Page #1
--------------------------------------------------------------------------
________________
પરમનું
પાવન સ્મરણ
ચોવીશ જૈન તીર્થકર ભગવંતના ચરિત્ર
પ્રેરક
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. સકલસંઘહિતચિંતક આધ્યાત્મિક-શિબિર-આધ-પ્રણેત આચાર્યદેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.
I DOSTE
Page #3
--------------------------------------------------------------------------
________________
કલ્યાણક ભૂમિ
***E
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૧૦
| જયઉ સવષ્ણુસાસણ-શ્રી વર્ધમાનસ્વામિને નમઃ | || શ્રી પ્રેમ-ભુવનભાનુ-પ-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ |
પરમનું પાવન સ્મરણ
(૨૪ જૈન તીર્થકર ભગવંતોના પાવન ચરિત્ર)
-: પ્રેરક :પ.પૂ. સકલસંઘહિતચિંતક પ્રભુભક્તિનિમગ્ન આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
-: લેખક :પ.પૂ. હૃદયસ્પર્શી લેખિનીના સ્વામી પંન્યાસજી
શ્રી પાબોચિવિજયજી મ.સા.ના શિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી તીર્થબોધિવિજયજી મ.સા.
-: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
-: પ્રકાશક :જૈનમર્પારિવાર
Page #5
--------------------------------------------------------------------------
________________
વીર સં. ૨૫૪૦. વિ. સં. ૨૦૭૦ • ઇ.સ. ૨૦૧૪
N
A
M
E
Author's Name
પરમનું પાવન સ્મરણ
Paramnu Pavan Smaran
૫.પૂ. મુનિરાજશ્રી તીર્થબોધિવિજયજી મ.સા. P.P. Munirajshree Tirthbodhivijayji M.S.
સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...©
પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ
મૂલ્ય રૂા. ૮૦.૦૦
-: સંશોધક ઃ
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા.
-: પ્રાપ્તિ સ્થાન :
D જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨
– દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ.
D મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫
-
દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭
D અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪
D હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વસંપત્તિના સર્વ્યય દ્વારા જેમણે શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા
શ્રુતપ્રેમી ગુરૂભક્ત પરિવાર
ભૂલવાવી=પાણી કિરણ મણિજીના અનુષી વિદ્રા તા
• શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઇ.)
• શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સુરત
The
श्री भुवनभानु-पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री शालिभद्र श्वेतांबर मूर्तिपूजक जैन संघ, सुरत ने
अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है । मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे ।
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો અga(પત્ર
nel:29.21 A ५-३,१०d anRIHMAND4100 १०.hian.५21-HiPARV 240५१.67-411481 dilirn standardnanterwate Granthamandu, Par41-2262.५.३ 2nd 2ngnenu 412 ५२५uth TRENrityanan antan 2042 12v201144
स13101 14ne/FIRI NA280 नाज्य PिART agarliatani2 R Avti wlan on 9AR-5471 ythind A६३ ५२3 Angram 2017 संY A Ali 2 1२०५12.६६ 25 Mint Ramayer
IH0403145 2nn chneiytv niti RF 201 412-ine स4 donant feu Pana
Manna antmulinc4120 HResM410 20 MADHin६५iremeanin५१९na Siasxz १९५ २०n 14-14 Yeach inta tya 2040940 4zin Androine n chin team HORI 2012 24ta Goymunninाला 417 Min tama Pitho क ने यो १०nants)
44020241५1५/ ५१men५९i 26หอมหnt Sp4 - 9 ช่อกุหiayrg เค เ% 6 25 24) 55 เท hisagrammerointendori 2anyrian raman aexsi.nn
maa 512 huni दोधारा 40 thi Hogi Pnd
DIUR 7242 २०।२45 20 नो BECTI O N 20 min
Page #9
--------------------------------------------------------------------------
________________
ว 24เค H1หte .เวเศ! 31574 (0x90 #440 V2 574 วิท26 เห(34% get ใกวร” หf ๓๓ V20 \u0 ห8 - ทด์ &า 2in1 Rubศ. 1001 2030)
30 % 24 20031เด*(+99ว) -55 %, ริเ ษ ก 99ตร์หรูๆ +24 สค 49 ? เกม 94 9
6043474r24: 29/49 49g) 28 07, 2* * * * 5446คสุด?? 9%8% A5125g gu47เหช 2491 249ๆ 21"44 444 % ห น?(401 2492 21931 i5 8- 9มา พหต์ที่ 939 * 6นเที่
4+kk44) 4njx32\(+93 #yeeze 243 ใหt (g, so d 214993iๆเท9เ%B1941 10 x 449 (วย 4 Gat syโ94% น 2548
หรูเตนก ศy ตเศเหz. 54(ศฯหวไt 2 Rฯ 59 ) Got rิใyเh. *ห๒910 421 ท หนัก 99% (v6g(m 21(+4288, 9, 4s๔ ๖นา” 6489 หมู่ที่ 99 % - My44444 (40,242 24399 999 99 คน 4244g3q4c3q212 23เวช ) 99 ดผ4. 241516 2ร) . Seymo• sw9991 x y vi ZT84 กค วิว 2013 2199 44 21 หi s! 2497 64% - 70เห8 2344 2064 5445 เys 44 หรูห 39 = 2496 24443844 25#ค2QxC9prx431 - 21w gy dv9j811) ใหh หวก ๒๕Gad 144 ใกเ% 8 28 289 21:4919 ug 210 %ผศษ 184 193ตริง ใคส์ [เต!31 4729%
เง 41 204 ศ ซ๑๐ ฯgR -
Page #10
--------------------------------------------------------------------------
________________
3
प्रतुभेत उग्रशाला के उग्र साकार संपना महासंयम हो उग्रपैाल था उपर सर्व रामहर्ष माह अज्ञानसमुक्त हो तम प्रभु शासनना मुख्य आदाधा समार्गे उसरघा उग्र प्रदशन सहा रहे हो वेध आले नौन सरधुनी साधुता विशेष दादांनी अनुलवाद हो भगतपुरण येन स्वाइनको हो प्रत्युमान की आराधना निशानु आधार रखने शहक
22
सের। उদर গলে। हो साराह मे अंदाटेमा प्रदत्ल अद्यत्नोहोचले निर्वासঝn ऊ हो नई फकहरूमा पालव यासतोषधी, प्रलुक शासन, सनंता जनंत प्रभु झासमझ पाएं धता भदो परण ओके अदमुछे या शासनना होय पहाधना सदिकरूपे हये उपाध्ये पहा धनो पार जोध अनिवार्य हो यदिना हेदे पसाउ हान उनके उपाहेद ए९सानु दुगक पल मुझे माझे प्रशासनना सर्वो मुखरज्ञाननी सांशिव
स्वरुप
प्रत्यु सनमांदळी शास्थान महात्म सानु भगवंतो या अनो सिप दोनी दिलेसनयुक्त संजित रूपमा यो पुस्तक पुलिन अको तैयार ही सदासी हो ते ठरणार उदासनाइने धन्यवादृछ प्रयुशासनका रोड विशेष सेवा को ले अनुमाईला पूजई
आमा सहयोग अपनाउने धन्दवाई अनुमोदना अधु एझस्वता होषना अरुघोटवर पुस्तक पुस्तिका भेध दियावदातय सुधारपदा R213 in that garz on 211 RA?15731
सेन दिवस घोष अन्द
ए
खंडस झপ४ खडi - समहाबाईन
Page #11
--------------------------------------------------------------------------
________________
नाणं पयासगं
પ્રકાશકીય
અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના=૭ કલાક જિનવાણી પ્રકાશે છે.
શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વ-જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. ‘ઉપ્પષે ઇ વા, વિગમે ઇ વા, ધુવે ઇ વા’, અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાજ્ઞીરૂપે પ્રગટ કર્યો... - જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃતપ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી. - પ.પૂ. સકલસં ઘહિતચિંતક યુવાનો દ્ધારક આચાર્યદેવે શ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો...વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. - પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ.
નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં પરમનું પાવન સ્મરણ (૨૪ જૈન તીર્થકર ભગવંતોના પાવન ચરિત્ર) પુસ્તક પ.પૂ. મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજી મહારાજ સાહેબશ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની શ્રુતભક્તિની અંતરથી અનુમોદના...અમારી વિનંતિને સ્વીકારી પ.પૂ. વિદ્ધધર્ય મુનિવર શ્રી જ્ઞાનબોધિવિજયજી મ.સા.એ સુંદર પ્રસ્તાવના લખી આપી તે બદલ તેમના ઋણી છીએ. પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આસવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..
જૈનમ્ પરિવાર
Page #12
--------------------------------------------------------------------------
________________
ભવોદધિતારક પ.પૂ. ગુરૂદેવશ્રીનો
આશિર્વાદ પત્ર
नमो नम: SAJ मारवाये। 4200101) स सियोल मायार्थी Pu LOVE (Arय सेम) 4260 Heam .
त्यो नमन (4212 स यु संपत १८25 Cisasy Adमसि ) स्व-साधार 610m ehl. A 2 -4 2011 या 24/7 GAVMD) MEAN)
KAnd Hula. अन शान 2014. AAHE HA COLL - यी on) (42100 समुदायना at A rय).
Aamern 4242, muन सु) Ye Midas) hwani -SA
मा २५. ५०न्या महायला HENavi YEARCH 2mm, O R
22 (4QNE 11. आ
म CAN NISAL. सन २० ने संधी सेवामा लागु ) समर्थित थु. Haryaपायो. OctHD See) ) सुनसान
सा से act- समाधि साथै ५) HAI , ja 2240 cm, dhyeglhan aro k . aur CLEAमारे मन जी योगारो तमना मनमा
म COMMENudt संयन) Cy मा या पानी
साधना 420100 सायनुस२५. (२) MA1011 (229RICC २क्षा २८0.6247 BHI CA201 0 20२८), DA-A1e03 सेयमनु मा24200 समी PAHun. Site+ HD का नता
पार ENHEACEPTS नया
Page #13
--------------------------------------------------------------------------
________________
(4) MAYA) बायुमा २४४२९te 40834 जना निता व्यस्थित १२०० (3)
) अनु01 AM + तथा ) व मा सुh main di here. ____4 A HRD) सुE MY Y संयमलनु
1054 2 10211114 AEGyanGY. ८५ मा माया ___uanामना Cavn(444) 2yprdN A HO 44 8. Mer साधु भु यस यो २ स 204)
नानी सन् २t 2010 on R 4040114) भयो (4000, कार प्रवृत्तियो
ri oly) मुल सुध 24160 20
भला No onमें 2 tam ) 2 yr मा ५२ आले भान 10 स्थापना 200) यया ५
ना २५ दर) Cre ) ( 44) नाना न0 + सलाम 2 dcm) 20 m +0
पून्य ( 442) Hinic 440+ YERA2010 240 VIRM 11Cru सेसमोRMrim r- २ d HOME
4 DAय . समा (Arauji सारा 4. सपना 120 OMAN HOOur ) 26.50 215120 Ravanart2 2
400 Biks नासाथ सन २01-24 यिनी
जन्य 123 ५। ५ २4) HM01 से क सले पर
ला - CHROH. 12242 धन। 224, २०५६
सुराना
Page #14
--------------------------------------------------------------------------
________________
Yrdilosa
|| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ||
“બગીચામાં ફૂલ તો ઘણા છે, પણ ગુલાબ તો ગુલાબ જ છે; આકાશમાં તારા તો ઘણા છે, પણ ચંદ્ર તો ચંદ્ર જ છે; દુનિયામાં દેવ તો ઘણા છે, પણ દેવાધિદેવ તો દેવાધિદેવ જ છે, તેમ જિનશાસનમાં અનુયોગ ચાર છે, પણ કથાનુયોગ તો કથાનુયોગ જ છે.”
ફૂલોમાં નંબર વન એટલે ગુલાબ, તારામાં નંબર વન એટલે ચંદ્ર, દેવોમાં નંબર વન એટલે વીતરાગ દેવાધિદેવ,
તો ચાર અનુયોગમાં નંબર વન એટલે કથાનુયોગ... દ્રવ્યાનુયોગ” બૌદ્ધિક જીવોને ઉપકારી બને છે. “ગણિતાનુયોગ” જ્યોતિષાદિ ભણનારાઓને ઉપકારી બને છે. “ચરણકરણાનુયોગ” વૈરાગી આત્માઓને ઉપકારી બને છે પણ “કથાનુયોગ'' ચાહે બોદ્ધિક હોય કે જ્યોતિર્વિદ હોય, વૈરાગી હોય કે અનુરાગી હોય, બાળ જીવથી લઇ પંડિત સુધીના સર્વજીવોને ઉપકારી બને છે. - જિનશાસનમાં “કથાનુયોગ'નું વિશદ સાહિત્ય આજે પણ વિદ્યમાન છે. કોઇપણ જીવને તે-તે ક્ષેત્રમાં આગળ વધવા માટે તે-તે ક્ષેત્રમાં હરણકાળ ભરી આગળ વધી વિજયની વરમાળાને વરેલા જીવોની કથા કહેવામાં આવે તો તે જીવનો ઉત્સાહ વધ્યા વગર રહેતો નથી, તેમ ધર્મના માર્ગે જીવને આગળ વધારવા માટે, ધર્મમાં સ્થિર કરવા માટે જ, મહાપુરૂષોએ ચરિત્રગ્રંથોની રચના કરી હોય છે.
શ્રાવક જીવનમાં પણ આવા ચરિત્રો સાંભળવા કે વાંચવા જોઇએ, આ પાક જ વાત હરરોજ બે ટાઇમ પ્રતિક્રમણ દરમ્યાન વંદિત્તા સૂત્રમાં શ્રાવકો બોલે જ
“ચિર-સંચિય-વાવ-ઘણાસણીઇ, ભવ-સય-સહસ્સ-મહણીએ; ચઉવીસ-જિણ-વિચ્ચિય-કઠાઇ, વોલતું મે દિઅહી.” ગાથા-૪૬
Page #15
--------------------------------------------------------------------------
________________
જે પ્રભુની શ્રાવક દરરોજ માળા ગણતો હોય, જે પરમાત્માની નિત્ય અષ્ટપ્રકારી પૂજા કરતો હોય, પણ તે પરમતારક પરમાત્માની જીવનકથાથી બિસ્કુલ
અજ્ઞાત હોય તો તેની માળા કે પૂજા, ઉલ્લાસ વગરના થતા વાર લાગતી નથી, પણ તે જ પ્રભુનું આખું જીવનચરિત્ર વાંચેલું કે વારંવાર સાંભળેલું હોય તો પૂજા કરતા ખ્યાલ આવે, “અહો ! મારા પ્રભુ આવા મહાન હતા.' | પ્રસ્તુત ગ્રંથ પરમનું પાવન સ્મરણમાં વિદ્વાન મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજી મહારાજ સાહેબે વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્રે થયેલ ૨૪ તીર્થંકર પરમાત્માના સંપૂર્ણ જીવન” ને ખૂબ જ સુંદર રીતે વિવેચીત કરેલ છે. પૂર્વાચાર્યો રચિત તીર્થકર ચરિત્રો' તથા પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત “ત્રિષષ્ઠિ-શલાકા-પુરૂષચરિત્ર' આદિ ગ્રંથોનો આધાર લઇ મુનિરાજશ્રીએ ખૂબજ સરળ ભાષામાં તથા સંક્ષિપ્તમાં પણ સર્વ આવરી લીધું છે.
પ્રસ્તુત ગ્રંથમાં મુનિરાજ શ્રી તીર્થબોધિવિજયજીએ ૨૪ તીર્થંકર પરમાત્માના સમ્યક્દર્શનપ્રાપ્તિથી લઇ નિર્વાણ સુધીના માત્ર ભવો જ ન લેતા સાથે સાથે વચ્ચે તત્ત્વજ્ઞાન પણ પીરસ્યું છે. જેમકે પ્રથમ આદિનાથ ચરિત્રમાં ચાર નિક્ષેપાની સમજ, દ્વિતીય અજિતનાથ ચરિત્રમાં વર્ષીદાનના ૬ અતિશય તો નવમાં તીર્થકરના બે નામો (સુવિધિ-પુષ્પદંત)માં વિશેષણ-વિશેષ્યની વાતો પણ જણાવી છે. - આવા તીર્થંકર પરમાત્માના ચરિત્રને વાંચતા-વાંચતા તે પ્રભુમાં રહેલા ગુણો આપણામાં વહેલા કે મોડા અવશ્ય આવશે, કારણ કે પૂ. પાવિજય મ. સ્પષ્ટ કહે છે, “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ’ પણ આ ગ્રંથના વાંચનની શરુઆત કરો તે પહેલા એક 'Little Suggestion' છે. ગ્રંથને માત્ર ને માત્ર વાંચશો જ નહિ, પણ સાથે સાથે વાગોળજો.
"A page digested is better Than a volume hurriedly read."
આ. શ્રી કુલબોધિસૂરિશિષ્ય મુનિ જ્ઞાનબોધિવિજય
Page #16
--------------------------------------------------------------------------
________________
|| અર્હમ્ ।।
આમુખ
ધર્મ શાશ્વત છે, ધર્મના સિદ્ધાંતો શાશ્વત છે. પરંતુ, તેવાં તેવાં ક્ષેત્ર અને તેવાં તેવાં કાળના પ્રભાવથી શાશ્વત સત્યરૂપ ધર્મ ઢંકાઇ જાય છે. માણસનાં મનમાંથી વિસરાઇ જાય છે. અને તે વખતે તીર્થંકર પ્રભુ અવતરે છે. શ્રી તીર્થંકરો વિશ્વનાં શાશ્વત સત્ય તરફ સકલ જીવસૃષ્ટિનું ધ્યાન ખેંચે છે. અને “જીવો ! આ શાશ્વત સત્ય અથવા ધર્મની સાધના કરો, અને કૃતાર્થ થાઓ.’’ આવું જગતનાં જીવોને જણાવે છે. આને તીર્થની સ્થાપના કહેવાય છે. એ. તીર્થંક૨ પ્રભુની ઉત્પતિના સ્થાનો...
૧. જંબુદ્વીપ ૨. ધાતકીખંડ દ્વીપ અને ૩. અર્ધપુષ્કરવર દ્વીપ...આ અઢીદ્વીપમાં તીર્થંકર પ્રભુની હયાતિ હોઇ શકે.
પ્રત્યેક દ્વીપમાં ૩ કર્મભૂમિ ક્ષેત્રો આવેલા છે. જેમના નામ ભરત ક્ષેત્ર, એરવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્ર છે...
જંબુદ્વીપમાં – ૧ ભરત ક્ષેત્ર, ૧ એરવત ક્ષેત્ર, ૧ મહાવિદેહ ક્ષેત્ર, ધાતકી ખંડ માં-૨ ભરત ક્ષેત્ર, ૨ એરવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર, પુષ્કરાર્ધમાં-૨ ભરતક્ષેત્ર, ૨ ઐરવત ક્ષેત્ર, ૨ મહાવિદેહ ક્ષેત્ર, આમ, અઢીદ્વીપમાં કુલ મળીને ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર આવેલાં છે, જ્યાં તીર્થંક૨ પ્રભુ અવતાર ધારણ કરે છે.
મહાવિદેહ ક્ષેત્રમાં ભરત ક્ષેત્ર-ઐરાવત ક્ષેત્ર જેવી છ-છ ખંડની વ્યવસ્થાવાળા બત્રીશ પેટા ક્ષેત્રો છે કે વિજય તરીકે ઓળખાય છે, જે ભરતક્ષેત્ર-એ૨વત ક્ષેત્ર કરતાં પણ વધુ વિશાળ હોય છે. તે પ્રત્યેક વિજયમાં એકએક તીર્થંકર હોઇ શકે છે.
આમ,પ મહાવિદેહ ક્ષેત્રનાં ૧૬૦ વિજયોમાં, અને ૫ ભરતક્ષેત્ર અને ૫ એરવત ક્ષેત્ર, આમ કુલ મળીને વધુમાં વધુ ૧૭૦ તીર્થંક૨ ભગવંતો હોય છે.
પરમનું પાવન સ્મરણ
Page #17
--------------------------------------------------------------------------
________________
'તીર્થકરોની સંખ્યા... ભરત ક્ષેત્ર અને એરવત ક્ષેત્રમાં કાલ હંમેશા એક સરખો રહેતો નથી. પરિવર્તનશીલ છે. તેથી ત્યાં અમુક જ સમય એવો આવે છે. જેમાં તીર્થકર જન્મ ધારણ કરી શકે.
તે આ પ્રમાણે-૧૦ કોટાકોટિ સાગરોપમના અવસર્પિણી કાલમાંથી ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કોટાકોટિ સાગરોપમ જેટલો ૪થો આરો, અને તેટલાં જ પ્રમાણના ઉત્સર્પિણી કાલમાંથી તેટલા જ પ્રમાણનો ૩જો આરો તીર્થંકરની ઉત્પત્તિને યોગ્ય હોય છે.
એકધારા કાલની અપેક્ષાએ જોઇએ. તો અવસર્પિણી કાલનાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોટા કોટિ સાગરોપમ જેટલો સમય-૪થો આરો વીત્યા પછી ૮૪૦૦૦ વર્ષ પસાર થયા પછી, પાછો ઉત્સર્પિણીનો ૪૨૦૦૦ વર્ષ જૂન ૧ કોટા કોટિ સાગરોપમ જેટલો સમય આવે છે. ત્યાર પછી વળી પાછો ૧૮ કોટા કોટિ સાગરોપમ જેટલો સમય વીત્યા પછી પાછો અવસર્પિણીનો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોટા કોટિ સાગરોપમ નો સમયગાળો આવે છે. તે-તે સમય ગાળામાં તીર્થંકર પ્રભુની હયાતિ હોય છે.
પરંતુ, આટલા ગાળામાં તેવા પ્રકારની લોકસ્થિતિના કારણે ૨૪ જ તીર્થંકર પ્રભુ થાય છે.
જ્યારે, મહાવિદેહ ક્ષેત્રમાં એક સરખો સમાન કાલ છે. (જે ઉત્સર્પિણીનાં ૩જા આરા જેવો, અને અવસર્પિણીનાં ૪થા આરા જેવો છે.) જેથી ત્યાં સતત તીર્થકર ભગવંતોની હાજરી રહી શકે છે.
‘સર્વોત્કૃષ્ટ સંખ્યા, સર્વજઘન્ય સંખ્યા
એક વખતે સર્વ ૧૭૦ સ્થાનોમાં તીર્થંકર પ્રભુ હયાત હોય છે. અને ત્યારે તીર્થકરોની ઉત્કૃષ્ટથી સંખ્યા ૧૭૦ મળે છે. શ્રી અજિતનાથ પ્રભુના કાળમાં આમ હતું.
એક વખતે વર્તમાન સમયે ફક્ત મહાવિદેહ ક્ષેત્રમાં અને પ્રત્યેક મહાવિદેહ ક્ષેત્રની ખૂણાની ૪ વિજયોમાં જ તીર્થંકર પ્રભુ હયાત હોય છે. માટે ત્યારે તીર્થકરોની સંખ્યા ૨૦' મળે છે. (૫ મહાવિદેહ X ૪ તીર્થકર = ૨૦) જેને વિશ વિહરમાન જિન એ નામથી આપણે પૂજીએ છીએ.
જેને તીર્થંકર ચરિત્ર
Page #18
--------------------------------------------------------------------------
________________
શાશ્વતા જિન... ભાવ તીર્થકર ક્યારેય શાશ્વતા હોઇ ન શકે. એઓ આયુષ્ય કર્મથી બદ્ધ હોય છે. આયુષ્ય કર્મના ક્ષયે મોક્ષમાં જવાથી કાયમ ધરતી પર રહેતા નથી.
સ્થાપના જિનજિન પ્રતિમાઓ...જે સ્વર્ગમાં શાશ્વતા પર્વત પરના સિદ્ધાયતનો વગેરેમાં હોય છે, જેની પૂજા કરીને દેવતાઓ ધન્ય થતાં હોય છે, તે શ્રી જિનપ્રતિમાઓ શાશ્વત હોય છે...
નામ જિન=જિન પ્રભુનું નામ કોઈ પણ અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં પાંચ ભરત ક્ષેત્રમાં ૪ શાશ્વત નામોમાંથી ૨ નામો અવશ્ય હોય છે. તે જ રીતે પાંચ એરવત ક્ષેત્રમાં બીજા ૨ નામ હોય છે. તે ચાર નામ-૨ષભ, ચંદ્રાનન, વર્ધમાન, વારિષેણ...વર્તમાન ચોવીસીમાં શ્રી ઋષભદેવ અને શ્રી વર્ધમાન સ્વામી આ બે શાશ્વત નામો છે. તથા વર્તમાન વીશ વિહરમાન પ્રભુમાં શ્રી ચંદ્રાનન સ્વામી અને શ્રી વારિષણ સ્વામી આ બે શાશ્વત નામો છે.
આમ, શાશ્વતા જિન બે રીતે હોય, ૧ સ્થાપના દિન રૂપે, ૨ નામ જિન રૂપે.
પરમનું પાવન સ્મરણ
સ્મરણ
છ૩ *
Page #19
--------------------------------------------------------------------------
________________
જંબુદ્રીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ
જંબુદ્રીપનાં ભરતક્ષેત્રમાં કે જેની ધરતી પર આપણે જીવી રહ્યાં છીએ...જે ૨૪ તીર્થંક૨ ભગવંતો થઇ ગયાં-કે જેમનાં જીવનચરિત્રને આપણે જોવાનાં છેએમાંના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ હતાં.
શ્રી કલ્પસૂત્રની ટીકામાં તેમનાં પાંચ સાર્થક નામો આ રીતે જણાવ્યાં છે. ૧. વૃષભ ૨. પ્રથમ રાજા ૩. પ્રથમ ભિક્ષાચર, ૪. પ્રથમ જિન, ૫. પ્રથમ તીર્થંકર...આ સિવાય આદ્ય તીર્થંકર હોવાથી “આદિનાથ’' તરીકે પણ તેઓ ગવાયા છે.
પૂર્વભવો ઃ અપાર સંસારચક્રમાં જીવમાત્ર સામાન્યતયા અનંતા ભવો ધારણ કરે છે. ચોવીસ તીર્થંકર ભગવંતોનાં પણ એ રીતે અનંતા પૂર્વભવો હતાં. પરંતુ અહીં તેની ગણત્રી નથી થઇ. જે ભવમાં તેઓ સમ્યગ્દર્શન પામ્યાં, તે ભવને પ્રથમ ભવ ગણી, ત્યારથી દરેક તીર્થંકર ભગવાનના ભવોની ગણતરી કરવામાં આવે છે. એ પરિભાષા મુજબ ઋષભદેવ ભગવાનના ભવો ‘૧૩’ હતાં.
પ્રથમ ભવ ઃ જંબૂહીપ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગ૨માં ‘ધન’ નામે સાર્થવાહ છે. (જે સ્વયં ભવિષ્યમાં ઋષભદેવ ભગવાન થશે.) એ સાર્થ સાથે ગામોગામ ધરતી પર ફરતો વ્યાપાર કરે છે. એકવાર વસંતપુરમાં જવાની જાહેરાત કરાવે છે. સાથે ઘોષણા કરાવે છે કે જેઓ સાથે આવશે, તેમને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સેંકડો લોકો આ સાંભળીને સાથે જોડાય છે. આચાર્ય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી પણ પોતાનાં વિશાળ શિષ્ય સમુદાય સહિત સાર્થવાહની અનુજ્ઞા લઇને જોડાય છે.
વર્ષાઋતુમાં સાથે એક સ્થળે રોકાઇ પડ્યો છે. પથિકોની ખાધા-ખોરાકી સમાપ્ત થઇ જવાથી તેઓ કંદ-મૂલ અને ફલ ખાઇને નિર્વાહ કરવા લાગ્યાં છે, ત્યારે ધન સાર્થવાહને સાધુ ભગવંતો યાદ આવે છે. તે તેમની પાસે આવીને ‘પોતે તેમને ભૂલી જ ગયો'' એવો એકરાર કરી ક્ષમા માંગે છે, અને ગોચરીના લાભ માટે વિનંતિ કરે છે.
જૈન તીર્થંકર ચરિત્ર
Page #20
--------------------------------------------------------------------------
________________
અવસરજ્ઞ આચાર્ય ભગવંત પણ બે સાધુને મોકલે છે. ધન સાર્થવાહ એ વખતે ત્યાં હાજર ઘીના ગાડવામાંથી ઘી લઇને સાધુ ભગવંતને વહોરાવે છે, અને એ દાનધર્મ દ્વારા સમકિતની પ્રાપ્તિ કરે છે. પછી આચાર્ય ભગવંતનાં ઉપદેશ શ્રવણાદિ વડે સમ્યકત્વને સ્થિર કરે છે. ત્યાંથી કાળધર્મ પામી...
દ્વિતીય ભવે ? ઉતરકુરુક્ષેત્રમાં યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે. તૃતીય ભવેઃ સૌધર્મ નામનાં પ્રથમ દેવલોકમાં દેવ થાય છે. ત્યાંથી
ચોથા ભવેઃ પશ્ચિમ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં વૈતાઢ્ય પર્વત પર ગંધાર દેશનાં ગંધસમૃદ્ધિ નગરમાં શતબળ રાજા-ચંદ્રકાંતા રાણીનો પુત્ર મહાબળ નામે વિદ્યાધર રાજા બને છે. ત્યાં એમનો કલ્યાણમિત્ર એક સ્વયંબુદ્ધ નામનો મંત્રી છે, જે રાજાને ધર્મમાં પ્રેરણા કરે છે. બીજા મંત્રીઓ કહે છે, કે અવસર વિના ધર્મની પ્રેરણા કેમ કરો છો ? એનાં ઉત્તરમાં સ્વયંભુદ્ધ મંત્રી જણાવે છે : “હે રાજન્ ! આજે નંદનવનમાં સૂર્ય અને ચંદ્ર જેવાં બે ચારણ મુનિઓનાં દર્શન થયાં. મેં તેઓને વંદન કરી આપનું આયુષ્ય પૂછ્યું તો તેમણે કહ્યું, “રાજાનું આયુષ્ય ફક્ત ૧ માસ બાકી છે. માટે આપને ધર્મની પ્રેરણા કરું છું.'
આ સાંભળી, રાજાએ મંત્રીને ખૂબ ધન્યવાદ કહ્યો અને સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી. દિક્ષા પૂર્વે ૮ દિવસનો અષ્ટાનિકા મહોત્સવ કરી, ૨૨ દિવસનું દીક્ષા પછી અનશન સ્વીકારી. બીજા ઇશાન દેવલોકમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ દેવ થયાં. આ પાંચમો ભવ થયો.
પાંચમા ભવમાં લલિતાંગ દેવને સ્વયંપ્રભા નામે દેવી પર ગાઢ સ્નેહ થયો. અન્યદા આયુષ્ય પૂરું થવાથી સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થયું, તો લલિતાંગ વિલાપ કરવા લાગ્યો. તેને દેવી સુખો તુચ્છ ભાસવા લાગ્યાં. ત્યારે સ્વયંબુદ્ધ મંત્રી પણ દીક્ષા લઇને બીજા દેવલોકમાં ઇન્દ્રનાં સામાનિક દઢધર્મા નામના દેવ થયાં હતાં. તેમણે આવીને લલિતાંગ દેવને ઉપદેશ આપ્યો. તથા ઉપાય દ્વારા ફરીથી સ્વયંપ્રભા દેવીનું મિલન કરાવી આપ્યું. તે આ રીતે-અનામિકા નામની કન્યા પાસે અનશન કરાવડાવી, એ સ્વયંપ્રભા તરીકે ઉત્પન્ન થાય છે.
જ્યારે લલિતાંગ દેવનો ચ્યવન કાલ નિકટ આવ્યો, ત્યારે દ્રઢધર્માની પ્રેરણાથી ઇશાનેન્દ્રની સાથે નંદીશ્વર વગેરે તીર્થોની યાત્રા કરવાં તે દેવ પોતાની દેવી
પરમનું પાવન સ્મરણ
Page #21
--------------------------------------------------------------------------
________________
સાથે જવા લાગ્યો. એક તીર્થની યાત્રા કરી બીજા તીર્થ તરફ જતાં જ રસ્તામાં એમનું અવન થયું અને.. - છઠ્ઠા ભવમાં : જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્બલ નગરમાં સુવર્ણચંઘ રાજા અને લક્ષ્મી રાણીનાં પુત્ર વજજંઘ રૂપે એમનો જન્મ થયો. સ્વયંપ્રભા દેવી પણ તેજ વિજયમાં પુંડરિકીણી નગરીમાં વજસેન રાજા અને ગુણવતી રાણીની પુત્રી શ્રીમતી તરીકે જન્મી. એના પિતા વજસેન રાજા ચક્રવર્તી હતાં. શ્રીમતીને જાતિસ્મરણ જ્ઞાન થયું હોવાથી એણે નિશ્ચય કર્યો કે લલિતાંગ દેવના જીવને જ પરણવું. પછી બન્નેનો મેળાપ પણ થયો.
અન્યદા સંસારત્યાગની ભાવનાવાળાં દંપતી સૂતાં હતાં. સૂતી વખતે મનમાં નિર્ણય કરેલો કે સવારે સંયમ લેવું છે. રાજ્ય પુત્રને સોંપી દેવું છે.. રાજપુત્રને રાજ્ય સોંપી તેઓ અન્યત્ર જઇ પાછા આવ્યા, ત્યારે રાજપુત્રને રાજ્ય છોડવું ઇષ્ટ નહી લાગવાથી પુત્રે એ જ રાતે એમનાં શયનકક્ષમાં ઝેરી વાયુ કર્યો. અને રાજા-રાણી કાળધર્મ પામતાં....
સાતમા ભાવમાં : ઉત્તરકુરુ ક્ષેત્રમાં યુગલિક થયા.
આઠમા ભાવમાં : ૧લા સૌધર્મ દેવલોકમાં પરસ્પર અનુરક્ત દેવતા થયાં.
નવમા ભવમાં જંબૂઢીપનાં મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિવેદ્યના પુત્ર જીવાનંદ નામે વૈદ્ય તરીકે ભગવાનનો જન્મ થયો. તેનાં ચાર મિત્રો હતાં. રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થવાહપુત્ર પૂર્ણભદ્ર અને શ્રેષ્ઠીપુત્ર ગુણાકર. શ્રીમતીનો જીવ પણ દેવલોકથી વી શેઠનો પુત્ર કેશવ” નામે થયો.
આ બધાંય મિત્રો એકદા જીવાનંદ વૈદ્યને ઘેર બેઠાં હતાં, ત્યારે ત્યાં ગુણાકર” નામનાં રાજર્ષિ સાધુ ભગવંત વહોરવાં આવ્યાં. તેમને સર્વાગે કૃમિકુષ્ઠ રોગ થયો હતો. જીવાનંદે કહ્યું: ‘લક્ષપાક તેલ, ગશીર્ષ ચંદન અને રત્નકંબલ જો મળી જાય, તો આ મહાત્માનો રોગ હું દૂર કરી દઉં. લક્ષપાક તેલ મારી પાસે છે. બાકીનાં બે નથી.” પાંચ મિત્રો કહેઃ “અમે લાવી આપીશું.” પછી, પાંચ જણાં એ કોઇ દુકાનદાર વણિકને એનો ભાવ પૂક્યો. તો તે કહેઃ “પ્રત્યેકનું મૂલ્ય ૧ લાખ સોનામહોર થાય. પણ તમારે શું કામ છે ?''
