________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ પ્રવચનસાર પ્રવચનો પાંચ લિંગ દ્વારા આત્મા જણાતો નથી તેથી આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે.
આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે તેવાં શ્રદ્ધા-જ્ઞાનનું ફળ કેવળજ્ઞાન
જેમ કોઈ જીવ રાગને પોતાનું સ્વરૂપ માને તો તે કદી રાગ રહિત થઈ શકે નહિ, પણ રાગ હોવા છતાં તે જ વખતે પોતાનું ત્રિકાળી સ્વરૂપ રાગ રહિત છે એમ જો શ્રદ્ધા-જ્ઞાન કરે તો અંશે વીતરાગતા પ્રગટ થાય ને પછી સ્થિરતા વધતાં પરિપૂર્ણ વીતરાગ દશા પ્રગટ થાય.
તે ન્યાયે પરોક્ષ જ્ઞાન આત્માનો સ્વભાવ હોય તો કદી પરોક્ષ રહિત થઈ શકે નહિ, કારણ કે જે ચીજ પોતાની કાયમની હોય તે તેનાથી કદી જુદી પડી શકે નહિ. પણ પરોક્ષ જ્ઞાનનો અભાવ કરી સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરીને અનેક જીવો સર્વજ્ઞ થઈ ગયા છે માટે પરોક્ષ જ્ઞાન તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી એમ નક્કી થાય છે. માટે ઉપર કહ્યાં તે પાંચ લિંગથી આત્મા જણાય એવો નથી. તો આત્મા કેવો છે? આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. વર્તમાનમાં પરોક્ષ જ્ઞાન હોવા છતાં પ્રત્યક્ષ જ્ઞાતા મારો સ્વભાવ છે એમ શ્રદ્ધા જ્ઞાન કરે તો પોતામાં અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય ને વિશેષ વધીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.
ક્રિયાનું સ્વરૂપ પ્રશ્ન: આટલું સમજ્યા પછી પૌષધ, પ્રતિક્રમણ વગેરેની ક્રિયા કરવી તો ખરીને ?
ઉત્તર: ભાઈ, શરીરની ક્રિયા તો આત્મા કદી કરી શકતો નથી. ભક્તિ વગેરેનો શુભભાવ તે પુણ્ય આસ્રવ છે, તે વિકારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com