Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 84
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૭૭ અલિંગગ્રહણ ગાથા ૧૭૨] સામાન્ય અને પર્યાય વિશેષ-બે થઈને આખું દ્રવ્ય થાય તેવો દ્રવ્યનો અર્થ અહીં લેવો નહિ. અહીં શુદ્ધ દ્રવ્યનો અર્થ સામાન્ય સદશ એકરૂપ ત્રિકાળી સ્વભાવ લેવો. દ્રવ્ય તે સામાન્ય છે, પર્યાય તે વિશેષ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે. અભાવ કહેતાં જ જે ત્રિકાળી સ્વભાવ છે તે એક સમયની પર્યાયને અડતો નથી એમ નક્કી થાય છે. શુદ્ધ સ્વભાવી દ્રવ્ય તે નિત્ય છે ને નિર્મળ પર્યાય તે એક સમયની-અનિત્ય છે. નિત્ય એવું શુદ્ધ દ્રવ્ય અનિત્ય એવા સમ્યજ્ઞાનની અથવા કેવળજ્ઞાનની પર્યાયને નિશ્ચયથી અડે તો દ્રવ્ય નિત્ય રહેતું નથી અર્થાત્ દ્રવ્ય ક્ષણિક થવાનો પ્રસંગ આવે છે; પણ તેમ બનતું નથી. અનિત્ય પર્યાય ઉપરનું લક્ષ છોડ ને નિત્ય દ્રવ્યનું લક્ષ કર. જેમ ૧૮મા બોલમાં કહ્યું હતું કે અભેદ આત્મામાં ભેદનો અભાવ છે તેથી અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, તેમ અહીં નિત્ય જ્ઞાનાનંદ શુદ્ધસ્વભાવી આત્મા જે ત્રિકાળી છે તે એક સમયની અનિત્ય નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી–એમ કહી નિર્મળ પર્યાય જે અનિત્ય છે તેના ઉપરનું લક્ષ છોડાવી નિત્ય દ્રવ્ય જે શુદ્ધ એકરૂપ અભેદ પડયું છે તેના ઉપર દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. નિર્મળ પર્યાય જેટલો તારો આત્મા નથી, તું તો ત્રિકાળી શુદ્ધ છો. તે ઉપર લક્ષ કર તો સમ્યગ્દર્શન થશે ને નિત્યના લક્ષે જ નિર્મળતા વધીને પરિપૂર્ણ નિર્મળતા થશે એમ કહેવાનો આશય છે. અહીં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગ=પર્યાય, ગ્રહણ=જ્ઞાનની નિર્મળ પર્યાય-તે જેને નથી એટલે કે શુદ્ધ દ્રવ્ય જ્ઞાનની એક સમયની નિર્મળ પર્યાય જેટલું જ નથી પણ નિત્ય સંદેશ સામાન્ય એકરૂપ છે એમ તું સ્વયને જાણ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99