જૈન તીર્થકર ચરિત્ર
Page #22
--------------------------------------------------------------------------
________________
તેઓએ પ્રયોજન જણાવ્યું. અને “આ યુવાનોને આટલી ઇચ્છા થાય છે, અને હું ઘરડો થયો તો'ય મને સંસાર છૂટતો નથી ?' એમ વિચારી, પછી વણિકે વિના મૂલ્ય ગોશીર્ષ ચંદન + રત્નકંબલ આપ્યાં, અને પોતે દીક્ષા લઇને મોક્ષ પામ્યાં.
હવે ત્રણેય સાધન-સામગ્રી લઇને જીવાનંદ વૈદ્ય આદિ છએ જણાં મુનિભગવંત પાસે આપ્યાં. તેમની ચિકીત્સા કરી નિરોગી કર્યા. પછી બચેલાં ગશીર્ષ અને રત્નકંબલને વેચીને તેનાં બદલામાં મળેલાં સુવર્ણથી તેઓએ જિનમંદિર બનાવ્યું.
છેલ્લે તેમણે દીક્ષા લીધી અનશન લીધું અને કાળધર્મ પામી..
દસમા ભવમાં ઃ બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્રનાં સામાયિક દેવ થયાં. ત્યાંથી ચ્યવીને..
અગ્યારમાં ભવમાં : જંબૂઢીપ-પૂર્વમહાવિદેહ-પુષ્કલાવતી વિજયપુંડરિકિણી નગરીમાં વજસેન રાજા ધારિણી રાણીનાં પાંચ પુત્રપણે ક્રમશઃ ઉત્પન્ન થયાં.
જીવાનંદ વૈદ્ય - વજનાભ ચક્રવર્તી, રાજપુત્ર-બાહુ, મંત્રીપુત્ર-સુબાહુ, શ્રેષ્ઠીપુત્ર-પીઠ અને સાર્થવાહપુત્ર-મહાપીઠ નામે ઉત્પન્ન થયો. કેશવનો જીવ અન્ય રાજપુત્ર નામે “સુયશા” ઉત્પન્ન થયો.
વજસેન રાજા તીર્થકર હતાં. એમની દીક્ષા પછી વજનાભ ચક્રી થયાં. તેમણે ચાર ભાઇઓને અલગ અલગ ચાર દેશો આપ્યાં. અને સુયશા-રાજપુત્ર તેમનો સારથિ બન્યો.
અંતે, વજનાભ ચક્રીએ-ચાર ભાઇઓએ અને સુયશા સારથીએ ભગવાન પાસે દીક્ષા સ્વીકારી. ભગવાન વજન નિર્વાણ પામ્યાં. વજનાભ મુનિ વિશાળ પરિવાર સાથે વિહાર કરવા લાગ્યાં. -
અહીં વજનાભ મુનિએ વીશસ્થાનક-પદની આરાધના વિશેષથી કરી. અને તીર્થકર નામકર્મ બાંધ્યું. બાહુ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરીને ચક્રવર્તીનાં ભોગફળને આપનારું કર્મ ઉપામ્યું. સુબાહુ મુનિએ તપસ્વી મુનિઓની વિશ્રામણા (સેવા) કરીને લોકોત્તર એવું બાહુબળ ઉપામ્યું.
આ બંને મુનિઓની ખૂબ પ્રશંસા થતી સાંભળીને આગમ અધ્યયન
પરમનું પાવન સ્મરણ
૬ ૭
5
Page #23
--------------------------------------------------------------------------
________________
ધ્યાનમાં નિરત પીઠ-મહાપીઠે વિચાર્યું કે, “કામ કરે એની કીર્તિ ગવાય. આપણી કોણ પ્રશંસા કરે ?' આવી માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ઇર્ષ્યા કરીને અશુભ કર્મ બાંધ્યું. જેની અંતે આલોચના ન કરવાથી સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું.
ચોદલાખ પૂર્વ સુધી નિરતિચાર સંયમનું પાલન કરી, અંતે પાદપોપગમન અનશન સ્વીકારી, સર્વાર્થસિદ્ધ નામનાં પાંચમાં અનુત્તરમાં દેવ થયાં. આ ૧૨ મો ભવ.
૧૩ માં ભવમાં આજ જંબૂદ્વીપમાં આજ ભરતક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે...ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા (૩ વર્ષ, ૮T/ માસ) બાકી હતાં, ત્યારે વજનાભ મુનિનો જીવ નાભિ કુલકરનાં રાણી મરૂદેવાની કુક્ષિએ પુત્ર તરીકે અવતર્યો. એ જ શ્રી ઋષભદેવ ભગવાન. યુગલ તરીકે એમની સાથે સુમંગલા દેવીનો જન્મ થયો. બાહુ અને સુબાહુ ભારત-બાહુબલી બન્યાં, અને પીઠ-મહાપીઠ બ્રાહી-સુંદરી તરીકે અવતર્યા.
ભગવાન ઋષભદેવનું ગૃહસ્થ કર્તવ્ય નામસ્થાપના મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્નામાં પહેલું સપનું “ઋષભ' બળદ જોયું હતું, અને ભગવાનનાં જમણાં ઉરુપ્રદેશ પર પણ “ઋષભનું ચિહ્ન હતું. (કારણ કે ભગવાનનું લાંછન “ઋષભ” હતું. દરેક તીર્થકરોનું લાંછન એમની જમણી જાંઘે ચિત્રાયેલું હોય છે. એ જગ્યાએ વાળની રૂંવાટીઓની રચના દ્વારા ચિત્ર ઉપસેલું હોય છે.) માટે ભગવાનનું નામ શુભદિવસે “ઋષભદેવ” સ્થાપિત કરાયું. યુગલિક રૂપે જન્મેલ સ્ત્રી બાળકનું નામ “સુમંગલા' સ્થાપવામાં આવ્યું. ૫૬ દિકકુમારિકાઓ અને ૬૪ ઇન્દ્રોએ જન્મોત્સવ કર્યો.
| વંશસ્થાપના : પ્રભુનો જન્મ થયાને એક વર્ષ પસાર થવા આવ્યું. એટલે સૌધર્મેન્દ્ર વંશ-સ્થાપન કરવા નીચે આવ્યાં. એ વખતે વંશપરંપરા ન હતી. યુગલિક-ધર્મ હતો. એમાં વંશપરંપરાની જરૂર પણ ન હતી. આયુષ્યનો અમુક સમય બાકી રહે ત્યારે યુગલ નર-નારી દ્વારા એક યુગલ નર-નારીનો જન્મ થતો. એ યુગલ ઉંમરલાયક થતાં પતિ-પત્નીનો વ્યવહાર કરતું. બીજા યુગલ તરફ આકર્ષણ કોઇને થતું નહીં. બધાં પરસ્પર યુગલો એક બીજાથી સંતુષ્ટ રહેતાં. તેમની બધી જરૂરિયાતો રોટી-કપડાં-મકાન..કલ્પવૃક્ષો પૂરી કરતાં. એમની વચ્ચે કલહ-કંકાસ થતાં નહીં. વધુ કષાય તેઓ કરતાં નહીં.
૮_
*
જૈન તીર્થકર ચરિત્ર
Page #24
--------------------------------------------------------------------------
________________
મરીને પ્રાયઃ દેવલોકમાં જ ઉત્પન્ન થતાં. એમને મનોરંજનનું મન થતું હોય એ ઇચ્છા કલ્પવૃક્ષો પૂરી પાડતાં. આમ, તેમનાં એકધારા જીવનમાં વંશસ્થાપનાની જરૂર ન હતી.
પરંતુ, હવે ભવિષ્યમાં સમય બદલાવાનો હતો. ધરતી પરથી યુગલિક ધર્મ નામશેષ થવાનો હતો. માટે જ ઇન્દ્ર ધરતી પરનાં સર્વપ્રથમ વંશની સ્થાપના કરવાનું પોતાનું કર્તવ્ય જાણી નીચે આવ્યાં.
- “સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઇએ.” આવું ઔચિત્ય હોવાથી ઔચિત્યપાલક ઇન્દ્રદેવ હાથમાં શેરડીના સાંઠા લઇ ભગવાનની પાસે પધાર્યા. ત્યારે ભગવાન નાલિકુલકરનાં ખોળામાં બિરાજમાન હતાં. તેમણે ઇન્દ્રનાં આગમનનો હેતુ અવધિજ્ઞાનથી જાણ્યો. અને હાથ લંબાવી ઇન્દ્રનાં હાથમાંથી શેરડીનો સાંઠો સ્વીકાર્યો. ત્યારે આ સંકેતને પામીને ઇન્દ્ર ભગવાનનાં વંશની સ્થાપના કરી. એ વંશનું નામ “ઇવાકુ” સ્થાપ્યું. ઇક્વાકુ શબ્દનો અર્થ થાય. “ઇશું છે પ્રિય જેને” તે “ઇશ્વાકુ.”
પ્રથમ લગ્નોત્સવ : બાળપણમાં સૌધર્મેન્દ્ર ભગવાનનાં અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો હતો. ભગવાન ક્ષુધા લાગે ત્યારે અંગૂઠો ચૂસતાં હતાં..
અંગુષ્ઠપાનની અવસ્થા વીત્યા પછી સામાન્યથી સર્વ તીર્થકરો સિદ્ધ અન્ન-રાંધેલું ભોજન લેતાં હોય છે. પરંતુ, ભગવાનનાં સમયમાં હજી સુધી અગ્નિ હતો જ નહીં. તેથી અન્ન રંધાવવામાં આવતું જ નહીં. તેથી ઉત્તરકુરુક્ષેત્રથી ભક્ત દેવતાઓએ લાવેલાં કલ્પવૃક્ષનાં ફળો આરોગતાં હતાં, અને ક્ષીરસમુદ્રનાં જલનું પાન કરતાં હતાં.
એક વખત સૌથી પ્રથમ દુર્ઘટના ઘટી. તાડવૃક્ષની નીચે એક યુગલ ક્રિીડા કરતું હતું, એમાંથી યુગલિક નરના માથે તાડનું વૃક્ષ પડ્યું. અને એનું અપમૃત્યુ થયું. નારી એકલી રહી ગઈ. તેને તેનાં માતા-પિતા લઇ ગયાં અને ઉછેરી. પરંતુ, તેઓ પણ મરી ગયાં. ત્યારે એકલી બાળાને જોઇને કિંકર્તવ્યમૂઢ થયેલાં અન્ય યુગલીયાઓ તેને નાભિકુલકરની પાસે લઇ આપ્યા. નાભિરાજાએ કહ્યું, “આ પુણ્યશાળી એવા ઋષભની પત્ની થશે અને એને સંગ્રહી લીધી. એનું નામ સુનંદા રાખ્યું.
હવે અવસર જાણીને વિશાળ દેવ-દેવી પરિવાર સહિત ઇન્દ્ર નીચે પધાર્યા.
પરમનું પાવન સ્મરણ
Page #25
--------------------------------------------------------------------------
________________
ભગવાનની અનુજ્ઞા લઇ વિશાળ મંડપ રચાવ્યો. અને વિધિપૂર્વક ભગવાનનો સુનંદા-સુમંગલાની સાથે પરિણય મહોત્સવ રચાવ્યો. યુગલિયાઓ બધું જ અત્યંત કુતૂહલપૂર્વક જોતાં હતાં, અને સરળ હોવાથી સ્વીકારતાં પણ હતાં. માટે ત્યારથી લોકમાં લગ્ન-વિધિ પ્રચલિત બની.
માત્ર ભોગાવલી કર્મો ખપાવવાના હેતુથી અનાસક્ત ભાવે બંને રાણીઓ સાથે ભોગ ભોગવતાં ભગવાનને સુમંગલાની કુક્ષિમાંથી બાહુ અને પીઠનાં જીવ-ભરત-બ્રાહ્મી તરીકે ઉત્પન્ન થયાં. તથા, સુનંદાની કુક્ષિમાંથી સુબાહુ અને મહાપીઠનાં જીવ-બાહુબલિ અને સુંદરી તરીકે ઉત્પન્ન થયાં. આ પછી માતા સુમંગલાએ પુત્રોનાં ઓગણપચાસ જોડલાંને જન્મ આપ્યો. (૯૮ પુત્રોને જન્મ આપ્યો). આમ, યુગલ તરીકે પુત્ર-પુત્રી જન્મતાં, એની જગ્યાએ માત્ર પુત્રો જ જન્મતાં થયાં. આવું પણ તે કાલે પ્રથમ વખત થયું. જે બધું યુગલિક કાલની સમાપ્તિનું સૂચક હતું.
અને ઋષભ “રાજા' બન્યાં.
કાલબલે કલ્પવૃક્ષોએ ફલો આપવાનું બંધ કર્યું. અમુક ફલો મળતાં, ત્યાં બીજા આવીને લઇ જતાં અને ત્યાં રહેનારાંને ફળો વગર રહેવું પડતું. આથી બંને વચ્ચે બોલાચાલી-ઝઘડા વગેરે થતાં. આમ કુલેશ-કષાય વધતાં વાતો લઇને નાભિ કુલકરની પાસે આવતાં. કારણ કે કુલકર એ યુગલિકોનાં નેતા વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિ કહેવાતાં. કુલકરે દંડની ત્રણ નીતિ રચી.
૧. હકાર નીતિઃ જેમાં અપરાધીને કહેઃ “તે આવું કર્યું ?' અને એને ઘા લાગે. એ અપરાધ કરતો અટકી જાય. કાલબલે અપરાધીને આ નીતિની અસર ન થતી. જેથી બીજી નીતિ અસ્તિત્વમાં આવી. ૨. મકારનીતિ જેમાં અપરાધીને કહે: “તારે આવું ન કરાય.” એની પણ અસર ન થતાં ૩જી નીતિ આવી. ૩. ધિક્કારનીતિ ઃ જેમાં અપરાધીને જાહેરમાં ધિક્કાર અપાય. પરંતુ, કલ્પવૃક્ષો લહીન બનવાથી અને લોકોમાં કષાયોનું ચલણ વધવાથી અપરાધો વધતાં ગયાં. નાભિ કુલ- કરને હવે શું કરવું તે સમજાયું નહીં. લોકો વારે વારે કુલકરના આંગણામાં ધા નાખવાં લાગ્યાં. ત્યારે એકદા યુગલિકોને ઋષભે જ કહ્યું કે “લોકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે એને શિક્ષા માટે એક રાજા હોય છે.” પછી રાજાનું સ્વરૂપ સમજાવ્યું. યુગલિકો કહેઃ “તમે જ અમારાં
- ૧૦
*
જૈન તીર્થંકર ચરિત્ર
Page #26
--------------------------------------------------------------------------
________________
રાજા.” ઋષભ-“નાભિ કુલકર તમને જે કહે, એ તમારાં રાજા.” યુગલિકો નાભિની પાસે ગયાં. અને નાભિ કુલકરે કહ્યું: “ઋષભ તમારો રાજા થાઓ.” ત્યારે ખુશ થતાં યુગલિકો અભિષેકનું જલ સંગ્રહીત કરવા કમળની પાંખડીનાં પાંદડાં-પડીયા બનાવી સરોવર તરફ ચાલ્યાં. તેજ વખતે ઇન્દ્રનું સિંહાસન કંપ્યું. એણે પ્રભુનો રાજ્યાભિષેક અવસર જાણી વિશાળ સભા રચી રાજ્યાભિષેક કરાવ્યો. દિવ્ય વસ્ત્રો પરિધાન કરાવ્યાં. શરીર પર યોગ્ય સ્થાને રત્નાલંકારો રચાવ્યાં. માથે મુગટ મુકાવ્યો, અને ત્યારે યુગલિયાઓ જળ લઇને આવ્યાં. આવીને જુએ તો ભગવાન શોભાસજ્જ છે, એમને મસ્તક પર આ જળ નાંખવું ન ઘટે. એમ વિચારી ચરણ પર જલ રેડ્યું. આથી ઇન્દ્ર ખુશ થયાં.
વિનીતા-નગરી-રચના : યુગલીઓનાં વિનયથી ખુશ થયેલાં ઇન્દ્ર પોતાનાં દેવ કુબેરને આજ્ઞા કરી. “આમને રહેવા માટે ૧૨ યોજન x ૯ યોજનની નગરી બનાવો.” અને કુબેરે પણ નગરી રચાવી તેનું નામ (યુગલિકો વિનીત હોવાથી) વિનીતા પાડવામાં આવ્યું. એનું જ બીજું નામ અયોધ્યા પણ રાખ્યું.
હવે, ઋષભ રાજાએ રાજ્ય રચના કરી. એમાં સર્વ પ્રથમ મંત્રીઓ. પછી દંડનાયકો-આરક્ષકો, પછી સૈન્ય માટે હાથી-ઘોડાં-રથ સંગ્રહીને સેનાપતિઓ-, પાયદલ સેનાના સેનાપતિ નીમ્યા. ગાય, બળદ, ઊંટ, મહિષ, ખચ્ચરને સંઘર્યા.
અન્ન રાંધવાની શરૂઆત ઃ કલ્પવૃક્ષો નિષ્ફળ થયાં. લોકો કંદમૂળફલાદિ ખાવાં લાગ્યાં. તેમ જમીનમાં અત્યંત રસ-કસ હોવાથી સ્વમેળે ઉગી ઊઠેલાં ધાન્ય ઘઉં-ચોખા-કઠોળ પણ ખાવા લાગ્યાં. ધીરે-ધીરે કાચા ધાન્ય એમને પચ્યા નહીં. તેઓએ ઋષભરાજા પાસે ફરિયાદ કરી. પ્રભુ કહેઃ “તેમને ચોળીને ફોતરાં કાઢી ખાવ. ધીરે-ધીરે તે આહાર પણ ન પડે ત્યાં પ્રભુએ કહ્યું, “તેને હાથમાં મસળી, પાણીમાં પલાળી, પાંદડાનાં પડયામાં લઇને ખાવ.” આમ કરતાં પણ અજીર્ણ થયું, તો પ્રભુએ ઉપાય સૂચવ્યો.” પૂર્વે કહ્યા પ્રમાણે કર્યા પછી, તે ધાન્યને મુઠીમાં રાખી, અથવા કાંખમાં થોડો વખત રાખીને, ભક્ષણ કરો. (જથી થોડી ગરમી મળવાથી થોડું નરમ પડે.) ધીરે ધીરે તેમ કરતાં પણ અજીર્ણ થયું. લોકો દુઃખી થઇ ગયાં. અને એજ વખતે, બે ઝાડની ડાળીઓ ઘસાવાથી અગ્નિ પ્રગટ્યો. પરમનું પાવન સ્મરણ બ ૧૧
Page #27
--------------------------------------------------------------------------
________________
યુગલિયાઓ : ‘‘ભૂત આવ્યું, ભૂત આવ્યું.'' કરતાં રાજા પાસે આવ્યાં. રાજાએ અવધિજ્ઞાનથી અગ્નિ જાણીને કહ્યું, ‘‘એમાં ધાન્ય રાંધીને પકવો-પછી ખાવ.'' લોકોએ તો ધાન્ય સીધું નાંખ્યું આગમાં. પાછું મળ્યું નહીં. ભગવાન તે વખતે હાથી ૫૨ સવાર હતાં. બધાંને બોલાવ્યાં. ગાર-માટીનો પિંડો મંગાવ્યો. હાથીનાં ગંડસ્થળ પર રાખી સુકવ્યો. પ્રથમ માટીનું વાસણ બનાવ્યું. પછી કહ્યું. કે “આમાં ધાન્ય મુકી, અગ્નિ પર રાખી પકાવી એનું ભક્ષણ કરો.'' લોકોએ જાતજાતનાં વાસણો બનાવ્યાં. કુંભારની કલા અસ્તિત્વમાં આવી. ભગવાને જેઓને વાસણો વગેરેની કળા શિખવી તે કુંભાર કહેવાયા. જેઓને ઘર વગેરે બનાવતા શીખવાડ્યું તેઓ સુથાર કહેવાયા, જેઓને કપડા વણતા શીખવાડ્યું તેઓ વણકર કહેવાયા. જેઓને વાળ સમારતા-સુધારતા શીખવાડ્યું તે બધા નાપિત કહેવાયા. જેઓને ચિત્ર વગેરે બનાવતા શીખવાડ્યું તે ચિત્રકાર કહેવાયા...
આ પાંચ કુંભકાર, વર્ધકી=સુથાર, ચિત્રકાર, વણક૨ અને વાળંદમુખ્ય શિલ્પો (વ્યવસાયો) થયાં. એના પ્રત્યેકનાં વીશ-વીશ ભેદ થવાથી, ૧૦૦ શિલ્પો થયાં. એ રીતે ઘાસ લાવવું, કાષ્ઠ લાવવાં (કઠિયારો), કૃષિ અને વ્યાપાર આ બધાં કર્મો ભગવાને બતાવ્યા. સામ-દામ-દંડ-ભેદ નીતિઓની રચના કરી.
ભગવાને કોને શું શીખવ્યું ? ભરતને બહોંતેર પુરૂષોની કળાઓ શીખવી.
બાહુબલીને હસ્તિ, અશ્વ, સ્ત્રી, પુરૂષનાં અનેક પ્રકારનાં લક્ષણોનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણા હાથ વડે, ૧૮ લીપીઓ બતાવી. સુંદરીને ડાબા હાથ વડે ગણિત બતાવ્યું, તથા સ્ત્રીઓની ૬૪ કલા બતાવી.
વસ્તુઓનાં વિવિધ પ્રકારનાં માપદંડો, મણિ વગેરેમાં છેદ કરી દોરો પરોવવાનું જ્ઞાન તથા વાદી-પ્રતિવાદીનો વ્યવહાર, ન્યાયાધીશની નિમણુંક, હસ્તિ વગેરેની પૂજા, ધનુર્વેદ અને વેદક (ડોક્ટરી)ની ઉપાસના, સંગ્રામ, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, ગોષ્ઠિ, વધ વગેરે પ્રવર્તવા લાગ્યાં.
આ માતાં, આ પિતા, આ ભાઇ, આ સ્ત્રી, આ પુત્ર અને આ ઘર મારૂં, આ ધન મારૂં-આ રીતની મમતાપ્રેરિત લાગણીઓ ત્યારથી લોકોમાં શરૂ થઇ. પ્રભુનાં લગ્નમાં વસ્ત્ર-અલંકારો જોયેલા. તે પોતે પહેરવાં લાગ્યાં. બીજાએ જૈન તીર્થંકર ચરિત્ર
૧૨
Page #28
--------------------------------------------------------------------------
________________
આપેલી કન્યા સાથે પોતાનાં પુત્રનો વિવાહ કરવા લાગ્યાં. અને ભાઇ-બહેનનો સંબંધ અસ્તિત્વમાં આવ્યો. ૧૬ પ્રકારનાં સંસ્કારો ત્યારથી પળાતાં ચાલ્યા.
પ્રભુએ ઉગ્ર-ભોગ-રાજન્ય-ક્ષત્રિય આ ચાર કુલોની રચના કરી. આરક્ષક-કોટવાલ વગેરે પુરૂષો ઉગ્ર કુલવાળા, પ્રભુનાં મંત્રીઓ અને પ્રભુને પૂજનીય સ્થાનવાળાઓ, ભોગ કુલવાળ, સમાન વયવાળા રાજન્ય કુળવાળા, અને બાકી બચેલી સર્વ પ્રજાવર્ગ ક્ષત્રિય થયો. | સર્વ કોઇ વ્યવસ્થા રચીને આ જગતને મજબૂત સંસ્કૃતિમાં બદ્ધ કરીને જ્યારે ૮૩ લાખ પૂર્વ કાળ વીતી ચૂક્યો, ત્યારે ભગવાનને સંયમમાર્ગે જવા માટે અંતરનો સાદ સંભળાવા લાગ્યો. એ જ વખતે બ્રહ્મ નામનાં પાંચમા દેવલોકનાં અંતે વસનારાં સારસ્વત આદિત્ય, વનિ, અરૂણ, ગઈતોય, દ્રષિતાશ્વ, અવ્યાબાધ, મફત અને અરિષ્ટ આ નવ લોકાંતિક દેવોએ ભગવાનની સામે પ્રગટ થઇને બે હાથ જોડી ભાવપૂર્વક પ્રાર્થના કરીઃ “હે ભગવાન્ ! જેમ લોક-વ્યવસ્થા પ્રવર્તાવી, તેમ હવે ધર્મ-તીર્થ પ્રવર્તાવો.'
પ્રભુનું સાંવત્સરિકદાન-મહાભિનિષ્ક્રમણઃ
ભગવાને રાજદરબાર ભર્યો. ભરત વગેરેને પોતાની વાત જણાવી. સાથોસાથ કહ્યું કે “જો કોઇ રાજા ન હોય. તો ધરતી પર મત્સ્ય-ગલાગલ ન્યાય પ્રવર્તે છે. શક્તિશાળી નબળાં પર ચડી બેસે છે. માટે અયોધ્યાનું રાજ્ય ભરત સ્વીકારે.” બાકીનાં ૯૯ પુત્રોને પણ યોગ્ય દેશ સોંપી ભગવાને સાંવત્સરિક દાનનો પ્રારંભ કર્યો.
૧ વર્ષનું વર્ષીદાન પત્યે છતે ૬૪ ઇન્દ્રોએ અભિષેક કર્યો. સુદર્શના શિબિકામાં બિરાજીત થઇ પ્રભુ સિદ્ધાર્થ-ઉદ્યાનમાં પધાર્યા ચૈત્ર વદી આઠમે (ગુજરાતી ફાગણ વદી આઠમે) ઉતરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગે ભગવાને ચાર વાર મુઠ્ઠીથી લોચ કર્યો. કેશ સૌધર્મેન્દ્ર પોતાનાં વસ્ત્રનાં છેડામાં લીધાં. પ્રભુએ જ્યાં પાંચમી વાર મુઠ્ઠીથી લોન્ચ કરવાની ઇચ્છા કરી કે સૌધર્મઇન્દ્ર બોલ્યા “પ્રભુ ! આ આટલી કેશાવલી આપને ખૂબ શોભે છે. તો તે રહેવા દો.” અને પ્રભુએ તે રહેવા દીધી. ઇન્દ્ર ભગવાનનાં વાળને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. પ્રભુએ સર્વસાવદ્યના ત્યાગની પ્રતિજ્ઞા કરી ત્યારે પ્રભુને ૪ થું મન:પર્યવજ્ઞાન પ્રગટ્યું. પ્રભુએ પછી વિહાર કર્યો.
પરમનું પાવન સ્મરણ
૧૩
*
Page #29
--------------------------------------------------------------------------
________________
ભગવાનની સાથે કચ્છ-મહાકચ્છ વગેરે ૪૦૦૦ ક્ષત્રિયોએ પણ સંસારત્યાગ કર્યો. ભગવાનને કોઇ ભિક્ષા ધરતું નથી, જ્યારે પોતાનાં આંગણે ભગવાનને જુએ ત્યારે કન્યાઓ, રત્નો, મણિઓ, સોનું વગેરેનું દાન દે, પણ આહારનું દાન ન દે. ‘આહાર કેવી રીતે અપાય ? એ તો હીન કહેવાય' આવું બધા વિચારતાં...તેમાં ભગવાન તો ક્ષુધા પરીષહને સહન કરતાં રહ્યાં, પણ પ્રભુની સાથે વિચરતાં કચ્છ-મહાકચ્છ કંટાળ્યાં. પ્રભુ મોન હતા. પ્રભુ જેવી ચર્યા પાળી શકાય એમ નથી. આખરે તેઓ ગંગાનાં દક્ષિણ કિનારા પાસે રહેલા વનમાં ગયાં. કંદમૂળ-ફળાદિકનો આહાર કરવાં લાગ્યાં, ઝૂંપડીમાં રહેવાં લાગ્યાં. ત્યારથી વનવાસી-જટાધારી-કંદમૂળ-ફલાહારી એવાં તાપસોની પ્રથા આ પૃથ્વી પર શરૂ થઇ.
કચ્છ-મહાકચ્છના નમિ-વિનમિ નામના બે પુત્રોની ભગવાનની સેવાનાં ફળ સ્વરૂપે ધરણેન્દ્ર વૈતાઢ્ય પર્વત પર વિદ્યાધરોની નગરી બનાવી નમિવિનમિને વિદ્યાધર નરેશ બનાવ્યાં. એમને વિદ્યાઓ આપી.
૧
ભગવાન વિહાર કરતાં કરતાં હસ્તિનાપુર નગરમાં આવ્યાં. બાહુબલિનાં પુત્ર સોમપ્રભ રાજાને પુત્ર શ્રેયાંસકુમાર હતાં. તેમને ભગવાનને જોઇને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવનો ચારિત્ર આચાર યાદ આવવાથી ૧ વર્ષ પછી તેનાં હાથે ભગવાનનું પારણું થયું. ભગવાનનાં હસ્તમાં ૧૦૮ ઘડા શે૨ડીનો ૨સ ઠલવાયો. પણ ભગવાનને ક૨પાત્ર-લબ્ધિ હોવાથી એકપણ ટીપું નીચે ન પડ્યું. આમ ભગવાનનું ત્યાં પારણું થયું.. અવસર્પિણીમાં સૌ પ્રથમ વાર સુપાત્રદાન ધર્મ પ્રવર્તો. ભગવાને જે સ્થાને ઊભાં રહી પારણું કર્યું, તેને પવિત્ર જગા માની શ્રેયાંસકુમારે એક રત્નપીઠ બનાવી. ‘આ આદિકર્તાનું મંડળ છે.’ એમ લોકોને કહી, એની પૂજા પ્રવર્તાવી. કાળ જતાં તે પીઠિકા ‘આદિત્ય પીઠ’' નામે પ્રચલિત બની. જે દિવસે ભગવાનનું પારણું થયું, તે દિવસ અક્ષયતૃતીયા કે અખાત્રીજ તરીકે પ્રસિદ્ધ થયો.
ભગવાને બાહુબલીનાં દેશમાં તક્ષશિલા નગરની બહાર ઉદ્યાનમાં સાયંકાળે સ્થિરતા કરી. ઉઘાનપાલકે બાહુબલીને સમાચાર આપ્યાં. એને થયું કે કાલે સવારે વાજતેગાજતે દર્શને જઇશું, પણ સવારે વિશાળ ઠાઠમાઠથી વરઘોડો લઇને જુએ છે, તો ભગવાન વિહાર કરી ગયા હતાં. બાહુબલી
જૈન તીર્થંકર ચરિત્ર
૧૪
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાગ
3
વિલાપ કરવા લાગ્યા. તેમને શાંત કરવાં તેમનાં મંત્રીએ કહ્યું: “એમનાં ચરણોની છાપને જોઇ, વાદી આપે એમનાં દર્શન કર્યા છે, એમ માનો.' બાહુબલીએ પ્રભુનાં ચરણબિંબને વંદન કરી, તેને કોઇ ઓળંગે નહીં, માટે રત્નમય પીઠ બનાવી ધર્મચક્ર સ્થાપ્યું. આઠ યોજન વિસ્તારવાળું, યોજન ઊંચુ, સહસ આરાવાળું ધર્મચક્ર શોભી ઉઠ્યું. તેની પૂજા પ્રવર્તાવી.
ભગવાનને કેવલજ્ઞાન :- ભગવાનની દીક્ષાને ૧૦૦૦ વર્ષ વીતી ગયા બાદ ફાગણ વદ-૧૧ (મહા વદ-૧૧)ના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં અયોધ્યા નગરીનાં પુરિમતાલ નામનાં પરામાં શકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે પ્રતિમામાં રહેલાં અને અઠ્ઠમતપ કરેલા ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ચોસઠ ઇન્દ્રો આવ્યાં. સમવસરણ રચાયું. ભરત મરૂદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડી દર્શન કરાવવા લાગ્યા. ત્યાં ઋષભની શોભાને જોઇ વૈરાગ્ય પામેલા મરૂદેવાને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને અંતર્મુહૂર્તમાં મોક્ષનગરીમાં પહોંચી ગયા. ઋષભસેન જે ભારતના પુત્ર હતા, તે પ્રથમ ગણધર થયાં. બ્રાહ્મી સાધ્વીમુખ્ય થયાં. સુંદરી પ્રથમ શ્રાવિકા અને ભરત વગેરે શ્રાવકો થયાં. ભગવાનનાં ૮૪ ગણધરો થયાં. ઋષભસેનનું નામ પુંડરીક ગણધર પણ થયું.
અઠ્ઠાણુ ભાઇઓની દીક્ષા સમ્રાટ ભરત સમગ્ર ભરતક્ષેત્રમાં એકચ્છત્રી ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપીને અયોધ્યામાં આવ્યાં પછી અઠ્ઠાણું ભાઇઓને અધીનતા સ્વીકારવા દૂતો મોકલી આપ્યાં. તે બધાં ભાઇઓ ભેગાં થઇને ભગવાન ઋષભદેવ પાસે ગયાં. “આપે આપેલું રાજ્ય ભરત પડાવી લેવા ઇચ્છે છે. અમને માર્ગદર્શન આપો.” આવું તેમણે ભગવાનને કહ્યું.
ભગવાને કહ્યું, “આ રાજ્ય તો અસ્થાયી સ્વભાવવાળું જ છે. જવા દો એને. એવું મોક્ષનું રાજ્ય મેળવવું, જે મળ્યા પછી ક્યારેય ગુમાવવાનો અવસર ન આવે.” આમ ભગવાનથી પ્રતિબોધ પામેલા ૯૮ ભાઇઓએ દીક્ષા લીધી કેવલજ્ઞાન પામી ભગવાન સાથે વિહરવા લાગ્યાં. ભરતે આવીને એમની ક્ષમા માંગી.
બાહુબલીની દીક્ષા: હવે માત્ર બાહુબલીનું રાજ્ય અધીનતા સ્વીકારવા તૈયાર નથી. ભરતે દૂત મોકલ્યો. તો એણે કહ્યુંઃ યુદ્ધના મેદાનમાં જે બળવાન હશે, એ જીતશે. યુદ્ધ-સંગ્રામ મંડાયો. દેવો નીચે આવ્યા, “પ્રજાનો કચ્ચરઘાણ પરમનું પાવન સ્મરણ A ૧૫ 6
Page #31
--------------------------------------------------------------------------
________________
નીકળી જશે. માત્ર તમે બે જણાં ખાલી યુદ્ધ કરો.” એમ સમજાવટ કરી. દ્રષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અને દંડયુદ્ધ આ ચાર યુદ્ધો બે મહારથીઓ વચ્ચે યોજાયા, જેમાં સર્વત્ર બાહુબલીનો વિજય થયો.
અંતે ધૂંધવાયેલા ભારતે ચક્ર છોડ્યું. પરંતુ “વગોત્ર પર ચક્ર ચાલતું નથી.” આ નિયમથી ચકે બાહુબલીને પ્રદક્ષિણા આપી, પાછું ભારત પાસે આવી ગયું. ત્યારે વળતો પ્રહાર કરવા બાહુબલીએ ગુસ્સે થઇને ભારત પર મુઠ્ઠી ઊગામી પરંતુ અચાનક તેમની ખાનદાની જાગી ઉઠી. “મારાથી આ ન થાય.” એમ વિચારી પ્રહાર કરવાનું વાળી દીધું. પરંતુ મુઠ્ઠી નિષ્ફળ ન જવી જોઇએ, માટે એ મુઠ્ઠી માથા પર મૂકી, પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દીક્ષા લીધી.
