________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૧૫ ઉત્ત૨:- કોઈ પદાર્થને કોઈ બીજો પદાર્થ મળતો નથી. કોઈ બીજા પદાર્થમાં જતું કે આવતું નથી. જગતના જ્ઞેય પદાર્થો પોતાના કા૨ણે આવે ને જાય છે. પરમાણુની પર્યાય આત્માના એક ક્ષેત્રે આવી તેને ઓળખાવવામાં આવી છે.
નિશ્ચયથી ઇન્દ્રિયો પરમાણુની પર્યાય છે. પણ તેની વર્તમાન પર્યાયમાં પુદ્દગલની બીજી પર્યાય કરતાં ફેર છે તેથી તેને ઇન્દ્રિય તરીકે ઓળખાવી છે. નિશ્ચયથી પુદ્દગલ પરમાણુમાં ફેર નથી. ઇન્દ્રિયજ્ઞાન જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારથી ઇન્દ્રિયોનો સંયોગ બતાવવા કહેવામાં આવ્યું છે. પણ તેનાથી જ્ઞાન થાય છે તેવો તેનો અર્થ નથી. પણ જીવના ઉઘાડની લાયકાત વખતે ઇન્દ્રિયો નિમિત્તરૂપે હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે.
જ્ઞાનથી આત્મા જણાય એમ શ્રદ્ધા કબૂલે છે.
આત્મા પોતે પ્રમેય છે. પોતે ઇન્દ્રિયો વડે જણાય એવો પ્રમેય પદાર્થ નથી, માટે તે ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી, પણ જ્ઞાનપ્રત્યક્ષનો વિષય છે. આ સમ્યગ્દર્શન અધિકાર છે. આત્મા શ્રદ્ધાનો એટલે સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી શ્રદ્ધા એમ કબૂલે છે કે ઇન્દ્રિયોથી જણાય એવો આત્મપદાર્થ નથી પણ જ્ઞાનપ્રત્યક્ષથી જણાય એવો આત્મપદાર્થ છે. આવી સ્વાશ્રયદ્વારા શ્રદ્ધાની કબૂલાત કરવી તે ધર્મ છે. આવી શ્રદ્ધા અને જ્ઞાન વિના વ્રત-તપ આદિ સાચાં હોઈ શકે નહિ.
(૩) આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષપૂર્વક અનુમાનથી જણાય તેવો નથી.
ત્રીજો બોલઃ- ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ છે. તેમ બાહ્ય કોઈ ઇન્દ્રિયોથી જણાવા યોગ્ય ચિહ્ન દ્વારા આત્માનું જાણવું થતું નથી તેવો તે જ્ઞેય છે.
શરીરના હાલવા-ચાલવાથી, વાણીના બોલાવાથી તથા ગર્ભના વધવાથી તે બધાં ચિહ્નથી આત્મા ઓળખી શકાય ખરો ?-કે ના.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com