________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬]
[ પ્રવચનસાર પ્રવચનો ભાઈ, એ બધી ચીજો આત્માના કારણે આવી નથી ને આત્માને તેનું અવલંબન નથી. જીવને શુભરાગ હોય ત્યારે તે પદાર્થો ઉપર લક્ષ જાય છે. પોતે જ્ઞાનની વૃદ્ધિ કરે છે ત્યારે તે પદાર્થોને નિમિત્ત કહેવાય છે.
ઉપયોગનું સ્વરૂપ જેવી રીતે જે આત્મા ઇંદ્રિયોથી જાણવાનું કામ કરે છે તેને આત્મા કહેવાતો નથી, તેમ જ જે આત્મા પોતાને પુણ્ય-પાપવાળો માને તેને આત્મા કહેવાતો નથી; તેવી રીતે જે ઉપયોગ પોતાના જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધસ્વભાવનું અવલંબન છોડી, પરનું એટલે દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરે બાહ્ય નિમિત્તોનું, વાણીનું અથવા શુભરાગનું અવલંબન લે છે તેને અહીં ઉપયોગ જ કહ્યો નથી.
જે આત્મા ઇંદ્રિયોનું લક્ષ છોડી અતીન્દ્રિય સ્વભાવનું લક્ષ કરે છે, વળી, જે પોતાને પુણ્ય-પાપ રહિત શુદ્ધ જાણે છે તે જ આત્મા છે તેવી રીતે દેવ, શાસ્ત્ર, ગુરુ, વાણી તથા શુભ રાગ તથા અનંતા પર પદાર્થોનું અવલંબન છોડી પોતાના જ્ઞાનસ્વભાવમાં જે ઉપયોગ એકાગ્ર થાય તેને જ ઉપયોગ કહેવામાં આવે છે.
અહીં આઠમા બોલમાં એમ કહ્યું કે અગનહિ, લિંગ=ઉપયોગ, ગ્રહણ=બહારથી લાવવું, એટલે જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ ક્યાંય બહારથી થતી નથી એમ ઉપયોગરૂપ જે શેય તેનો સ્વભાવ તું જાણ તેથી આત્મા ક્યાંય બહારથી જ્ઞાન લાવતો નથી એમ તારા સ્વજ્ઞયને જાણ. (૯) તારો જ્ઞાન-ઉપયોગ કોઈ હરી શકતો નથી
એમ તું જાણ. લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ એટલે કે પરથી હરણ થઈ શકતું નથી (બીજાથી લઈ જઈ શકાતું નથી) તે અલિંગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com