________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[ પ્રવચનસાર પ્રવચનો ઇંદ્રિય તથા મનના અવલંબન વિનાનો પોતે પોતાને પ્રત્યક્ષ જાણે તેવો જ્ઞાતાસ્વભાવ છે. છ બોલમાં દ્રવ્યની વાત કરી છે. સાતમામાં જ્ઞાન ઉપયોગની વાત કરે છે. ઉપયોગ પણ જ્ઞય છે. તે જ્ઞયનો સ્વભાવ કેવો છે તે કહે છે:
પ્રથમ જ્ઞાન ઓછું હતું ને પછી વધ્યું તો તે નિમિત્તો તથા બાહ્ય પદાર્થો હતા માટે વધ્યું? અથવા તે પદાર્થોનું અવલંબન લેતો હશે? તો કહે કે ના. તે ઉપયોગ પર પદાર્થનું અવલંબન લેતો નથી. તેમ જ્ઞાનમાં જે શયો નિમિત્ત થાય છે તે શયોના અવલંબને જ્ઞાન થતું નથી; તે જ્ઞાન પોતાના જ્ઞાતાદષ્ટા સ્વભાવના જ અવલંબને થાય છે.
(૮) જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ બહારમાંથી આવતી નથી
એમ તું જાણ. જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
પ્રથમ જ્ઞાનની પર્યાયમાં હીણપ હતી, પછી બીજે સમયે જ્ઞાનનો વધારો થાય છે તે વધારો બહારથી આવ્યો? સાતમા બોલમાં કહ્યું કે જ્ઞાન ઉપયોગને દેવશાસ્ત્રગુરુનું અવલંબન નથી તો તેના આશ્રય વિના આ વધ્યું કેવી રીતે?
ભાઈ, તે બહારથી આવતું નથી, અંતરતત્ત્વમાંથી આવે છે. હવે આઠમા બોલમાં કહે છે કે જ્ઞાન પરમાંથી લવાતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com