Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭ર ] [ ૪૯ ઉપયોગ પર્યાય છે. “છે તેને કોણ હરી શકે? આ જગતમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણ વસ્તુ છે. જેમ દ્રવ્ય જ્ઞય છે, ગુણ શય છે તેમ પર્યાય પણ શેય છે. ઉપયોગ તે જ્ઞાનગુણની પર્યાય છે, તથા તે શેય પણ છે. અહીં જ્ઞય અધિકાર છે. પર્યાય જ્ઞય કેવો હોય તેની વાત કરે છે. સાતમા બોલમાં કહેલ હતું કે જ્ઞાનપર્યાયને પરનું અવલંબન નથી. શેય પદાર્થ-ઉપયોગ જે “છે, છે, છે,” તેને પરનું અવલંબન કેમ હોય? વળી જ્ઞય પદાર્થ-ઉપયોગ જે “છે, છે, છે, છે, તેને બહારથી કેમ લવાય? વળી ય પદાર્થ-ઉપયોગ જે “છે, છે, છે, તેને કોઈ બીજો કેમ હરી શકે ? એટલે જે ઉપયોગ છે તેને પરનું અવલંબન હોઈ શકે નહિ એમ સાતમા બોલમાં કહ્યું, તેને બહારથી લવાતો નથી એમ આઠમાં બોલમાં કહ્યું, તેને કોઈ હરણ કરી શકતો નથી એમ નવમાં બોલમાં કહ્યું. જેમ દ્રવ્ય છે, ગુણ છે, તેમ પર્યાય પણ છે તો પછી જ્ઞાન ઉપયોગરૂપ પર્યાય જે “છે તેને કોણ હરી જાય? કોઈ હરી જાય એમ કહો તો છે” રહેતું નથી, છે” ની શ્રદ્ધા રહેતી નથી. માટે પર્યાય છે” એમ સ્વીકારનારને કોઈ હરી જાય એવી શંકા પડે જ નહિ. પંચમકાળ અથવા પ્રતિકૂળતા જ્ઞાનઉપયોગને હરી શકતાં નથી. તે ય પર્યાયનો સ્વભાવ એવો છે કે તે નિમિત્ત કે બહારથી લવાતો નથી, તે સ્વનો આશ્રય છોડતો નથી ને કોઈ હરી જાય તેવો નથી. જ્ઞાનનું કામ શું? શયોનું અવલંબન ત્યે તે જ્ઞાનનું કામ નથી, જ્ઞાન બહારથી વૃદ્ધિ પામે એવું જ્ઞાનનું કામ નથી, કોઈથી હીણું પડી જાય એવું તે જ્ઞાન નથી. એવો તે શેયનો સ્વભાવ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99