“મને કેવલજ્ઞાન મળે પછી ભગવાન પાસે જાઉં. જેથી નાના કેવલજ્ઞાની ભાઇઓને વંદન ન કરવા પડે.” એમ વિચારી તેમણે ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાન કર્યું. ભરત એમની ક્ષમા માંગી પાછા ફર્યા. અને કાઉસગ્ગના ૧ વર્ષ પછી ભગવાને બ્રાહ્મી-સુંદરી બેન સાધ્વીજીઓ દ્વારા ઉપદેશ મોકલાવ્યો. જે સાંભળીને પગ ઉપાડીને ચાલતાં જ બાહુબલીને કેવલજ્ઞાન થયું. થોડા વખત પછી ભરતને પણ આરીસાભુવનમાં જગતની અસારતાને વિચારતાં-કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
જૈનેતર સાહિત્યમાં બાષભદેવા વૈદિક તથા બૌદ્ધ સાહિત્યમાં પણ ઋષભનું સવિસ્તર વર્ણન મળે છે.
પુરાણોમાં ઉલ્લેખ છે. કે નાભિની પ્રિયા મરૂદેવાની કુક્ષિમાંથી અતિશય કાંતિવાળા બાળકનો જન્મ થયો. જેનું નામ ઋષભ પાડ્યું. તેણે ધર્મપૂર્વક રાજ્યનું શાસન કર્યું. પોતાનાં પુત્ર ભરતને રાજ્ય સોંપ્યું.
વૈદિક ગ્રંથોમાં ભગવાન ઋષભની સાધનાનું સુંદર વર્ણન છે. ઋગ્વદમાં ભગવાન ઋષભને પૂર્વ જ્ઞાનનાં પ્રતિપાદક તેમજ દુઃખહર્તા કહ્યાં છે. વેદના મંત્રો, પુરાણો, ઉપનિષદોમાં પણ તેમનો ભરપૂર ઉલ્લેખ છે. આ દેશનું ભારત નામ ભરત ચક્રીના નામથી જ પ્રસિદ્ધ થયું છે. માર્કંડેય પુરાણ, કૂર્મપુરાણ, અગ્નિપુરાણ, વાયુમહાપુરાણ, વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથોમાં આ વર્ણન જોવું.
બૌદ્ધોનાં ધમ્મપદમાં ઋષભને સર્વશ્રેષ્ઠ વીર કહ્યાં છે.
c ૧૬
6
જૈન તીર્થકર ચરિત્ર
Page #32
--------------------------------------------------------------------------
________________
ભગવાનનું નિર્વાણ અંતિમ સમય નજીક જાણી ભગવાન દશહજાર સાધુઓ સમેત અષ્ટાપદ પર્વત પર ચડ્યા. અવસર્પિણીના ૩જા આરાના જ્યારે ૩ વર્ષ સાડાઆઠ માસ (૮૯ પખવાડિયા) બાકી હતાં, ત્યારે છ દિવસનું અનશન સ્વીકારીને રહેલા ભગવાને નિર્વાણ પ્રાપ્ત કર્યું. એ વખતે ભારતને એટલું દુઃખ થયું કે ઇન્દ્રની પ્રેરણાથી દુઃખ હળવું કરવાં એણે રૂદન કર્યું. આ અવસર્પિણીમાં સૌથી પહેલી વખત કોઇ રડ્યું. દેવતાઓએ ભગવાનનું નિર્વાણ કલ્યાણક ઉજવ્યું. અગ્નિસંસ્કાર કરીને અસ્થિઓને તથા દાઢાઓને ઇન્દ્રો પોતાના દેવલોકમાં લઈ ગયા. પૂજવા લાગ્યા. ભરત રાજાએ અષ્ટાપદ તીર્થ બનાવ્યું. અષ્ટાપદ તીર્થ કૈલાસ તરીકે પ્રચલિત થયું.
પરમનું પાવન સ્મરણ
ન સ્મરણ
૧૭_
૧૭ :
Page #33
--------------------------------------------------------------------------
________________
બીજા તીર્થકર-શ્રી અજિતનાથ ભગવાનને
છે
.
પૂર્વભવઃ જંબૂઢીપ, મહાવિદેહ ક્ષેત્ર, સીતા નદીના કિનારે વસ્ત્ર નામના વિજયમાં-વિજય નામનો દેશ અને સુસીમા નામની નગરી છે. તેમાં વિમલવાહન રાજા છે. એને વૈરાગ્યપૂર્વક રાજ્ય ભોગવતા એકદા શ્રી અરિંદમ નામના આચાર્ય ભગવંતનો યોગ થયો. તેમની દેશનાથી સમકિત મેળવ્યું. દીક્ષાનાં ભાવ થયાં. રાજ્ય પુત્રને સોંપી દીક્ષા ગ્રહણ કરી. આઠ સમિતિ-ગુપ્તિનાં પાલન અને ૨૨ પરીષહોને સહન કરવાપૂર્વક વિચારવા લાગ્યાં.
વિમલવાહન રાજર્ષિએ અરિહંત, સિદ્ધ, ગુરૂ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંઘની ઉતમોતમ સેવા કરી. તથા એકાવલી, કનકાવલી, રત્નાવલી, લઘુ સિંહનિષ્ક્રીડિત, મહાસિંહનિષ્ક્રીડિત આદિ ઘણાં ઉત્કૃષ્ટ તપો આરાધ્યાં. એક માસથી ૮ માસ સુધીનાં ઉપવાસો વારંવાર કર્યા. આમ, તપની સેવાથી તથા બીજા પણ સ્થાનોની સેવાથી આ મહાત્માએ તીર્થંકર નામકર્મ ઉપામ્યું.
ત્યાંથી કાળ કરીને વિજય નામનાં અનુત્તર દેવલોકમાં તેઓ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયાં.
ચ્યવન કલ્યાણક : આજ જંબૂઢીપના દક્ષિણાર્ધભરત ક્ષેત્રમાં ઇ વસાવેલી વિનીતા (અયોધ્યા) નગરીનાં રાજા જિતશત્રુ-રાણી વિજયાદેવી છે. રાજાનાં ભાઇ યુવરાજ સુમિત્ર, એમની રાણી વૈજયંતી દેવી છે. બન્ને મહારાણીને રાતે ૧૪ મહાસ્વપ્નોનાં દર્શન થયાં. તે દિવસ હતો વૈશાખ સુદ-૧૩. રોહિણી નક્ષત્ર એ વખતે હતું. ઇન્દ્રનું આસન કંપ્યું. અને ભગવાનનું ચ્યવન જાણી તેમણે સિંહાસન પરથી ઊતરી શકસ્તવનો પાઠ કર્યો.
જન્મ કલ્યાણક ઃ મહાસુદ આઠમની મધ્યરાત્રિના સમયે ગર્ભકાળ વીત્યે છતે બન્ને માતાઓએ પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નશાસ્ત્રીઓનાં સૂચન પ્રમાણે એક તીર્થંકર હતાં, બીજા ચક્રવર્તી હતાં. ૫૬ દિíમારી આવી, તીર્થંકરનું સૂતિકર્મ કર્યું તથા ૬૪ ઇન્દ્રો આવ્યાં, ભગવાનનો મેરૂશિખરે મહા અભિષેક કર્યો. આમ જન્મકલ્યાણક ઊજવ્યું.
SG ૧૮ * જૈન તીર્થંકર ચરિત્ર
Page #34
--------------------------------------------------------------------------
________________
નામ સ્થાપનઃ સ્વજનો-પરિજનોને આમંત્રીને નામકરણ મહોત્સવ મનાવવામાં આવ્યો. મહારાણી વિજયાદેવી કહે-કે “જ્યારથી બાળક ગર્ભમાં આવ્યો છે, ત્યારથી રાજાની સાથે ઘૂતક્રીડામાં ક્યારેય હું હારી નથી.” રાજા જિતશત્રુ કહે “આજુબાજુનાં રાજાઓમાં એક એવી ભાવના ફેલાઇ છે કે જિતશત્રુ રાજાને જીતવો ભારે છે. આ ગર્ભનો જ પ્રભાવ છે.” આમ આ હકીકતોને યાદ કરીને બાળકનું નામ “અજિત' રખાયું. અને ભત્રીજાનું નામ “સગર' રખાયું. આ સગર દ્વિતીય ચક્રવર્તી થયાં.
વિવાહ-રાજ્યપાલન : બાળપણમાં અંગૂઠામાં સ્થાપેલા | રાખેલા અમૃતને ચૂસતાં ભગવાન મોટાં થયાં. તીર્થકરો સ્તનપાન કરતાં નથી.
માતા-પિતાના આગ્રહને વશ થઇને અનેક રાજકન્યાઓ સાથે તેમનું પાણિગ્રહણ થયું. સગર ચક્રવર્તી પણ ભણીને તૈયાર થયાં, અને ઘણી કન્યાઓને પરણ્યાં.
જિતશત્રુ રાજાએ દીક્ષાની ઇચ્છા કરી તો અજિતનાથ પ્રભુએ સુમિત્ર કાકાને રાજ્ય સોપવા કહ્યું. તેમણે દીક્ષાની ઇચ્છા બતાવી તો જિતશત્રુ રાજા કહેઃ “તમારે રાજ્ય ન સ્વીકારવું હોય, તો ભાવ સાધુ થઇને કાલની પ્રતીક્ષા કરો. અજિતનાથ સ્વયં તીર્થકર થશે. એમની પાસે દીક્ષા લેજો.' એ મોટા ભાઇના આદેશથી એમણે તે પ્રમાણે કર્યું. અજિતનાથ રાજા બન્યાં. જિતશત્રુ રાજર્ષિ બની મોક્ષ પામ્યા.
દીક્ષા કલ્યાણક ઃ ૭૧ લાખ પૂર્વ વર્ષ ઘર-વાસમાં રહી જ્યારે પ્રભુ દીક્ષાની વિચારણા કરવા લાગ્યાં, ત્યારે નવલોકાંતિક દેવો આવ્યા અને પ્રભુને દીક્ષાનો કાળ જણાવ્યો. હવે પ્રભુએ વરસીદાન કર્યું. એની પૂર્વે સગરનો રાજ્યાભિષેક કર્યો.
વરસીદાન : આની વ્યવસ્થા દેવો કરે છે. ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે તિર્યજંભક દેવોને આદેશ કરવાથી તેઓ ભૂલાયેલાં, ખોવાયેલાં, સ્વામી વિનાના, ઓળખ વિનાના, પર્વતની ગુફામાં રહેલાં, શ્મશાનમાં રહેલાં, અને ભવનોમાં પડેલાં ધનને કે જેના પર કોઇની માલિકી નથી, તેને ઉપાડી લાવે છે. ભગવાન નગરનાં ચાર રસ્તા, ચોક, ત્રિક વગેરે જગાએ બિરાજે છે. “આ બધાં ધનને ગ્રહણ કરવા આવો.” આવી ઘોષણા કરાવે છે. સૂર્યોદયથી માંડી ભોજનનાં સમય સુધી ભગવાન નિરંતર દાન આપતા ગયા. દરરોજ ૧ કરોડ ૮ લાખ સોનૈયા આપતાં આપતાં ૧ વર્ષે ૩૮૮ કરોડ ૮૦ લાખ સોનૈયા
પરમનું પાવન સ્મરણ
ન ૧૯
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રભુ આપતા ગયા. “જેને જે જોઇએ તે વસ્તુ પ્રભુ પાસે યાચીને લઇ જવી.” આવી ઘોષણા ૧ વર્ષ સુધી દરરોજ થવાને કારણે સર્વની ઇચ્છા પૂરી કરવા ભગવાન જે સોનૈયા આપતા, તેમાં (સોનાના સિક્કામાં) એક બાજુ ભગવાનની માતાનું અને બીજી બાજુ ભગવાનનાં પિતાનું નામ કોતરેલું હતું.
સોનૈયા ઉપરાંત પણ યાચકની ઇચ્છા મુજબ હાથીઓ, અશ્વો, રથો, આભરણો, વસ્ત્રો, રત્નો, ઊંટો, ખચ્ચરો, મોટા નગરો, ઘણા ગામો, બગીચાઓ, જમીન તથા ધનાદિ ભગવાન આપતાં. એની ગણના કરવી અશક્ય જ હતી, તો પણ અનુમાનથી ઉપરોક્ત સંખ્યા નીકળતી. આ દાન અમીરગરીબ બધાં લેતાં. ૬૪ ઇન્દ્રો પણ લેતાં.
વર્ષીદાનનો હેતુઃ જગતમાં દાનધર્મની મહત્તા સ્થાપિત થાય અને મહાપુરૂષોની દરેક પ્રવૃત્તિ દાનપૂર્વક જ હોય તેથી પ્રભુના ત્યાગધર્મની પણ મહત્તા જગતમાં સ્થાપિત થાય.
વર્ષીદાનનાં પ્રભાવે ઃ ૬૪ ઇન્દ્રોને અંદરોઅંદર કલેશ ન ઉપજે. દાનની ચીજ જો પોતાનાં ભંડારમાં મૂકે, તો ૧૨ વર્ષ ભંડાર અખૂટ રહે, યશ-કીર્તિ વધે. દાન ગ્રહણ કરનારો અવશ્ય ભવ્ય જીવ જ હોય. દાનનાં પ્રભાવે રોગીનાં રોગ ૬માસ સુધી હરાઇ જાય.
વર્ષીદાનનાં છ અતિશયો ૧) જો કે ભગવાન અનંત બલનાં માલિક છે. છતાં પણ ભક્તિને કારણે પ્રભુને શ્રમ ન થાય, માટે દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુનાં હાથમાં દ્રવ્ય આપે છે.
૨) ૬૪ ઇન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે તથા લેનારનાં ભાગ્ય અનુસાર તેનાં મુખમાંથી પ્રાર્થના કરાવવા માટે ઇશાનેન્દ્ર સુવર્ણની યષ્ટિ (દંડ) લઇને પ્રભુ પાસે ઉભા રહે છે.
(૩) પ્રભુના હાથમાં રહેલા સોનૈયામાં માંગનારની ઇચ્છા મુજબ ચમરેન્દ્ર અને બલીન્દ્ર અનુક્રમે ન્યૂનતા અને અધિકતા કરે છે.
૪) ભરત ક્ષેત્રમાં દૂર-દૂર રહેલા મનુષ્યને જો દાન લેવાની ઇચ્છા થાય, તો ભવનપતિઓ તેમને તેડી લાવે છે. ૫) દાન લઇ પાછા ફરનારને વ્યંતરદેવો નિર્વિબપણે સ્વસ્થાને પહોંચાડે છે. - ૨૦
જૈન તીર્થંકર ચરિત્ર
Page #36
--------------------------------------------------------------------------
________________
૬) જ્યોતિષ દેવો વિદ્યાધરોને તથા અન્ય મનુષ્યોને દાનનો સમય જણાવે છે.
પ્રભુ જે પરિમિત (નિયત સંખ્યામાં) દાન આપે છે, તે કૃપણતા નથી. પણ લેનારને એવો સંતોષ થાય છે, કે વધુ માંગવાની ઇચ્છા થતી નથી. પ્રભુનું દાન જોઇને લક્ષ્મીની કિંમત ઓછી થઇ જાય છે.
વાર્ષિક દાનને અંતે ઇન્દ્રાસન ચલિત થયું. ૬૪ ઇન્દ્રો નીચે આવ્યાં. દીક્ષાભિષેક કર્યો. ઉત્તમ વસ્ત્રાલંકારો પરિધાન કરાવ્યા. પછી સુપ્રભા નામની શિબિકામાં ભગવાનને આરૂઢ કરાવ્યાં. ભગવાન સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં આવ્યાં. પંચમુષ્ટિ લોચ કરી, વસ્ત્રાલંકારો ત્યાગી, સર્વસાવદ્ય-ત્યાગની પ્રતિજ્ઞા લઇને દીક્ષા ગ્રહણ કરી. તે જ સમયે મન:પર્યવજ્ઞાન પ્રગટ્ય. ઇન્દ્રો ત્યાં ભગવાનને પ્રદક્ષિણા દઇ નંદીશ્વરદ્વીપમાં અઢાઇ મહોત્સવ ઊજવવા લાગ્યાં. સગર રાજાએ ભાવપૂર્વક વંદન કરીને ભગવાનને વિદાય આપી.
ભગવાનનું પારણું : બીજે દિવસે પ્રભુએ બ્રહ્મદત્તરાજાનાં ઘરે પારણું કર્યું. છઠ્ઠ તપનું જ્યાં પારણું ક્ષીરાથી થયું, ત્યાં જ દેવોએ ૧૨ ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી, દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી, દુંદુભિનો નાદ કર્યો, સુગંધી જળ અને સુગંધી ફૂલોની વૃષ્ટિ કરી, પછી “અહોદાને અહોદાન” આવી ઘોષણા કરી. આ રીતે પ્રભુને પારણું કરાવનારને ત્યાં પાંચ દિવ્ય થતાં હોય છે.
ભગવાનનાં પારણાનો પ્રભાવ : દાનદાતા તત્કાલ અતુલ્ય વૈભવવાળો થાય છે. વધુમાં વધુ ૩ ભવમાં મોક્ષગામી થાય છે, અને પ્રભુને અપાતી ભિક્ષાને જેઓ જુએ છે તેઓ પણ દેવતાઓની જેવા નિરોગી શરીરવાળા થાય છે.
બ્રહ્મદત્ત રાજાએ પ્રભુનાં પગલાંને કોઇ ઓળંગે નહીં, એમ ધારીને એ પગલાં પર રત્નો વડે પીઠ-ઓટલો કરાવી, ત્યાં જિનેશ્વર રહ્યાં છે એમ ધારી ત્રિકાળ પુષ્પાદિથી પૂજવા લાગ્યો. ચંદન-પુષ્પ-વસ્ત્રાદિથી જ્યાં સુધી તે પીઠની પૂજા ન કરી હોય, ત્યાં સુધી સ્વામી નહીં જમેલાં હોવાથી એમની રાહ જોતો હોય તેમ તે ભોજન કરતો ન હતો.
કેવલજ્ઞાન કલ્યાણક ઃ દીક્ષા લીધાં પછી ૧૨ વર્ષ પસાર થયાં, ત્યારે પોષ સુદ-૧૧ના દિવસે રોહિણી નક્ષત્ર વખતે છઠ્ઠ તપવાળાં પ્રભુને ઉજ્જવળ કેવળજ્ઞાન પ્રગટ્યું. ૬૪ ઇન્દ્રો આવ્યાં, સમવસરણની રચના કરી. તીર્થની પરમનું પાવન સ્મરણ - ૨૧
Page #37
--------------------------------------------------------------------------
________________
સ્થાપના થઈ. સગર ચક્રીનાં પિતા સુમિત્ર-જે અગાઉ સાધુ જેવા હતાં. તેમણે દીક્ષા લીધી. જેમને ગણધર નામ કર્મનો ઉદય થયો હતો, તેવા સિંહસેન વગેરે ૯૫ જણાને ગણધર બનાવ્યાં. તેજ વખતે તીર્થના શાસનદેવ મહાયક્ષ અને શાસનદેવી અજિતબલા પણ પ્રગટ થયાં. દરેક ભગવાનનાં શાસનદેવ-શાસનદેવી પ્રાયઃ વ્યંતર નિકાયનાં યક્ષ-દેવોમાંનાં હોય છે.
અષ્ટાપદ તીર્થરક્ષા : ભગવાન અજિતનાથનાં ધર્મશાસન કાળમાં આ પૃથ્વી પર સૌથી અધિક ૧૭૦ તીર્થકરો તેમજ સાધુ-સાધ્વીજી ભગવંતો હયાત હતાં.
ભગવાનનાં પિત્રાઇ સગર ચક્રવર્તીનાં ૬૦,૦૦૦ પુત્રોએ અષ્ટાપદતીર્થની રક્ષા કરવા એક હજાર યોજનની ખાઇ ખોદતા અને તેમાં ગંગા નદીનું પાણી ભરતા પાતાલવાસી નાગનિકાયનાં દેવોનાં કોપનાં ભોગ બનવું પડ્યું, અને એકી સાથે તેમનું મૃત્યુ થયું.
ઇન્દ્ર નીચે આવીને સગર ચક્રવર્તીને ઉપાયપૂર્વક સમાચાર આપ્યાં. એમનો કલ્પાંત (આઘાત-શોક) ઘટાડ્યો. ગંગાનાં ધસમસતા પાણીને વાળવા માટે સગર ચક્રીએ પૌત્ર ભગીરથને મોકલ્યો. તેણે તે કામ કરી બતાવ્યું. તેથી ગંગા ભાગીરથી કહેવાઇ. અને ૬૦,૦૦૦ પુત્રોમાં મુખ્ય પુત્ર જનુનાં નામે ગંગા જાનવી કહેવાઇ.
શત્રુંજયની રક્ષા : સગર ચક્રવર્તીને પણ એકદા શત્રુંજય તીર્થની રક્ષા કરવાનું મન થયું. એ માટે તેમણે દક્ષિણમાંથી લવણસમુદ્રને ખેંચ્યો. દરિયો જમીન પર પથરાવા લાગ્યો. દ્વારકા સુધી ખેંચાઇ આવ્યો, ત્યારે ઇન્દ્ર નીચે આવ્યાં. કહ્યું: “કલિકાલમાં આ તીર્થ તરવાનો ઉપાય છે.” માટે સગર અટક્યાં પરંતુ ભરત ક્ષેત્રની ધરતી પર લવણ સમુદ્રમાં ખારાં પાણી ફેલાયેલા રહી ગયા.
એકદા ભગવાન વિહાર કરીને વિનીતામાં પધાર્યા. ત્યારે સગર ચક્રવર્તીએ દીક્ષા લીધી. તથા ૬૦,૦૦૦ પુત્રોની સાથે ગયેલાં સામંત-મંત્રીઓએ પણ દીક્ષા લીધી. સર્વેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
નિર્વાણ કલ્યાણક ઃ દીક્ષા કલ્યાણકથી એક પૂર્વાગે ન્યૂન (ઓછા) એવાં ૧ લાખ પૂર્વ જતાં ભગવાન સમેતશિખરે પધાર્યા. ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં, ૧૦૦૦ શ્રમણો સાથે પાદપોપગમન અનશન કર્યું. ૬૪ ઇન્દ્રો આવીને પ્રદક્ષિણા કરી બેઠાં. ૧ માસ પૂર્ણ થયો. ચૈત્ર સુદ-૫ના દિવસે મૃગશિર નક્ષત્રમાં પર્યકઆસનમાં બિરાજીત પ્રભુને નિર્વાણ પ્રાપ્ત થયું.
( ૨૨ % જેન તીર્થકર ચરિત્ર
Page #38
--------------------------------------------------------------------------
________________
ત્રીજી તીર્થંકર-શ્રી સંભવનાથ ભગવાન
પૂર્વભવઃ ધાતકી ખંડ દ્વીપના એરવત ક્ષેત્રમાં ક્ષેમપરા નગરી છે. ત્યાં વિપુલવાહન રાજા છે. તે સુયોગ્ય શાસનનું પાલન કરે છે. તે દેવ-ગુરૂનો ઉપાસક સમકિતી છે. એકદા ભવિતવ્યતાને યોગે ભયંકર દુકાળ પડ્યો, ત્યારે રાજા વિચારે છે. “આ સઘળી પૃથ્વીનું મારે આ સમયે રક્ષણ કરવું જોઇએ. પણ શું કરું ? પહોંચી નહીં વળું. પરંતુ સકલ શ્રી ચતુર્વિધ સંઘની તો મારે અવશ્ય રક્ષા કરવી જોઇએ.'
એણે રસોઇયાને આજ્ઞા કરી “આજથી સંઘનાં જમ્યાં પછી અવશેષ અન્ન હું જમીશ, માટે મારે માટે રાંધેલું અન્ન મુનિઓને વહોરાવવું, અને બાકીનાં અન્નથી શ્રાવકોને જમાડવાં.”
આ રીતે દુકાળ હતો ત્યાં સુધી સર્વસંઘને યથાવિધિ ભોજન પૂરું પાડ્યું. સર્વ સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
અવસરે પોતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભ નામનાં આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે વિશે સ્થાનકોની આરાધન વડે તીર્થકર નામકર્મને પુષ્ટ કર્યું. આયુષ્ય ક્ષયે આનત નામનાં નવમા દેવલોકમાં તેઓ દેવ થયાં.
જન્મઃ જંબૂદ્વીપમાં શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજા અને સેનાદેવીને ત્યાં રાણીનાં ગર્ભમાં ફા.સુ.૮ને દિવસે મૃગશિર નક્ષત્રમાં પ્રભુનું અવન થયું. ભગવાનની માતાને ૧૪ સ્વપ્ન દેખાયાં. ઇન્દ્ર આવીને સ્વપ્નોનાં અર્થ માતાને કહ્યાં.
નવમાસ સાડાસાત દિવસ પસાર થયા પછી માગસર સુદ-૧૪નાં દિવસે મૃગશિરનક્ષત્રમાં ચંદ્ર હતો, ત્યારે અશ્વ લંછનવાળાં પુત્રનો જન્મ થયો. ૫૬ દિક્યુમારિકાઓ અને ૬૪ ઇન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો.
નામ-સ્થાપનઃ દરેક તીર્થકર ભગવંતનાં નામની પાછળ કારણ હોય છે. એક સામાન્ય કારણ હોય છે. (જ દરેક તીર્થકરને લાગુ પડે છે.) બીજું વિશેષ કારણ હોય છે. (જે કેવલ તે જ તીર્થકરને લાગુ પડે છે.) ઋષભદેવ પરમનું પાવન સ્મરણ - ૨૩ જ
Page #39
--------------------------------------------------------------------------
________________
ભગવાનનું “ઋષભ” નામ પડ્યું એનું સામાન્ય કારણ. તેઓ વૃષ-ધર્મથી ભભાવિત થનારાં હતાં. આથી ઋષભ કહેવાયાં. વિશેષ કારણ તે પૂર્વોક્ત છે.
અજિતનાથ ભગવાનનું નામનું સામાન્ય પ્રયોજન એ હતું કે તેઓ ઇન્દ્રિય-કષાય-ગારવ વગેરેથી જીતાયાં ન હતાં. વિશેષ પ્રયોજન કહેવાઇ ગયું છે.
સંભવ” શબ્દ બે શબ્દોથી બન્યો છે. સં-સુખ અને ભવ-થવું. જેમનાં દર્શનથી સર્વજીવોને સુખ થાય છે. તેથી તેમને “સંભવ” કહે છે. પરંતુ, તે રીતે તો દરેક તીર્થકર “સંભવ છે. વિશેષ કારણ એ છે કે ભગવાન ગર્ભમાં અવતર્યા ત્યારથી ચારે દિશામાંથી ધાન્યથી ભરપૂર સાર્થો આપવાને કારણે શ્રાવસ્તી નગરીનો ઘોર દુકાળ નામશેષ થયો. શંબા-નામનાં ધાન્યો વિપુલ પ્રમાણમાં ઉગ્યાં. તેથી માતા-પિતાએ “સંભવ” નામ પાડ્યું.
વિવાહ-રાજ્ય સંચાલન ઃ યૌવનમાં રહેલા ભગવાનને માતા-પિતાએ આગ્રહ કરી અનેક કન્યાઓ પરણાવી અમુક સમય પછી રાજગાદી સોંપી પોતે સંયમમાર્ગે ચાલ્યાં. રાજ્ય કરતાં અને ભોગકર્મ ખપાવતાં ભગવાનને ચાર પૂર્વાગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ પસાર થયાં.
દીક્ષાઃ એ વખતે લોકાંતિક દેવોથી પ્રાર્થના કરાયેલા ભગવાને સંવત્સરી દાન દીધું. ૬૪ ઇન્દ્રોએ દીક્ષા અભિષેક કર્યો. ભગવાને સિદ્ધાર્થ શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં પધારી માગસર પૂનમના દિને મૃગશિરનક્ષત્રમાં ચંદ્ર આવતાં દીક્ષા લીધી. સાથે ૧ હજાર રાજાઓ પણ દીક્ષિત થયાં.
ભગવાને ત્યાંથી વિહાર કરીને બીજે દિવસે સુરેન્દ્રદત્ત રાજાને ત્યાં પારણું કર્યું. ત્યાં પંચદિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠ બનાવી.
કેવલજ્ઞાન ઃ ચૌદ વર્ષ સુધી છદ્મસ્થ રીતે વિહરી ભગવાન વળી પાછાં સાવથી નગરીમાં પધાર્યા. આસો વદ-પાંચમના દિવસે મૃગશિર નક્ષત્રમાં છટ્ટ તપવાળાં ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૬૪ ઇન્દ્રો આવ્યા. સમવસરણ રચાયું. અને તીર્થની ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ત્રિમુખ યક્ષ શાસનદેવ અને દુરિતારિદેવી શાસનદેવી તરીકે જન્મ્યાં.
નિર્વાણ : દીર્ઘકાળ પર્યત વિહાર કરી અંતે પરિવાર સહિત સમેત શિખર પર્વતે પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે પાદપોપગમન અનશન સ્વીકારી ચૈત્ર સુદ-પાંચમ દિને મૃગશિર નક્ષત્રમાં ભગવાન નિર્વાણ પામ્યાં.
C ૨૪ 6
જૈન તીર્થકર ચરિત્ર
Page #40
--------------------------------------------------------------------------
________________
'ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી
પૂર્વભવઃ આજ જંબૂઢીપનાં પૂર્વ વિદેહમાં મંગળાવતી વિજયમાં રનસંચય નગરી છે. ત્યાં મહાબલ રાજાએ સમ્યકત્વપૂર્વક રાજ્યસંચાલન કરી છેલ્લે શ્રી વિમલસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. વીશ સ્થાનકોમાંથી અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. દીર્ઘકાળ સંયમ પાળી, અનશન લઇ, મૃત્યુ પામી વિજય નામનાં અનુત્તર વિમાનમાં દેવ થયાં.
જન્મઃ જંબૂઢીપ-ભરતક્ષેત્ર-અયોધ્યા નગરીમાં સંવર રાજા થયાં. તેમની સિદ્ધાર્થ રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ-૪ના દિવસે અભિજિત્ નક્ષત્રમાં ભગવાનનું ચ્યવન થયું. માતાએ ૧૪ સુપન જોયાં. ઇન્દ્રોએ આવી સ્વપ્નનો અર્થ કહ્યો.
નવમાસ સાડાસાત દિવસ વીત્યે છતે, મહા સુદ-બીજનાં દિવસે અભિજિતુનક્ષત્રમાં વાનરલંછનવાળાં સુવર્ણવર્ણકાંતિમાન બાળકનો જન્મ થયો. પ૬ દિકકુમારી અને ૬૪ ઇન્દ્રોએ જન્મોત્સવ મનાવ્યો. સવારે નગરીમાં ઉત્સવાનંદ ઉજવાયો.
નામસ્થાપન : રૂપ વગેરે ગુણોથી સંપૂર્ણ ત્રિભુવનને અભિનંદે છે, આનંદ પમાડે છે. તેથી જિન અભિનંદન કહેવાય છે. અને વિશેષ કારણ એ કે પ્રભુ ગર્ભમાં હતાં, ત્યારે અત્યંત ભક્તિવાળાં ઇન્દ્ર માતાની વારંવાર સ્તુતિપ્રશંસા કરી. તેથી ભગવાનનું નામ “અભિનંદન” પાડ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવનાવસ્થામાં આવેલાં જન્મજાત નિઃસ્પૃહ એવાં ભગવાને માતા-પિતાના આગ્રહથી વિવાહ કર્યા. સાડાબાર લાખ પૂર્વ વીત્યા પછી સંવર રાજાએ રાજ્ય-ગાદી સોંપી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રભુએ સાડા છત્રીસ લાખ પૂર્વ, આઠ પૂર્વાગ જેટલો સમય રાજ્ય-નિર્વાહ કર્યો.
દીક્ષાઃ અવસરે લોકાંતિક દેવોથી પ્રાર્થના કરાયેલા ભગવાને સાંવત્સરિક દાન દીધું. ૬૪ ઇન્દ્રોએ દીક્ષાભિષેક કર્યો. અર્થસિદ્ધ નામની શિબિકામાં બેસી ભગવાન સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. મહા સુદ-૧૨ના દિવસે અભિજિનક્ષત્રમાં છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી. સાથે ૧૦૦૦ રાજાઓએ દીક્ષા લીધી.
પરમનું પાવન સ્મરણ
)
૨૫
Page #41
--------------------------------------------------------------------------
________________
બીજે દિવસે સાકેતપુરનાં રાજા ઇન્દ્રદતે ખીરથી ભગવાનનું પારણું કરાવ્યું. ત્યાં પંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠની રચના કરી.
કેવલજ્ઞાન અઢાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને ભગવાન અયોધ્યાના સહસ્ત્રાપ્રવનમાં આવ્યાં. છઠ્ઠ તપ કરી રાયણનાં વૃક્ષ નીચે કાયોત્સર્ગ કરીને પોષ સુદી ચૌદસે અભિજિતું નક્ષત્રમાં કેવલજ્ઞાન મેળવ્યું. ૬૪ ઇન્દ્રો આવ્યાં. સમવસરણ રચાયું. તીર્થની સ્થાપના થઇ, યક્ષેશ્વર નામનાં યક્ષ, શાસનદેવ અને કાલિકા નામે યક્ષિણી શાસનદેવી થયાં.
નિર્વાણ કેવલજ્ઞાન મળ્યાં પછી આઠ પૂર્વાગ અને અઢાર વર્ષ જૂન ૧ લાખ પૂર્વ પસાર થયે છતે ભગવાન સમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિ સાથે ૧ માસનું અનશન સ્વીકારી. વૈશાખ સુદ-૮ પુષ્ય નક્ષત્રમાં ભગવાન મોક્ષ પામ્યાં.
- ૨૬
*
જૈન તીર્થકર ચરિત્ર
Page #42
--------------------------------------------------------------------------
________________
'પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ સ્વામી
પૂર્વભવઃ જંબૂદીપ-પૂર્વવિદેહમાં-પુષ્કલાવતી વિજયમાં શંખપુર નગરી છે. વિજયસેન રાજા અને સુદર્શના રાણી છે. ઘણાં સમય સુધી દંપતીને કોઇ સંતાન થતું નથી આખરે રાજા કુલદેવીની આરાધના કરે છે, અને તેના પ્રભાવે રાણી કેશરીસિંહને સપનામાં મુખમાં પ્રવેશતો જુએ છે. પુત્રજન્મ થાય છે. પુરૂષસિંહ નામ પડે છે. મોટો થઇને પરણે છે, અને રાજકુમાર અવસ્થામાં જ વિનયનંદનસૂરિજી પાસે દીક્ષા લે છે. વીશસ્થાનકમાંથી અમુક સ્થાનોની આરાધના કરી, અપ્રમત્ત સંયમ પાળી, તેઓ વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થાય છે.
જન્મ : જંબૂદ્વીપ-ભરતક્ષેત્ર-વિનીતા નગરી મેઘ નામનાં રાજા, અને મંગળાવતી નામે માતા. ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ભગવાન શ્રાવણ સુદ-બીજે મઘા નક્ષત્રમાં માતાની કુક્ષિમાં પધાર્યા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. ઇન્દ્રાદિએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું.
દરેક તીર્થકર માતાને તીર્થંકર પ્રભુ ગર્ભમાં આવ્યાં છતાં પણ ગર્ભાવસ્થાનાં લક્ષણો નથી દેખાતાં. ૯ મહિના સાડાસાત દિવસનો ગર્ભકાળ
જ્યાં સમાપ્ત થયો. ત્યાં વૈશાખ સુદ-આઠમે મઘા નક્ષત્રમાં કૃૌચપક્ષીનાં લાંછનવાળાં સુવર્ણવર્ણનાં બાળને જન્મ આપ્યો. પ૬ કુમારીઓ, ૬૪ ઇન્દ્રોએ જન્મ કલ્યાણક ઉજવ્યું. સવાર પડે નગરીમાં ઉત્સવાનંદ ઉજવાયો.
