Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭ર ] [ ૨૯ ૩. વળી સાધકદશામાં અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ જ્ઞાન ન હોય તો અંશ પ્રત્યક્ષજ્ઞાન વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ કદી થઈ શકે નહિ ને પરોક્ષનો અભાવ થઈ શકે નહિ માટે સાધકદશામાં અંશે પ્રત્યક્ષ જ્ઞાન છે, એમ નક્કી થાય છે. જેવી રીતે સાધકદશામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય અંશે ઊઘડલી છે તે વખતે દેવ શાસ્ત્ર ગુરુ આદિ તરફનો રાગરૂપી વ્યવહાર જોડે હોય છે. તે ન્યાયે સાધકદશામાં પોતાના સ્વભાવનાં શ્રદ્ધા જ્ઞાન સહિત સ્વસંવેદના અંશે પ્રત્યક્ષ જ્ઞાન પર્યાયમાં પ્રગટ હોય છે ત્યારે અનુમાન જ્ઞાન પણ અંશે પરોક્ષ તે જ પર્યાયમાં સાથે રહેલું છે. ૫. વળી, જેવી રીતે વિશેષ પુરુષાર્થ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રની સંપૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટે છે ત્યારે દેવશાસ્ત્રગુરુ તરફના શુભરાગરૂપી વ્યવહારનો સર્વથા અભાવ થાય છે ને નિશ્ચય એકલો રહે છે. તે ન્યાયે સાધક દશામાં જ્ઞાનસ્વભાવી આત્મામાં સંપૂર્ણ એકાગ્રતા થતાં સંપૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાન પ્રગટે છે તે વખતે પરોક્ષ જ્ઞાનનો સર્વથા અભાવ થાય છે, ને સકલ પ્રત્યક્ષ પ્રત્યક્ષ કેવળજ્ઞાન એકલું રહે છે. આ બોલમાં અલિંગગ્રહણનો અર્થ. અન્નનહિ, લિંગ=કેવળ અનુમાન માત્ર, ગ્રહણ=જાણવું. તું કેવળ અનુમાતા માત્ર નથી. ઉપર કહ્યું તેમ અનુમાન માત્ર હોય તો કદી કેવળજ્ઞાન થાય નહિ માટે સાધક દશામાં વસંવેદન સહિતનું અનુમાન છે. તારું જ્ઞાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99