Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 51
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪] [ પ્રવચનસાર પ્રવચનો સંધિ બતાવી નિમિત્તનેમિત્તિક સંબંધની વાત કરી છે. જ્ઞાન ઉપયોગની એકાએક વૃદ્ધિનું કારણ કોણ? ગૌતમ ગણધર પ્રભુ પાસે ગયા, તેમને પહેલાં જ્ઞાન ઘણું ઓછું હતું ને ભગવાનના સમવસરણમાં ગયા, ભગવાનની વાણી સાંભળીને બાર અંગ ને ચૌદ પૂર્વનું જ્ઞાન થયું. પૂર્વે મતિ-શ્રુત જ્ઞાન હતાં ને થોડા સમયમાં ચાર જ્ઞાનના ધણી થઈ ગયા તો આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? ભગવાનની વાણીમાંથી આવ્યું? નિમિત્ત ઉપર લક્ષ કર્યું માટે આવ્યું? કોઈ જીવને સામાન્ય મતિ-શ્રુતજ્ઞાન હોય ને પછી બે ઘડીમાં પુરુષાર્થ કરી એકાગ્ર થઈને કેવળજ્ઞાન પ્રગટ કરે છે તો આટલો બધો વધારો ક્યાંથી આવ્યો? અહીં પણ સાંભળતા પહેલાં જ્ઞાન ઓછું હોય છે ને શબ્દો ને વાણી કાને પડ્યા પછી જ્ઞાન વધે છે તે વધારો વાણીમાંથી આવતો હશે? અજ્ઞાની કહે છે કે બધા આત્મામાં દ્રવ્ય-ગુણ તો અનાદિઅનંત શુદ્ધ પરિપૂર્ણ ભર્યા છે ને પર્યાયમાં પ્રગટતાનો વધારો દેખાય છે તે નિમિત્ત આવે ત્યારે વધે છે ને નિમિત્ત ન આવે તો વધતું નથી. જ્ઞાની પુરુષો કહે છે કે ના. તે વધારો બાહ્ય કોઈ પદાર્થોમાંથી અથવા શુભ રાગમાંથી આવતો નથી. અંતરમાં જ્ઞાન શક્તિનો ભંડાર પડ્યો છે તેમાંથી પોતાના પુરુષાર્થ વડે તે પ્રગટ થાય છે. જ્ઞાનની ભરતીનાં મોજાં ચૈતન્યસમુદ્રના મધ્યબિંદુમાંથી ઊછળે છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે જેમ, પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ.” (શ્રીમદ્ રાજચંદ્ર) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99