નામ સ્થાપન : (પાપપ્રવૃત્તિને સાથ નહીં આપતી) પાપાચારથી નિવૃત્ત થયેલી, અને મોક્ષની સન્મુખ થયેલી છે, શુભમતિ જેની એ સુમતિ. આ ભગવાનના નામનું સામાન્ય કારણ છે.
વિશેષ કારણ-ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતાં, ત્યારે બે સ્ત્રીઓ ન્યાય માંગવા રાજદરબારમાં આવી. તેમના પતિનું અકસ્માતું મોત થયું હતું. પુત્ર એક હતો. બન્ને સ્ત્રીઓ કહેતી હતી કે આ મારો પુત્ર છે. (કારણકે રિવાજ મુજબ જેનો પુત્ર હોય એને ધનનો હક મળે.) રાજા વિચારમાં પડ્યાં. મંત્રીઓને પણ કોઇ ઉકેલ ન મળ્યો. ત્યારે “આનો અવસરે ઉકેલ કરીશું.” એમ કરી સભા બરખાસ્ત કરી. રાજા અંતઃપુરમાં ગયાં. રાણીએ મોડા આવવાનું કારણ પૂછતાં રાજાએ વાત જણાવી. રાણી કહેઃ “સ્ત્રીઓનાં વિવાદનો નિર્ણય સ્ત્રીને જ ફાવે.” રાજા બીજે દિવસે રાણીને દરબારમાં લાવ્યાં. બન્નેની વાતો સાંભળ્યાં
પરમનું પાવન સ્મરણ
A ૨૭ 5
Page #43
--------------------------------------------------------------------------
________________
પછી ગર્ભનાં પ્રભાવથી સુમતિને પ્રાપ્ત કરેલી રાણીએ ફેંસલો કર્યો: ધનની જેમ પુત્રનાં પણ બે ભાગ કરી દો. (ત્રિષષ્ઠિ-આવશ્યકચૂર્ણિ ગ્રંથ પ્રમાણે રાણીએ કહ્યું કે મારા ઉદરમાં અચિંત્ય જ્ઞાની તીર્થકર છે. તેઓ જન્મીને ફેંસલો કરશે. ત્યાં સુધી રાહ જુઓ.) તો સાચી મા બોલી. “ના ના, ધન એને સોંપી દો. પુત્ર જીવતો જોઇએ.” ખોટી મા બોલી. “બરાબર છે. બે ટુકડા કરી દેવા જોઇએ. અને ચુકાદો થઇ ગયો. રાજાએ સાચી માને પુત્ર અને ધન આપ્યાં અને બીજીને ખોટી સમજીને બહાર કાઢી. ભગવાન ગર્ભમાં હતાં ત્યારે મંગલા રાણીને આવી સુંદર બુદ્ધિ થઇ. માટે ભગવાનનું નામ “સમતિ' પડયું.
'વિવાહ અને રાજ્ય : યોવનાવસ્થામાં રહેલા જન્મજાત વેરાગી ભગવાનનો માતા-પિતાના આગ્રહથી વિવાહ થયો અને દશ લાખ પૂર્વ કાળ આયુષ્ય વીત્યે છતે રાજ્યભાર સ્વીકાર્યો. ઓગણત્રીસલાખ પૂર્વ સુધી રાજ્ય પાલન કર્યું.
દીક્ષા: અવસરે જાતે જ વૈરાગી અને જ્ઞાની સ્વયંબુદ્ધ ભગવાનને પણ લોકાંતિક દેવોએ પોતાનાં આચાર મુજબ વિનંતિ કરી, અને ભગવાને ૧ વર્ષ વરસીદાન આપ્યું. વાર્ષિકદાનને અંતે દેવતાઓ નીચે પધાર્યા અને ભગવાનનો દીક્ષાભિષેક કર્યો. પછી અભયંકરા શિબિકામાં બિરાજી ભગવાન સેંકડો દેવીદેવો-માનવો સહિત સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. વૈશાખ સુદ નવમીના દિવસે મધ્યાને મઘા નક્ષત્રમાં એકાસણાના પચ્ચકખાણવાળાં પ્રભુએ ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે વિજયપુરમાં પધરાજાને ઘેર પરમાન્ન-ખીરથી ભગવાને પારણું કર્યું. ત્યાં પાંચ દિવ્ય થયાં. ત્યાં તેણે પૂજા માટે રત્નપીઠ બનાવી.
કેવલજ્ઞાન : દીક્ષા લઇને ૨૦ વર્ષ સુધી વિહાર કરતાં કરતાં પ્રભુ છેવટે પોતાનાં દીક્ષાસ્થાન સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં પ્રિયંગુવૃક્ષ નીચે ચૈત્ર સુદ૧૧ મઘા નક્ષત્રમાં છઠ્ઠ તપવાળાં ભગવાનને કેવલજ્ઞાની પ્રાપ્તિ થઈ. દેવોએ ઉત્સવ મનાવ્યો. સમવસરણ વિરચાયું. તીર્થની સ્થાપના થઇ. તુંબરૂ નામે યક્ષ શાસનદેવ અને મહાકાલી નામે યક્ષિણી શાસનદેવી થયાં.
નિર્વાણ : કેવલજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વશ વર્ષ બાર પૂર્વાગ ન્યૂન એકલાખ પૂર્વ આ ધરતી પર વિહાર કરીને, પોતાનો મોક્ષકાલ નજીક જાણીને ભગવાન સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ સાધુ ભગવંતોની સાથે ૧ માસનું અનશન કરી, ચૈત્ર સુદ-નવમીએ પુનર્વસુ નક્ષત્રમાં ભગવાન નિર્વાણ પામ્યાં. ઇન્દ્રોએ નિર્વાણ મહોત્સવ મનાવ્યો.
-
૨૮
જ
જૈન તીર્થકર ચરિત્ર
Page #44
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભ સ્વામી
::
પૂર્વભવ : ધાતકીખંડ દ્વીપ-વત્સ વિજય-સુસીમાનગરી-અપરાજિત નામે રાજા. સમકિતી-તત્ત્વચિંતન કરનારો છે. એકવાર ધર્મજાગરિકામાં અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. અને એ મુજબ રાજ્ય પોતાના પુત્રને સોંપી પિહિતાશ્રવ નામનાં આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી વીશસ્થાનકમાંથી અમુક સ્થાનકોની આરાધના કરી તીર્થંકર નામકર્મબંધ કર્યો. અંતે આરાધના કરી. નવમા ત્રૈવેયકમાં દેવ થયાં.
જન્મ : એકત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને જંબૂદ્દીપ ભરતક્ષેત્ર કૌશાંબી નગરીમાં ધર રાજાની રાણી સુસીમાની કુક્ષિમાં મહાવદ-૬ (પોષ વદ-૬) ચિત્રા નક્ષત્રમાં પ્રભુનું ચ્યવન થયું. ચૌદ સ્વપ્ના જોયાં. ઇન્દ્રોએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું.
નવમાસ સાડાસાત દિવસ પસાર થતાં કાર્તક વદ-૧૨ (આસો વદ૧૨)નાં દિવસે ચિત્રા નક્ષત્રમાં પદ્મ (કમળ)ના લંછનવાળાં (લાલ) રક્ત વર્ણના ભગવાનને માતાએ જન્મ આપ્યો. ૫૬ દિક્કુમારિકા અને ૬૪ ઇન્દ્રોએ જન્મકલ્યાણક ઉજવ્યું. બીજે દિવસે નગરીમાં મહોત્સવ ઉજવવામાં આવ્યો. મહેલમાં આનંદ આનંદ છવાઇ ગયો.
નામ સ્થાપન ઃ પદ્મ-ક્તકમળ. એના જેવી પ્રભુનાં દેહની કાંતિ છે, માટે તેમને પદ્મપ્રભ કહ્યાં. આ સામાન્ય કારણ છે. (કારણકે વાસુપૂજ્ય ભગવાનને પણ લાગુ પડે છે.) વિશેષથી તો ભગવાન ગર્ભમાં હતાં ત્યારે માતાને પદ્મની શય્યામાં સૂવાનો દોહદ થયો હતો, જે દેવતાઓએ પૂર્ણ કર્યો હતો. માટે તેમનું નામ પદ્મપ્રભ રાખવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય : જન્મથી મહાવૈરાગી ભગવાને યૌવનવયે માતાપિતાનાં આગ્રહથી પાણિગ્રહણ કર્યું. જન્મથી સાડાસાત લાખ પૂર્વ ગયા પછી રાજ્ય ગ્રહણ કર્યું. સાડી એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાંગ સુધી રાજ્ય પાલન કર્યું.
દીક્ષા : અવસરે લોકાંતિકોથી વિનવાયેલા ભગવાને વ૨સીદાન આપ્યું. અંતે ઇન્દ્રોએ અભિષેક કર્યો. શિબિકામાં બિરાજીત થઇ ભગવાન સહસ્રામ્રવનમાં પરમનું પાવન સ્મરણ
૨૯
Page #45
--------------------------------------------------------------------------
________________
પધાર્યા. છઠ્ઠના તપવાળા ભગવાને કારતક વદ-૧૩ (આસો વદ-૧૩)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓની પાસે દીક્ષા લીધી.
બીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં “સોમદેવ” રાજાની પાસે ભીક્ષા ગ્રહણ કરી. પંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠ બનાવ્યું.
કેવલજ્ઞાન : દીક્ષા પછી છ માસ પસાર થયા પછી ભગવાન ફરીથી પોતાના નગરના સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ્ઠ તપ કરી સ્થિર રહેલાં ભગવાનને ચૈત્ર સુદ-૧૫ના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇન્દ્રો અને માનવી આવ્યાં. સમવસરણની રચના થઇ. તીર્થની સ્થાપના થઇ. કુસુમનામે શાસનદેવ અને અય્યતા નામે યક્ષિણી શાસનદેવી થયાં.
નિર્વાણ કેવલજ્ઞાન થયાં પછી છ માસ અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ પસાર થયા બાદ પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં ૧ માસનું અનશન સ્વકારી માગસર વદ-૧૧ (કારતક વદ-૧૧)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૩૦૮ (મતાંતરે ૧૦૩) સાધુ ભગવંતો સાથે મોક્ષમાં પધાર્યા. દેવ-મનુષ્યોએ નિર્વાણ મહોત્સવ મનાવ્યો.
જ ૩૦
જૈન તીર્થકર ચરિત્ર
Page #46
--------------------------------------------------------------------------
________________
સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ સ્વામી)
પૂર્વભવઃ ધાતકી ખંડની પૂર્વ વિદેહમાં ક્ષેમપુરી નગરીનો રાજા નંદીષેણ હળુકર્મ, ભદ્ર પરિણામી અને સમકિતી છે. ન્યાયમાર્ગ રાજ્યનું પાલન કરે છે. અવસર જાણીને અરિદમન રાજર્ષિ પાસે દીક્ષા લે છે. મહાવ્રતોનું ઉગ્ર પાલન કરતાં વીસમાંથી અમુક સ્થાનકોની આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરે છે. અંત સમયે સમાધિથી કાળ કરી છઠ્ઠા રૈવેયકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
જન્મઃ જંબૂઢીપ-ભરતક્ષેત્ર-કાશીદેશ અને વાણારસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા અને પૃથ્વી નામે રાણી હતાં. નંદીષેણનાં જીવે ૨૮ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ભાદરવા વદ-૮ (શ્રાવણ વદ-૮) અનુરાધા નક્ષત્રમાં માતાની કુલિમાં નિવાસ (ગર્ભ તરીકે ઉત્પન્ન થયા) કર્યો...૧૪ સુપના આવ્યાં. ઇન્દ્રોદેવોએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. ગર્ભની વૃદ્ધિ થતાં માતાએ સપનામાં અનેકવાર એક-પાંચ અને નવ ફણાવાળાં નાગની શય્યા પર પોતાને સૂતેલાં જોયાં.
જેઠ સુદ-૧૨ના દિવસે વિશાખા નક્ષત્રમાં સ્વસ્તિક લાંછનવાળા સુવર્ણવર્ણનાં ભગવાનને જન્મ આપ્યો. પ૬ દિકકુમારીઓએ સૂતિકર્મ કર્યું. ઇન્દ્રોએ જન્મ મહોત્સવ કર્યો. સવારે રાજાએ નગરીને ઉત્સવમય કરી.
નામ સ્થાપન : પાર્થ=દેહનાં પડખાં. જેનાં દેહનાં પડખાં અત્યંત સુંદર છે તે સુપાર્શ્વ. આ સામાન્ય કારણ થયું. તથા ભગવાન માતાના ગર્ભમાં હતાં, ત્યારે રોગયુક્ત પડખાવાળા માતા સુંદર પડખાંવાળી બની, માટે ભગવાનનું નામ વિશેષથી સુપાર્શ્વ સ્થાપ્યું. નામસ્થાપનામાં મતાંતરઃ ભગવાનનાં પિતાનાં બન્ને પાસા કોઢ રોગવાળા હતા, જે ભગવાનની માતાએ હાથ ફેરવ્યાથી નિરોગી અને સુકોમળ બની ગયા.
- વિવાહ અને રાજ્ય : યૌવનવયે માતા-પિતાનાં દાક્ષિણ્યથી પ્રભુએ અનેક રાજપુત્રી સાથે લગ્ન કર્યા. પાંચ લાખ પૂર્વ વિત્યે છતે પિતાએ સોંપેલ રાજ્યભારને ઉપાડી લીધો. વિશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ રાજ્ય-સંચાલન કર્યું. પછી પ્રભુનું મન વિરક્ત છે એમ જાણી નવ લોકાંતિક દેવો આવ્યાં.
પરમનું પાવન સ્મરણ
- ૩૧
6
Page #47
--------------------------------------------------------------------------
________________
દીક્ષાઃ લોકાંતિક દેવોની વિનંતિથી દીક્ષા માટે તત્પર થયેલા ભગવાને વરસીદાન દીધું. વર્ષ પછી ઇન્દ્રો પધાર્યા. મોટા સમૂહની વચ્ચે ભગવાનનો દીક્ષાભિષેક (અંતિમ સ્નાન) કર્યો. પછી મનોહરા નામની દેવનિર્મિત શિબિકામાં બેસી દેવો-ઇન્દ્રોથી વહન કરાતાં પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં જેઠ સુદ૧૩ના દિવસે અનુરાધા નક્ષત્રમાં દિવસનાં નમતા પહોરે (સાંજે) ૧૦૦૦ રાજાઓની સાથે ભગવાને છઠ્ઠ તપનાં બીજા દિવસે દીક્ષા લીધી.
બીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેન્દ્ર રાજાને ઘેર પરમાત્રથી પારણું કર્યું. રાજાને ત્યાં પાંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં રત્નમયપીઠ બનાવ્યું.
કેવળજ્ઞાનઃ નવમાસ સુધી પૃથ્વી પર વિહાર કરતાં કરતાં સહસામ્રવનમાં પધાર્યા. શિરીષ વૃક્ષ નીચે પ્રતિમા=કાઉસગ્ગ ધ્યાનપૂર્વક સાધનામાં રહેલા છઠ્ઠ તપવાળા ભગવાનને ફાગણ વદ-છઠ્ઠ (મહા વદ-છઠ્ઠ) વિશાખા નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમવસરણ રચાયું. તીર્થની સ્થાપના થઇ. માતંગ યક્ષ, શાંતા યક્ષિણી શાસનદેવતા થયા.
નિર્વાણ : કેવલજ્ઞાન પછી નવમાસ વીશ પૂર્વાગજૂન ૧ લાખ પૂર્વ પછી પ્રભુ સમેતશિખર પધાર્યા. ૧ માસનું અનશન કરી. ફાગણ વદ-૭ (મહાવદ૭)ના દિને ૫૦૦ મુનિઓ સાથે મોક્ષમાં પધાર્યા.
વિશેષતા : ભગવાન પ્રથમ સમવસરણમાં બેઠા ત્યારે પૃથ્વીદેવીએ સપનામાં જેવો સર્પ દીઠો હતો, તેવો સર્પ જાણે બીજું છત્ર હોય તેમ પ્રભુનાં મસ્તક પર વિદુર્થો. ત્યાંથી માંડીને તે પ્રભુનાં બીજા પણ સમવસરણોમાં ૧ ફણાવાળો, ૫ ફણાવાળો, અથવા નવ ફણાવાળો નાગ થયેલો હતો. આથી જ અમુક ગામોમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર પણ નાગેન્દ્રની ફણા હોય છે.
A ૩ર
જ
જૈન તીર્થંકર ચરિત્ર
Page #48
--------------------------------------------------------------------------
________________
'આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામી
પૂર્વભવઃ ધાતકીખંડ દ્વિીપ-પૂર્વ વિદેહ-મંગળાવતી વિજય-રત્નસંચયા નગરીમાં પા નામે રાજા હતો. સંસારમાં રહ્યા રહ્યા અનાસક્તભાવે સમ્યગ્દર્શનનાં આચારોનું સમ્યક પાલન કરતો હતો. એક વખત તેમણે યુગંધર નામનાં ગુરૂ પાસે દીક્ષા લીધી. ઘણા કાળ સંયમ પાળી વીશસ્થાનકમાંથી અમુક સ્થાનોની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં.
જન્મ : જંબૂઢીપ-ભરતક્ષેત્ર-ચંદ્રાનના (ચંદ્રપુરી) નગરીમાં મહાસેન રાજા અને લક્ષ્મણાદેવી રાણી હતાં. ૩૩ સાગરોપમ આયુષ્ય પૂર્ણ કરી પદ્મરાજાનાં જીવે માતાની કુક્ષિમાં નિવાસ કર્યો. ચૈત્ર વદ-પાંચમ (ફાગણ વદપાંચમ) અનુરાધા નક્ષત્રમાં ભગવાનનું ચ્યવન થતા રાત્રે માતાએ ૧૪ સ્વપ્નો જોયાં. દેવોએ ઉજમણું કર્યું. લોકમાં અજવાળું થયું.
પોષ વદ-૧૨ (માગસર વદ-૧૨) અનુરાધા નક્ષત્રમાં ચંદ્ર હતો ત્યારે માતાએ ચંદ્રનાં ચિહ્નવાળા શ્વેતવર્ણવાળા બાળકને જન્મ આપ્યો. ૧૬ દિકકુમારીએ સૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રોએ મહોત્સવ મનાવ્યો, અને સવારે રાજાએ નગરીમાં ઉત્સવ ઉજવ્યો.
નામ સ્થાપન : જેમનાં શરીરની પ્રભા ચંદ્ર સમાન છે, તે ચંદ્રપ્રભ કહેવાય. આ સામાન્ય કારણ-(કારણ કે સુવિધિનાથ ભગવાનમાં પણ આ બાબત ઘટે છે). વિશેષથી, ભગવાન માતાના ગર્ભમાં હતા, ત્યારે માતાને ચંદ્રને પી જવાનો દોહદ થયો હતો, જે દોહદ મંત્રીઓએ યુક્તિ દ્વારા પૂરો કર્યો હતો. તેથી આ નામ પડ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવન વયમાં માતા-પિતાએ આગ્રહ કરીને ભગવાનનો વિવાહ કરાવ્યો. જન્મથી અઢી લાખ પૂર્વ ગયા પછી રાજ્યભાર સ્વીકાર્યો. અને ચોવીશ પૂર્વીગયુક્ત સાડા છ લાખ પૂર્વ સુધી રાજ્ય સંચાલન ક્યું.
દીક્ષાઃ દીક્ષાની ઇચ્છા કરતાં ભગવાનને જ્યોતિષીઓની જેમ લોકાંતિક દેવોએ આવીને દીક્ષાનો સમય જણાવ્યો. ભગવાને વરસીદાન દીધું. પછી પરમનું પાવન સ્મરણ
Page #49
--------------------------------------------------------------------------
________________
મનોરમા શિબિકામાં બેસી સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પોષ વદ-૧૩ (માગસર વદ-૧૩)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં દીક્ષા ગ્રહણ કરી. ૧૦૦૦ રાજાઓએ પણ સાથે દીક્ષા લીધી. ભગવાનને ત્યારે છૐ તપનો બીજો દિવસ હતો.
- દ્વિતીય દિને પખંડ નગરમાં સોમદત્ત રાજાને ઘરે પરમાન્ન-ખીરથી ભગવાનનું પારણું થયું. પંચ દિવ્ય થયા. રાજાએ રત્નપીઠ બનાવ્યું.
કેવલજ્ઞાન : ત્રણ માસ છઘસ્થપણામાં વિહાર કરી પ્રભુ ફરીવાર સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પુણાગ વૃક્ષની નીચે પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા-ત્યારે ફાગણ વદ-૭ (મહાવદ-૭) અનુરાધા નક્ષત્રમાં ભગવાનને કેવલજ્ઞાન થયું. ત્યારે ભગવાનને છઠ્ઠનો તપ હતો. ઇન્દ્રો આવ્યાં. માનવો ઉભરાયાં. સમવસરણ વિરચાયું. તીર્થની સ્થાપના થઇ. વિજય નામે યક્ષ અને ભ્રકુટી નામે યક્ષિણી પ્રભુનાં શાસનદેવતા થયાં.
- નિર્વાણ ઃ ચોત્રીસ અતિશયો સાથે વિહાર કરતા ભગવાન ચોવીશ પૂર્વાગ અને ૩ માસ રહિત એક લાખ પૂર્વ કેવલી પર્યાયને પાળી, અંતે સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે અનશન સ્વીકાર્યું. ૧ મહિનાનું અનશન પાળી ભાદરવા વદ-૭ (શ્રાવણ વદ-૭) શ્રવણ નક્ષત્રમાં મોક્ષ પામ્યાં.
૩૪
જ
જેને તીર્થંકર ચરિત્ર
Page #50
--------------------------------------------------------------------------
________________
નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ સ્વામી
પૂર્વભવઃ પુષ્કરવર દ્વીપાર્ધમાં પૂર્વ વિદેહ-પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નામે નગરી છે, જ્યાં મહાપા રાજા છે. ધર્મ-અર્થ અને કામ આ ત્રિવર્ગને પરસ્પર વ્યવસ્થિત સાચવીને તે રાજ્યનું સંચાલન ચલાવે છે. નિર્મલ શ્રાવકજીવનનું નિર્દોષપણે પાલન કરતાં કરતાં અવસરે શ્રી જગદસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરે છે. એકાવલિ વગેરે ઉગ્ર તપની સાધના કરીને, અરિહંત ભક્તિ આદિ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મનો બંધ કરે છે આયુષ્ય પૂર્ણ થયે શ્રી વૈજયંત નામનાં અનુત્તર વિમાનમાં દેવ બને છે.
જન્મઃ જેબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કાકંદી નગરીમાં સુગ્રીવ નામે રાજા છે અને નારીનાં ગુણોથી શોભતી રામા નામે રાણી છે. ૩૩ સાગરોપમનું આયુષ્ય સમાપન કરીને ફાગણ વદ-૯ (મહા વદ-૯)ના દિવસે મૂલનક્ષત્રમાં ભગવાન માતાની કુલિમાં પધાર્યા. ત્રણ જગતમાં ઉદ્યોત થયો. માતાએ ૧૪ સ્વપ્નો જોયા. ઇન્દ્રાદિએ ચ્યવન કલ્યાણક ઊજવ્યું. પિતાએ અને પ્રાતઃકાળે બોલાવેલા સ્વપ્નશાસ્ત્રીઓએ સ્વપ્નોનો અર્થ જણાવ્યો. મહાન પુત્રરત્નનો જન્મ થવાના સૂચન કર્યા.
સમય પૂર્ણ થતાં માગસર વદ-૫ (કારતક વદ-૫)ના દિને મૂલ નક્ષત્રમાં મગરનાં ચિહ્નથી લાંછિત શ્વેતવર્ણવાળાં એક પુત્રરત્નને જન્મ આપ્યો. ૫૬ દિકકુમારીઓએ આવી સૂતિકર્મ કર્યું, ૬૪ ઇન્દ્રોએ જન્માભિષેક મનાવ્યો. સવાર પડી અને નગરીમાં પુત્ર-જન્મના મહોત્સવનાં મંડાણ થયાં.
નામ સ્થાપના : ભગવાનનું નામ પુષ્પદંત સુવિધિનાથ હતું. અર્થાત્ પુષ્પદંત એ વિશેષણ છે અને સુવિધિ પદ વિશેષ્ય છે. કેટલાંક લોકો સુવિધિને વિશેષણ કહે છે અને પુષ્પદંતને વિશેષ્ય કહે છે. તેમના મતે સુવિધિ પુષ્પદંત એવું ભગવાનનું નામ છે.) વિધિ વિધાન, વિધાન=ક્રિયા. જેમની ક્રિયાઓ સુંદર છે તે સુવિધિ. આ સામાન્ય કારણ તથા ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યાં ત્યારે માતા દરેક ક્રિયાઓમાં કુશલ થયાં. માટે ભગવાનનું નામ સુવિધિ રાખ્યું. ભગવાનનાં પ્રભાવથી જ દરેક સમસ્યાનું સમાધાન તૂર્તજ માતા આપી દેતા હતાં અને મોગરાંની કળી જેવા દાંત હોવાથી તથા, ગર્ભકાળે પરમનું પાવન સ્મરણ
૩૫ 5
Page #51
--------------------------------------------------------------------------
________________
માતાને પુષ્પોનાં દોહદ થવાથી “પુષ્પદંત” આવું ભગવાનનું વિશેષણ (કેટલાકને મતે નામ) છે. લોગસ્સ સૂત્રમાં ૯ મા ભગવાનનાં બન્ને નામોની સ્તવના કરી છે. (સુવિહિં ચ મુફદંત).
વિવાહ અને રાજ્ય : યૌવન વય પ્રભુ પામ્યા. ત્યારે માતા-પિતાનાં આગ્રહથી જ અનેક કન્યાઓ સાથે વિવાહ કર્યા. ૫૦,૦૦૦ પૂર્વ પસાર થયાં પછી પિતાની દાક્ષિણ્યતાને લીધે રાજ્યભાર સ્વીકાર્યો. અને ૫૦,૦૦૦ પૂર્વ તથા ૨૮,૦૦૦ પૂર્વાગ જેટલો સમય રાજ્યનિર્વાહ કર્યો. હવે પ્રભુનાં ભોગાવલી કર્મો ક્ષીણ થયાં અને પ્રભુ સંસારત્યાગ માટે ઉત્સુક થયાં.
દીક્ષાઃ લોકાંતિક દેવોએ વ્રતને માટે પ્રભુને વિનંતિ કરી. ભગવાને સાંવત્સરિક દાન આપ્યું. દેવતાઓએ દીક્ષા અભિષેક ઉજવ્યો. સુરપ્રભા શિબિકામાં ભગવાનને બિરાજીત કરી દેવો-માનવો ભગવાનને વહન કરીને સહસ્ત્રાપ્રવનમાં લઇ આવ્યા. માગસર વદ-૬ (કારતક વદ-૬) મૂલ નક્ષત્રમાં આથમતા પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠનાં તપવાળા ભગવાને પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા ગ્રહણ કરી સાતમા ગુણઠાણાનો સ્પર્શ કર્યો. મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે જેતપુર નગરમાં પુષ્પ રાજાને ત્યાં ખીરથી પારણું કર્યું.
કેવલજ્ઞાન : બાર માસ સુધી છબસ્થપણે અપ્રમત્તભાવે પ્રભુએ વિહાર કર્યો. વળી પાછાં સહસામ્રવનમાં પ્રભુ પધાર્યા. માલુર વૃક્ષ નીચે છ8 તપ કરીને પ્રતિમામાં ઊભાં રહ્યાં. કારતક સુદ-ત્રીજનાં દિવસે કેવલજ્ઞાન મેળવ્યું. મૂલનક્ષત્ર ત્યારે વર્તતું હતું. ઇન્દ્રોનાં સિંહાસન કંપ્યાં. નીચે આવી કેવલજ્ઞાન મહોત્સવ કર્યો. તીર્થની સ્થાપના થઇ. અજિત યક્ષ, સુતારા યક્ષિણી ઉત્પન્ન થયાં.
નિર્વાણ : પ્રાંતે પ્રભુ સમેતશિખર પધાર્યા. ૧૦૦૦ મુનિઓ સાથે અનશન સ્વીકારી, ૧ માસને અંતે કારતક વદ-૯ (આસો વદ-૯) મૂળનક્ષત્રમાં અવ્યય પદ પામ્યાં. નિર્વાણ મહોત્સવ થયો.
તીર્થ વિચ્છેદઃ શ્રી સુવિધિનાથ પ્રભુનાં નિર્વાણ પછી અમુક કાળ ગયાં પછી હુંડા અવસર્પિણી કાળનાં દોષથી સાધુઓનો વિચ્છેદ થયો. છેવટે લોકો સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. તેઓ ફાવતો સહેલો ધર્મ કહેવા લાગ્યા, અને પૂજા વધતી ગઇ. જેમ જેમ એમની પૂજા વધી, તેમ-તેમ એમનો લોભ વધતો રહ્યો. એથી તૂર્ત નવા કૃત્રિમ શાસ્ત્રો રચ્યા, અને તેમાં વિવિધ જાતના
0
૩૬
જૈન તીર્થકર ચરિત્ર
Page #52
--------------------------------------------------------------------------
________________
ફળવાળા દાનો પ્રસિદ્ધ કર્યા. કન્યાદાન, પૃથ્વીદાન, લોહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સ્વર્ણદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્વદાન, ગજદાન અને શય્યાદાન વિગેરે દાનોને મુખ્ય ગણાવ્યા. પોતે જ પોતાને દાનને પાત્ર ગણાવ્યા અને બીજાને અપાત્ર કહ્યા. આ બધા જ પછી બ્રાહ્મણ તરીકે પ્રકાશમાં આવ્યા. ‘ઉજ્જડ ગામમાં એરંડ પ્રધાન'ના ન્યાયે તેઓ ગુરૂ બની બેઠા. છે'ક શીતલનાથ ભગવાનનાં તીર્થની સ્થાપના સુધી તેઓનું રાજ ચાલ્યું.
આ રીતે બીજા પણ આગામી છ જિનેશ્વરો શાંતિનાથ ભગવાનસુધીનાં આંતરામાં વચ્ચે વચ્ચે મિથ્યાત્વ પ્રવર્યું અને આ બધા બ્રાહ્મણો ગુરૂ તરીકે પૂજાતા રહ્યા.
પરમનું પાવન સ્મરણ
૩૭
Page #53
--------------------------------------------------------------------------
________________
દશમા તીર્થંકર શ્રી શીતલનાથ સ્વામી
પૂર્વ ભવો ઃ પુષ્કરવર દ્વીપાર્ધમાં પૂર્વ વિદેહમાં વજ્ર નામની વિજયમાં સુસીમા નામે મનોહર નગરી છે. ત્યાં પદ્મોત્તર નામે રાજા છે. અનાસક્તિથી રાજ્યનું પાલન કરે છે. કાયમ વૈરાગ્યથી વાસિત રહે છે. એકદા અસ્તાઘ નામનાં આચાર્ય ભગવંતને પામીને રાજ્યત્યાગ કરી દીક્ષા લે છે. નિરતિચાર સંયમપાલન વડે અનેક સ્થાનકોની આરાધના કરી, રાજર્ષિ તીર્થંકર નામકર્મ બાંધે છે. અંતે અનશન કરી સમાધિમરણ મેળવી દશમા પ્રાણત દેવલોકમાં જાય છે. જન્મ : જંબુદ્રીપમાં ભદ્દીલપુર નગરમાં દૃઢરથ નામે રાજા છે, અને નંદા નામે રાણી છે. પ્રાણત કલ્પમાં ૨૦ સાગરોપમની સ્થિતિ સમાપ્ત થયે છતે, જેમ છીપમાં મોતી જન્મ પામે એમ વૈશાખ વદ-૬ (ચૈત્ર વદ-૬) પૂર્વાષાઢા નક્ષત્રમાં તીર્થંકરનાં જીવે માતાના ગર્ભનો આશ્રય લીધો. ચૌદ સ્વપ્નો જોયા...તથા ફળકથન થયું. દેવોએ ચ્યવન કલ્યાણક ઊજવ્યું. ત્રણ લોકમાં
અજવાળા થયા.
મહાવદ-૧૨ (પોષ વદ-૧૨) ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં માતાએ શ્રીવત્સના લંછનવાળાં અને સુવર્ણવર્ણવાળાં પુત્રરત્નને જન્મ આપ્યો. ૫૬ દિકુમારીએ સૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રએ જન્માભિષેક કર્યો. નગરીમાં સઘળે આનંદઆનંદ વર્તાઇ રહ્યો.
નામ સ્થાપન : શીતલ વચન અને શીતલ લેશ્યા (ઓરા)વાળા હોવાથી ભગવાન શીતલનાથ કહેવાયા, આ સામાન્ય કારણ. વિશેષથી ભગવાન ગર્ભમાં હતાં, ત્યારે પિતાને દાહજ્વર થયો હતો. શરીરમાં અગન જલતી હતી. પરંતુ જ્યાં માતાએ હાથથી શરીર પર સ્પર્શ કર્યો ત્યાં દાહજ્વર શાંત થઇ ગયો. આથી ભગવાનનું નામ શીતલનાથ પાડ્યું.
વિવાહ અને રાજ્ય : યોવનનાં ઊંબરે ઉભેલા ભગવાન ખૂબ મનોહર લાગતા હતા. ભોગાવલી કર્મોને ખપાવવા ભગવાને કુલીન કન્યાઓ સાથે વિવાહ કર્યા. જન્મથી પચીસ હજાર પૂર્વ પસાર થયાં પછી પિતાએ સોંપેલો રાજ્યભાર સ્વીકારી, તેનું ૫૦,૦૦૦ પૂર્વ સુધી સુપેરે વહન કર્યું. હવે પ્રભુ વૈરાગ્યમય થયા.
३८
જૈન તીર્થંકર ચરિત્ર
Page #54
--------------------------------------------------------------------------
________________
આ અવસર્પિણી કાળમાં ધર્મની જ્યોતિ વિશ્વમાં પ્રસરાવનાર
ચોવીસ ભગવંતો
श्री ऋषभदेव
श्री अजितनाथ
श्री संभवनाथ
श्री अभिनंदनस्वामी
श्री सुमतिनाथ
श्री पद्मप्रभस्वामी
onn
श्री सुपार्श्वनाथ
श्री चंद्रप्रभस्वामी
श्री सुविधिनाथ
श्री शीतलनाथ
श्री श्रेयांसनाथ
श्री वासुपूज्यस्वामी
Page #55
--------------------------------------------------------------------------
________________
આ અવસર્પિણી કાળમાં ધર્મની જ્યોતિ વિશ્વમાં પ્રસરાવનાર
ચોવીસ ભગવંતો
000
श्री विमलनाथ
श्री अनंतनाथ
श्री धर्मनाथ
श्री शांतिनाथ
श्री कंथनाथ
श्री अरनाथ
श्री मल्लिनाथ
श्री मुनिसुव्रतस्वामी
श्री नमिनाथ
OAD DOO
श्री नेमिनाथ
श्री पार्श्वनाथ
श्री महावीरस्वामी
Page #56
--------------------------------------------------------------------------
________________
TORK
जन्म कल्याणक
પ્રભુજીતા પાંચ કલ્યાણક
च्यवन
कल्याणक
80900
दीक्षा कल्याणक
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીતા પાંચ કલ્યાણક
निर्वाण कल्याणक
N
केवलज्ञान कल्याणक
Page #58
--------------------------------------------------------------------------
________________
દીક્ષાઃ “ચાલો ભગવાનને સારાં કામમાં પ્રેરણા કરી આંગળી ચિંધ્યાનો લાભ મેળવીએ' એમ વિચારી લોકાંતિક દેવોએ આવીને ભગવાનને દીક્ષા લેવા જણાવ્યું. વરસીદાન થયું. દીક્ષા અભિષેક થયો. ચંદ્રપ્રભા નામની શિબિકામાં બિરાજીત થઇને પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. વસ્ત્રત્યાગ કરી, દેવદૂષ્ય સ્કંધે રાખી પંચમુષ્ટિ લોચ કરીને અવસર પાકતાં છઠ્ઠ તપવાળાં પ્રભુએ ૧૦૦૦ રાજાઓની સાથે મહાવદ-૧૨ (પોષ વદ-૧૨) પૂર્વાષાઢા નક્ષત્રમાં પાછલે પહોરે સર્વસાવદ્યનાં ત્યાગરૂપ દીક્ષા સ્વીકારી.
