________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
[ પ્રવચનસાર પ્રવચનો એકલા અનુમાન જ્ઞાનને લિંગમાં નાખી તે લિંગથી બીજા આત્માઓ ગ્રહણ થઈ શકે એવા નથી (જણાય એવા નથી) એવો અલિંગ ગ્રહણનો અર્થ, હે શિષ્ય! તું જાણ.
સ્વસંવેદન વગરનું માત્ર અનુમાન તે પ્રમાણજ્ઞાન નથી
પણ મિથ્યાજ્ઞાન છે.
૧.
એક પદાર્થની અંદર વર્તમાન પર્યાયમાં પોતાની યોગ્યતાના કારણે કાર્ય થાય છે ત્યારે બીજી સંયોગી ચીજને નિમિત્ત કહેવાય છે. ઉપાદાનમાં કાર્ય ન થાય તો બીજી ચીજને નિમિત્ત પણ કહેવાતું નથી. એટલે કે ઉપાદાનમાં કાર્ય થયા વગર બીજી સંયોગી ચીજમાં નિમિત્તપણાનો આરોપ જ આવતો નથી. જીવ પોતાના શુદ્ધસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિશ્ચયપર્યાય પ્રગટ કરે તો દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેના શુભરાગને વ્યવહારનો આરોપ આપવામાં આવે છે. પોતામાં નિશ્ચય નિર્મળ પર્યાય પ્રગટ ન કરે તો પૂર્વના રાગને વ્યવહાર નામ પણ આપી શકાતું નથી, એટલે કે નિશ્ચય વગર એકલો વ્યવહાર હોતો જ નથી.
તે ન્યાયે
૩.
જીવ પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે સંવેદન જ્ઞાન પ્રગટ કરે તો તે સ્વસંવેદન સહિતના અનુમાન જ્ઞાનને અનુમાન જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. પોતામાં સ્વસંવેદન જ્ઞાન પ્રગટ ન કરે તો એકલું અનુમાન તે પ્રમાણ જ્ઞાન કહેવાતું નથી પણ તે મિથ્યાજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com