________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬]
[ પ્રવચનસાર પ્રવચનો ચાલી, બાઈ હતી તો રોટલા થયા, હાથ હતો તો લાકડી ઊંચી થઈ, એમ પ્રત્યક્ષ ઈદ્રિયોથી દેખાય છે” એમ અજ્ઞાની દલીલ કરે છે.
પણ તે માન્યતા ભૂલભરેલી છે, અજ્ઞાની જીવ ઈંદ્રિયોની લપ નાખી સંયોગોને જુએ છે. જ્ઞાન સંયોગનું નથી, જ્ઞાન ઇદ્રિયનું નથી, પણ જ્ઞાન આત્માનું છે તેમ નહીં માનતાં ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એમ જે માને છે તે સંયોગને જુએ છે. આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પરને પણ ઈદ્રિયોથી જાણે તેવો તેનો સ્વભાવ નથી. અને તો ઇંદ્રિયથી જાણતો નથી અને પર પદાર્થોનું પણ આંખ, કાન, નાક, વગેરે પાંચ ઇંદ્રિયથી જાણવું થતું નથી. સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ પોતાને લીધે છે;
ઇન્દ્રિયોથી નથી. પ્રશ્નઃ આંખે મોતિયો ઉત્તરાવવો કે નહિ? મોતિયો ઉતરાવે તો દેખાય છે ને ન ઉતરાવે તો દેખાતું નથી.
ઉત્તરઃ- ભાઈ, મોતિયો ઉતરાવતા પહેલાં કે પછી આંખથી દેખવાનું થતું નથી આત્મામાં જ્ઞાન છે, ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી. મોતિયો ઉતરાવતા પહેલાં પોતાના જ્ઞાનના ઉઘાડની યોગ્યતા મુજબ જાણતો ને પછી પણ પોતાની યોગ્યતા મુજબ જાણે છે. પોતાનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ ઈદ્રિયોને લીધે છે? પર પ્રકાશક સ્વભાવ ઈદ્રિયોને લીધે છે?– ના. જ્ઞાનસ્વભાવ ઇંદ્રિયોનો નથી, ઇંદ્રિયને લીધે નથી. સ્વ ને પર બન્નેને જાણવાનો પોતાનો સ્વભાવ છે તે ચૂકીને અજ્ઞાની જીવ ઇન્દ્રિયો વડે જ્ઞાન થાય છે એમ માને છે, તે ભ્રમ છે. શાયસ્વભાવની પ્રતીતિરૂપ” નૉક' (પ્રતિષ્ઠા) વગર
જ્ઞાન સમ્યક્ થતું નથી. બજારમાં કોઈપણ ગ્રાહક માલ લેવા જાય તો તેની પાસે માલ લેવા માટે નગદ નાણાં અથવા “નોક” અર્થાત્ “પ્રતિષ્ઠા' હોવાં જોઈએ. નગદ નાણાંથી માલ મળે ને નાણાં ન હોય તો નૉક (પ્રતિષ્ઠા ) થી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com