બીજે દિવસે રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ઘેર ખીરથી પારણું થયું.
કેવલજ્ઞાન : અગ્યાર માસ દીક્ષાપર્યાયમાં છદ્મસ્થપણે વિહાર કરીને પ્રભુ પાછા સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં પીપળાના વૃક્ષ નીચે પ્રતિમામાં રહેલાં પ્રભુને પોષવદ-૧૪ (માગસર વદ-૧૪) પૂર્વાષાઢા નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ૬૪ ઇન્દ્રો આવ્યા. માનવોનો સમૂહ આવ્યો. સમવસરણ વિરચાયું અને તીર્થની સ્થાપના થઇ. બ્રહ્મ નામે યક્ષ અને અશોકા નામે યક્ષિણી પ્રગટ થયાં.
નિર્વાણ : મોક્ષસમય જાણીને પ્રભુ પણ સમેતશિખર પધાર્યા. ૧ માસનું અનશન કરી વૈશાખ વદ-૨ (ચૈત્ર વદ-૨)નાં દિવસે ૧૦૦૦ મુનિઓની સાથે ભગવાન મુક્તિપુરીમાં કાયમ નિવાસ માટે ચાલી ગયા.
પરમનું પાવન સ્મરણ
ન સ્મરણ
૩૯
૩૯
*
Page #59
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ સ્વામી
પૂર્વભવ : પુષ્કરવ૨દ્વીપાર્ધની પૂર્વ મહાવિદેહમાં કચ્છ નામની વિજયમાં ક્ષેમા નામની નગરી છે. ત્યાં રાજ્યસુખમાં આસક્ત બન્યા વિના નલિનીગુલ્મ રાજા રાજ્યપાલન કરે છે. રાજ્ય ભૌતિક સમૃદ્ધિથી સર્વથા ભરેલું હોવા છતાં તેમનું મન હંમેશાં ધર્મસમૃદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે. તેથી વજ્રદત્ત નામનાં મુનિ પાસે તેઓ દીક્ષા ગ્રહણ કરે છે. ઊગ્ર સંયમ પાલન કરી અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધે છે. અંતે અનશન કરી કાળ પામીને મહાશુક્ર નામનાં સાતમાં દેવલોકમાં દેવ થાય છે.
જન્મ : જંબૂઢીપ-ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું નગર છે. ત્યાં વિષ્ણુ નામનાં રાજા છે અને વિષ્ણુ નામનાં રાણી છે. નલિનીગુલ્મ રાજાનો જીવ સાતમા દેવલોકમાંથી ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી જેઠ વદ-૬ (વૈશાખ વદ-૬) શ્રવણ નક્ષત્રમાં માતાની કુક્ષિમાં અવતર્યો. ચ્યવનકલ્યાણક ઉજવાયું. ચૌદ સ્વપ્ન-દર્શન થયા.
ગર્ભકાળ સમાપ્ત થતાં ફાગણ વદ-૧૨ (મહા વદ-૧૨)ના શ્રવણ નક્ષત્રમાં ગેંડાનાં ચિહ્નવાળા સુવર્ણવર્ણી પુત્રને જન્મ આપ્યો. જ્યાં જન્મ થયો કે તુર્તજ ૫૬ દિક્કુમારિકાઓ આવી, પછી ૬૪ ઇન્દ્રો આવ્યા. જન્માભિષેક થયા. સવારે નગરીમાં આનંદ કિલ્લોલ ઉજવાઇ રહ્યો.
નામસ્થાપન : શ્રેયાંસ-કલ્યાણકારી શરીરનાં અવયવો (અંગો) છે જેના તે શ્રેયાંસ. આ સામાન્ય કારણ છે. પરંતુ, વિશેષ કારણ તો એ જ, કે ભગવાન ગર્ભમાં હતાં, ત્યારે માતાને કિંમતી શય્યા પર આરૂઢ થવાનો દોહદ થયો. તે શય્યા કુલદેવતાથી અધિષ્ઠિત હતી તેથી તેનો કોઇ ઉપયોગ કરતું ન હતું. તેની ફક્ત પૂજા કરાતી. રાણીને તો તે શય્યામાં જ સૂવાનો દોહદ થયો. અને તે જેવી શય્યામાં સૂતી કે દેવતા સહસા નાસી ગયો. આથી, ‘સેર્જાસ’ આવું પ્રાકૃત નામ થયું. જેનું સંસ્કૃત ભાષાંતરણ ‘શ્રેયાંસ’ થાય છે.
વિવાહ અને રાજ્ય : યૌવનવયમાં વર્તતા ભગવાનની સાથે અનેક રાજકન્યાઓનું પાણિગ્રહણ થયું. પ્રભુએ જન્મથી ૨૧ લાખ વર્ષો પસાર થયાં
જૈન તીર્થંકર ચરિત્ર
૪૦
Page #60
--------------------------------------------------------------------------
________________
પછી રાજ્ય ગ્રહણ કર્યું. ૪૨ લાખ વર્ષો સુધી ધરતી-મંડલ પર અખંડ શાસન પ્રવર્તાવ્યું. હવે પ્રભુ વૈરાગી થયા.
દીક્ષા : ભગવાન જ્યારે દીક્ષામાર્ગમાં જવા અગ્રેસર થયાં, ત્યારે સારા શકુનની જેમ નવ લોકાંતિક દેવોએ વિનંતિ કરી. ભગવાને વાર્ષિક દાન આપ્યું. ઇન્દ્રોએ આવીને સવારે દીક્ષાભિષેક કર્યો, અને ભગવાન જેમાં બેઠાં છે એવી ‘વિમળપ્રભા’ નામની શિબિકાને વહન કરીને સમૂહ સાથે ઇન્દ્રો સહસાવનમાં પધાર્યા. જ્યાં ફાગણ વદ-૧૩ (મહાવદ-૧૩)ના દિને શ્રવણ નક્ષત્રમાં પહેલાં પહોરે ૧૦૦૦ રાજાઓની સાથે છટ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી.
બીજે દિવસે સિદ્ધાર્થ નગરમાં નંદ રાજાને ઘરે પરમાત્રથી પારણું થયું.
કેવલજ્ઞાન : દીક્ષા પછી ૧૧ માસ છદ્મસ્થપણામાં વિહરતા એવા શ્રેયાંસનાથ પ્રભુ હવે દીક્ષા વખતના સહસ્રામ્રવનમાં પધાર્યા. અશોક વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં રત ભગવાનને આખરે ધન્ય ક્ષણે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમવસરણ અને તીર્થની સ્થાપના થઇ. ઇશ્વર (મનુજ) નામે યક્ષ અને માનવી (શ્રીવત્સા) નામે યક્ષિણી ઉત્પન્ન થયા. કેવલજ્ઞાન શુભ દિન હતો મહા વદ ૦)), [પોષ વદ-૦))] અને નક્ષત્ર-શ્રવણ હતું. ત્યારે ભગવાનને છઠ્ઠ હતો.
એકદા ભગવાન વિહાર કરતાં કરતાં પોતનપુર નામના નગરમાં પધાર્યા. ત્યાંના રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવ હતાં. જે ૨૪ મા તીર્થંક૨ શ્રી મહાવીર સ્વામીના જીવ હતાં અને ત્રણ ખંડ પૃથ્વીના માલિક હતાં. તેઓને આગમનના સમાચાર મળતાં જ તેમણે સમાચાર લાવનારને સાડા બાર કરોડ સોનૈયા આપ્યાં. તાત્કાલિક રાજસિંહાસન પરથી ઊભા થઇ, પાદુકાને ત્યજી, ભગવાનની સન્મુખ ૨-૪ ડગલાં જઇ વંદના કરી. પછી ઠાઠમાઠથી ભગવાનના સમવસરણમાં પધાર્યા અને સમ્યક્ત્વ દૃઢ કર્યું.
નિર્વાણ ઃ કેવલજ્ઞાન થયા પછી ૨ માસ ન્યૂન ૨૧ લાખ વર્ષ ભગવાન ગામોગામ વિહર્યા. મોક્ષકાલ નજીક જાણી સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સહ ૧ માસનું અનશન પાળી શ્રાવણ વદ-૩ (અષાઢ વદ-૩)ના દિને ધનિષ્ઠા નક્ષત્રમાં ભગવાન શાશ્વત મોક્ષસુખના ભોગી બનવા માટે નિર્વાણ
પામ્યાં.
પરમનું પાવન સ્મરણ
૪૧
Page #61
--------------------------------------------------------------------------
________________
બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી
પૂર્વભવ : પુષ્કરવર દ્વીપાર્ધની પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરી છે. ત્યાં સંસારની નિર્ગુણતાને સુપેરે જાણનારા પદ્મોત્તર રાજા છે. રાજા રાજ્યસુખમાં લોભાતા નથી. ધર્મ-પુરૂષાર્થને મુખ્યતા આપે છે. પછી અવસરે આખુ રાજ્ય છોડીને વજ્રનાભ ગુરુ પાસે દીક્ષા લે છે. ઉત્કૃષ્ટ ભાવપૂર્વક દીક્ષાને પાળી તીર્થંકર-નામકર્મ ઉપાર્જે છે. અંતે સમાધિમરણ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં ૨૦ સાગરોપમની સ્થિતિવાળા દેવતા થાય
છે.
જન્મ : જંબૂઢીપ-ભરતક્ષેત્ર-ચંપાનગરી. પિતા વસુપૂજ્ય રાજા અને માતા જયાદેવી રાણી. પદ્મોત્તર રાજાનો જ જીવ જેઠ સુદ-૯ શતભિષા નક્ષત્રમાં માતાની કુક્ષિમાં અવતર્યો. માતાને ૧૪ સુપનાના દર્શન થયા. ઇન્દ્રોએ ચ્યવન કલ્યાણક મનાવ્યું. સ્વપ્નશાસ્ત્રીઓએ તીર્થંકર જન્મનું સૂચન કર્યું.
ગર્ભકાળ પૂર્ણ થતા ફાગણ વદ-૧૪ (મહા વદ-૧૪) શતભિષા નક્ષત્રમાં રાતા વર્ણવાલા મહિશના ચિહ્નવાળા એવા એક પુત્રને માતાએ જન્મ આપ્યો. ધરતી પર આનંદ થયો. ૫૬ દિકુમારીકાઓએ પ્રસૂતિકર્મ કર્યા બાદ ઇન્દ્રોએ સ્નાત્રમહોત્સવ મનાવ્યો.
નામસ્થાપન ઃ વસુપૂજ્ય રાજાના દીકરા હોવાથી તેઓ વાસુપૂજ્ય કહેવાયા તથા ભગવાન ગર્ભમાં હતા ત્યારે વારંવાર વસ્ત્રાલંકારોથી ઇન્દ્રે ભગવાનની પૂજા કરી હતી તેથી, નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવન વયે વર્તતા પ્રભુના અનેક રાજકુંવરીઓ સાથે વિવાહ થયા. અવસરે રાજા વસુપૂજ્યે પુત્રને રાજ્યભાર સ્વીકારવા કહ્યું તો પ્રભુએ કહ્યું. મારે એની જરૂર નથી કારણકે મારે એવા કર્મો ખપાવવાના બાકી નથી. માત્ર વિવાહના કર્મ હતા તે વિવાહ કરીને ખપી ગયા. પરંતુ રાજ્ય ભારના કર્મો નથી માટે તેવો આગ્રહ ન કરશો.'' આમ વિનયપૂર્વક જણાવી ભગવાને રાજ્ય સ્વીકાર્યું નથી. (જો કે ‘“ત્રિષષ્ઠિશલાકાપુરુષ'' પ્રમાણે તો ભગવાને લગ્ન પણ કર્યા નથી અને રાજ્ય પણ સ્વીકાર્યું નથી) જન્મથી ૧૮ લાખ વર્ષે જ ભગવાન વૈરાગી થયા.
૪૨
જૈન તીર્થંકર ચરિત્ર
Page #62
--------------------------------------------------------------------------
________________
દીક્ષાઃ જો કે અરિહંત પ્રભુ આજન્મ તીવ્ર વૈરાગી હોય છે. પરંતુ દીક્ષા ગ્રહણ કરવાનો કાળ આવે ત્યારે વ્યવહારથી વૈરાગી થયા એવું કહેવાય છે. ત્યારે નવ લોકાંતિક દેવો તીર્થ-સ્થાપીને જગતનો ઉદ્ધાર કરવાની પ્રેરણા કરે છે. અહીં પણ લોકાંતિક દેવોની પ્રેરણા પછી ભગવાન વર્ષીદાન આપે છે. પછી ૬૪ ઇન્દ્રો દીક્ષાભિષેક કરે છે, અને પ્રભુ પૃથ્વી નામની શિબિકામાં બેસી વિહારગ્રહ નામના ઉદ્યાનમાં પધારે છે. જ્યાં ફાગણ વદ-અમાસ (મહા વદઅમાસ)ના દિવસે શતભિષા નક્ષત્રમાં ચતુર્થ તપ (એક ઉપવાસ) વાળા ભગવાને છસ્સો રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે સંધ્યાકાળનો રાતો પ્રકાશ વર્તાતો હતો.
બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર પ્રભુનું ઉપવાસનું પારણું ખીર દ્વારા થયું.
કેવલજ્ઞાનઃ અગ્યાર માસ સંપૂર્ણ છઘસ્થાવસ્થામાં વિચરણ કરી વળી પાછાં દીક્ષા સ્થાન-વિહારગૃહ ઉદ્યાનમાં પધાર્યા અને પાટલ (ગુલાબ)ના ઝાડ નીચે પ્રતિમાસ્થિત ચતુર્થતપવાળાં ભગવાનને મહાસુદ-બીજને શુભ દિને શતભિષા નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમવસરણ રચાયું. તીર્થ સ્થાપના થઈ. કુમાર યક્ષ અને ચંદ્રા નામે યક્ષિણી પ્રગટ થયાં.
એકદા ભગવાન વિહાર કરતા કરતા દ્વારિકા નગરીની સમીપમાં પધાર્યા. ત્યારે ત્રણખંડના રાજા બીજા વાસુદેવ શ્રી દ્વિપૃષ્ઠ અને બલદેવ વિજય પ્રભુને વાંદવા આવ્યાં. સમ્યકત્વ પામીને સંસારને પરિમિત કરનારા થયા.
- નિર્વાણ : દીર્ઘકાળ પર્યન્ત-૧ માસ ન્યૂન ૫૪ લાખ વર્ષો સુધી ધરતી તલ પર વિચરતાં પ્રભુ પોતાનો મોક્ષકાલ નજીક આવેલો જાણી ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં છસ્સો મુનિઓ સાથે એક માસનું અનશન સ્વીકારી અષાઢ સુદ૧૪ના દિને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ભગવાન સર્વ દુઃખોનો ક્ષય કરીને સિદ્ધ થયાં, સંસારની કેદમાંથી મુક્ત થયા, અને પરમ શાંતિ સમી નિર્વાણ અવસ્થાને પામ્યા.
પરમનું પાવન સ્મરણ
( ૪૩
એ
Page #63
--------------------------------------------------------------------------
________________
તરમા તીર્થંકર શ્રી વિમલનાથ સ્વામી
પૂર્વભવઃ ધાતકીખંડ-ભરત નામનું ક્ષેત્ર અને મહાપુરી નામે નગરી. ત્યાંનો રાજા છે-પાસેન. બધાં રાજાઓ કરતાં આ રાજા અલગ છે. એનું મન ઊંચા ધર્મોની ભાવનાઓમાં રમે છે. ત્રિવર્ગની બાધારહિત રાજ્યપાલન કરતાં અંતે શ્રી સર્વગુપ્ત આચાર્યદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી, અહંદુભક્તિ વિગેરે સ્થાનકોની સાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી. ચિરકાલ સંયમ પાળીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
જન્મ : જંબૂઢીપ-ભરત ક્ષેત્ર-કંપિલપુર નગર-પિતા કૃતવર્મા રાજા અને માતા શ્યામા રાણી. આ પવિત્ર દંપતીને ત્યાં વૈશાખ સુદ-બારસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં માતાની કૂખમાં ચૌદ સપનાનાં દર્શનપૂર્વક ભગવાને અવતાર ધારણ કર્યો.
પૂર્ણ સમયે પૂર્ણમાસે મહાસુદ-૩ની મધ્યરાત્રિએ એજ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનાં યોગમાં સર્વગ્રહો જ્યારે ઉચ્ચ સ્થિતિમાં હતાં, ત્યારે વરાહનાં લાંછનવાળાં સુવર્ણ કાંતિવાળા અને ગર્ભકાળથી જ ત્રણ જ્ઞાનને ધરનારાં પ્રભુનો જન્મ થયો. દિશાઓ હર્ષ પુલકિત થઇ. દેવી,-ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. પ્રજા હર્ષઘેલી બની.
નામ સ્થાપનઃ ભગવાનનો બાહ્ય-શરીર મલ અને આંતર-કર્મમલ આ બન્ને નામશેષ થયાં છે તેથી તેમને “વિમલ' કહે છે. આ સામાન્ય કારણ છે. વિશેષથી જોઇએ તો જેમ “સુમતિનાથ” ભગવાનનું નામ પડ્યું. એની પાછળ બે માતા અને એક પુત્રનો વિવાદ હતો, એવો જ વિવાદ અહીં પણ થયો હતો. અને પ્રભુની માતાએ કહ્યું કે “આ રાજમહેલની બહાર આ હમણાં ઉગેલું ઝાડ છે અને મારા ઉદરમાં આ બાળક છે. યૌવનમાં આવેલો પુત્ર આ શ્રેષ્ઠ તરૂની છાયામાં બેસીને આ વિવાદનો ચુકાદો આપશે. ત્યાં સુધી સહન કરો.” ત્યારે જે બનાવટી મા હતી એણે હા કહી, સાચી માએ ના કહી. અને ચુકાદો થઇ ગયો. માતાની બુદ્ધિ ગર્ભસ્થ શિશુનાં પ્રભાવથી આવી વિમલ' થઇ ગઇ. માટે તેમનું નામ “વિમલનાથ પ્રભુ.
( ૪૪
જૈન તીર્થકર ચરિત્ર
Page #64
--------------------------------------------------------------------------
________________
ભગવાનનાં નામસ્થાપનમાં મતાંતરઃ ભગવાન ગર્ભમાં હતાં ત્યારે તેમના નગર, કંપિલપુરમાં કોઇ પતિ-પત્ની મંદિરમાં ઉતર્યા. ત્યાં કોઇ વ્યંતરી દેવી રહેતી હતી. તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી ક્રીડા કરવાની અભિલાષા થઈ. તેની સ્ત્રી જેવું રૂપ બનાવી વ્યંતરી બાજુમાં સૂતી. સવારે બન્ને જણી કહેઃ હું તારી પત્ની છું. ઝઘડો રાજદરબારમાં ગયો.
રાણીએ પુરૂષને દૂર ઉભો રાખ્યો તથા બન્ને સ્ત્રીઓને દૂર ઉભી રાખી અને કહ્યું, “જે પોતાનાં સતુનાં પ્રભાવથી દૂર રહીને જ હાથ લંબાવી પતિને સ્પર્શ કરશે તે સાચી પત્ની. ત્યારે વ્યંતરીએ દેવી શક્તિથી એ કરી બતાવ્યું કે તૂર્ત જ માતાએ હાથ પકડ્યો. કહ્યું: “તું તો વ્યંતરી છે. તારા સ્થાને જતી રહે.” આમ માતાની બુદ્ધિ ગર્ભ પ્રભાવથી વિમલ' થઇ.
વિવાહ અને રાજ્ય : યોવનવયમાં પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાવાથી અનેક રાજકુમારીઓ સાથે વિવાહ કર્યો તથા ૧૫ લાખ વર્ષ કૌમાર અવસ્થા (રાજ્યરહિત અવસ્થામાં વિતાવી પૃથ્વી પર ૩૦ લાખ વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે પ્રભુ અંતિમ ધ્યેય સન્મુખ થયાં.
દીક્ષાઃ “આ તો રસ્તામાં આવેલાં વિસામા હતાં. આપની મંજિલ તો હજુ નથી આવી. મંજિલ મેળવવા દીક્ષા સ્વીકારો.” આવું લોકાંતિક દેવોનું વચન સાંભળીને ભગવાને વર્ષીદાન આપ્યું. અંતે ઇન્દ્રોએ દીક્ષાભિષેક કર્યો. દેવદતા શિબિકામાં બેસી ભગવાન પણ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. જ્યાં મહા સુદ-૪ને દિને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પાછલે પહોરે છઠ્ઠ તપવાળાં પ્રભુએ ૧૦૦૦ રાજાઓ સમેત પ્રવ્રજ્યા સ્વીકારી લીધી.
બીજે દિવસે ધાન્યકૂટ નગરમાં જય રાજાને ઘરે પરમાન્ન-ખીરથી ભગવાનનું પારણું થયું.
કેવલજ્ઞાનઃ અપ્રતિબદ્ધપણે ગ્રામ-નગરાદિમાં વિહાર કરતા પ્રભુ બે વર્ષના અંતે દીક્ષાભૂમિ પર પધાર્યા. ત્યાં જંબૂવૃક્ષ નીચે પોષ સુદ-૬ને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપવાળા ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. મંઝિલ મળી ગઈ. તીર્થની સ્થાપના થઇ. અનેક ભવ્યોનો ઉદ્ધાર કરવાની પૃષ્ઠભૂ રચાઇ. પ્રમુખ યક્ષ અને વિદિતા યક્ષિણી શાસન દેવ-દેવી તરીકે સ્થપાયા. પરમનું પાવન સ્મરણ - ૪૫
Page #65
--------------------------------------------------------------------------
________________
ભગવાન જ્યારે દ્વારિકામાં પધાર્યાં. ત્યારે તૃતીય વાસુદેવ સ્વયંભૂ અને બલદેવ ભદ્ર પણ દેશનામાં આવ્યો. તેમણે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. સંસાર અલ્પ કર્યો.
નિર્વાણ : બે લાખ વર્ષ ન્યૂન પંદર લાખ વર્ષ સુધી ધરતી પર અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કરી અંતે પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. છ હજાર સાધુ ભગવંતો સાથે ૧ માસનું અનશન સ્વીકારી અષાઢ વદ-૭ (જેઠ વદ-૭)નાં દિને પુષ્યનક્ષત્રમાં ભગવાન બધા મુનિઓની સાથે અજ૨-અમર-અવ્યય પદને પામ્યાં.
૪૬
જૈન તીર્થંકર ચરિત્ર
Page #66
--------------------------------------------------------------------------
________________
ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ સ્વામી)
પૂર્વભવઃ ધાતકીખંડ દ્વીપ-ઐરાવત ક્ષેત્રમાં અરિષ્ટા નામની નગરીમાં પારથ નામે રાજા છે. તેઓ વિહાર લીલા, જલ ક્રીડા, સંગીત જલસા, વાહન, વસંત-કૌમુદી મહોત્સવ, નાટકદર્શન વગેરે સઘળી લોકરીતિને અનુભવતા પરંતુ મનથી વૈરાગી રહેતા. એકદા એમને સ્વ-પરના ચિત્તની રક્ષા કરવામાં સમર્થ ચિત્તરક્ષ નામે ગુરૂનો યોગ થયો. તેમની પાસે દીક્ષા લઇ આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરી ૧૦મા પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવ થયાં. ૨૦ સાગરોપમનું આયુષ્ય ભોગવ્યું.
જન્મઃ જંબૂઢીપ નામે દ્વીપ-ભરતક્ષેત્ર નામે ક્ષેત્ર-અયોધ્યા નામે પ્રાચીન નગરીમાં પિતા સિંહસેન રાજા અને માતા સુયશા નામે પટ્ટરાણી. ત્યાં શ્રાવણ વદ-૭ (અષાઢ વદ-૭)ના દિને રેવતી નક્ષત્રમાં પ્રભુનું માના ગર્ભમાં અવન થયું. ચૌદ સુપના આવ્યા. ૬૪ ઇન્દ્રોએ ચ્યવન કલ્યાણક ઊજવ્યું. પ્રકૃતિએ અજવાળા ભરીને આનંદ માણ્યો.
ગર્ભકાળ વીત્યે છતે વૈશાખ વદ-૩ (ચૈત્ર વદ-૩)ના દિને પુષ્ય નક્ષત્રમાં સીંચાણા (બાજ) પક્ષીના ચિહ્નવાળા સ્વર્ણવર્ણ ભગવાનને માતાએ જન્મ આપ્યો. ૫૬ દિકકુમારિકાઓએ સૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. બીજે દિવસથી સળંગ ૮ દિવસ સુધી રાજ્યમાં મહામહોત્સવ ઉજવાયો.
નામ સ્થાપનઃ અનંતજ્ઞાન, અનંતબલ, અનંતવીર્ય (બલ-બાહ્ય શક્તિ, વીર્ય-આંતરિક ઉત્સાહી અને અનંત સુખવાળા હોવાથી ભગવાન અનંતનાથ કહેવાયાં. આ નામનું સામાન્ય કારણ. વિશેષથી તો ભગવાન ગર્ભમાં આવ્યા પછી રાજા સિંહસેને પોતાનાં કરતાં ઘણાં-અનંત-અપાર-બળવાળાં રાજસૈન્યને જીત્યું હતું. તેથી તેમનું નામ “અનંતજિતું પાડ્યું.
મતાંતરે, ગર્ભમાં ભગવાન હતાં, ત્યારે માતાએ સપનામાં રત્નમય, અનંત=મોટો હાર જોયો હતો. તેથી નામ અનંત પડ્યું. કોઇક જગ્યાએ માતાએ સપનામાં અનંત વિશાળ ચક્ર આકાશમાં ભમતું જોયું. અનંત ગાંઠવાળા દોરાથી લોકોના તાવ ગયા એવું જોયું એ રીતનો પણ ઉલ્લેખ મળે છે.
પરમનું પાવન સ્મરણ
- ૪૭ 5
Page #67
--------------------------------------------------------------------------
________________
વિવાહ અને રાજ્ય : યૌવનવયમાં રહેલાં ભગવાને જેમ મુસાફિર અંતે છોડવાનું જ છે” એવી ત્યાગબુદ્ધિથી વિસામાને આશ્રય કરે, એ રીતે ત્યાગ બુદ્ધિથી માતા-પિતાના આગ્રહને વશ થઇ પાણિગ્રહણ કરી ગૃહસ્થાવાસનો આશ્રય કર્યો. સાડા સાત લાખ વર્ષ કૌમારાવસ્થામાં વીતાવીને પિતાજીનાં આગ્રહથી રાજ્યભાર સ્વીકાર્યો. ૧૫ લાખ વર્ષ વીત્યા પછી ભગવાન હવે ક ખપી ગયેલાં જાણીને દીક્ષા લેવાને ઉત્સુક બન્યાં.
દીક્ષા ઃ બ્રહ્મલોકનાં છેડે રહેલાં લોકાંતિક દેવોએ આવીને સ્વયંબુદ્ધ ભગવાનને પણ આચાર મુજબ ધર્મમાર્ગે જવાની પ્રેરણા કરી. વર્ષીદાન પ્રવર્તે. ઇન્દ્રો આવ્યા. દિક્ષાભિષેક કરી સાગરદના નામની ઉત્તમ શિબિકામાં બેસાડી સહસ્ત્રાપ્રવનમાં લઇ આપ્યાં. ત્યાં શિબિકામાંથી ઉતરી અલંકારાદિનો ત્યાગ કરી વૈ.વ.૧૪ (ચૈત્ર વદ-૧૪) ના દિને રેવતી નક્ષત્રમાં સાયંકાલે છઠ્ઠ તપવાળાં ભગવાને ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે વર્ધમાન નગરમાં વિજયરાજાના ઘરે ખીરથી ભગવાનનું પારણું થયું.
કેવલજ્ઞાન : ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિહરી ભગવાન વળી પાછાં સહસાવનમાં આવ્યાં. ત્યાં અશોકવૃક્ષ નીચે ધ્યાનધારામાં રહેલાં પ્રભુને વૈશાખ વદ-૧૪ (ચૈત્ર વદ-૧૪)ના દિને રેવતી નક્ષત્રમાં છઠ્ઠ તપને અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇન્દ્રો-દેવો-દાનવો ને માનવો એકઠાં થયાં. સમવસરણની રચના થઇ. તીર્થ સ્થપાયું. પાતાળ નામે યક્ષ અને અંકુશા નામે યક્ષિણી પ્રગટ થયાં.
આ વખતે તારવતી નગરીમાં પુરૂષોત્તમ વાસુદેવ અને સુપ્રભ નામનાં બલદેવ હતાં. ભગવાન જ્યારે દ્વારકા નગરીમાં પધાર્યા ત્યારે તેઓ ત્યાં વાંદવા આવ્યા. સમ્યકત્વ સ્વીકાર કર્યો.
નિર્વાણ ઃ ત્રણ વર્ષ ન્યૂન સાડાસાત લાખ વર્ષ સુધી ગ્રામ-નગરમાં વિહાર કરતાં પ્રભુ પોતાનો અંતકાળ નજીક જાણી સમેતશિખર તીર્થે પધાર્યા.
ત્યાં ૧ માસનું અનશન કરી, ચૈત્ર સુદ-૫ પુષ્યનક્ષત્રના યોગમાં ૭૦૦૦ સાધુભગવંતોની સાથે પ્રભુ અજરામર નિર્વાણ પદને પામ્યાં.
૪૮_6
જેન તીર્થકર ચરિત્ર
Page #68
--------------------------------------------------------------------------
________________
પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી
પૂર્વભવ : ધાતકીખંડ નામે દ્વીપ. ભરત નામના ક્ષેત્રને વિશે ભદ્િલ નામનું નગર છે. ત્યાં દ્રઢરથ નામે રાજા છે. તે સર્વને દંડ આપવાના અથવા અનુગ્રહ આપવાના અધિકારી છે. સંપૂર્ણ સત્તાસુખ વિષયસુખ પામ્યા છે, તથાપિ ‘લક્ષ્મી અસ્થિર છે' આવું જાણીને એમાં અભિમાન ન કરતા અંતે વિમલવાહન નામના ગુરૂની પાસે ચારિત્ર લઇ, નિર્મલ પાલન કરી, વીશસ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરી વૈજયંત નામનાં અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયાં.
જન્મ : જંબુદ્રીપ-ભરતક્ષેત્ર-રત્નપુર નગરમાં પિતા ભાનુ રાજા અને માતા સુવ્રતા દેવી છે. વૈશાખ સુદ સાતમે પુષ્ય નક્ષત્રમાં સુવ્રતા રાણીના ગર્ભમાં પ્રભુનું ચ્યવન થયું. ૧૪ સુપના જોયાં. કલ્યાણક ઉજવાયું.
પૂર્ણ સમયે મહા સુદ-૩, પુષ્ય નક્ષત્રમાં વજ્ર ચિહ્નથી અંકિત થયેલાં સ્વર્ણવર્ણી બાળકને જન્મ આપ્યો. ૫૬ દિકુમારીકાઓએ સૂતિકર્મ કર્યું. ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ કર્યો. રાજાએ જન્મોત્સવ મનાવ્યો.
નામ સ્થાપન : ધર્મના ઉત્કૃષ્ટ ફળસ્વરૂપ રૂપ વગેરે ગુણોથી યુક્ત અને ધર્મનાં દેશક એવા ભગવાન જાણે સાક્ષાત્ ધર્મ છે તેથી ધર્મનાથ કહેવાયા. આ સામાન્ય કારણ દરેક તીર્થંકરને લાગુ પડે છે. વિશેષથી તો ભગવાન માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી માંડી માતાને ધર્મ કરવાનો અધિકને અધિક ઉત્સાહ થતો રહ્યો, તેથી પિતાએ પ્રસન્ન થઇને પુત્રનું નામ “ધર્મ'’ એવું પાડ્યું.
વિવાહ અને રાજ્ય ઃ યૌવનાવસ્થામાં વાલીનાં આગ્રહથી અને કર્મ ખપાવવાનાં ઉદ્દેશથી ભગવાને વિવાહ કર્યા. ૨૫ લાખ વર્ષ જેટલું કુમારાવસ્થામાં રહી, વળી પિતાનાં આગ્રહને કારણે ૫ લાખ વર્ષ સુધી રાજ્યસંચાલન કર્યું. વિપુલ ઋદ્ધિને ભોગવી કર્મોનો ક્ષય કર્યો. હવે પ્રભુ વૈરાગી થયાં.
દીક્ષા : ભગવાનનાં મનોગત ભાવોથી જાણે કે વાકેફ થયાં હોય, એવાં નવ લોકાંતિક દેવોએ વિચાર્યું, કે ‘અત્યારે કોઇ ઇચ્છતું નથી કે ભગવાન
પરમનું પાવન સ્મરણ
૪૯
Page #69
--------------------------------------------------------------------------
________________
અમને છોડીને દીક્ષા લે. એ વખતે ભગવાનનો ઉત્સાહ તૂટી ન જાય, માટે આપણે ભગવાનને પ્રેરણા કરવી જોઇએ.” જાણે કે આમ વિચારીને જ તેઓએ પ્રભુને દીક્ષાનો અવસર જણાવ્યો. વર્ષીદાન થયું. દીક્ષાભિષેક થયો. અને શ્રેષ્ઠ વસ્ત્રો, ઉત્તમ અલંકારોથી અતિશય શોભતાં નાગદત્તા શિબિકામાં બિરાજીત થઇ પ્રભુ વપ્રકાંચન નામનાં ઉદ્યાનમાં પધાર્યા. મહા સુદ-૧૩ પુષ્યનક્ષત્રમાં દિવસનાં ઢળતાં પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી.
બીજે દિવસે સોમનસપુરમાં ધર્મસિંહ રાજાને ઘરે પરમાત્રથી પ્રભુનું પારણું થયું.
કેવલજ્ઞાન : બે વર્ષ લગાતાર છદ્મસ્થપણામાં વિચરતાં પ્રભુ અંતે વપ્રકાંચન ઉદ્યાનમાં પાછાં પધાર્યા. ત્યારે દધિપર્ણ વૃક્ષની નીચે પ્રતિમામાં ઊભા રહ્યાં. પોષ સુદ-૧પને દિને પુષ્યનક્ષત્રનાં યોગમાં ભગવાનને કેવલજ્ઞાન ઉપન્યું. ઇન્દ્રો વગેરે સમૂહ એકઠો થયો. સમવસરણ રચાયું. તીર્થ સ્થપાયું
પ્રભુ વિહાર કરતાં કરતાં અનુક્રમે અશ્વપુર નગરમાં પધાર્યા ત્યારે ત્યાં પુરૂષસિંહ નામનાં વાસુદેવ અને સુદર્શન નામનાં બલદેવ, જેઓ અર્ધભરતક્ષેત્રનાં એક છત્રી રાજા હતા તેઓ પણ પધાર્યા. ભાવપૂર્વક વંદના કરી, સ્તુતિ કરી. દેશના સાંભળી અને સમ્યકત્વનો સ્વીકાર કર્યો.
