણ શરીરો તથા ભાવવેદથી રહિત આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવાં શ્રદ્ધા જ્ઞાન કરવાં તે ધર્મ છે. લ્યો, આ જીવનકલા છે. સુખી જીવન કેમ જીવવું તેની આ ચાવી છે. (૧૭) આત્મા બાહ્ય ધર્મચિહ્નોને ગ્રહતો નથી એમ
સ્વયને તું જાણ.
| લિંગોનું એટલે ધર્મચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બહિરંગ (બાહ્ય) યતિલિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
શરીરની નગ્ન દિગંબર દશા તે ધર્મનું ચિહ્ન નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com