Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 50
________________ Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ] [૪૩ જે જ્ઞાનનો વ્યાપાર જ્ઞાતાદષ્ટા શુદ્ધ સ્વભાવનું અવલંબન છોડી નિમિત્તનું લક્ષ કરે તેને જ્ઞાન ઉપયોગ જ કહેતા નથી. જેવી રીતે ઇંદ્રિયોથી જાણે તે આત્મા કહેવાતો નથી તેમ જે ઉપયોગ પરનું અવલંબન લ્યે તેને ઉપયોગ કહેતા નથી. અજ્ઞાની દલીલ કરે છે કે દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ એકરૂપ છે, તેને અવલંબન ન હોય એમ કહો તો તો ઠીક છે પણ એક પછી એક થતી પર્યાયોમાં એકરૂપતા રહેતી નથી ને જ્ઞાનની વિશેષ વિશેષ નિર્મળતા અનેક પ્રકારની થાય છે તે જ્ઞેયોના આધારે થતી હશે ને? મન તથા શુભરાગનું અવલંબન છે માટે શુદ્ધતા વધીને ?-કે ના. તે નિર્મળતાની વૃદ્ધિ પ૨ પદાર્થોમાંથી કે શુભ રાગમાંથી આવતી નથી. તે પોતાના શુદ્ધ દ્રવ્ય સ્વભાવમાંથી જ આવે છે, અંતર પરિણમનની એકાગ્રતા વધતાં બહારમાં પ્રગટ દેખાય છે. જ્ઞાનના વૈભવનું કા૨ણ પૂર્વ આચાર્યોની ૫૨૫૨ા કેમ કહ્યું ? પ્રશ્ન:- જો નિર્મળતા અંતરથી પ્રગટે છે એમ કહો તો કુંદકુંદાચાર્ય ભગવાને સમયસાર ગાથા ૫માં કહેલ છે કે અમારા સ્વસંવેદન જ્ઞાનનો જન્મ પૂર્વાચાર્યોના અનુગ્રહપૂર્વક ઉપદેશથી થયેલો છે ને આચાર્યોની પરંપરાથી આ વૈભવ અમોને મળેલ છે એમ કેમ કહ્યું ? સમાધાન : જ્યારે કોઈપણ જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવી ચેતનના આશ્રયે પોતાના જ્ઞાનની અતૂટ ધારા ટકાવી રાખે છે ત્યારે પોતાના જ્ઞાનમાં નિમિત્તરૂપે થતા પૂર્વ આચાર્યો કેવા છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવે છે. દરેક આત્મા પોતે પોતાનો જ્ઞાનપ્રવાહ ઉત્તરોત્તર ટકાવી રાખે છે ત્યારે કયા કયા નિમિત્તો હતાં તેનું જ્ઞાન કરાવે છે. જેમ જ્ઞાનીઓની પરંપરામાં ઉત્તરોત્તર જ્ઞાન ટકાવી રાખવામાં સંધિ છે તેમ તેનાં નિમિત્તોની પરંપરામાં ઉત્તરોત્તર Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99