________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[૭૫ પણ આત્મા અખંડ જ્ઞાતા એકાકાર છે તેની શ્રદ્ધા કરવાથી ધર્મ થાય છે.
અહીં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિ, લિંગ=ગુણ, ગ્રહણ= પદાર્થજ્ઞાન તે જેને નથી એવો આત્મા છે એટલે કે આત્મા ગુણ વિશેષથી નહીં સ્પર્શાએલું એવું શુદ્ધદ્રવ્ય છે. આ બોલથી જ્ઞાનગુણ અને જ્ઞાનનો ધરનાર આત્મા ગુણી એવા ગુણગુણી ભેદનો નિષેધ કરાવી એકાકાર આત્માની શ્રદ્ધા કરાવે છે.
ગુણભેદ રહિત આત્મા તારું સ્વશય છે એમ તું જાણ-એમ આચાર્ય ભગવાન કહે છે. આવી રીતે સ્વયનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાં તે ધર્મ છે.
(૧૯) તારો નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ
સ્પર્શતો નથી-એમ સ્પશેયને જાણ.
લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અથવબોધ વિશેષ તે જેને નથી તે અલિંગગ્રહણ છે, આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
નિર્મળ પર્યાયને નહીં અડતો આત્મા શુદ્ધ દ્રવ્ય છે. ૧૮મા બોલમાં “અર્થાવબોધ' શબ્દ વાપરેલ હતો અને કહ્યું હતું કે ગુણભેદ હોવા છતાં અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી એમ ગુણભેદનો નિષેધ કરાવી અભેદ આત્માની શ્રદ્ધા કરાવી હતી. અહીં એમ કહે છે કે સાધકદશામાં સમ્યજ્ઞાનની નિર્મળ પર્યાયને અથવા કેવળજ્ઞાન વખતે કેવળજ્ઞાનની પૂરી નિર્મળ પર્યાયને આત્મા ચૂંબતો નથી, અડતો નથી, સ્પર્શતો નથી. દ્રવ્ય પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com