________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ પ્રવચનસાર પ્રવચનો પંચપરમેષ્ઠી ભગવાન એકલા અનુમાનથી જણાય તેવા નથી.
બીજા જીવો એકલું અનુમાન કરે ને કહે કે આ વીતરાગદેવ છે, આ નિગ્રંથ ગુરુ છે તો તેવી રીતે પારખવું બની શકે નહિ એમ તું જાણ. સર્વજ્ઞ દેવાધિદેવ, અહંત તથા સિદ્ધ અને આચાર્ય, ઉપાધ્યાય, મુનિ વગેરેના આત્માને જાણવા હોય તો એકલા અનુમાન વડે જાણી શકાય એવા તે આત્મા જ નથી.
હીરાની દુકાને બે પૈસા લઈને જાય તો હીરા-માણેક મળે નહિ. વળી કોઈ ભિખારી ભીખ માગે તો તેને લાડવાનો ભૂકો મળે પણ મિઠાઈનું આખું ચોસલું મળે નહિ. આખું ચોસલું માગવાની તેનામાં હિંમત પણ હોતી નથી તેમ જ ઘરની રિદ્ધિ-સિદ્ધિ, હીરા વગેરે અમોને બતાવજો એવું કહેવાની હિંમત પણ તેનામાં હોતી નથી. તેવી રીતે કેવળ અનુમાનજ્ઞાન ભિખારી જેવું છે, તે વડે હીરા સમાન પંચપરમેષ્ઠીના આત્માઓ પારખી શકાય એમ નથી. જેમ ભિખારીમાં
હીરા બતાવજો” એમ કહેવાની હિંમત જ નથી તેમ અનુમાનજ્ઞાનમાં પંચપરમેષ્ઠીના આત્મા પારખે તેવી તાકાત જ નથી. પોતાનો આત્મા શુદ્ધસ્વભાવી છે તેનાં શ્રદ્ધા-જ્ઞાન તથા રાગરહિત અંશે સ્વસંવેદન જે જીવમાં નથી તે જીવ એકલા અનુમાનજ્ઞાનથી તે પંચ પરમેષ્ઠીના આત્માઓ જાણી શકે નહિ. સંવેદન જ્ઞાન વિનાના મિથ્યાષ્ટિઓ ભલે શાસ્ત્રના ઘણા ઘણા જાણકાર હોય ને તે જ્ઞાનથી એકલું અનુમાન કરે કે અતિ આવા હોવા જોઈએ ને મુનિ આવા હોવા જોઈએ તો તેમનું તે બધું અનુમાનજ્ઞાન જ્ઞાન જ નથી. તેનાથી પંચપરમેષ્ઠી ઓળખાય તેવા તે આત્મા નથી એમ તું જાણ.
પંચપરમેષ્ઠી ભગવાન સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવા છે.
એકલા અનુમાનથી પંચપરમેષ્ઠી જણાય એવા નથી તો કયા જ્ઞાનથી જણાય એવા તે આત્મા છે? તો કહે છે કે ભાઈ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com