________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[ પ્રવચનસાર પ્રવચનો પણ અપેક્ષા રાખતો નથી, એકલા પોતાના આત્માની જ અપેક્ષા રાખે છે. તેના જ્ઞાન માટે કોઈ બહારનાં લિંગોની જરૂર નથી. એકલો પ્રત્યક્ષ જ્ઞાતા સ્વરૂપ છે એમ શ્રદ્ધા-શાન કરી ધર્મદશાને પામે છે. આવી રીતે ધર્મી જીવ “અલિંગગ્રહણ” શબ્દ તે વાચક તેમાંથી વાચ્ય તે ભાવ આવા પ્રકારનો કાઢે છે.
આચાર્ય ભગવાન પણ શિષ્યને એ જ ભાવ કહે છે કે હે શિષ્ય! તારો આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવું તારું સ્વજ્ઞય છે એમ તું જાણ. (૭) ઉપયોગને શેય પદાર્થોનું અવલંબન
નથી એમ તું જાણ. પહેલા પાંચ બોલમાં દ્રવ્યની (આત્માની) નાસ્તિથી વાત કરી હતી. આત્મા કોઈ બાહ્ય ચિહ્નથી જણાય એવો નથી એમ નાસ્તિથી આત્મદ્રવ્યની વાત કરેલ. છઠ્ઠા બોલમાં આત્મદ્રવ્યની અસ્તિથી વાત કરેલ હતી. હવે સાતમાં બોલમાં આત્માના જ્ઞાનગુણની પર્યાય જે ઉપયોગ છે તેની વાત કરે છે.
અહીં લિંગ એટલે ઉપયોગ કહેલ છે. જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે જ્ઞય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
કોઈ પ્રશ્ન કરે કે દેવ-શાસ્ત્ર–ગુરુ વગેરે જોયોનું અવલંબન નથી તો મંદિરો તથા પંચકલ્યાણક વગેરે શા માટે કરાવ્યાં?
ધર્મી જીવ સ્વભાવનું અવલંબન લે છે ને
સ્વભાવનું બહુમાન કરે છે. સમાધાન: સાધક જીવને અશુભથી બચવા માટે શુભરાગ આવે છે ત્યારે કેવાં નિમિત્તો હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com