________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ પ્રવચનસાર પ્રવચનો નથી પણ અશુદ્ધ ઉપાદાનને તથા જડકર્મને નિમિત્તનૈમિત્તિક સંબંધ બતાવવો છે. અહીં આપણે વાત શુદ્ધ ઉપયોગની ચાલે છે ને શુદ્ધ ઉપયોગમાં મલિનતાનો અભાવ છે તેથી તે કર્મને ગ્રહતો નથી અથવા તેની સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ નથી એમ કહેવામાં આવ્યું છે.
સાધક જીવને સમયે સમયે
શુદ્ધોપયોગની જ મુખ્યતા વર્તે છે. આવી રીતે શુદ્ધ, દ્રવ્ય, શુદ્ધ ગુણો તથા શુદ્ધ ઉપયોગ થઈને આખો આત્મા છે. નિમિત્તનૈમિત્તિક સંબંધવાળી પર્યાયને અનાત્મા કહેલ છે, તે આત્મા જ નથી. ગોમટસારમાં લખાણ તો ઘણાં આવે કે ચોથે ગુણસ્થાને જીવને આટલી પ્રકૃતિનો બંધ પડે છે ને છઠ્ઠ ગુણસ્થાને આટલી પ્રકૃતિનો બંધ પડે છે. તે બધાં લખાણો અશુદ્ધ ઉપાદાન સાથેનો જડકર્મનો નિમિત્તનૈમિત્તિક સંબંધ તે તે ભૂમિકાએ કેવો છે તે બતાવે છે પણ તે ભૂમિકામાં રહેલા શુદ્ધ ઉપયોગને જડકર્મ સાથે બિલકુલ સંબંધ નથી. સાધકદશામાં મલિનતા અલ્પ છે પણ તેને ગૌણ કરીને શુદ્ધ ઉપયોગ જે સ્વભાવ તરફ વળેલો છે તેને મુખ્ય ગણી મલિનતાને અનાત્મા કહેલ છે. આ સાધકની વાત છે. સાધક જીવને સમયે સમયે હું જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવી છું તે તરફનાવલણની જ મુખ્યતા વર્તે છે, ને દયા દાન વગેરે શુભાશુભ ભાવોની પર્યાય કે જેમાં દ્રવ્ય કર્મ નિમિત્ત થાય છે તેને તે ગૌણ કરે છે, તેની મુખ્યતા કરતો નથી. મલિનતાવાળી પર્યાયને એક સમય પણ મુખ્ય કરે તો તે સાધક રહેતો નથી પણ મિથ્યાદષ્ટિ થઈ જાય છે. સાધકને હરહંમેશ શુદ્ધ જ્ઞાતા તરફ વળેલી પર્યાય જે સ્વભાવ સાથે અભેદ થાય છે તેની મુખ્યતા હોય છે. તે મુખ્યતાની અપેક્ષાએ તે ઉપયોગને દ્રવ્યકર્મનું ગ્રહવું થતું નથી એમ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com