Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ] [ પ્રવચનસાર પ્રવચનો અવલંબન તે કેવી રીતે ભે? પર શયોમાં કોઈમાં જાણવા–દેખવાનો સ્વભાવ એટલે કે ઉપયોગ નથી માટે ઉપયોગ પરનું અવલંબન લ્ય તેવો ઉપયોગનો સ્વભાવ નથી. હવે અહીં કોઈ કહે કે અમો તો વ્રતધારી છીએ, પડિમાધારી છીએ, ઉપદેશક છીએ એથી અમોને આ સાંભળવાની જરૂર લાગતી નથી કારણ કે અમોએ જે માન્યું છે તેમાં અમોને ભૂલ દેખાતી નથી. મારામાં ભૂલ નથી એમ માનનાર કદીપણ ભૂલ રહિત થતો નથી. સમાધાન : મારામાં હીણાપણું છે એમ જે જાણે તેને હીણાપણું ટાળી અધિક થવાનો પ્રસંગ રહે. પણ હીણપ જ નથી એમ કહે તો હીણપ ટાળવી રહેતી નથી, સંસારી જીવોને, વીતરાગ ન થાય ત્યાં સુધી, ભૂલ હોય ખરી, ને ભૂલ પોતામાં છે એમ કબૂલે તો ભૂલ ટાળી શકે પણ મારામાં ભૂલ જ નથી, હું તો ભૂલરહિત છું એમ બાહ્ય ક્રિયાકાંડના અભિમાનમાં માને તો ભૂલથી છૂટવાનો પ્રસંગ રહેતો નથી એટલે કે તેનો સંસાર ટળતો નથી માટે જીવે પોતાની ભૂલ ક્યાં છે તે જાણી, તેની કબૂલાત કરી તેને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં ઉપયોગનું લક્ષણ જાણવું-દેખવું તે છે ને તે લક્ષણ લક્ષ્યને એટલે કે આત્માને જણાવે છે એમ કહ્યું છે. કોઈ પ્રશ્ન કરે કે ઉપયોગ તો આત્મામાં પર તરફનો અનાદિનો છે પણ તે ક્યારે સુધરે? શુભરાગના અવલંબને અથવા દેવ-શાસ્ત્રગુના અવલંબને સુધરે ખરો કે નહિ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99