________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭ર ]
[૯ - વ્યવહારનય સંયોગોનું જ્ઞાન કરાવે છે.
સમાધાનઃ ઇન્દ્રિયો ને મન વડે મતિજ્ઞાન થાય છે તે વ્યવહારનું કથન છે. વ્યવહારથી મતિજ્ઞાનના અનેક ભેદ પડે છે પણ નિમિત્તની અપેક્ષા ન લ્યો તો એક જ ભેદ રહે છે. જીવ પોતાના આત્માથી જ્ઞાન કરે છે ત્યારે બીજી કઈ ચીજોની ઉપસ્થિતિ હોય છે, તેનું વ્યવહારનય જ્ઞાન કરાવે છે. તે બધા ભેદો પોતાની પર્યાયની તે તે સમયની યોગ્યતાના કારણે પડે છે. ઇન્દ્રિયો વગેરે બાહ્ય સંયોગોને લીધે ભેદ નથી, પણ પોતાના કારણે ભેદ પડે છે ત્યારે નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવે છે.
અહીં તો ભેદનો પણ નકાર કરે છે. નિમિત્તોના આશ્રયે જ્ઞાન થતું જ નથી. જ્ઞાયકના આશ્રયે જ્ઞાન ખીલે છે. ઇન્દ્રિયો તથા પરવસ્તુ આત્માને ત્રણકાળમાં અડી જ નથી. માટે તેના વડે આત્મા જાણી ના શકે. પણ પોતાનો જ્ઞાનસ્વભાવ જે અતિરૂપ છે તેના વડે જાણે છે. અજ્ઞાની પોતાની ભ્રમણાના કારણે સંયોગથી હું જાણું છું એમ માને છે, તે માન્યતા સ્વભાવષ્ટિનું ખૂન કરે છે. તે બધી ચીજોને સંયોગથી જુએ છે. પોતાને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણે છે એમ નક્કી કરે તો પરપદાર્થને પણ તેના સ્વભાવથી જાણવાનું નક્કી કરી શકે.
અલ્પજ્ઞતા વખતે ઇન્દ્રિયો, મન વગેરે નિમિત્ત છે ને સર્વજ્ઞદશા વખતે ઇન્દ્રિયો, મન વગેરે નિમિત્ત નથી. પણ અલ્પજ્ઞદશામાં ઇન્દ્રિયો, મન નિમિત્ત છે માટે તેના વડે જાણે છે તે વાત ખોટી છે કોઈ પણ જીવ સ્પર્શેન્દ્રિયથી અડતો નથી, કાનથી સાંભળતો નથી અને મનથી વિચાર કરતો નથી પણ જાણવાનું કાર્ય આત્મા પોતાથી કરે છે. ઇન્દ્રિયો ને મન વડે જ્ઞાન થયું તે સંયોગ બતાવવા વ્યવહારનયથી કથન કરેલ છે, વ્યવહારનયનો આવો અર્થ સમજવો; ને સંયોગ વિના જ આત્મા જ્ઞાન કરે છે એમ નિશ્ચયનયનો અર્થ સમજવો. નયના અર્થો શાસ્ત્ર બોલતું નથી પણ આત્મા પોતાના જ્ઞાન દ્વારા જુદી જુદી અપેક્ષા સમજી લ્ય છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અપ્રમાણ નથી પણ પ્રમાણ જ્ઞાન છે, એમ સ્વાશ્રય દ્વારા યથાર્થ સમજવું જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com