________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
[ પ્રવચનસાર પ્રવચનો ભાવે નપુંસકવેદી છે છતાં આત્મા ત્રિકાળ અવેદી છે એવું ભાન કરીને પુરુષાર્થી નારકીના જીવો ઘણા પ્રતિકૂળ સંયોગોમાં હોવા છતાં પણ સમ્યગ્દર્શનરૂપ ધર્મ પામી શકે છે, તો તું અહીં મનુષ્યપણામાં ધર્મ ન પામી શકે એમ બને નહિ. માટે વેદો ઉપરની દષ્ટિ છોડ અને અવેદી આત્મા ઉપર સ્વસમ્મુખ દષ્ટિ કર-એમ કહેવાનો આશય છે.
આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ: અન્નનહિ, લિંગઃસ્ત્રી, પુરુષ અને નપુંસકવેદ, ગ્રહણઃગ્રહવું. જેને સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદ દ્રવ્ય તેમ જ ભાવે નથી એટલે કે આત્મા અવેદી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા તો પોતાનાં જ્ઞાન, દર્શન, સુખ વગેરેને વેદવાવાળો છે, પર શરીર તથા વિકારીભાવને વેદવાવાળો નથી એવો તારો આત્મા જે તારું સ્વજ્ઞય છે તેને તું જાણ.
આ પ્રમાણે સ્વય એવા આત્માને શ્રદ્ધવો અને જ્ઞાનમાં લેવો તે સમ્યગ્દર્શનનું કારણ છે.
*
*
*
*
*
(માહ વદ ૮, ગુરુવાર)
આ આત્મા જેવી રીતે છે તેવી રીતે તેનું અસલી સ્વરૂપ જાણે અને માને તો ધર્મ થાય છે. તેનો અર્થ એમ થાય છે કે તેનું અસલી સ્વરૂપ અનંતકાળથી એક સેકન્ડમાત્ર પણ જાણ્યું નથી, આત્મા જેવો છે તેવો નહીં માનતાં તેની ઊલટી માન્યતા કરી છે. માટે હે જીવ! આત્માને અલિંગગ્રહણ જાણ. કોઈ પણ ઈન્દ્રિયો વડે પરને જાણે તેવો આત્મા નથી. ઈન્દ્રિયો વડે મને જ્ઞાન થાય છે એવી અનાદિથી માન્યતા કરી છે. એવી માન્યતારૂપ ભ્રમ અવસ્થામાં છે, ઇન્દ્રિયો પણ છે એમ કબૂલ કરીને એ દશા તે આત્મા નથી એમ કહ્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com