Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 77
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦] | [ પ્રવચનસાર પ્રવચનો ૧. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવું ભાન થયા પછી સ્વભાવમાં વિશેષ સ્થિરતા થવી તે અંતર મુનિદશા છે ને અંતર નિગ્રંથદશા પ્રગટે છે ત્યારે બાહ્ય વસ્ત્ર આદિ હોતાં નથી અર્થાત્ શરીરની નગ્ન દિગંબર દશા હોય છે તથા મોરપીછ અને કમંડળ હોય છે. બાહ્યમાં નદશા હોતી જ નથી એમ કોઈ માને તો તે સ્થૂળ ભૂલ છે. ૨. પણ તે બાહ્ય નિમિત્ત-મોરપીંછ આદિ તથા શરીરની નગ્નદશા વગેરેનો આત્મામાં અભાવ છે. તેને આત્મા ગ્રહણ કરતો નથી કારણ કે તે જડપદાર્થો છે, તે તેના કારણે હોય છે. તેને લેવા મૂકવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. ૩. વળી તે નગ્નદશા, મોરપીંછ, કમંડળ વગેરે છે માટે મુનિનું મુનિપણું ટકેલ છે એમ પણ નથી, કારણ કે અંતર ભાવલિંગી દશા તે મુનિપણું છે. આ પ્રમાણે વ્યવહારે બાહ્ય સંયોગનું જ્ઞાન કરાવીને તે વ્યવહારનો નિશ્ચયમાં અભાવ વર્તે છે, એમ કહે છે. હું શરીરની અવસ્થા કરી શકું છું, દિગંબર છું, મુનિપણાની અવસ્થા જેટલો જ છું એમ મુનિ કદી માનતા નથી; છતાં અંતર મુનિદશા વર્તે છે ત્યારે શરીરની અવસ્થા શરીરના કારણે નગ્ન હોય છે. શરીરની નગ્નદશા આત્માથી થાય છે એમ માનનાર જીવ મુનિ નથી પણ મિથ્યાદષ્ટિ છે. જે જીવ એમ માને કે શરીરની નસદશા મેં કરી, ઈચ્છાથી મે વસ્ત્ર કાઢી નાખ્યું-એમ શરીર અને વસ્ત્રની ક્રિયાનો જે ધણી થાય છે તે સ્કૂલ મિથ્યાષ્ટિ છે. અંતરંગમાં ત્રણ પ્રકારના કષાય રહિત વીતરાગી રમણતા થાય ત્યારે જડની નઝદશા તેના કારણે હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99