________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧
અલિંગગ્રહણ ગાથા ૧૭]
આ પાંચ બોલ થયા. તેમાં નાસ્તિથી વાત કરી છે. હવે છઠ્ઠી બોલમાં અસ્તિથી વાત કરે છે.
(૬) આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ તું જાણ. આત્મા કોઈ બાહ્ય ચિહ્ન તથા અનુમાન વગેરે જે પાંચ લિંગ ઉપર કહ્યાં તે લિંગ દ્વારા જણાય તેવો નથી, પણ સ્વભાવ વડે જણાય એવો છે. આત્મા સ્વભાવ વડે જણાય એવો છે એમ કહેતાં જ તે પરોક્ષ અનુમાનમાત્રથી જણાય એવો નથી, તેમ જ ઇંદ્રિયો ને મનના અવલંબનથી જણાય એવો નથી-એમ નાસ્તિથી આવી જાય છે. અહીં તો અસ્તિથી આ બોલ કહ્યો છે. પરોક્ષતા હોવા છતાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એમ
કેમ કહ્યું? અહીં તો સાધકદશાની વાત છે. કેવળીને સમજવાનું બાકી હોતું નથી કારણ કે તેઓ તો સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાતા થઈ ગયા છે. ત્યારે અહીં આ બોલમાં પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા ભાવની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. તેનો શું અર્થ છે? પ્રત્યક્ષ જ્ઞાતા તો કેવળી હોય છે છતાં અહીં પ્રત્યક્ષ જ્ઞાતા કહેલ છે કારણ કે સાધક જીવ પોતાના આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા માને છે. સાધકને પરોક્ષતા અંશે છે તેની અહીં ગૌણતા છે, મુખ્યતા પ્રત્યક્ષની છે. રાગરહિત તથા મનના અવલંબન રહિત, પ્રત્યક્ષ જ્ઞાતા પોતાના આત્માને જે માને નહિ તેને ધર્મ કદી થાય નહિ.
અહીં કહ્યું કે આત્મા ઇન્દ્રિયોથી સ્વ-પરને જાણતો નથી, આત્મા ઇંદ્રિયો વડે જણાતો નથી, આત્મા ઇદ્રિયગમ્ય ચિહ્નથી જણાતો નથી, આત્મા કેવળ અનુમાન જ્ઞાનથી જણાતો નથી ને આત્મા કેવળ અનુમાન જ્ઞાનથી સ્વ-પરને જાણતો નથી. આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com