નિર્વાણ : કેવલજ્ઞાનથી માંડી બે વર્ષ ન્યૂન અઢી લાખ વર્ષ સુધી ધરતી પર પ્રભુ ઉપકારની હેલી વરસાવતાં વિચારી રહ્યાં. અંતે મોક્ષગમનસમય જાણી સમેતશિખરે પધાર્યા. ત્યાં ૧૦૮ મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી જેઠ સુદ-૫ પુષ્ય નક્ષત્રમાં ભગવાને અજરામર પદ પ્રાપ્ત કર્યું.
| વિશેષતા ઃ આજ ભગવાનનાં શાસનકાળમાં આ ભરતક્ષેત્રની ધરા ઉપર ત્રીજા શ્રી મઘવા નામનાં અને ચોથા શ્રી સનસ્કુમાર નામના ચક્રવર્તી પણ જન્મ્યાં. બન્ને જણાંએ અંતે દીક્ષા લીધી. મઘવા મોક્ષ પામ્યાં તમતાંતરે ૩જો દેવલોક) અને શ્રી સનસ્કુમાર ચક્રવર્તી મુનિ પણ મોક્ષ પામ્યાં. તમતાંતરે ૩જો દેવલોક.)
- ૫૦
6
જૈન તીર્થંકર ચરિત્ર
Page #70
--------------------------------------------------------------------------
________________
સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાન
પૂર્વ ભવો પ્રથમ ભવ : જંબુદ્વિીપ-ભરતક્ષેત્ર-રત્નપુર નગર-શ્રીષેણ રાજા અને અભિનંદિતા રાણી. રાણીને બે પુત્રો થયાં. એકનું નામ ઇન્દુષેણ, બીજાનું બિન્દુષેણ. બંને જોડાયા હતા. પરંતુ એકદા કૌશાંબીના રાજાની દીકરી શ્રીકાંતા સ્વયંવરા બનીને ઇન્દુષણને પરણવા આવતી હતી. તેની સાથે એક અનંતમતિકા નામની વેશ્યા પણ હતી. તેને જોતાં જ આ બન્ને ભાઇઓ ઝઘડો કરવા લાગ્યા. ઝઘડાનો નિવેડો ન આવ્યો. કલહ યુદ્ધમાં ફેરવાઇ ગયો. રાજા તેમને યુદ્ધ કરતાં અટકાવી ન શક્યા માટે આખરે ઝેરી કમળનું ફૂલ સુંઘી રાજા-રાણી કાળ કરી ગયાં. લજ્જાનો નાશ થાય ત્યારે કુલીનને જીવવું ઝેર લાગે છે.
બીજા ભવે જંબુદ્વીપનાં ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલિયાની ભૂમિમાં શ્રીષણઅભિનંદિતા પુરૂષ-સ્ત્રી બન્યાં. કાળ કરી ત્રીજા ભવે પહેલાં દેવલોકમાં દેવ થયા, ત્યાંથી વી. ચોથા ભવે
ભરતક્ષેત્ર-વૈતાય પર્વત-રથનુપૂરચક્રવાલ નગરમાં જ્વલનજટી વિદ્યાધરને ત્યાં શ્રીષેણ “અમિતતેજ' નામે પુત્ર તરીકે અવતર્યા, અને એ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનાં ઘરે અભિનંદિતા રાણીનો જીવ “શ્રી વિજય” રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. એમની પ્રીતિ અહીં પણ બંધાઈ. સાથે-સાથે સંસારના-ધર્મના કર્તવ્યો નિભાવતા અંતે નંદનવનમાં શાશ્વત અરિહંતને વંદના કરવા ગયાં, ત્યારે ત્યાં ચારણ મુનિને પોતાનું આયુષ્ય પૂછતાં ૨૨ દિવસનું આયુષ્ય બચેલું જાણ્યું. આથી દીક્ષા લઇ, પાદપોપગમન અનશન સ્વીકાર્યું. ત્યારે શ્રી વિજયે પિતાની સમૃદ્ધિને યાદ કરી, “મને એવી સમૃદ્ધિ મળો” આમ નિયાણ કર્યું. બન્ને અનશન પૂરું કરી ૧૦ મા પ્રાણત દેવલોકમાં પાંચમા ભવે દેવ થયાં.
છઠ્ઠા ભવે જંબુદ્વીપ-પૂર્વ મહાવિદેહ-રમણીય વિજયમાં શુભા નગરી છે ત્યાં શ્રીષેણ રાજાનો જીવ અપરાજિત નામે બલદેવ થયો, અને શ્રી વિજય અનંતવીર્ય નામે વાસુદેવ થયો. બન્ને સમકિતી જીવોએ રાજ્યનું પાલન કર્યું. ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી અનંતવીર્ય વાસુદેવ પ્રથમ નરકમાં ગયાં. કારણકે વાસુદેવ અવશ્ય નરકગામી જ હોય છે, અને અપરાજિત બલદેવ દીક્ષા લઇને ૧૨મા અય્યત દેવલોકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયાં. આ સાતમો ભવ અને પરમનું પાવન સ્મરણ - ૫૧ -
Page #71
--------------------------------------------------------------------------
________________
અનુક્રમે શ્રી વિજય-અનંતવીર્ય વાસુદેવનો જીવ પણ ૧૨મા દેવલોકમાં તે ઇન્દ્રનાં સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થઇ ગયો.
આઠમાં ભવમાં જંબુદ્રીપ-પૂર્વવિદેહ-મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામની નગરી હતી. ત્યાં ક્ષેમંકર રાજા અને રત્નમાળા રાણીને ત્યાં વજાયુધ તરીકે શ્રીષેણ રાજાનો જીવ જનમ્યો. એમના લક્ષ્મીવતી રાજપુત્રી સાથે લગ્ન થયાં, અને એણે સહસ્રાયુધ નામના પુત્રને જન્મ આપ્યો, જે શ્રી વિજયઅભિનંદિતા દેવીનો જીવ હતો.
એકવાર બીજા દેવલોકમાં દેવોની ચર્ચા ચાલી કે વજાયુધ જેવો દ્રઢ સમ્યક્ત્વધા૨ી કોઇ નથી, ત્યારે ચિત્રચૂલ નામનો એક દુર્મતિ મિથ્યાત્વી દેવ રાજસભામાં આવ્યો. એણે વજાયુધ સાથે વાદવિવાદ કર્યા, અને છેલ્લે એમની પાસેથી સમ્યક્ત્વ પામ્યો.
અવસરે શ્રી ક્ષેમંક૨ રાજાએ દીક્ષા લીધી અને તેઓ તીર્થંકર થયાં. શ્રી વજાયુધ ચક્રવર્તી થયા. અવસરે પોતાના પિતા તીર્થંકરની પાસે એમણે દીક્ષા લીધી. અને સહસ્રાયુધે પણ રાજા બની, રાજદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લીધી. અંતે બંને મુનિએ ‘ઇષતુ પ્રાક્ભાર' નામના પર્વત પર પાદપોપગમન અનશનને સ્વીકારી કાળ કરીને નવમા ભવમાં ત્રીજા ત્રૈવેયકમાં ૨૫ સાગરોપમની સ્થિતિવાળાં દેવ થયાં.
દશમા ભવે-જંબૂદ્વીપ-પૂર્વ વિદેહ-પુષ્કલાવતી વિજય અને પુંડરિકીણી નગરી (જ્યાં વર્તમાનમાં સીમંધર સ્વામીનો જન્મ થયો હતો) ઘનરથ રાજાને પ્રિયમતી અને મનોરમા બે રાણીઓ છે. વજાયુધનો જીવ પ્રિયમતી રાણીના પુત્ર મેઘરથ તરીકે, અને સહસ્રાયુધનો જીવ મનોરમા રાણીનાં પુત્ર દ્રઢરથ તરીકે ઉત્પન્ન થયો.
આ ભવમાં પણ રાજા ઘનરથ જે મેઘરથને પિતા તરીકે મળ્યાં હતાં. તેઓ શ્રી તીર્થંકર હતાં. તેમણે અવસરે મેઘરથને રાજા, દ્રઢરથને યુવરાજ બનાવી દીક્ષા લીધી, તીર્થની સ્થાપના કરી.
એકવાર વિદ્વાનોમાં મુખ્યશ્રી મેઘરથે પૌષધ કરીને ધર્મનું વ્યાખ્યાન કરવા માંડ્યું. ત્યારે ભયથી કંપતું અને મરણ સન્મુખ હોય એવું ત્રાહિત એક પારેવું ક્યાંકથી આવીને એમના ખોળામાં પડ્યું. એની પર પ્રેમપૂર્ણ હાથ ફેરવી રાજાએ કહ્યું, ‘હે પક્ષી ! શાંત થા. ડરીશ નહિં.' આશ્વાસનથી જ્યાં પંખી શાંત થયું, ત્યાં તો તેની પાછળ બાજ પક્ષી આવ્યું. ‘હે રાજા ! એ મારું ભક્ષ્ય છે, એને છોડી દો.’ રાજાઃ ‘તને આ પક્ષી હું ન આપું. કારણ કે એ મારું શરણાગત
જૈન તીર્થંકર ચરિત્ર
પર
Page #72
--------------------------------------------------------------------------
________________
છે. શરણાર્થીને છોડવો એ ક્ષત્રિય ઉચિત નથી. વળી, તારા જેવા બુદ્ધિમાને બીજાના પ્રાણનો નાશ કરીને પોતાના પ્રાણની રક્ષા કરવી ઉચિત નથી. માંસભક્ષણ અને પંચેન્દ્રિય વધ થકી જીવ નરકમાં જાય છે. આને મારવાથી તારું ભૂખનું દુઃખ ટળશે પણ નરકનું દુઃખ ઉભું થશે !'
બાજ કહે : “રાજા ! આ કબૂતર જેમ તમારાં શરણે, તો હું સુધાને નિવારવા કોને શરણે જાઉં ? તમે જ મારી સુધાપૂર્તિ કરીને મને શરણ આપો. ભૂખથી મારાં પ્રાણ જાય છે. અને ભૂખી માણસને ધર્મ-અધર્મનો વિચાર થતો નથી મને મારું ભક્ષ્ય આપો. એને બચાવીને તમે મને મારી નાંખશો. આ તે ક્યાંનો ન્યાય થયો ? મને તો માંસ જ ખાવા જોઇએ. એ જ મારું ભક્ષ્ય.”
ત્યારે રાજા કહે : “હે પક્ષી ! આ કબુતરની સામે તને મારું જ માંસ તોળીને આપું છું. તેનું તું ભક્ષણ કરજે.” આમ કહીને રાજાએ માંસ પોતાના પગની પીંડીમાંથી, જાંઘમાંથી છેદી-છેદીને ત્રાજવાનાં બીજા પલ્લાં પર મૂકવા માંડ્યું, પરંતુ કબૂતરવાળું પલ્લું ઊંચું થયું જ નહીં. આખરે રાજા સ્વયં જ ત્રાજવા પર આરૂઢ થયાં. અને પલ્લા સરખા થઈ ગયાં. ત્યારે આખી સભા હાહાકાર કરવા માંડી. ત્યારે અચાનક એક દેવ પ્રગટ થયો. તેણે કહ્યું: “ઇશાનેન્દ્ર આપની પ્રશંસા કરી. તે મારાથી સહન ન થતાં, આપની પરીક્ષા કરવા આવ્યો. ત્યારે પૂર્વનાં વૈરથી આ બન્ને પક્ષીઓને ઝઘડતાં જોયાં, અને હું તેમનામાં અધિષ્ઠિત થયો. મેં આપની પરીક્ષાનું દુસ્સાહસ કર્યું. તે માટે ક્ષમા “આમ કહી તે દેવ અંતર્ધાન થયો. મેઘરથ રાજાએ પણ સભાજનોના પ્રશ્નમાં પક્ષીઓનો પૂર્વભવનો વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણીને પ્રકટ કર્યો. જેને સાંભળીને બન્ને પક્ષીઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેઓ મૂચ્છ પામ્યાં. રાજસેવકોએ વાયુજલ વડે મૂચ્છ દૂર કરી, ત્યારે તેઓ રાજાની સામે પોતાની ભાષામાં બોલ્યાં: તમે અમને બચાવ્યાં. હવે, ઉન્માર્ગથી બચાવી અમને સન્માર્ગ બતાવો.” ત્યારે મેઘરથ રાજાએ એમને અનશન સ્વીકાર કરાવડાવ્યો. બંને ભવનપતિ દેવ તરીકે ઉત્પન્ન થયા.
અન્યદા રાજા કાપો અને બાજનાં વૃત્તાંતને જ યાદ કરતા સંવેગને પામીને અઠ્ઠમતપ સ્વીકારી કાયોત્સર્ગમાં બેઠાં. ત્યારે ઇશાનેન્દ્ર અંતઃપુરમાં બેઠા બેઠા “નમો ભગવતે તુલ્ય” (હે ભગવાન્ ! આપને નમન થાઓ.) એમ બોલી નમન કર્યા. ત્યારે ઇન્દ્રાણીઓએ પૂછયું: તમે કોને નમન કર્યા. ઇન્દ્ર “ત્રણ ભુવનને વન્દ મેઘરથ રાજા છે. જે તીર્થંકર થવાના છે. એમને મેં અહીં બેઠાં બેઠાં નમન કર્યા. એમને ધ્યાનમાંથી ચલિત કરવા કોઇ સમર્થ પરમનું પાવન સ્મરણ ૫૩ *
Page #73
--------------------------------------------------------------------------
________________
નથી,'' તે સમયે ઇશાનેન્દ્રની બે મુખ્ય રાણી સુરૂપા અને અતિરૂપા નીચે આવી. તેમણે રાજાની પરીક્ષા કરી. માદક વાતાવરણ વિકુર્તી કામદેવની સર્વ કલાઓ બતાવી, ગમે તેવા પર્વતને પણ ચળાવી દે, એવી મોહક અદાઓ સામે રાજા સ્થિર રહ્યાં. ત્યારે ઇન્દ્રાણીઓ ખમાવીને સ્વસ્થાને ગઇ.
અવસરે મેઘરથ રાજાએ દઢરથ યુવરાજ (પુત્ર)ની સાથે ઘનરથ તીર્થંક૨ પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૧ અંગને ભણ્યાં. તીર્થંકર નામકર્મ બાંધ્યું. સિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યો. ૧ લાખ પૂર્વ સાધુ પર્યાય પાળી, અંતે અંબરતિલક નામનાં પર્વત પર અનશન સ્વીકાર્યું, અને દૃઢરથ મુનિની સાથે આયુષ્ય પૂર્ણ કરી. સર્વાર્થસિદ્ધમાં અનુત્તર દેવ તરીકે ૩૩ સાગરોપમ રહ્યા. આ અગિયારમો ભવ.
જન્મ : પછી પ્રભુ આ જ જંબુદ્વીપમાં હસ્તિનાપુર નગરના રાજા વિશ્વસેન-રાણી અચિરાદેવીની કુક્ષિમાં ભાદરવા વદ-૭ (શ્રાવણ વદ-૭) ભરણી નક્ષત્ર વખતે અવતરિત થયાં. માતાએ ૧૪ સુપનાં જોયાં. (અહીં શાંતિનાથકુંથુનાથ-અરનાથ પ્રભુ તીર્થંક૨ પણ હતા, અને સ્વયં જ ચક્રવર્તી પણ હતા. તેથી તેમની માતાને સૌ પ્રથમ ચક્રવર્તી ૠદ્ધિ સૂચવનારાં ૧૪ સુપનાં થોડાં ઝાંખાં દેખાયા. પછીથી તીર્થંકરત્વ સૂચવનારાં વધારે ચમકતાં ૧૪ સુપના દેખાયા...આમ, બે વખત ચોદ સુપના દેખાયાં-આ રીતનો પણ ઉલ્લેખ મલે છે.) નવ માસ સાડાસાત દિવસ પસાર થતાં જેઠ વદ-૧૩ (વૈશાખ વદ૧૩) ભરણી નક્ષત્રમાં માતાએ હરણનાં ચિહ્નવાળા સુવર્ણરંગી) પુત્રને જન્મ આપ્યો. દિશાઓ આનંદ-ઉદ્યોતથી ભરાઇ ગઇ. નારકીને પણ ક્ષણિક સુખ સંવેદન થયું. ૫૬ દિકુમારિકાઓએ અને ૬૪ ઇન્દ્રોએ પર્વ ઊજવ્યું. રાજાએ મહોત્સવ મનાવ્યો.
નામ સ્થાપના : શાંતિ એટલે પ્રશમ. ભગવાન સ્વયં પ્રશમ-સમાધિ
સ્વરૂપ હોવાથી ‘શાંતિ’ કહેવાયાં, આ સામાન્ય કારણ. વિશેષથી હસ્તિનાપુરમાં કોઇ ક્ષુદ્ર દેવતાનાં કોપથી મારી-મરકી ફેલાઇ ગયા હતા. તે ઘણા ઉપાયો ક૨વા છતાં શાંત ન થયા. પરંતુ ભગવાન ગર્ભમાં આવ્યાં અને શાંત થયા. માટે પ્રભુનું સાર્થક ‘શાંતિ’ એવું નામ પાડવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય ઃ યૌવનવયે પ્રભુનો અનેક કન્યાઓ સાથે વિવાહ થયો. તેમાં યશોમતી નામનાં પટરાણી હતાં. તેમના થકી ચક્રના સ્વપ્નથી સૂચિત દ્રઢરથનો જીવ ‘ચક્રાયુધ’ નામે ભગવાનનાં પુત્રપણે ઉત્પન્ન થયો. પ્રભુ પચીસ હજાર વર્ષ કુમારાવસ્થામાં (કુમારાવસ્થા-રાજ્યરહિત અવસ્થા) પછી પચીશ હજાર વર્ષ સુધી પિતાએ આપેલ રાજ્યની અવસ્થામાં રહ્યાં. ત્યારે
૫૪ ૧
જૈન તીર્થંકર ચરિત્ર
Page #74
--------------------------------------------------------------------------
________________
ભગવાનની અસ્ત્રશાળામાં સ્વયંભૂ રીતે ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેથી ભગવાન છ ખંડ સાધવા નીકળ્યાં. પરંતુ, જ્યાં ભગવાન જતા, ત્યાં ત્યાં પ્રભાવથી આકર્ષિત થયેલાં રાજાઓ સ્વયં જ નમી પડતાં. આથી લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના સહજતાથી પ્રકૃષ્ટ પુણ્યનાં યોગે ભગવાને છ ખંડનું સામ્રાજ્ય ૮૦૦ વર્ષનો દિગ્વિજય કરીને મેળવ્યું. પ્રભુ પાંચમા ચક્રવર્તી થયા. ચક્રવર્તીપણામાં જ્યારે ૮૦૦ વર્ષ ન્યૂન ૨૫ હજા૨ વર્ષ પસાર થયાં. ત્યારે . પ્રભુ દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યાં.
દીક્ષા : ત્યારે નવ લોકાંતિક દેવોનાં આસન કંપ્યાં. તેઓ આવીને પ્રભુને વિનવવા લાગ્યા. વાર્ષિકદાન આપી, ચક્રાયુધને રાજ્ય ભળાવી પ્રભુ સર્વાર્થ નામની દેવિબિકા ૫૨ આરૂઢ થઇને સહસ્રામ્રવણમાં પધાર્યા. જેઠ વદ-૧૪ (વૈશાખ વદ- ૧૪) ભરણી નક્ષત્રમાં છટ્ઠ તપનાં તપસ્વી પ્રભુએ ૧૦૦૦ રાજાઓ સાથે દિવસનાં પાછલા પહોરે દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે મંદિરપુર નગરમાં સુમિત્ર રાજાને ત્યાં પરમાશથી પ્રભુએ પારણું કર્યું.
કેવલજ્ઞાન ઃ પોણા વર્ષ સુધી લગાતાર છદ્મસ્થાવસ્થામાં સાધનારત પ્રભુ અંતે વળી પાછા સહસ્રામ્રવનમાં પધાર્યાં. છઠ્ઠ ક૨ીને નંદી વૃક્ષની નીચે પ્રતિમામાં રહેલા ભગવાનને પોષ સુદ-૯ ભરણી નક્ષત્રમાં કેવલજ્ઞાન સાંપડ્યું. સમવસરણ વિરચાયું. ચક્રાયુધ પ્રથમ ગણધર થયાં. ગરૂડ નામે યક્ષ અને નિર્વાણી નામે યક્ષિણી ઉત્પન્ન થયાં.
:
નિર્વાણ ઃ કેવલજ્ઞાનથી માંડી ૨૪,૯૯૯ વર્ષ સુધી લગાતાર વિચરીને અંત સમયે પ્રભુ સમેતશિખરે પધાર્યા. નવસો મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી જેઠ વદ-૧૩ (વૈશાખ વદ-૧૩) ભરણી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણપદ
પામ્યાં.
વિશેષતા : પ્રભુએ સર્વ ઉચ્ચ પદવીઓ-ચક્રવર્તી, બલદેવ, ૧૨મા દેવલોકનાં ઇન્દ્ર, અનુત્તર દેવપણું અને તીર્થંકર...આ સઘળી ઉચ્ચ પદવી ભોગવી. પ્રભુ બે વખત ચક્રવર્તી થયા. આથી પ્રભુનું સૌભાગ્ય નામકર્મ કાંઇ અજોડ જ હતું. એમનાં નામમાં શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ સમાઇ હતી. માટે જ્યારે જ્યારે પૂજા-પૂજનો-અભિષેકો થાય છે, ત્યારે મંડપમાં શાંતિનાથ પ્રભુ બિરાજમાન કરવામાં આવે છે. જે સંઘમાં શાંતિનાથ પ્રભુની વિશેષ પૂજા-ભક્તિ થાય છે, તે સંઘનું સૌભાગ્ય વૃદ્ધિ પામે છે.
પરમનું પાવન સ્મરણ
૫૫
Page #75
--------------------------------------------------------------------------
________________
સત્તરમા તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાન
પૂર્વભવ જંબૂઢીપ-પૂર્વવિદેહ ક્ષેત્ર-આવર્ત વિજય પગ નગરીમાં સિંહાવહ નામે રાજા છે. તે ધર્મનો આધાર, પાપનો કુઠાર, ન્યાયનો કુલગુરૂ અને સબુદ્ધિનો ભર્તાર છે. એ ક્યારેય પોતાની શક્તિ-સત્તા-સંપત્તિનો દુર્થય નથી કરતો. પ્રજાનું ભલું કરતાં અંતે સંવરાચાર્ય ગુરૂની પાસે દીક્ષા લઇ, તીર્થકર નામકર્મ બાંધી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવ થાય છે.
જન્મઃ ૩૩ સાગરોપમનું આયુષ્ય સમાપ્ત કરી, જંબૂઢીપ-હસ્તિનાપુર નગરમાં શૂર નામે રાજાની શ્રી નામની રાણીની કૂખે તેમનું ચ્યવન થાય છે. ત્યારે માતા (બે વાર) શુભ-મંગલસૂચક ૧૪ સુપના નિહાળે છે. તે સમય હતો શ્રાવણ વદ-૯ (અષાઢ વદ-૯) નક્ષત્ર કૃત્તિકા....
પૂર્ણ માસ વૈશાખ વદ-૧૪ (ચૈત્ર વદ-૧૪)ના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં શુભ-પ્રશસ્ત યોગોમાં છાગ (બકરો)નાં ચિનથી અંકિત સુવર્ણવર્ણી સર્વલક્ષણયુક્ત પુત્રને જન્મ આપે છે. દિશાઓ પ્રસન્ન બને છે. ૫૬ દિકકુમારિકાઓ સૂતિકર્મ, ૬૪ ઇન્દ્રો સ્નાત્ર મહોત્સવ અને રાજા જન્મોત્સવ મનાવે છે.
નામ સ્થાપનઃ કુંથુeતૂપ, ભગવાનનાં માતાએ પ્રભુ ગર્ભમાં હતાં. ત્યારે રત્નમય મહાન સૂપ સપનામાં જોયો હતો. તેથી તેમનું નામ “કુંથું” રાખવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવનવયમાં પિતાની આજ્ઞાથી અનેક રાજ કન્યાઓ સાથે વિવાહ થયાં. ૨૩,૭૫૦ વર્ષ વીત્યા પછી પિતાની આજ્ઞાથી રાજ્ય સ્વીકારી માંડલિક રાજા બન્યાં. વળી, ૨૩,૭૫૦ વર્ષ પછી ચક્રરત્ન ઉત્પન્ન થયું અને છસો વર્ષમાં વગર યુદ્ધે પ્રભુએ પખંડ ભરતક્ષેત્ર સાધ્યું. ચક્રવર્તીપણાનો અભિષેક થયો અને ૨૩,૧૫૦ વર્ષ પછી ભગવાનને નિર્વેદ
થયો.
દીક્ષા : “ભગવાન ચક્રવર્તી થાવ'. એવી પ્રેરણા કરવા ન આવેલા ૯ લોકાંતિક દેવો. “ભગવાન દીક્ષા સ્વીકારો” એવી પ્રેરણા કરવા આવી ગયા. સંવત્સરી દાન પ્રવર્તે. દીક્ષાભિષેક ઉજવાયો. વિજયા શિબિકામાં બેસી પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. સંપૂર્ણ પખંડની ઋદ્ધિનો સાપની કાંચળી માફક ત્યાગ કરી વૈશાખ વદ-પ (ચૈત્ર વદ-૫) કૃત્તિકા નક્ષત્રમાં દિવસને પાછલે પરમનું પાવન સ્મરણ આ પ૬
Page #76
--------------------------------------------------------------------------
________________
પહોરે ૧,૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી.
બીજે દિવસે ચક્રપુર નગરમાં વ્યાઘ્રસિંહ રાજાને ઘે૨ ૫૨માત્ર વડે ભગવાનનું પારણું થયું.
કેવલજ્ઞાન ઃ : ૧૬ વર્ષ છદ્મસ્થાવસ્થામાં વીતાવી પ્રભુ પુનઃ સહસ્રામ્રવનમાં પધાર્યા. તિલક વૃક્ષ નીચે કાઉસગ્ગ કરતાં, છટ્ઠ તપ તપસ્વી પ્રભુને ચૈત્ર સુદ૩ કૃત્તિકા નક્ષત્રમાં કેવલજ્ઞાન અપાયું. ગંધર્વ યક્ષ અને બલા યક્ષિણી પ્રગટ થયાં.
નિર્વાણ ઃ કેવલજ્ઞાન પછી ૨૩,૭૩૪ વર્ષ વીતતાં, પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ સાધુઓ સમેત અનશન સ્વીકારી માસને અંતે વૈશાખ વદ-૧ (ચૈત્ર વદ-૧) કૃત્તિકા નક્ષત્રના યોગમાં ૬ઠ્ઠા ચક્રવર્તી ૧૭મા તીર્થંકર પ્રભુ નિર્વાણ પામ્યાં.
૫૭
જૈન તીર્થંકર ચરિત્ર
Page #77
--------------------------------------------------------------------------
________________
(અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન
પૂર્વભવઃ જંબુદ્વીપ, પૂર્વ મહાવિદેહની સુસીમા નગરીમાં રાજા હતાં ધનપતિ. તેમણે નીતિપૂર્વક સુચારુ રીતે રાજ્યનું સુંદર પાલન કર્યું. અંતે અવસર જાણીને સંવર નામનાં ગુરૂ ભગવંત પાસે દીક્ષા લીધી. સુંદર દીક્ષાની આરાધના કરતા, એકદા ચાર માસનાં ઉપવાસ કર્યા. જિનદાસ શેઠને ઘેર પારણું કર્યું. કેટલાક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ બાંધ્યું. પછી નવમા રૈવેયકમાં ઉત્પન્ન થયા.
જન્મ : જંબૂઢીપ ભરતક્ષેત્ર-હસ્તિનાપુર નગર. તેમાં સુંદર રૂપવાળો સુદર્શન રાજા છે, અને સુંદર શીલવતી મહાદેવી નામે રાણી છે. ફાગણ સુદ૨ રેવતી નક્ષત્રમાં ધનપતિનો જીવ મહાદેવી માતાની કુક્ષિમાં અવતર્યો, ત્યારે માતાએ (બે વાર) ચૌદ મહાસ્વપ્ન જોયા. અવન કલ્યાણક ઉજવાયું. ઇન્દ્રોએ મહોત્સવ કર્યો. સ્વપ્નલક્ષણ પાઠકોએ અર્થ કહ્યો.
ગર્ભકાળ પસાર થયે છતે માગસર સુદ-૧૦ના દિને રેવતી નક્ષત્રમાં નંદ્યાવર્તનાં લાંછનવાળાં કનકવર્ણ પુત્રનો પ્રસવ થયો. દિશાઓ ઉદ્યોતમય બની. સકલ જીવગણ સુખમગ્ન બન્યા. ૫૬ દિíમારીઓ અને ૬૪ ઇન્દ્રોએ ભક્તિથી પોતાનું કર્તવ્ય મનાવ્યું. રાજાએ ૮ દિવસ સુધી નગરમાં મહોત્સવ ઉજવ્યો.
નામસ્થાપન : “અર' શબ્દ બે અક્ષરથી બન્યો છે. ત્યાં “અ' એટલે નિષેધ અર્થ છે. “૨' એ આપવા અર્થમાં છે. જે ભગવાન શાપ અથવા અનુગ્રહ ક્યારેય આપતા નથી. તેમને “અર' કહે છે. સ્વપ્નમાં ઉત્તમ પૈડાં સાથે જોડાયેલો અતિ સુંદર અને બહુમૂલ્ય એવો ચક્રનો આરો જોયો હતો. તેથી પ્રભુનું નામ “અર” પડ્યું.
- વિવાહ અને રાજ્ય : યોવનવયમાં વિરાગી પ્રભુ માતા-પિતાનાં આગ્રહથી પરિણીત થયાં. જન્મથી ૨૧,૦૦૦ વર્ષો વીત્યે આગ્રહપૂર્વક પિતાએ પોતાનાં રાજ્ય પર બેસાડ્યા. અને ૨૧૦૦૦ વર્ષ માંડલિક રાજા તરીકે રાજ્યનું પાલન કર્યા પછી ભગવાનને શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉપન્યું. ચારસો વર્ષમાં તો ચક્રરત્ન દોરેલા રસ્તે ચાલતા ભગવાને હિંસા વગર જ પખંડ
પરમનું પાવન સ્મરણ
૫૮
6
Page #78
--------------------------------------------------------------------------
________________
સાધી લીધાં. ૪૦૦ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ પ્રભુ ચક્રવર્તીપણામાં રહ્યાં.
દીક્ષા : અવસર જાણનારાં લોકાંતિક દેવોએ હવે આવીને પ્રભુને વિનંતિ કરીઃ ‘ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો'. એટલે પ્રભુએ વર્ષીદાન આપી, અરવિંદ નામનાં પુત્રને રાજ્ય સોંપી વૈજયંતી નામની શિબિકામાં આરૂઢ થઇ, સહસ્રામ્રવનમાં પધરામણી કરી. માગસર સુદ-૧૧ રેવતી નક્ષત્રમાં દિવસનાં પાછલા પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છટ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી. બીજે દિવસે રાજપુર નગરમાં અપરાજીત રાજાને ઘે૨ પ૨માત્રથી પારણું
કર્યું.
કેવળજ્ઞાન : છદ્મસ્થપણે નિરંતર ત્રણ વર્ષ લગી વિચરતા પ્રભુ અંતે દીક્ષાસ્થાનમાં આવ્યા. આમ્ર-આંબાવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાનને કા.સુ.૧૨ રેવતી નક્ષત્રમાં ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ્યું. સમવસરણ રચાયું. તીર્થ સ્થપાયું. ષન્મુખ યક્ષ અને ધારિણી યક્ષિણી
પ્રગટ્યા.
નિર્વાણ ઃ કેવલજ્ઞાન પછી ત્રણ વર્ષ ન્યૂન ૨૧૦૦૦ વર્ષ સુધી પૃથ્વી પર વિચરતાં પ્રભુ અંતસમય જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓ સાથે એક માસના અનશનને અંતે માગસર સુદ-૧૦ રેવતી નક્ષત્રમાં પ્રભુ અજરામર નિર્વાણ પદને પામ્યાં. પ્રભુ ૧૮મા તીર્થંકર અને ૭મા ચક્રવર્તી હતા. ભગવાનનાં શાસન કાળમાં જ છઠ્ઠા વાસુદેવ, ૮મા સુભૂમ ચક્રવર્તી તથા સાતમા વાસુદેવ આટલાં શલાકાપુરૂષો પ્રગટ્યાં.
૫૯
જૈન તીર્થંકર ચરિત્ર
Page #79
--------------------------------------------------------------------------
________________
'ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ ભગવાન
પૂર્વભવઃ જંબુદ્વીપ-પશ્ચિમ વિદેહ-સલિલાવતી વિજય વીતશોકા નગરીમાં મહાબલ નામે રાજા હતો. તેને ૫૦૦ રાણીઓ હતી. બલભદ્ર નામે પુત્ર હતો. આ મહાબલને છ મિત્રો હતાં ૧. અચલ ૨. ધરણ ૩. પૂરણ ૪. વસુ. ૫. વેશ્રવણ ૬. અભિચંદ્ર. અન્યદા વીતસોકા નગરીમાં આચાર્ય ધર્મઘોષ (મતાંતરે વરઘર્મ) પધાર્યા. સાતેય જણાએ સાથે જ દીક્ષા લીધી. દિક્ષા લેતી વખતે પરસ્પર સમજૂતી કરેલી કે આપણે જે તપ-અભિગ્રહ કરીએ, તે સાથે જ કરવો, જેથી આપણો સંયોગ છેક મોક્ષ સુધી બની રહો. આમ વિચાર કરી તેઓ સરખી આરાધના કરતા હતા. તેમાં મહાબલ મુનિ વિચારે છે, મને વિશેષ ફળ મળો.” એમ કરીને “મારું મસ્તક દુઃખે છે, મારે પેટ દુઃખે છે, આજે ભૂખ નથી.” આવાં ખોટાં બહાના બતાવીને પારણાને દિવસે પણ તેઓ આહાર લેતા નથી. છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરે છે. આમ માયામિશ્રિત તપ કરવાથી સ્ત્રી- વેદનો બંધ કરે છે. અને વીશમાંથી અમુક સ્થાનકોની આરાધના વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. અંતે સર્વે મિત્રો વૈજયંત અનુત્તર વિમાનમાં દેવ થયા.
જન્મ : જંબુદ્વિપ-ભરતક્ષેત્ર-મિથિલા નગરીમાં કુંભ નામે રાજા છે. તેને પ્રભાવતી રાણી છે. રાણીની કુક્ષિમાં ફાગણ સુદ-૪ ને દિને અશ્વિની નક્ષત્રમાં મહાબલ રાજાનો જીવ આવ્યો. માતાએ ૧૪ સુપના નિરખ્યાં. ચ્યવન કલ્યાણકની ઉજવણી થઈ.
