Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જો સાધુ, અચેલ (અલ્પવસ્ત્રધારી) ઔર સાધુમર્યાદામેં વ્યવસ્થિત હોતે
હું ઉન્હેં જીર્ણ વસ્ત્રસમ્બન્ધી ચિન્તા કભી ભી નહીં હોતી !
છે–અહીં અલ્પ અર્થ વાચક નન્ને પ્રયોગ થયો છે-જેમ “ના” આમાં થાય છે. આ અજ્ઞ શબ્દ જે પ્રકારે સર્વથા જ્ઞાનનો અભાવ પ્રતિપાદિત નથી કરતું, પરંતુ જ્ઞાનમાં અલ્પતા પ્રદર્શિત કરે છે, ઠીક એ પ્રકારથી
ઢ” આ શબ્દ પણ વસ્ત્રના સર્વથા અભાવનું પ્રદર્શન નથી કરતે, પરંતુ એમાં અલ્પતા જ બતાવે છે. એવા જે અચેલ–અલ્પવસ્ત્રવાળા છે, તથા કર્મોના વિનાશક ઉપાયમાં જેની સ્થિતિ છે, એવા સાધુના ચિત્તમાં એ કલ્પના નથી ઉઠતી, અર્થાત્ એણે એ પ્રકારની કલ્પના કરવી ઉચિત નથી કે મારું આ વસ્ત્ર જીર્ણ-જુનું થઈ ગયું છે, હવે આનાથી મારા શરીરની રક્ષા થઈ શકવાની નથી બીજું કઈ વસ્ત્ર કઈ જગ્યાએ કેઈની પાસેથી માગી લઈશ. મતલબમારી પાસે પહેલાનું જે આ વસ્ત્ર છે તે આ સમયે જીર્ણ થવાથી ફાટી ગયેલ છે, અને ઠંડીમાં મારા શરીરની રક્ષા કરવામાં તદ્દન અસમર્થ છે. આથી નવીન વસ્ત્ર વગર મારા શરીરનું ઠંડીથી રક્ષણ થવું અસંભવ છે. આ માટે નવું વસ્ત્ર મળી જાય તો ઠીક. પરંતુ જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી ગમે તેમ આ ફાટેલા જુના વસ્ત્રથી જ ચલાવી લઈશ, પરન્ત ફાટેલી હાલતમાં તે એ કામમાં આવી શકે તેમ નથી, આથી જે કયાંયથી સોય દોરા મળી જાય તે એનાથી એને સીવી લઉં, જ્યાં જ્યાં એ ફાટયું છે ત્યાં જેડી લઉં, અને જ્યાં છિદ્ર પડ્યાં છે એને ભરી લઉં. નહિ તે કોણ આટલો પરિશ્રમ કરે. જે ભાગ બીલકુલ ફાટી ગયેલ છે એને કાઢી નાખી બીજો ટુકડો જોડી દઈશ. આથી એ ફાટેલ જુને ટુકડે પહેલાં કરતાં મેટ થશે અને એથી મારાં બન્ને કામ થઈ જશે. પહેરવાના ટાઈમે પહેરી લઈશ અને ઓઢવાના સમયે એઢી પણ લઈશ આ પ્રકારના સંકલ્પ-વિકલ્પરૂપ આર્તધ્યાનથી મુનિને શુભ અધ્યવસાય થતું નથી, શુભ અધ્યવસાય ઉત્પન્ન થયા વિના પરંપરારૂપના કર્મોને ક્ષય પણ થઈ શકતો નથી. આથી કર્મોના ક્ષયને માટે ઉદ્યત બનેલ મુનિએ આધ્યાનને સર્વથા ત્યાગ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૩