________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
| [ ૫૩ સમાધાન : ભાઈ, યોગને કષાયની વિકારી પર્યાયને આત્મા જ કહેતા નથી. મલિનતા ઉપયોગમાં છે જ નહિ, એમ દશમાં બોલમાં કહ્યું છે. જ્યારે મલિનતા જ ઉપયોગમાં નથી તો પછી તેના નિમિત્તે આવતાં દ્રવ્યકર્મને ઉપયોગ કેવી રીતે ગ્રહણ કરે અથવા દ્રવ્યકર્મમાં ઉપયોગ નિમિત્ત પણ કેવી રીતે થાય? એટલે કે ગ્રહણ પણ ન કરે તેમ નિમિત્ત પણ ન થાય. જડકર્મોનું જે આત્માના એકક્ષેત્રે, તેના પોતાના કારણે, આવવું થાય છે તેમાં મલિનતા નિમિત્તરૂપે હોય છે પણ જ્યાં ઉપયોગમાં મલિનતા જ નથી ત્યાં મલિનતા તથા જડકર્મનો જે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તે નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ ઉપયોગમાં રહ્યો નહિ. અહીં નિમિત્તનૈમિત્તિક સંબંધ ઉડાવી દીધો છે. શુદ્ધ ઉપયોગમાં એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે જ નહિ.
આત્મા સામાન્ય દ્રવ્ય તથા ગુણો જડકર્મને ગ્રહણ કરતા નથી તેમ જ શુદ્ધ ઉપયોગ પણ કર્મને ગ્રહણ કરતો નથી. અહીં ગ્રહણ કરવાની વાત તો નથી પણ દ્રવ્યકર્મ એના કારણે આવે તેમાં નિમિત્ત દ્રવ્ય-ગુણ તો નથી પરંતુ શુદ્ધ ઉપયોગ પણ નિમિત્ત નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં લખાણ છે કે
“જીવ વિર્યની ફુરણા ગ્રહણ કરે જડધૂપ”
ત્યાં તો કહ્યું છે કે જીવના ઊંધા વીર્યની ફુરણાથી આત્મા જડ કર્મ ગ્રહણ કરે છે ને આપ તો ના પાડો છો તો તેનો શું ખુલાસો છે?
સમાધાન : ત્યાં જીવની વિકારી પર્યાય સાબિત કરવી છે. જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે છે ત્યારે જડકર્મની સાથે તેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ત્યાં પણ જીવની વિકારી પર્યાય કર્મને ગ્રહે છે અથવા અડ છે અથવા ખેંચી લાવે છે એમ કહેવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com