ગર્ભકાળ વીત્યે છતે માગસર સુદ-૧૧ ને દિને અશ્વિની નક્ષત્રમાં કુંભ લાંછનવાળાં નીલકાંતિ ધરનારાં અને પૂર્વનાં કર્મને યોગે સ્ત્રીપણું ધારણ કરનારા બાળકને માતાએ જન્મ આપ્યો. અનંતો કાળ પસાર થયા પછી આવું થતું હોય છે, કે તીર્થકર “કન્યા' તરીકે અવતર્યા હોય. પ૬ કુમારીઓએ અને ૬૪ ઇન્દ્રોએ ભગવાનનું સૂતિકર્મ કર્યું
નામસ્થાપનાઃ મોહાદિમલ્લોનો નાશ કરનારો એક શુક્લધ્યાન નામનો મલ્લ જેમની પાસે છે, તેથી તે મલ્લિ કહેવાયા. આ સામાન્ય કારણ. વિશેષથી ભગવાન ગર્ભમાં રહ્યા પછી ત્રીજે માસે માતાને શ્રેષ્ઠ ફુલોની માળાની શય્યામાં પરમનું પાવન સ્મરણ - ૬૦
Page #80
--------------------------------------------------------------------------
________________
સૂવાનો દોહદ થયો હતો, જે દેવતાઓએ પૂર્ણ કર્યો. તેથી પ્રભુનું નામ ‘મલ્લિ’ પાડ્યું.
છ મિત્રોને પ્રતિબોધ ઃ મલ્લિકુમારી યોવનમાં પ્રવેશ્યા, ત્યારે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વજન્મના મિત્ર છએ રાજાઓને જોયા. અચલનો જીવ સાકેતપુરીમાં પ્રતિબુદ્ઘ રાજા, ધરણનો જીવ ચંપાપુરીમાં ચંદ્રછાય રાજા, પૂરણનો જીવ શ્રાવસ્તીપુરીમાં રૂક્મી રાજા. વસુનો જીવ વાણારસીપુરીમાં શંખ નામે રાજા, વૈશ્રવણનો જીવ હસ્તિનાપુરમાં અદીનશત્રુ નામે રાજા અને અભિચંદ્રનો જીવ પણ કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા થયો હતો. આ છ એ મિત્રોને પોતાનાં મહેલની અશોકવાડીમાં પ્રતિબોધ થવાનું જાણી પ્રભુએ તે વાડીની વચ્ચે મનોહર રત્નપીઠ પર પોતાની એક સુવર્ણ પ્રતિમા કરાવીને સ્થાપન કરી. તેનાં ફરતી એક ભીંત ચણાવી. અને એ ભીંતમાં ૬ દરવાજા બનાવ્યાં. તથા પ્રતિમાની પાછળની બાજુએ બીજો એક દરવાજો બનાવ્યો. એ છ દરવાજા એવી રીતે ખૂલતા હતા, કે ત્યાંથી દેખનારને ફક્ત પ્રતિમા જ દેખાય. હવે પ્રભુ દરરોજ અંદરથી પોલી એવી એ પ્રતિમાના મસ્તક પરનું ઢાંકણું ખોલી ૧-૧ કોળીયો અન્નનો અંદર નાંખતા ગયા.
આ બાજુ જેમ ભમાં પાસે ફૂલની સુગંધ પહોંચે અને એ ફૂલને સૂંઘવા દોડી આવે, એમ છએ રાજાઓને મલ્લિકુમારીનાં રૂપનાં વર્ણન સાંભળવા મળતાં તેઓ દોડી આવ્યા. ત્યારે રાજા કુંભ ચિંતામાં પડ્યા. પ્રભુએ કહ્યું: “આપ નિશ્ચિંત રહો.''
બધા રાજાઓને ભગવાને અશોકવાટિકામાં મળવા બોલાવ્યા. અલગ અલગ દરવાજાથી અવીને બધાએ જ્યાં પૂતળીનું રૂપ જોયું, ત્યાં તો મુગ્ધ થઇને જોતા જ રહ્યાં, ત્યારે ભગવાને પાછળથી આવીને ઉપરનું ઢાંકણ હટાવ્યું. અંદર કોહવાયેલાં અન્નની દુર્ગંધ વાતાવરણમાં પ્રસરી ગઇ. રાજાઓએ નાક દબાવી દીધાં, ત્યારે ભગવાન આગળ આવ્યાં. બધાંને કહ્યું: “જેની ૫૨ મોહાઓ છો, એ આ શરીરની અંદર તો આનાથી'ય વધુ દુર્ગંધનો ઉકરડો પડ્યો છે. શરીરને વિસરી જાવ, આત્માને પ્રેમ કરો. મૈત્રીનો સંબંધ યાદ કરો.''
દરેકને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. બધાં પ્રભુની ક્ષમા માંગે છે. ‘‘હવે અમે શું કરીએ ?'' એમ પૂછ્યું ત્યારે ભગવાન કહેઃ ‘સમય આવે ત્યારે દીક્ષા ગ્રહણ કરજો.' એમ કહી તેમને વળાવ્યાં.
૬૧
જૈન તીર્થંકર ચરિત્ર
Page #81
--------------------------------------------------------------------------
________________
દીક્ષા: હવે લોકાંતિક દેવોથી વિનવાયેલાં પ્રભુએ ૧૦૦ વર્ષની વયે વર્ષીદાન દઈ જયંતી શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં બાહ્ય પરિવારરૂપ ૧૦૦૦ પુરૂષો અને અત્યંતર પર્ષદારૂપ ૩૦૦ સ્ત્રીઓ સાથે માગસર સુદ-૧૧ નાં દિવસે અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ સહિત દીક્ષાને ગ્રહણ કરી.
કેવલજ્ઞાન : પ્રાત:કાળે પ્રભુએ દીક્ષા સ્વીકારી. તે જ દિવસે સાયંકાળે અશોક વૃક્ષની નીચે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આમ, સૌથી અલ્પકાલીન છઘસ્થપર્યાય પ્રભુએ વીતાવ્યો. સમવસરણની રચના થઇ. પ્રભુની દેશનાથી છ રાજાઓએ ત્યાંજ દીક્ષા લીધી. પ્રભુનાં પિતા શ્રી કુંભરાજા શ્રાવક થયાં. કુબેર નામે યક્ષ થયો અને વેરોસ્યા યક્ષીણી થયા. '
નિર્વાણ : ૧૦૦ વર્ષ જૂન ૨૫,૦૦૦ વર્ષ સુધી કેવલી અવસ્થામાં વિચરતાં રહ્યાં. ભગવાન અંતે સમેતશિખર જઇને ૫૦૦ સાધુ-૫૦૦ સાધ્વીજી સાથે ૧ માસનું અનશન સ્વીકાર કરી ફાગણ સુદ-૧૨ના દિવસે ભરણી નક્ષત્રમાં નિર્વાણ પામ્યાં.
પરમનું પાવન સ્મરણા
- સ્મરણ
@૬૨
: ૬૨
૦
*
Page #82
--------------------------------------------------------------------------
________________
વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન
પૂર્વભવ : ધાતકીખંડ-ભરત નામે. ક્ષેત્ર અને ચંપા નામની નગરીમાં સુરશ્રેષ્ઠ રાજા છે. તેને નંદન મુનિની દેશના સાંભળી ભવવિરાગ થયો. તેણે દીક્ષા લીધી. અહંત-ભક્તિ આદિ સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્યું. ત્યાંથી કાળ કરી ૧૦મા પ્રાણત દેવલોકમાં ઉત્પન્ન થયાં. અને ત્યાંથી....
જન્મઃ જંબૂદીપ-ભરતક્ષેત્ર-રાજગૃહનગરી-સુમિત્ર રાજા અને પ્રભાવતી રાણી. (મતાંતરે પદ્માવતી રાણી). રાણીની કુક્ષિમાં શ્રાવણ માસની પૂનમે શ્રવણ નક્ષત્રમાં પ્રભુનું ચ્યવન થયું.
ગર્ભકાળ વીતતા, જેઠ વદ-૮ (વૈશાખ વદ-૮)નાં મધ્યરાત્રે શ્રવણ નક્ષત્રમાં કૂર્મ-કાચબાનાં લંછનવાળા કૃષ્ણ વર્ણવાળા પ્રભુને જન્મ આપ્યો. પ૬ દિક્કુમારીએ અને ૬૪ ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ મનાવ્યો. રાજાએ પુત્ર જન્મોત્સવ ઉજવ્યો.
નામસ્થાપન : જગતની ત્રણ કાળની અવસ્થાને જાણે તે મુનિ અને સુંદર વ્રતોવાળા હોવાથી સુવ્રત. આમ, ભગવાનને મુનિસુવ્રત કહ્યા. આ સામાન્ય કારણ. વિશેષથી તો ભગવાન જ્યારે માના ગર્ભમાં હતા, ત્યારે માતા મુનિ ભગવંત જેવા વિશેષ પ્રકારનાં વ્રત-અભિગ્રહોમાં સતત રમમાણ રહેતા હતા તેથી “મુનિસુવ્રત” નામ પડ્યું.
વિવાહ અને રાજ્ય : પિતાજીએ પ્રભાવતી વગેરે કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. દેવી પ્રભાવતી થકી પ્રભુને “સુવત’ નામે કુમાર જન્મ્યો. પ્રભુ સાડાસાત હજાર વર્ષનાં થયાં ત્યારે પિતાએ સોંપેલાં રાજ્યભારનો નિર્વાહ કર્યો. ૧૫,૦૦૦ વર્ષ સુધી નિરન્તરાય નિરન્તર રીતે રાજ્યનિર્વાહ કર્યો. પછી પ્રભુએ અવસર જાણ્યો.
દીક્ષા : “પ્રભુ ધર્મતીર્થ પ્રવર્તાવો.' આ રીતે લોકાંતિકોએ આવીને પ્રાર્થના કરતાં પ્રભુએ વરસીદાન દીધું. અંતે ઇન્દ્રો આવ્યા. દીક્ષાભિષેક થયો. ૧૦૦૦ પુરૂષો જેને ઉંચકી શકે એવી “અપરાજિતા' નામની શિબિકામાં બેસીને હવે પ્રભુ નીલગુહા નામનાં ઉદ્યાનમાં પધાર્યા. ફાગણ સુદ-૧૨ શ્રવણ નક્ષત્રમાં
- ૬૩ -
જેન તીર્થકર ચરિત્ર
Page #83
--------------------------------------------------------------------------
________________
પાછલા પહોરે ૧૦૦૦ રાજાઓની સાથે છઠ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકાર
કર્યો.
બીજે દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદર રાજાને ઘેર ખીર-પરમાત્ર વડે પ્રભુએ પારણું કર્યું.
કેવલજ્ઞાનઃ ૧૧ માસ સુધી પ્રભુ નિરંતર વિહાર કરતા જ રહ્યા. પછી, પાછા નીલગુહા ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ચંપાનાં ઝાડ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેલાં ભગવાનને ફાગણ વદ-૧૨ (મહાવદ ૧૨) શ્રવણ નક્ષત્રમાં કેવલજ્ઞાનની ઉપલબ્ધિ થઇ. સમવસરણ થયું. તીર્થસ્થાપન થયું. વરૂણ યક્ષ અને નરદત્તા યક્ષિણી પ્રગટ થયા.
અશ્વાવબોધ તીર્થ એકદા પ્રભુ ભૃગુકચ્છ ભરૂચ-નગરે સમોસર્યા. તે નગરનો રાજા જિતશત્રુ જાતિવંત ઘોડા પર ચડી વાંદવા આવ્યો. પ્રભુની દેશના તે ઘોડાએ પણ કાન ઊંચા કરીને રોમાંચપૂર્વક સાંભળી. દેશનાને અંતે ગણધરે પૂછ્યું. “સ્વામી ! અહીં અત્યારે કોણ ધર્મને પામ્યું ?' પ્રભુ કહે, “આ સમવસરણમાં જિતશત્રુ રાજાના અશ્વ સિવાય કોઇ ધર્મને પામ્યું નથી.” પછી પ્રભુએ જિતશત્રુ રાજાના પૂછવા પર અશ્વની કથા કહી, જે સાંભળી રાજાએ અશ્વને ખમાવીને છૂટો મૂક્યો. ત્યારથી તે જગાએ “અશ્વાવબોધ તીર્થ” સ્થપાયું.
વર્તમાન સૌધર્મેન્દ્ર: વર્તમાનમાં જે પ્રથમ દેવલોકનાં ઇન્દ્ર છે, તેઓ શ્રી મુનિસુવ્રત પ્રભુના શાસનમાં કાર્તિક નામનાં શેઠ હતા. શ્રાવકપણાની ઉત્કૃષ્ટ આરાધના કરી અંતે દીક્ષા લઇ ત્યાંથી કાળ કરીને ઇન્દ્ર થયા છે.
નિર્વાણ : કેવલજ્ઞાન થયા પછી ૧૧ માસ ન્યૂન સાડા સાત હજાર વર્ષો વીત્યે છતે ભગવાન સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓની સાથે ૧ માસનું અનશન સ્વીકારી, જેઠ વદ-૯ (વૈશાખ વદ-૯) શ્રવણ નક્ષત્રમાં પ્રભુ અજર-અમર અને અવ્યય એવાં નિર્વાણ પદને પામ્યાં.
આજ પ્રભુનાં શાસનકાળમાં ૯મા મહાપરા ચક્રવર્તી થયાં. તથા આઠમા બળદેવ રામ, વાસુદેવ લક્ષ્મણ, પ્રતિવાસુદેવ રાવણ પણ થયાં. આમ જૈનમતે રામાયણ ૫ લાખથી વધુ વર્ષ પ્રાચીન છે.
પરમનું પાવન સ્મરણ
૬૪
*
Page #84
--------------------------------------------------------------------------
________________
એકવીસમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાન
પૂર્વભવઃ ધાતકીખંડના ભરત ક્ષેત્રમાં કૌશાંબી નગરીનાં રાજા હતા સિદ્ધાર્થ. એમનામાં ગાંભીર્ય, ધૈર્ય, ઔદાર્ય, વીર્ય અને સૌહાર્દ વગેરે બધાં ગુણો એક બીજાની સ્પર્ધા કરતા હતા. તેના મનમાં એક માત્ર ધર્મ રમતો હતો. તેથી જ જ્યારે “સુદર્શન' નામનાં સદ્ગુરૂનો યોગ થયો, ત્યારે તેમણે દીક્ષા લીધી. વીશમાંથી અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાજર્યું. પછી મૃત્યુ પામી અપરાજિત નામના વિમાનમાં દેવ થયા.
જન્મઃ અનુત્તર વિમાનમાં સર્વોત્કૃષ્ટ આયુષ્ય-૩૩ સાગરોપમ ભોગવીને મિથિલા નગરીમાં વિજય રાજાના વપ્રા નામના રાણીની કૂખે પુત્રપણે અવતર્યા. ત્યારે આસો માસની પૂનમ અને અશ્વિની નક્ષત્ર હતું. ૧૪ સુપના માએ જોયાં. ઇન્દ્ર શકસ્તવથી પ્રભુની સ્તવના કરી.
ગર્ભકાળ વીત્યા પછી શ્રાવણ વદ-૮ (અષાઢ વદ-૮) અશ્વિની નક્ષત્રમાં માતાએ નીલકમલના લાંછનવાળા અને સુવર્ણ સરખી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. ૫૬ દિકકુમારીકાઓએ સૂતિકર્મ, ૬૪ ઇન્દ્રોએ સ્નાત્ર-મહોત્સવ, અને રાજાએ પુત્ર-જન્મ-મહામહોત્સવ ઉજવ્યો.
નામ સ્થાપના : ભગવાન ઉત્તમ ગુણોથી મહાન હોવાથી, તેમના ચરણે સુરો-અસુરો નમ્યાં. તેથી તેમને “નમિ' કહે છે. આ સામાન્ય કારણ છે. વિશેષ કારણ એ છે કે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા, ત્યારે શત્રુઓએ મિથિલા નગરીને ઘેરો ઘાલ્યો હતો. તે વખતે મહેલ પર ચડેલાં વપ્રાદેવીને જોઇને રાજાઓ ચરણે નમતાં આવ્યા. માટે “નમિ' કુમાર નામ રાખ્યું. આ એક વાત છે. બીજી ઘટના એવી છે કે ભગવાનનો જન્મોત્સવ થયો સાંભળીને પાડોસી રાજાઓ ઇર્ષા, દ્વેષથી ગ્રસિત બન્યા. તથા ભવિષ્યમાં વિજય રાજા અમને હરાવી નાંખશે.” એવો ભય ઉત્પન્ન થયો. તેથી તેમણે એકતા કરીને મિથિલા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. ત્યારે માતાને સહજ પારિણામિકી બુદ્ધિથી ઉપાય હુર્યો. બાળકને ખોળામાં લઈ તેઓ સૂર્યોદયે નગરના કોટ પર ચડ્યાં. ત્યારે સર્વે રાજાઓએ પ્રભુના પ્રભાવથી જ પ્રભુને નમસ્કાર કર્યા. અભિમાની એવા સર્વે રાજાઓ જિનને નમ્યા તેથી રાજાએ “નમિ' એવું નામ પાડ્યું.
જૈન તીર્થકર ચરિત્ર
Page #85
--------------------------------------------------------------------------
________________
વિવાહ અને રાજ્ય : યૌવનમાં પ્રભુનાં લગ્ન થયા. જન્મથી અઢી હજાર વર્ષ જતા પ્રભુએ પિતાનું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ પસાર થયા. ત્યારે પ્રભુના ભોગાવલી કર્મ નાશ પામતા દીક્ષા માટે તત્પર
બન્યા.
દીક્ષા : લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ-પ્રવર્તનની વિનંતિ કરી. ત્યારે પ્રભુએ વરસીદાન દીધું અને દેવકુરૂ નામની શિબિકા વડે પ્રભુ સહસામ્રવન તરફ પધાર્યા. અષાઢ વદ-૯ (જેઠ વદ-૯)ના દિને અશ્વિની નક્ષત્રમાં પાછલા પહોરે છટ્ઠ તપવાળા ભગવાને ૧,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બીજે દિવસે વીરપુર નગરમાં દત્ત બ્રાહ્મણના ઘરે ખીર-પરમાત્ર દ્વારા પારણું કર્યું.
કેવલજ્ઞાન : ૯ માસ સુધી આત્મસાધનાના અનેક આયામોમાંથી પસાર થયા બાદ પ્રભુ પાછા સહસાવનમાં પધાર્યા. ત્યાં બોરસલીના વૃક્ષ નીચે પ્રતિમામાં ઉભા રહેલ ૫રમાત્માને માગસર સુદ-૧૧ના દિને અશ્વિની નક્ષત્રમાં કેવલજ્ઞાન ઉપજ્યું. દેવોએ સમવસરણ વિરચ્યું. પ્રભુએ દેશના દીધી. તીર્થ સ્થપાયું. ભ્રુફુટી નામે યક્ષ અને ગાંધારી નામે યક્ષિણી શાસનદેવતા બન્યાં.
નિર્વાણ ઃ છ માસ ન્યૂન અઢી હજાર વર્ષ સુધી નિરંતર પૃથ્વીતલ પર વિચરતા પ્રભુ અંતે સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ની સાથે અનશન સ્વીકારી ૧ માસને અંતે વૈશાખ વદ-૧૦ (ચૈત્ર વદ-૧૦) અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યાં.
પ્રભુના શાસનમાં જ ૧૦ મા હરિષેણ ચક્રવર્તી અને ૧૧મા જય નામના ચક્રવર્તી થયા હતા.
પરમનું પાવન સ્મરણ
૬૬
Page #86
--------------------------------------------------------------------------
________________
બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ સ્વામી ભગવાન
પૂર્વભવોઃ જંબૂદ્વીપનાં ભરત ક્ષેત્રમાં અચળપુર નગર છે. ત્યાં વિક્રમધન રાજા છે. રાણી છે ધારિણી. તેમનો પુત્ર છે ધનકુમાર, તથા કુસુમપુર નગરના રાજા સિંહ તથા રાણી વિમળાની પુત્રી ધનવતી. બંનેના વિવાહ થાય છે. ધનકુમારને બે નાના ભાઇઓ હતા. ધનદેવ અને ધનદત્ત. એકવાર ચાર જ્ઞાનધારી વસુંધર નામનાં મુનિ પધાર્યા. રાજાએ સપરિવાર વંદન કર્યા. દેશનાને અંતે પૂછ્યું. “આ ધનકુમાર ગર્ભમાં હતો, ત્યારે તેની માતાએ સ્વપ્નમાં એક આંબાનું ઝાડ જોયું હતું. તે વખતે કોઇ પુરૂષે કહ્યું હતું, કે જુદે જુદે નવ ઠેકાણે નવ વાર આ વૃક્ષ રોપાશે અને તેને ઉત્તરોત્તર વિશેષ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. તે મુનિવર ! કુમારનો જન્મ થવાથી તે વૃક્ષનું રહસ્ય તો અમને સમજાયું. પરંતુ નવવાર આરોપણ કરાશે એ વાતનું રહસ્ય નથી સમજાતું.” ત્યારે અવધિજ્ઞાનથી મહાત્મા બોલ્યાઃ “તમારો પુત્ર આ ભવથી માંડી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવા ભવ કરશે, અને નવમા ભાવમાં યદુવંશી બાવીસમા તીર્થંકર થશે.” આ વાત સાંભળી બધાને જૈનધર્મ પ્રત્યે ભદ્રકભાવ પ્રગટ્યો.
એકવાર ધન-ધનવતી સ્નાનક્રીડા માટે સરોવરમાં ગયા હતા, ત્યારે અશોકનાં વૃક્ષ નીચે ગચ્છથી વિખુટાં પડેલા એક મહાત્માને જોયા. તેમની શુશ્રુષા કરી તે મુનિચંદ્ર મુનીશ્વરે સમ્યકત્વ સહિતનો ગૃહસ્થ ધર્મ કહ્યો. જે તેમણે સ્વીકાર્યો. હવે તેઓ પિતાનાં રાજ્ય પર આવ્યા. અંતે, પુનઃ પધારેલાં શ્રી વસુંધર મુનિની પાસે દીક્ષા લીધી, ગીતાર્થ બન્યા, આચાર્ય થયા. અનશન કરી ૧ માસને અંતે સૌધર્મ દેવલોકમાં શક્રેન્દ્રનાં સામાનિક મહર્તિક દેવતા થયા. આ બીજો ભવ.
ત્રીજા ભવે ? આ ભરતક્ષેત્રમાં વૈતાઢ્યગિરિની ઉત્તર શ્રેણિમાં સૂરતેજ નામનું નગર હતું. ત્યાં સૂર નામનો વિદ્યાધરચક્રવર્તી રાજા હતો. તેની વિદ્યુમ્નતિ રાણીની કુક્ષિથી ધનનો જીવ ચિત્રગતિ વિદ્યાધર તરીકે અવતર્યો. અને દક્ષિણ શ્રેણિમાં શિવમંદિર નગરમાં અસંગસિંહ રાજાની રાણી શશિપ્રભા દ્વારા રત્નાવતી તરીકે ધનવતીનો જીવ જન્મ્યો. કાલાંતરે તેમનો વિવાહ થયો. દંપતી સુખ ભોગવવા લાગ્યા. ધનદેવ અને ધનદત્તનાં જીવ મનોગતિ અને ચપલગતિ
જૈન તીર્થંકર ચરિત્ર
Page #87
--------------------------------------------------------------------------
________________
નામે ચિત્રગતિના લઘુબંધુ થયાં. તે બધાની સાથે ચિત્રગતિ નંદીશ્વરાદિ તીર્થોમાં અષ્ટાનિકા મહોત્સવ ઉજવવા લાગ્યા.
અવસરે જ્યારે સૂચક્રવર્તીએ રાજ્ય છોડ્યું, ત્યારે ચિત્રગતિ વિદ્યાધર પણ ચક્રવર્તી બની ગયા. તેમનો કોઇ મણિચૂલ નામનો સામંતરાજા મૃત્યુ પામ્યો. ત્યારે તેનાં બે પુત્રો શશિ અને શૂર રાજ્ય માટે ઝઘડવા લાગ્યા. ચિત્રગતિએ આવીને તેમને રાજ્ય વહેંચી આપ્યું, તથા સમજાવ્યા પરંતુ જેવો તે ગયો કે બન્ને પાછા ઝઘડ્યા અને યુદ્ધ કરીને મોત પામ્યા. આથી ચિત્રગતિને વૈરાગ્ય થયો. બે ભાઇઓ અને રત્નવતીની સાથે દમધર મુનિની પાસે દીક્ષા લીધી. અને અનશન કરી ૪થા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયા. પ્રભુનો આ ચોથો ભવ થયો.
પાંચમા ભવે : પૂર્વ વિદેહમાં પદ્મવિજયમાં સિંહપુર નગરના રાજા હરિહંદીની રાણી પ્રિયદર્શનાની કુખમાં અપરાજિત તરીકે ચિત્રગતિનો જીવ અવતર્યો. તેને મંત્રીપુત્ર વિમલબોધ સાથે પરમમૈત્રી બંધાઇ. જનાનંદપુરનાં રાજા જિતશત્રુની રાણી ધારિણીની કુક્ષિમાં રત્નવતીનો જીવ પ્રીતિમતી તરીકે અવતર્યો. સ્વયંવર મંડપમાં તે અપરાજિતને વી. મનોગતિ અને ચપલગતિનો જીવ પણ સોમ અને સૂર નામથી અપરાજિતના લઘુબંધુ થયાં.
એકદા મંત્રીપુત્રની સાથે કેવલી ભગવંતને વંદના કરી અપરાજિતે પૂછ્યું: ‘પ્રભો ! હું ભવ્ય છું કે અભવ્ય ?’’ કેવલી કહે-‘ભદ્ર ! તું બાવીશમો તીર્થંક૨ થવાનો છે. અને તારો મિત્ર તારો મુખ્ય ગણધર થશે.’’
એકવાર તે ઉદ્યાનમાં ગયો હતો, ત્યારે અનંગદેવ નામે એક સાર્થવાહ પુત્રને ક્રીડા કરતો જોયો. બીજે દિવસે ત્યાં ગયા તો સમાચાર મળ્યાં કે સાર્થવાહ પુત્ર ‘અનંગદેવ’ (કોલેરા) વિષૅચિકા વ્યાધિથી મૃત્યુ પામ્યો. આ જગતની અનિત્યતાથી રાજાને વૈરાગ્ય થયો. રાજા-રાણી-મંત્રી-બે ભાઇઓ બધાએ દીક્ષા લીધી અને ૧૧મા આરણ નામે દેવલોકમાં બધા ઇન્દ્રનાં સામાનિક દેવ થયા. આ છઠ્ઠો ભવ.
સાતમા ભવે : જંબુદ્રીપ-ભરતક્ષેત્ર-કુરુદેશ અને હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજા શ્રીમતી રાણીને ત્યાં પૂર્ણચંદ્રનાં સ્વપ્નથી સૂચિત શંખ નામે પુત્ર થયો. સૂર અને સોમનાં જીવ તેનાં નાના ભાઇ યશોધર અને ગુણધર થયા.
પરમનું પાવન સ્મરણ
Page #88
--------------------------------------------------------------------------
________________
વિમળબોધ મંત્રીનો જીવ રાજાનાં મંત્રી ગુણનિધિનો અતિપ્રભ નામે પુત્ર થયો. અંગદેશ ચંપાનગરીમાં જિતારિ રાજાની કીર્તિમતી રાણીને યશોમતી નામની પુત્રી તરીકે પ્રીતિમતીનો જીવ ઉપન્યો. શંખ-યશોમતીનો વિવાહ થયો. રાજા શ્રીષેણે શંખને રાજ્ય સોંપી ગુણધર ગુરૂની પાસે દીક્ષા લીધી, પછી કેવલજ્ઞાન મેળવ્યું. એકદા રાજા શંખે તેમને વંદના કરીને યશોમતી પર સ્નેહનું કારણ પૂછતાં ભગવાને કહ્યું: “ભવોની પરંપરાથી તારો તેની ઉપર પ્રગાઢ સ્નેહ છે. ત્રીજા ભવે તું ભગવાન નેમનાથ, યશોમતી રાજીમતી અને યશોધર, ગુણધર તથા મતિપ્રભ તમારા ગણધર બનશે.'
આવું સાંભળી પુંડરિક નામનાં પુત્રને રાજ્ય સોંપી બધાંની સાથે દીક્ષા લીધી. વીશસ્થાનકનાં અમુક સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. અંતે સર્વેએ પાદપોપગમન અનશન સ્વીકારી અપરાજિત અનુત્તર વિમાનમાં વસવાટ કર્યો. આ ૮મો ભવ થયો.
જન્મ : આ ભરતક્ષેત્રમાં મથુરા નામે નગરી. ત્યાં હરિવંશનો આદ્ય રાજા “વસુ' થયો. તેના પુત્ર બૃહદ્ધજ પછી ઘણા રાજાઓને અંતે પરાક્રમી યદુ રાજા થયો. જેના અનુયાયીઓ યાદવો કહેવાયા. યદુપુત્ર શ્રી રાજાને શૌરિ અને સુવીર પુત્રો થયાં. સુવીર મથુરાનો રાજા થયો. શૌરિએ કુશાર્ત દેશમાં શીર્યપુર નગર વસાવ્યું. શરિને અંધકવૃષ્ણિ વગેરે અને સુવીરને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થયાં. ભોજવૃષ્ણિને ઉગ્રસેન રાજા થયાં. અંધકવૃષ્ણિને સમુદ્રવિજય, અક્ષોભ્ય, તિમિત, સાગર, હિમવાનું, અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ-૧૦ પુત્રો થયાં. જે “દસાઈ' નામે પ્રચલિત થયાં. તેમને કુંતી અને માદ્રી પુત્રી પણ ૧૦ પુત્રો ઉપર થઇ.
શૌર્યપુરમાં સમુદ્રવિજયની પત્ની શિવાદેવીએ ૧૪ સુપનાં જોયાં ત્યારે કાર્તક વદ-૧૨ (આસો વદ-૧૨) ચિત્રા નક્ષત્રમાં શંખરાજાનો જીવ માતાની કુક્ષિમાં અવતર્યો. માતાને અન્ય પણ રથનેમિ, સત્યનેમિ તથા દ્રઢનેમિ વગેરે પુત્રો જન્મ્યાં. વસુદેવને દેવકીથી શ્રી કૃષ્ણ વાસુદેવ નામે પુત્ર તથા રોહિણીથી બલરામ નામે બલદેવ પુત્ર હતાં. અનુક્રમે શ્રાવણ સુદ-૫, ચિત્રા નક્ષત્રમાં કૃષ્ણવર્ણવાળા અને શંખનાં લંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. જન્મ મહોત્સવ ઉજવાયો.
જેને તીર્થંકર ચરિત્ર
Page #89
--------------------------------------------------------------------------
________________
નામ સ્થાપન : ભગવાન ગર્ભમાં હતાં. ત્યારે માતાએ એક શિષ્ટ રત્ન-મય ચક્રની ધારા-નેમિને ઉપર ચડતી જોઇ હતી. તેમાં રિષ્ટ રત્ન અશુભ હોવાથી અપશકુનને ટાળવાં, આગળ “અ” શબ્દ લગાડવામાં આવ્યો. તેથી પ્રભુનું નામ “અરિષ્ટનેમિ' પાડ્યું.
બાલ્યકાળ-સંક્રાંતિ કાળ : યાદવો પર સંકટ હતું. મથુરાપતિ કંસનો શ્રીકૃષ્ણ વધ કર્યો. શ્રીકૃષ્ણ વાસુદેવ હતાં, તેમના પર પ્રતિવાસુદેવ જરાસંઘ કોપ્યાં. તેથી આખા યાદવકુળે શૌર્યપુરમાંથી હિજરત કરી. સમુદ્રના કિનારે આવવું પડ્યું. ત્યાં દ્વારિકાનગરીની રચના થઇ.
બે યુદ્ધ ઃ કુરૂક્ષેત્રમાં પાંડવો-કૌરવોનું અઢાર દિવસનું ભયાનક યુદ્ધ ખેલાયું. અને ત્યાર પછી એથી ય વધુ ભયંકર જરાસંઘ-કૃષ્ણ/બલરામ વચ્ચેનું ઘોર યુદ્ધ સેનાપલ્લી નામના ગામની પાસે ખેલાયું. જેમાં અરિષ્ટનેમિ પણ કર્તવ્યની રૂએ હાજર હતા. તેઓએ પોતાના સ્નાન સમયે દેવતાએ પોતાની ભુજા પર બાંધેલી “અસ્ત્રવારણી' નામની ઔષધિ વાસુદેવના હાથે બાંધી હતી અને જ્યારે જરાસંઘે જરાવિદ્યાનો પ્રયોગ કર્યો, ત્યારે પ્રભુએ કૃષ્ણને અટ્ટમ કરીને શ્રી શંખેશ્વર પ્રભુની પ્રતિમા માંગવાને પાવતી દેવીને પ્રકટ કરવાનો ઉપાય સૂચવ્યો, અને ૩ દિવસ એકલે હાથે કૃષ્ણના સૈન્યનું રક્ષણ કર્યું. તે વખતે કૃષ્ણ / બલરામ અને અરિહંત અરિષ્ટનેમિ વિના બધાય મૂર્શિત થઇ ગયા હતા. ત્રીજે દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના સ્નાત્રજળના છંટકાવથી સૈન્ય જરામુક્ત થયું. જરાસંઘ મરાયો. કૃષ્ણનો વાસુદેવપદે અભિષેક થયો.
અનુપમ બળ પ્રભુ એકદા લીલાથી ફરતાં ફરતાં કૃષ્ણના શસ્ત્રાગારમાં ગયા. ત્યાં જે શસ્ત્રોને કોઇ હલાવી પણ ન શકે, તે બધાને પ્રભુએ વાપરીને પ્રયોજ્યા. છેલ્લે પાંચજન્ય શંખને ફૂંક્યો, ત્યારે કૃષ્ણ કંપી ગયા. આવીને જુએ છે તો અરિષ્ટનેમિને જોયા. એમને ડર લાગ્યો, કે આ મારું રાજ્ય પડાવી લે એવો બળીયો છે. એમણે કહ્યું: “મારો હાથ લાંબો કરું. તમે ઝુકાવી દેજો. તમારો હાથ લાંબો કરો, તો હું ઝુકાવી દઇશ. જોઇએ કોનામાં કેટલું બળ છે ?”
ત્યારે કૃષ્ણના હાથને તો ભગવાને આરામથી જ ઝુકાવી દીધો. પણ ભગવાનના હાથ પર કૃષ્ણ-જેમ ડાળ પર વાંદરો લટકે-તેમ લટકી પડ્યા. પણ એ હાથ નમ્યો નહીં. આથી કૃષ્ણનું નામ “હરિ' (વાંદરો) પડી ગયું. ત્યારે તો શ્રીકૃષ્ણને બરાબરનો ભય પેઠો. તરત જ આકાશવાણી થઇઃ “આ તો ૨૨મા તીર્થકર છે. રાજ્ય-વિવાહ વિના જ દીક્ષા લેવાના છે.” પરમનું પાવન સ્મરણ - ૭૦ 53
Page #90
--------------------------------------------------------------------------
________________
વિવાહ ઃ ભગવાનના માતા-પિતાના આગ્રહથી ભાઇ કૃષ્ણની આઠ પટરાણીઓએ ભગવાનને લગ્નની હા પાડવા જળક્રીડા દ્વારા મનાવવાની કોશિશ કરી. ચાલુ ચોમાસામાં જ ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે વિવાહ લેવાયા. શ્રાવણ સુદ-૬, પ્રભુ વિવાહ માટે નીકળ્યા. ત્યાં રસ્તામાં હરણ વગેરે પશુઓને આદ કરતો જોયા. “આ મારા વિવાહના ભોજનમાં ભક્ષ્ય બનવાના છે.” આવું સારથી પાસેથી જાણી પ્રભુ ત્યાંથી જ પાછા ફર્યા. ભગવાને બધાને સમજાવી લીધા અને વાર્ષિક દાન દીધું.
