Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 81
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪] [ પ્રવચનસાર પ્રવચનો ગુણભેદ હોવા છતાં આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. અહીં ૧૮માં બોલમાં વ્યવહાર સાબિત કરીને નિષેધ કરાવેલ છે, જો વસ્તુ હોય તેનો નિષેધ કરાય પણ જે ન હોય તેનો નિષેધ શું થાય ? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વચ્છત્વ, વિભુત્વ વગેરે અનંત ગુણો આત્મામાં છે. આવા ગુણભેદ છે જ નહિ એમ કોઈ માને તો તેની વ્યવહારશ્રદ્ધાના પણ ઠેકાણાં નથી. એક ગુણ તે બીજો ગુણ નથી-એમ ગુણભેદ છે, છતાં તેમાં જીવ અટકે તો ધર્મ થતો નથી. ગુણભેદમાં આત્મા એકાકાર થાય તો આત્માનું એકપણું ભિન્ન રહેતું નથી. આત્મા ત્રિકાળી ગુણનો પિંડ છે. તે સામાન્ય છે ને દર્શન, જ્ઞાન વગેરે ગુણો તે વિશેષ છે. સામાન્ય તે વિશેષને સ્પર્શતું નથી, સામાન્ય તે સામાન્યમાં છે, વિશેષ વિશેષમાં છે. સામાન્યમાં વિશેષ નથી, વિશેષમાં સામાન્ય નથી. સામાન્ય એવો આત્મા વિશેષ એવા જ્ઞાનગુણને સ્પર્શ તો સામાન્ય અને વિશેષ એક થઈ જાય, બન્ને પૃથક રહેતાં નથી. અનંતા ગુણોના સમૂહુરૂપ એકાકાર આત્મા એકલા જ્ઞાનગુણને સ્પર્યો નથી. અહીં શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે. શરીર નહિ, કર્મ નહિ, વિકાર નહિ, ગુણભેદ નહિ–એવા અભેદ શુદ્ધ દ્રવ્યની દષ્ટિ કરાવવી છે. શુદ્ધ દ્રવ્ય એકરૂપ છે, તે જો ગુણભેદને સ્પર્શે તો દ્રવ્ય શુદ્ધ રહેતું નથી. ગુણભેદ છે તેનો નિષેધ કરાવે છે. ગુણભેદ બિલકુલ ન હોત તો નિષેધ કરવાપણું રહેત નહિ, સામાન્ય તે વિશેષમાં આવી જાય તો સામાન્ય પદાર્થ એકરૂપ રહેતો નથી માટે અહીં કહ્યું છે કે સામાન્ય સ્વભાવ જ્ઞાનગુણને સ્પર્યો નથી. આ જ્ઞાનગુણ છે ને આત્મા જ્ઞાનગુણનો ધરનાર છે એવા ભેદના વિકલ્પથી ધર્મ થતો નથી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99