Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 28
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] [ ૨૧ રીતે આત્મા ઊભો થાય તેવો માલ હાજર કર્યો છે છતાં જે જીવ તેનો વિચાર કરી, શ્રદ્ધા કરી, સ્વરૂપાનંદનો ભોગવટો ન કરે તે મૂર્ખ છે. * * * * * * * F * * * * * * * (માહ વદ ૫ સોમવાર) (૧) આત્મા અતિક્રિયજ્ઞાનમય છે એમ તું જાણ. આ આત્મા શરીર આદિથી પર છે. તે શું છે? શરીર વગેરે પરજ્ઞય છે ને આત્મા સ્વજ્ઞય છે. પોતાને પોતા વડે જાણતાં આત્મા સ્વપણે જણાય છે ને પર પદાર્થો પરપણે જણાય છે. આત્મા બાહ્ય લિંગથી જણાય એવો નથી એમ “તું જાણ.” અહીં આચાર્ય ભગવાન આદેશ કરે છે. એ શેયરૂપ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, અસ્તિત્વ, વિભુત્વ, પ્રભુત્વ વગેરે અનંત અનંત શક્તિનો પિંડ છે ને અલિંગગ્રહણ છે એમ તું જાણ”. આત્માને ઈન્દ્રિયોથી જાણવું થતું નથી તેમ તું જાણ. આત્મા અતીન્દ્રિય છે એટલે કે ઇન્દ્રિય તથા મનના અવલંબન વગરનો છે માટે ઇન્દ્રિયો વડે જાણતો નથી એમ તું જાણ. શ્રીગુરુ શિષ્યને કહે છે કે “તું જાણ” તો તે ઉપરથી આત્મા જાણી શકાય છે એમ નક્કી થાય છે. જો શિષ્ય આત્માને જાણી શકે એમ ન હોત તો શ્રી ગુરુ “તું જાણ” એમ કહેત નહિ. “તું જાણ” કહેતાં જ શિષ્ય જાણી શકે એવો આત્મા છે એમ નક્કી થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99