________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮]
[ પ્રવચનસાર પ્રવચનો નથી. આ પ્રમાણે જે જીવ સ્વની પર્યાયને સ્વતંત્ર માનતો નથી તેને પર પદાર્થોની પર્યાયો સ્વતંત્ર જોવાની તાકાત ખીલતી નથી.
અજ્ઞાની ઊંધી માન્યતા કરે તોપણ વસ્તુનો સ્વભાવ ફરી જતો નથી. પણ તેની માન્યતામાં તે દોષ ઉત્પન્ન કરીને દુઃખી થાય છે.
વર્તમાન પર્યાયનું યથાર્થ જ્ઞાન કર્યું ક્યારે કહેવાય?
સ્વ તથા પર પદાર્થોની વર્તમાન અવસ્થાનું સાચું જ્ઞાન કર્યું ક્યારે કહેવાય ?-કે તે તે પદાર્થનો સ્વભાવ જાણે તો. જે જીવ પોતાનું જ્ઞાન પોતાના જ્ઞાતા સ્વભાવના આશ્રયે થાય છે પણ ઇન્દ્રિયો તથા પરપદાર્થોના અવલંબન થતું નથી એમ માને તે જીવ પર પદાર્થોની પર્યાયોને પણ તેના દ્રવ્યના આશ્રયે થયેલી માને છે. પણ બીજાના આશ્રયે થયેલી માનતો નથી. આ પ્રમાણે માનતાં નક્કી કરે કે મોટર ચાલવાના કાળે પોતાના કારણે ચાલે છે ને અટકવાના કાળે પોતાને કારણે અટકે છે. પેટ્રોલ સાથે મોટરને સંબંધ નથી. લાકડી તેના કારણે ઊંચી-નીચી થાય છે, જીવથી થતી નથી. છોકરાની ભણવાની પર્યાય છોકરાને લીધે છે, શિક્ષકને લીધે નથી. તે તે પર્યાયો તે તે દ્રવ્યોના આશ્રયે થાય છે, પર્યાય પર્યાયવાનની છે તે બીજાને લીધે નથી. નિગોદથી માંડીને સર્વે જીવો પોતાના આત્માથી જાણે છે પણ ઇન્દ્રિયથી જાણતા નથી. એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય જીવોને આંખો નથી માટે જોઈ શકતા નથી ને ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિય જીવોને આંખો છે માટે જોઈ શકે છે તે વાત મિથ્યા છે. જ્ઞાનનો ઉઘાડ પરના આશ્રયે નથી તેમ જ પરમાંથી આવતો નથી. તે જ્ઞાનની પર્યાય પર્યાયવાન દ્રવ્યમાંથી આવે છે. શું આત્મા કોઈપણ વખતે પોતાના જાણવા-દેખવાના સ્વભાવ વિનાનો છે કે તે ઇન્દ્રિયો વડે જાણે ? કદી નહિ. નિગોદમાં પણ પોતાનો સ્વભાવ મોજૂદ છે, ત્યાં પણ પોતાથી જાણે છે. આમ પર્યાય પર્યાયવાનની છે એમ નક્કી કરે તો વર્તમાન પર્યાયનું જ્ઞાન સાચું કર્યું કહેવાય.
પ્રશ્ન: અહીં આપ કહો છો કે ઇન્દ્રિય વગર જ્ઞાન થાય છે પણ શાસ્ત્રમાં લખાણ આવે છે કે ઇન્દ્રિય ન મનના અવલંબને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન થાય છે તે અપ્રમાણ થઈ જશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com