________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[ ૧૭ કેવળજ્ઞાનમાં તો તે સર્વથા પ્રત્યક્ષ જણાય છે અને નીચલી દશામાં શ્રુતજ્ઞાનમાં પ્રતીતિમાં આવે છે. સાધકદશામાં પણ એકલા અનુમાનથી જણાવાયોગ્ય નથી. સાધકદશામાં એકલા અનુમાન જ્ઞાનથી જણાતો હોય તો વસંવેદન અંશે પ્રત્યક્ષ થઈ શકે નહિ ને સ્વસંવેદન જ્ઞાન સાધકદશામાં અંશે પ્રત્યક્ષ ન હોય તો તે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ થઈ શકે નહિ, માટે સાધકદશામાં પણ સ્વસંવેદન પ્રત્યક્ષપૂર્વક અનુમાનજ્ઞાનનો વિષય થાય છે. બીજાઓ કે જેને આ આત્મા જાણવો છે તેમને સ્વસંવેદન જ્ઞાન હોવું જ જોઈએ તો જ તે જીવો આ આત્માને જાણી શકે. બીજા જીવો સ્વસંવેદન સહિત અનુમાન જ્ઞાન કરીને જ્ઞાન લંબાવે ને આ આત્માની ઓળખાણ કરે તો બરાબર છે પણ બીજા જીવો સ્વસંવેદન વિનાના માત્ર અનુમાનથી આ આત્માને ઓળખવા જાય તો તે વડે આ આત્મા જણાય એવો એ જ્ઞય પદાર્થ નથી.
*
*
*
*
*
(૫) આત્મા કેવળ અનુમાનથી જ જાણે એવો તે
શેય પદાર્થ નથી. આ આત્મા એકલું અનુમાન કરી પોતાને તથા પરને જાણતો નથી. અલિંગગ્રહણનો અર્થ- અન્નનહિ, લિંગ=અનુમાન જ્ઞાન, ગ્રહણ જાણવું. આત્મા માત્ર અનુમાન જ્ઞાનથી પોતાને અથવા પર જાણે એવો નથી. માટે સ્વ અને પર બન્નેને જાણવા માટે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન હોવું જોઈએ.
આત્મા પોતે કેવળ અનુમાન કરનારો હોય તો કદીપણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરી શકે નહિ. અનુમાન જ્ઞાન છે ખરું પણ કેવળ અનુમાન માને તો તે યથાર્થ નથી. અનુમાન સાથે અંશે સ્વસંવેદન જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે ને તે વધીને સંપૂર્ણ પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com