Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આક કર્મપ્રકૃતિના પણ બન્ધક મળી આવે છે. ત્યારે બન્નેની સાથે બહુવચનને પ્રગ કરવા છતાં પણ ત્રીજે અભિલાપ કરે છે–અથવા ઘણું બધા નારક છેવો સાત પ્રકૃતિના બન્ધક હોય છે અને ઘણું આઠ પ્રકૃતિના પણ બધક હોય છે. તાત્પર્ય એ છે કે કઈ સમયે બધા નારક સાત પ્રકૃતિને બન્ધ કરવા વાળા મળી આવે છે, કેઈ સમયમાં કોઈ એક નારક આઠ કર્મ પ્રકૃતિનો બન્ધ કરે છે અને શેષ બધા સાતનો. કયારેક કયારેક ઘણા ના૨ક સાતને પણ અને ઘણા બધા નારક આઠને પણ બંધ કરવાવાળી મળી આવે છે.
અસુરકુમારોના વિષયમાં પણ એજ પ્રકારે ત્રણ વિકલ્પ થાય છે. તેને નિર્દેશ કરે છે-એજ પ્રકારે અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર અર્થાત્ નારકનીસમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિદ્યકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર, પણ કયારેક કયારેક બધા સાત કર્મ પ્રકૃતિના બન્ધક હોય છે, ક્યારેક ક્યારેક એક જીવ આઠન અને શેષ સાતના બન્ધક હોય છે અને કયારેક ક્યારેક ઘણા સાતના તથા ઘણા આઠના બન્ધક હોય છે એ પ્રકારે અસુરકુમાર આદિ દશ ભવનપતિના વિષયમાં પણ ત્રણ વિકલપ થાય છે.
પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજરકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક આ પાંચે એકેન્દ્રિયજીવ સામાન્ય જીવની જેમજ કર્મપ્રકૃતિના બન્ધક હોય છે અર્થાત અનેક સાત પ્રકૃતિયોને બન્ધ કરનારા હોય અને અનેક આઠ પ્રકૃતિનો બંધ કરનારા હોય છે. આ પૃથ્વીકાયિક આદિમાં આ એક ભંગ થાય છે, કેમકે તેમનામાં સાત કમ પ્રકૃતિના બન્ધ કરનારા પણ સદૈવ ઘણા મળે છે. - શેષ જીવન કથન નારકની સમાન સમજવું જોઈએ, અર્થાત્ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યચ, મનુષ્ય,વનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક જીવ નારકોની સમાન કર્મ પ્રકૃતિ ન બન્ધ કરે છે. એ બધામાં નારકેના સમાન ત્રણ ભંગ થાય છે. એજ વાત આગળ સ્પષ્ટ કરી છે-નારક અસુરકુમાર, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિક, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક અર્થાત્ સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયેના સિવાય બધા જીવેમાં ત્રણ ભંગ સમજવા જોઈએ.
જે પ્રકારે પ્રાણાતિપાતથી એક વચન અને બહુવચનને લઈને બે દંડક નું પ્રતિપાદન કર્યું છે, એજ પ્રકારે મૃષાવાદ આદિ બધાં પાપસ્થાનોથી પણ બે-બે દંડક સમજી લેવા જોઈએ. એજ વાત આગળ કહેલી છે-મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા. પ્રેમ. લેભ દ્રષ. કલહ-કજીયે કંકાસ અભ્યાખ્યાન, પિશુન્ય. પરંપરિવાદ. અરતિરતિ. ભાયામૃષા અને મિથ્યાદર્શનશલ્ય આ બધા ને લઈને બે-બે દંડક થાય છે. એ પ્રકારે અઢાર પાપ સ્થાનકે સંબી એકત્વ અને બહત્વની અપેક્ષાથી છત્રીસ દંડક થાય છે. સૂ. શા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૨