________________
૨૨]
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
[પ્રવચનસાર પ્રવચનો
આત્મામાં જેનો અભાવ છે તેવી ઇંદ્રિયો વડે
કેવી રીતે જાણે ?
આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તે ઇન્દ્રિયોથી જાણતો નથી એમ તું જાણ. આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે. જે પદાર્થમાં જેનો અભાવ હોય તેનાથી તે કામ કરે એમ બની શકે નહિ. ભગવાન આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે ને અભાવ વડે આત્માને જાણે તો સસલાનાં શિંગડા વડે કોઈને દુઃખ થાય તેના જેવું બને. સસલાનાં શિંગડાં જગતમાં છે જ નહિ તો પછી તે સુખદુઃખનું કારણ કેમ હોઈ શકે? ન જ હોય. તેમ આત્મામાં ઇન્દ્રિયોનો અભાવ છે તો પછી તે અભાવરૂપ ઇન્દ્રિયો વડે આત્મા જાણે એમ કેમ બને? ન જ જાણે. માટે આત્મા અતીન્દ્રિય સ્વભાવવાળો છે એમ તું જાણ. આનું નામ સમ્યગ્દર્શન ને ધર્મ છે.
(૨) આત્મા ઇંદ્રિયપ્રત્યક્ષનો વિષય નથી એમ તું જાણ.
આત્મા એવો છે કે તે ઇંદ્રિયો વડે જણાતો નથી એમ તું જાણ. ઇંદ્રિયો તેનામાં છે જ નહિ. જે વસ્તુ જેનામાં ન હોય તેનાથી તે જણાય એવું કદી બને નિહ. આત્મામાં ઇંદ્રિયો જ નથી માટે તે ઇંદ્રિયપ્રત્યક્ષનો વિષય નથી. તે તો પોતાથી જણાય તેવો છે એમ તું જાણ.
(૩) આત્મા ઈન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી એમ તું જાણ.
શરીર હાલેચાલે છે, વાણી બોલાય છે માટે આત્મા છે એમ ઇન્દ્રિયના પ્રત્યક્ષપૂર્વક અનુમાન કરી શકાય એવો આત્મા નથી. આત્મામાં ઇંદ્રિયો જ નથી તેથી ઇંદ્રિયપ્રત્યક્ષ અનુમાનથી આત્મા જાણી શકાતો નથી એમ તું જાણ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com