દીક્ષા : અંતે બીજા વર્ષે શ્રાવણ સુદ-૬ને દિને ઉત્તરકુરુ નામની શિબિકામાં બેસી ભગવાને સહસ્ત્રાપ્રવન-સહસાવનમાં આવી ચિત્રા નક્ષત્રમાં છઠ્ઠ તપ કરી ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી.
બીજે દિવસે વરદત્ત નામનાં બ્રાહ્મણને ત્યાં ખીરથી પારણું કર્યું.
કેવલજ્ઞાન : ભગવાનની દીક્ષા પછી રથનેમિએ રાજીમતીને વિવાહ માટે પ્રસ્તાવ મૂક્યો. એમણે વાત નકારી કાઢી તથા સતીની જેમ જીવન વિતાવવા લાગી. અંતે, પ૪ દિવસ છબસ્થાવસ્થામાં વીતાવી ભગવાન ગિરનારસહસાવનમાં વેતસવૃક્ષ નીચે અઠ્ઠમ તપ કરી ઊભાં રહ્યાં. આસો વદ-0)) [ભાદરવા વદ-0))]નાં દિને ચિત્રા નક્ષત્રમાં ભગવાનને કેવલજ્ઞાન થયું. તીર્થસ્થાપના થઇ. રાજીમતી-રથનેમિએ સંયમ લીધું. કૃષ્ણ નરેશ ભગવાનની પાસે સમ્યકત્વ પામ્યાં. ધનદેવ-ધનદત્ત-બે ભાઇઓ તથા વિમળબોધ નામનાં મંત્રીના જીવો રાજા થયા હતા. તેઓ પણ અહીં ગણધરો બન્યાં. ગોમેધ યક્ષ, અંબિકા યક્ષિણી થયાં.
રાજીમતી-રથનેમિ : અહીં ભગવાનને અન્યદા વંદન કરી રાજીમતી પાછાં ફરતા હતા ત્યારે વરસાદ થયો. વસ્ત્રો ભીંજાયાં. એક ગુફામાં તેઓ ગયા. વસ્ત્રો અળગા કર્યા. ત્યાં રથનેમિ મુનિ ધ્યાન કરતા હતા. તેઓ વસ્ત્રરહિત કાયા જોઇ મોહાયાં. ભોગની પ્રાર્થના કરવા લાગ્યા. રાજીમતીએ તુર્ત શરીર વસ્ત્રાવૃત કર્યું અને મીઠાં અને તીખા વચનોથી એમને સંયમમાં સ્થિર કર્યા. અંતે પ્રભુ પાસે આલોચના કરી પ્રાયશ્ચિત્ત સ્વીકારી મોક્ષમાં ગયાં.
શ્રી કૃષ્ણનો વૃત્તાંતઃ ભગવાનના ૧૮૦૦૦ સાધુઓને વાસુદેવ કૃષ્ણ વિધિથી વંદન કર્યા. તેથી ૪ નારકનાં દુઃખ ઘટાડી ૩ નારક સુધી રાખ્યા.
- ૭૧
જૈન તીર્થકર ચરિત્ર
Page #91
--------------------------------------------------------------------------
________________
અત્યારે તેઓ ૩જી નારકમાં છે. અને ત્યાંથી આવતી ચોવીસીમાં ઉત્સર્પિણીમાં ‘અમમ સ્વામી’ નામે ૧૨મા તીર્થંક૨ થશે. તથા બલરામજી અત્યારે પાંચમા દેવલોકમાં છે. જે પછીથી એમના જ શાસનમાં મુક્ત થશે.
દ્વારિકાદાહ પ્રભુના શાસનકાળમાં : અંતિમ-૧૨ મો બ્રહ્મદત્ત નામનાં ચક્રવર્તી થયા.
પ્રભુ નેમિનાથના વચનથી દ્વારિકાનો નાશ દારૂના કારણે દ્વૈપાયનના હાથે થશે તથા શ્રી કૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે થશે જાણી સમગ્ર દ્વારિકામાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો તથા બન્ને જણાએ સ્વયંભૂ દેશનિકાલ સ્વીકાર્યો...છતાં એકવાર કૃષ્ણપુત્ર શાંબની ટાળકીને રખડતાં રખડતાં પર્વતની ગુફામાં ફેંકાવી દીધેલ દારૂ ૧૨ વર્ષે મળતા આકંઠ પીધો અને સામે મળેલ તાપસ દ્વૈપાયનને પુષ્કળ માર મારતા દ્વૈપાયન મરીને વ્યંતર થયો. જેણે દ્વારિકા નગરી આખી ક્રોડો મનુષ્યો- ભવનો સમેત બાળી મૂકી. કૃષ્ણ અને બલરામ બે જ જણા જીવતાં બચ્યાં. તેઓ જંગલમાં ગયા. કૃષ્ણને મૂકી બલરામ પાણી લેવા ગયા. જરા-કુમારના હાથે અજાણતા કૃષ્ણ મરાયાં. બલરામ છ મહિના વાસુદેવના શબને લઇને ફર્યા. આખરે દીક્ષા લઇ કાળ પામી પાંચમા દેવલોકમાં ગયા.
જરાકુમાર કૃષ્ણની જ સુચનાથી કૌસ્તુભમણિને લઇ પાંડવો પાસે આવ્યો તો કૃષ્ણનું મૃત્યુ સાંભળી પાંડવોએ જરાકુમારને રાજ્ય સોંપી દીક્ષા લીધી.
નિર્વાણ ઃ ભગવાન નેમનાથ આર્ય-અનાર્ય ભૂમિમાં વિહરી, અંતે રૈવતગિરિ (ગિરનાર) પધાર્યા. જ્યાં ૫૩૬ મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી અષાઢ સુદ-૮ ચિત્રા નક્ષત્રમાં સાયંકાલે નિર્વાણ પામ્યા.
પાંડવો વિહાર કરતાં કરતાં હસ્તીકલ્પ નગરે આવ્યાં. ત્યાં કહે છેઃ ‘હવે અહીંથી રેવતાચલ ફક્ત ૧૨ યોજન દૂર છે. ત્યાં કાલે ભગવાનના દર્શન કરી પારણું કરશું'' એટલામાં તો ભગવાનના મોક્ષના સમાચાર મળ્યા. તેથી શોકગ્રસ્ત બની સિદ્ધાચલગિરિ પર પાંડવો આવ્યા. ત્યાં અનશન સ્વીકારી મોક્ષમાં ગયા. સાધ્વી દ્રૌપદી પાંચમા દેવલોકમાં ગયા.
વિશેષતા : આજે પણ સંપૂર્ણ યાદવ-સમુદાય પોતાના આદ્યપુરૂષ તરીકે ૧ શ્રીનેમનાથ અને ૨ શ્રી કૃષ્ણ માને છે. આથી નેમનાથ પ્રભુ ઐતિહાસિક પાત્ર છે. તેમની ઘણી હકીકતો મળે છે.
પરમનું પાવન સ્મરણ
૭૨.
Page #92
--------------------------------------------------------------------------
________________
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાન
પૂર્વભવો ઃ ભગવાનનાં કુલ દસ ભવો હતા. ૯ પૂર્વ ભવોમાંથી પ્રથમભવેઃ જંબૂઢીપ-ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદ નામે રાજા છે. તેમાં પુરોહિત પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે બ્રાહ્મણ હતો. તેને અનુદ્ધરા નામની પત્નીથી બે પુત્રો-કમઠ અને મરુભૂતિ થયાં. કમઠની પત્ની વરુણા છે. મરૂભૂતિની વસુંધરા છે. પિતા વિશ્વભૂતિ દીક્ષા લઇ આરાધના કરી ૧લા દેવલોકમાં દેવ થયાં. માતા પણ નવકારમંત્ર-સ્મરણપૂર્વક મૃત્યુ પામી. કમઠના માથે ઘરનો ભાર આવ્યો. મરૂભૂતિ શ્રાવકપણાની આરાધનામાં લીન થયો. તે લગભગ પૌષધશાળામાં જ રહેતો હતો. આથી કમઠને કહેનાર કોઇ ન રહ્યું. અને એણે ભાઇની પત્ની વસુંધરા સાથે આડો સંબંધ બાંધ્યો. વસુંધરા ભોળવાઇ ગઇ. વરૂણાએ મરુભૂતિને વાત કરી. મરૂભૂતિએ પરીક્ષા કરી, ખાત્રી થતાં રાજાને ફરિયાદ કરી. રાજા પાસે કમઠનાં બીજા પણ કરતૂતોના સમાચાર હતા. તેમણે ગધેડા પર બેસાડી દેશ-નિકાલ કર્યો. કમઠ તાપસ બન્યો.
તાપસ કમઠ ઉગ્રતપ કરવા માંડ્યો. મરૂભૂતિને પસ્તાવો થયો. મોટા ભાઇની ક્ષમા માંગવા સારા ભાવથી તે તાપસના ચરણોમાં ઝૂક્યો, તો તીવ્ર ક્રોધથી ભરાયેલા કમઠે બાજુથી પથ્થરની શિલા ઊંચકી એના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિને થયું “હું ક્ષમા માંગું છું અને આ આવો બદલો વાળે છે ?' આવી શારીરિક પીડાથી આર્તધ્યાન થતા, અસમાધિથી મૃત્યુ પામીને વિંધ્ય પર્વત પર હાથણીઓના ટોળાનો માલિક હાથી થયો. કમઠપત્ની વરુણા તેજ હાથીની પ્રિય હાથણી બની. આ બીજો ભવ.
બીજા ભવે : મરુભૂતિના મૃત્યુના સમાચારથી રાજા અરવિંદે દીક્ષા લીધી. તેઓ વિહાર કરતાં વિંધ્યાચલ પધાર્યા. ત્યાં કાયોત્સર્ગ કરતાં તેમની ઉપર હાથી ગુસ્સાથી ધસી આવ્યો. પણ જ્યાં એમના આભામંડલમાં આવ્યો. કે ઉપશાંત થઈ ગયો. અવધિજ્ઞાની મહાત્માએ એને પૂર્વભવ જણાવ્યો. એને જાતિસ્મરણ થયું. હાથણી અને હાથી સૂકાં પાંદડાં-ફળો-ઘાસ ખાવા લાગ્યા. તેથી તેમનું શરીર સૂકાવા લાગ્યું.
એક દિવસ તે હાથી કીચડમાં ફસાયો. આ બાજુ કમઠના ગેરવર્તનથી તેને તાપસીએ આશ્રમ બહાર કર્યો હતો. તે મરીને કુકડાના મોંવાળો ઉડતો સાપ થયો હતો. તેણે આવીને ફસાયેલા હાથીને ડંખ દીધો. સમાધિથી મરીને
- ૭૩
*
જૈન તીર્થંકર ચરિત્ર
Page #93
--------------------------------------------------------------------------
________________
હાથી ૮મા દેવલોકમાં અને હાથણી રજા દેવલોકમાં દેવ-દેવી થયા. કુફ્ફટસર્પ પાંચમી નરકમાં ઉત્પન્ન થયો. આ ત્રીજો ભવ.
ચોથા ભવેઃ પૂર્વ મહાવિદેહ-સુકચ્છ વિજય-તિલકા નગરી-વિધુત્વેગ રાજા અને કનકતિલકા રાણી. તેમને ત્યાં હાથીનો જીવ કિરણવેગ થયો. પિતાએ યુવાન દિકરાને રાજ્ય ભળાવી દીક્ષા લીધી. અવસરે કિરણવેગ રાજાએ પણ પુત્ર કિરણતેજને રાજ્ય ભળાવી દીક્ષા દીધી.
મુનિ કિરણવેગ વૈતાઢ્ય પર્વત પાસે હેમગિરિ પરની કોઇ ગુફામાં ધ્યાન દશામાં જ્યારે હતાં, ત્યારે ત્યાં કોઇ જાડો સાપ આવ્યો. આ સાપ કમઠનો જીવ હતો. મુનિને જોતાં જ તેને વૈરના સંસ્કાર જાગ્રત થયા. તેણે આખા શરીરે ભરડો લીધો. પછી તીવ્રતાથી દશ દીધો. આખરે સમાધિથી મૃત્યુ પામી મુનિ બારમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. અને સાપ મરીને પાંચમી નરકમાં ગયો. આ પાંચમો ભવ..
- છઠ્ઠા ભવે : જંબૂદીપ-પશ્ચિમ મહાવિદેહ-સુકચ્છ વિજયના અશ્વપુર નગરમાં વજવીર્ય રાજા-લખીવતી રાણીના પુત્ર વજનાભ તરીકે પ્રભુ અવતર્યા. અવસરે રાજા વજનાબે પુત્ર ચક્રાયુધને રાજ ભળાવી, ક્ષેમંકર મુનિ પાસે દીક્ષા લીધી. કમઠનો જીવ ભમતો ભમતો જ્વલનગિરિ પર ભયાનક કુરંગભીલ તરીકે ઉત્પન્ન થયો.
વિહાર કરતાં મુનિને જ્વલનગિરિ પર જોતાં જ ભીલને દ્વેષ પ્રગટ્યો. એણે બાણ ચડાવ્યું, છોડ્યું, મુનિ કાળ કરીને મધ્ય રૈવેયકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ભીલ પોતાનાં પાપ પર ખુશી વ્યક્ત કરી ઘોર કર્મ બાંધી ૭મી નરકમાં ઉત્પન્ન થયો. આ સાતમો ભવ.
૮મો ભવઃ જંબુદ્વીપ-પૂર્વવિદેહ-પુરાણપુર નગરમાં કુલીશબાહુ રાજા અને સુદર્શના રાણીને ત્યાં ચૌદ સ્વપ્નથી સૂચિત ચક્રવર્તી તરીકે સ્વર્ણબાહુ નામે ભગવાન અવતર્યા. ઋષિના આશ્રમમાં રહેનારી રાજકુમારી પવા સાથે એમનો વિવાહ થયો. પિતાએ રાજ્ય સોંપી દીક્ષા લીધી. ચક્રરત્ન ઉત્પન્ન થયું, છએ ખંડ પર વિજય લહેરાવ્યો. અંતે જગન્નાથ નામના તીર્થંકર પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. શુદ્ધ સંયમ, ઘોર તપની સાથે વશમાંના અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ બાંધ્યું.
| કુરંગ નામનો ભીલ મરીને અનેક ભવો ફરી, એક જંગલમાં સિંહ થયો હતો. અન્યદા ચક્રવર્તી મુનિ ત્યાં વિચર્યા. ત્યારે દ્વેષથી ભાન ભૂલેલો સિંહ ત્રાટક્યો. મુનિએ અનશન સ્વીકારી લીધું અને મૃત્યુ પામીને દશમા
પરમનું પાવન સ્મરણ
૭૪
*
Page #94
--------------------------------------------------------------------------
________________
દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. સિંહનો જીવ મરીને ૪થી નરકમાં ગયો, ત્યાંથી અનેક દુર્ગતિઓમાં રખડી રહ્યો. આ ૯મો ભવ... દશમા અને અંતિમ ભવે જન્મ ઃ જંબૂદ્દીપ-ભરતક્ષેત્ર-વાણારસી નગરીમાં અશ્વસેન રાજા અને વામાદેવી રાણીને ત્યાં, ચૈત્ર વદ-૪ (ફાગણ વદ-૪) વિશાખા નક્ષત્રમાં મધ્ય રાત્રિએ ભગવાનનું ચ્યવન થયું. માતાને ૧૪ સુપનાં આવ્યાં. અનુક્રમે ગર્ભકાળ વીત્યે છતે પોષ વદ-૧૦ (માગસર વદ-૧૦) વિશાખા નક્ષત્રમાં માતાએ સર્પ લાંછનથી લાંછિત નીલવર્ણવાળાં ભગવાનને જન્મ આપ્યો. ઇન્દ્રોએ જન્માભિષેક કર્યો. દિકુમારીઓએ સૂતિકર્મ કર્યું. પ્રાતઃકાળે રાજાએ નગરીને મહોત્સવમય કરી.
નામ સ્થાપના : ત્રણે કાળનાં સર્વ દ્રવ્યોના પર્યાયોને જોતા હોવાથી પ્રભુને ‘પાર્શ્વ’ કહ્યા છે. આ સામાન્ય કારણ. વિશેષ કારણ તો એ કે વદ પક્ષની કાળી રાત્રિએ માતાએ શય્યામાં સાપને પડખેથી પસાર થતો જોયો. આથી ભગવાનનું નામ ‘પાર્શ્વ’ રાખ્યું, કારણકે ‘પડખાં’ અર્થમાં સંસ્કૃત ભાષામાં પાર્શ્વ' શબ્દ છે.
વિવાહ : ભગવાન યોવનમાં પ્રવેશ્યાં, ત્યારે કુશસ્થલપુરનાં પ્રસેનજિત્ રાજાની કન્યા પ્રભાવતી સ્વયંવરા બનીને પ્રભુને વરવા ચાલી. આ સમાચાર કલિંગ વગેરે દેશોનાં નાયક રાજા ‘યવન’ ને મળ્યા. અને ‘પ્રભાવતીને આપો, નહીં તો યુદ્ધ કરો.’ આવી હઠ પકડીને નગરને ઘેરો ઘાલી તે રહ્યો. રાજાએ આ સમાચાર વાણા૨સી અશ્વસેન રાજાને મોકલાવ્યાં. તેઓ યુદ્ધ માટે તૈયાર થયાં, ત્યારે અત્યંત ઔચિત્યવાળા પ્રભુ પાર્શ્વ પિતાને અટકાવી એમની અનુજ્ઞા મેળવીને યુદ્ધ માટે અગ્રસર થયાં. ઇન્દ્રે પોતાનો રથ અને માલિ સારથી મોકલાવ્યા. ભગવાન તેના પર આરૂઢ બની કુશસ્થલપુર ચાલ્યાં.
યુદ્ધ પૂર્વે છાવણી નાંખીને પ્રભુએ સામનીતિનો પ્રયોગ અજમાવવા એક દૂતને મોકલાવ્યો. દૂતે પ્રભુની શક્તિનો પરિચય આપ્યો. યવનરાજાના વૃદ્ધ મંત્રીએ રાજાને સમજાવ્યો. અને રાજા પ્રભુનો શરણાગત બન્યો. આમ, વગર યુદ્ધે રાજા જીતાયો.
હવે પ્રસેનજિત રાજાએ પોતાની દીકરી પ્રભુને આપવા માંડી. પ્રભુ કહે કે ‘પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા માટે જ અહીં આવેલા. હવે અમે પાછા જઇશું.’ ત્યારે પ્રસેનજિત્ પણ ભેગાં ગયાં. અને અશ્વસેન રાજાએ કુંવરને સમજાવ્યાં. અને પ્રભાવતી રાણીની સાથે વિવાહ થયા.
એકદા મહેલના ઝરૂખે ભગવાન રાણી સંગે ઊભાં હતાં, ત્યાં અનેક
જૈન તીર્થંકર ચરિત્ર
૭૫
Page #95
--------------------------------------------------------------------------
________________
લોકોને પૂજાની સામગ્રી લઇને બહાર જતા જોયાં. એટલે હાજર સેવકોને પૂછતાં ખબર પડી, કે નગરની બહાર કમઠ નામનો તાપસ પંચાગ્નિ તપ કરે છે. તેની પૂજા માટે લોકો જાય છે. ભગવાન પણ કૌતુકવશ ત્યાં ગયા. પાંચ તાપણાની વચ્ચે કમઠને બેઠેલો જોયો. ત્યાં તો અવધિજ્ઞાનથી ભગવાને એક તાપણાના લાકડાંની વચ્ચે સાપ બળતો દીઠો. ભગવાને કમઠને દયાધર્મ સમજાવ્યો તો તે સામી વ્યર્થ દલીલો કરવા લાગ્યો. આખરે પ્રભુએ સેવકો વડે લાકડું ફડાવ્યું કે લાંબો કાં'ક બળેલો સાપ નીકળ્યો. નાગની દ્રષ્ટિ ભગવાનના મુખ પર બંધાઈ ગઈ. સેવકોએ નવકાર સંભળાવ્યો અને નાગ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે ભવનપતિ નાગકુમારની નિકાયના ઇન્દ્ર થયા. કમઠ અનશન કરી ભવનપતિ દેવોની મેઘકુમારની નિકાયમાં મેઘમાળી નામે સાદો દેવ થયો.
દીક્ષા : રાજ્યનો સ્વીકાર કર્યા વિના જ પ્રભુ એકદા પ્રભાવતી દેવી સાથે બાહ્ય ઉદ્યાનમાં વિહાર માટે પધાર્યા. ત્યાં તેમનાથ ભગવાનની જાનનું દ્રશ્ય જોઇને વૈરાગી થયાં. નિમિત્ત મળ્યું. લોકાંતિક દેવોએ આવીને વિનંતિ કરતાં વાર્ષિક દાન દીધું. ૬૪ ઇન્દ્રોએ અભિષેક કર્યો. પોષ વદ-૧૧ (માગસર, વદ-૧૧) ના દિને વિશાખા નક્ષત્રમાં વિશાલા નામની શિબિકામાં બેસી આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા. અને ત્રીશ વર્ષની ઉમરે ૩૦૦ રાજાઓની સાથે અઠ્ઠમ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકારી.
બીજે દિવસે કોષ્ટક ગામમાં ધન્ય ગાથાપતિના ઘરે ખીર વડે ભગવાનનું પારણું થયું.
ઉપસર્ગઃ અનુક્રમે વિહાર કરતાં પ્રભુ કોઇ તાપસાશ્રમની પાસે પધાર્યા. ત્યાં જ સૂર્યાસ્ત થવાથી એક કુવાની પાસે વડવૃક્ષ નીચે પ્રભુ કાયોત્સર્ગ સ્વીકારી રહ્યા. આ વખતે પેલા મેઘમાળીને અવધિજ્ઞાનથી પૂર્વભવ અને પોતાના દુશ્મન તરીકે પાર્શ્વનાથ યાદ આવ્યા. તેણે આવીને સિંહ, ચિત્તો, વાઘ, સાપ આદિ રૂપો વિદુર્વી ભગવાનને ગાઢ દુઃખો દીધાં. પણ પ્રભુને અડોલ ઊભા જોઇને ક્રોધે ભરાયેલા એણે ભયંકર વિજળી અને ગર્જના સહિત મુશળધાર વરસાદ વરસાવ્યો. પાણી વધતું વધતું પ્રભુની નાસિકાના અગ્રભાગ સુધી આવ્યું, ત્યારે અવધિજ્ઞાનથી (એક મતે આસન કંપવાથી) ધરણેન્દ્રને ઉપકારી પર થતો ઉપસર્ગ જાણમાં આવ્યો. તેણે પ્રભુના પગ નીચે કમળ રચ્યું. મસ્તક પર સાત ફણાવાળા સાપનું છત્ર રચ્યું. મેઘમાળીને ઠપકો આપ્યો ત્યારે ભગવાનની ક્ષમા માંગી મેઘમાળી પ્રભુની ક્ષમાશીલતા અને આત્મરમણતાથી પ્રભાવિત થઇ સમ્યગ્દર્શનનું બીજ પામી જતો રહ્યો. ભગવાનની સ્તુતિ કરી ધરણેન્દ્ર
પરમનું પાવન સ્મરણ
૭૬
6
Page #96
--------------------------------------------------------------------------
________________
પણ ગયા. અહીં ભક્ત એવા ધરણેન્દ્ર પર અને શત્રુ એવા મેઘમાળી પર ભગવાનને એકસરખો જ ભાવ હતો. ત્યાં “અહિચ્છત્રા” નગર અસ્તિત્વમાં આવ્યું. (અહિચ્છત્રા માટે અન્યત્ર એવી વાત આવે છે કે ધરણેન્દ્ર ભક્તિથી ત્રણ દિવસ ફણાનું છત્ર રાખી રહ્યા.)
કેવળજ્ઞાન : ચોર્યાશીમા દિવસે વિહાર કરતાં પ્રભુ પુનઃ વાણારસી પધાર્યા. આશ્રમપદ ઉદ્યાનમાં ધાતકી વૃક્ષ નીચે કાયોત્સર્ગ કરી રહ્યા. અને ચૈત્ર વદ (ફાગણ વદ-૪) વિશાખા નક્ષત્રમાં પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જ્ઞાનમહોત્સવ ઉજવાયો. પ્રભુની દેશના સાંભળી અશ્વસેન રાજાએ, વામાદેવીએ અને પ્રભાવતી દેવીએ પણ દીક્ષા સ્વીકારી. પ્રભુનાં પાર્થ યક્ષ અને પાવતી યક્ષિણી શાસનદેવતા થયાં.
(આ પાર્શ્વયક્ષ ગજમુખી છે. તેમને જમણી તરફ વળતી સૂંઢ હોય છે. માટે દેરાસરમાં એમની પ્રતિમાને જોઇને કોઇએ “ગણપતિ છે' એવો ભ્રમ ન કરવો જોઇએ.)
નિર્વાણ : પ્રભુ પોતાનો નિર્વાણ સમય નજીક જાણી સમેતશિલ શિખર પર પધાર્યા ત્યાં ૩૩ મુનિઓ સાથે એક માસનું અનશન સ્વીકારી શ્રાવણ સુદ-૮ વિશાખા નક્ષત્રમાં ભગવાનનું નિર્વાણ થયું. ભગવાનનું સંપૂર્ણ આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું.
વિશેષતા : શ્રી કલ્પસૂત્રમાં ભગવાનનું એક વિશેષણ મૂક્યું છે : પુરૂષાદાનીય પાર્શ્વનાથ પ્રભુ. તેઓ લોકોમાં ખૂબ પ્રિય હતાં, છે. તેમનું વિશિષ્ટ કોટિનું પુણ્ય હતું. તેમની આરાધનાથી ભક્તોની સર્વ ઇચ્છા પૂરી થઇ, અંતે મોક્ષ મળે છે.
પ્રભુની પરંપરાના બધા શ્રમણો લગભગ શ્રી મહાવીરસ્વામી શ્રમણ પરંપરામાં ભળી ગયાં હતાં. છતાં પણ અમુક વિદ્યમાન પણ હતાં, જેમની પાટપરંપરા મળે છે. મિસર, ઇરાન, સાઈબિરીયા, અફઘાનિસ્તાન જેવા સિંધ પ્રદેશો સુધી પ્રભુનો પ્રભાવ-પ્રતિમા વગેરે વિસ્તર્યા હતાં. ઇતિહાસકારોના મતે મહાત્મા બુદ્ધ છ વર્ષ સુધી પ્રભુના શાસનમાં સાધુ રહ્યા હતા, ત્યારે તેમનું નામ બુદ્ધકીર્તિ હતું. તે સમયના તમામ રાજાઓ, ધર્મસંપ્રદાયો પર પ્રભુનો ગાઢ પ્રભાવ હતો. આથી જ તેમને પુરુષાદાનીય કહે છે.
પ્રભુએ દરેક ભવોમાં સમાધિની બેજોડ સાધના કરી હતી, આથી જ તેમના કલ્યાણકોની આરાધનાથી, પોષ દશમીના અઠ્ઠમથી, જન્મકલ્યાણકની માસિક વદ દશમની આરાધનાથી સમાધિની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ થાય છે.
જ ૭૭.
જૈન તીર્થકર ચરિત્ર
Page #97
--------------------------------------------------------------------------
________________
ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી
પૂર્વભવો પ્રભુવીરનાં સમગ્ર જીવન-કવનને વિસ્તારથી જાણવું-માણવું હોય, તો આખું નવું જ પુસ્તક લખવું પડે. “અહીં' અતિ સંક્ષેપથી તેમના જીવનને જાણીશું.
પ્રભુવીરના ૨૬ પૂર્વભવો હતા.
૧) જંબુદ્વીપ-પશ્ચિમ મહાવિદેહ : મહાવપ્ર વિજય-જયંતી નગરી. તે નગરીના એક ગામનો મુખી નયસાર હતો. રાજાના આદેશથી લાકડા કાપવા જંગલમાં ગયો હતો. મધ્યાહ્ન સમયે ભોજન પહેલા અતિથિને શોધવા નીકળેલા તેણે ભૂલા પડેલા સાધુ ભગવંતોને ગોચરી વહોરાવી, રસ્તો બતાવવા ગયો. મુનિએ પણ તેને મોક્ષનો માર્ગ બતાવ્યો. ત્યાં સમ્યકત્વ મળ્યું. ૨) સૌધર્મ દેવલોકમાં ૧ પલ્યોપમનાં આયુષ્યવાળાં દેવતા થયાં.
૩) ઋષભદેવ પ્રભુનાં પુત્ર ભરત ચક્રવર્તીનાં પુત્ર મરીચિ થયાં. ભગવાનની દેશના સાંભળી સંયમ લીધું. પરંતુ સંયમના કષ્ટોથી થાકી ગયા. આખરે નવો પંથ સ્થાપ્યો, જે પાછળથી ત્રિદંડી પંથ તરીકે પ્રચલિત થયો. આમ, તેમણે ઉન્માર્ગનું પ્રવર્તન કર્યું. કપિલ નામના દુરાગ્રહી રાજકુમાર પાસે તેને શિષ્ય બનાવવા ઉત્સુત્રનું ભાષણ કર્યું. (સાંખ્યદર્શનના આદ્ય કપિલ મુનિ તે આજ કપિલ ત્રિદંડી હતાં એમ ક્યાંક વાત આવે છે). તેમજ કુળનો મદ કર્યો. આથી ઘણો સંસાર વધારી દીધો.
૪) થા ભવથી માંડી ૧૫મા ભવ સુધી અનુક્રમે એક ભવ ત્રિદંડીનો અને બીજો ભવ દેવનો થયો. તે આ પ્રમાણે-પમા દેવલોકમાં દેવ-કૌશિક નામે બ્રાહ્મણ-ત્રિદંડી (આ ભવ પછી અનેક ભવો થયાં, જે ૨૭ ભવોમાં ગણતરીમાં નથી લેવાયાં) વિપ્ર નામે ત્રિદંડી-૧લા દેવલોકમાં-અગ્નિદ્યોત નામે ત્રિદંડીરજા દેવલોકમાં-અગ્નિભૂતિ નામે ત્રિદંડી-૩જા દેવલોકમાં-ભારદ્વાજ નામે ત્રિદંડીચોથા દેવલોકમાં....(આ ભવ પછી પણ અનેક ભવો થયાં, જે ગણતરીમાં નથી લેવાયાં). સ્થાવર નામે ત્રિદંડી-૫મા દેવલોકમાં. ૧૬) મા ભવમાં રાજગૃહનગરમાં વિશ્વનંદી રાજા. તેનો ભાઇ
( ૭૮_ જેન તીર્થકર ચરિત્ર
Page #98
--------------------------------------------------------------------------
________________
વિશાખભૂતિ યુવરાજ. રાજપુત્ર વિશાખનંદી અને યુવરાજ પુત્ર તરીકે પ્રભુ અવતર્યા. નામ પડ્યું વિશ્વભૂતિ. રાજાના પુત્રને વધુ હકો મળતાં. પોતે સમર્થ હોવા છતાં પણ પાછા પડવું પડતું. એકવાર રાજપુત્ર દ્વારા એમનું ઘોર અપમાન થયું. આથી, ઝઘડવાને બદલે એમણે દીક્ષા લીધી.
દીક્ષા લઇને મા ખમણના પારણે માસખમણ કરી શરીર ક્ષીણ બનાવી દીધું. મથુરામાં ગોચરી ગયા હતા, ત્યારે ગાયનો ધક્કો વાગવાથી નીચે પડ્યા. ત્યારે મથુરામાં કાર્યપ્રસંગે આવેલા વિશાખનંદીએ મશ્કરી કરી. ક્રોધથી મુનિએ ગાયને ઊંચકી આકાશમાં ફંગોળી. નીચે પડતાં પાછી ઝીલી બતાવી. વિશાખનંદી તો ભાગ્યો પણ મુનિ આવેશમાં નિયાણું કરી બેઠા કે હું વિશાખનંદીને મારનારો થાઉં. અને પ્રાયશ્ચિત્ત વિના જ કાળ પામ્યા.
૧૭) મા ભવમાં મહાશુક્ર-છઠ્ઠા દેવલોકમાં દેવ બન્યા.
૧૮) મા ભવમાં આ અવસર્પિણીના પ્રથમ વાસુદેવ શ્રી ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. અથગ્રીવ નામના પ્રતિવાસુદેવનો નાશ કરી ત્રણ ખંડનું સામ્રાજય મેળવ્યું. શ્રેયાંસનાથ ભગવાન પાસે સમ્યકત્વ દ્રઢ કર્યું. પરંતુ ઘોર હિંસક પ્રવૃત્તિઓ તથા વિષયભોગની પ્રવૃત્તિઓ દ્વારા, તથા શવ્યાપાલકનાં કાનમાં નજીવી ભૂલનાં બદલામાં ધગધગતાં સીસાનો રસ નંખાવ્યો, સિંહને જીવતો ચીરી નાખ્યો, અણગમતી રાણીની ઉપેક્ષા કરી ખૂબ રીબાવી, આવાં ભયંકર દુષ્કર્મો કરીને ૧૯) મા ભવે ૭મી નરકમાં ગયા. (આ જૈનદર્શનની નિષ્પક્ષપાતિતાનો નમૂનો છે કે એના તીર્થકર નરકમાં ગયા હતા. એ હકીકતને એણે જગત સમક્ષ મૂકી છે.)
૨૦) મા ભવે સિંહ બની.
૨૧) મા ભવે ૪ થી નરકમાં ગયા. (આ ભવ પછી અનેક નાનામોટા ભવોમાં ગયા જે ગણાયા નથી.).
૨૨) મા ભવમાં પ્રભુ સામાન્ય મનુષ્ય થયા. આ ભવમાં ક્યાં હતાનામ શું હતું વગેરે ઉલ્લેખ મળતો નથી. (દીગંબર સંપ્રદાય મુજબ રથનુપુર નગરમાં પ્રિય મિત્ર રાજાની વિમલા રાણીની કૂખમાંથી વિમલ નામે રાજકુમાર થયા. તેમણે છેલ્લે દીક્ષા સ્વીકારી.)
૨૩) મા ભવે પશ્ચિમ મહાવિદેહમાં મૂકી નગરીમાં ધનંજય રાજાધારિણી રાણીને ત્યાં પ્રિયમિત્ર પુત્ર તરીકે જનમ્યાં. તેઓ ચક્રવર્તી થયા અને પરમનું પાવન સ્મરણ
૭૯ 6
Page #99
--------------------------------------------------------------------------
________________
દીક્ષા લીધી.
૨૪) મા ભવે સાતમા દેવલોકે દેવ થયાં.
૨૫) મા ભવે નંદન રાજા થયાં. પચીશ લાખ વર્ષમાંથી ૨૪ લાખ વર્ષ સંસારમાં વીત્યાં. ૧ લાખ વર્ષ સંયમ પાળ્યું. માસક્ષમણનાં પારણે માસક્ષમણ કર્યું. ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ કર્યા. ૩૩૩૩ વર્ષ ૩ માસ ૧૯ દિવસનો પારણાકાળ હતો. વિશમાંથી અમુક સ્થાનકોની આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. અંતે બે માસનું અનશન કરી.
૨૬) મા ભવે ૧૦ મા પ્રાણત નામે દેવલોકમાં પુષ્પોત્તરપ્રવરપુંડરિક વિમાનમાં ૨૦ સાગરોપમનાં આયુવાળા દેવ થયા.
જન્મ : મહાન ગણરાજ્ય વૈશાલી નગરીની પશ્ચિમે એકબીજાની પૂર્વ પશ્ચિમદિશામાં બ્રાહ્મણકુંડ ગ્રામ અને ક્ષત્રિયકુંડ ગ્રામ આવેલાં છે. તેમાં બ્રાહ્મણકુંડગ્રામનો મુખ્ય બ્રાહ્મણ ઋષભદત્ત-બ્રાહ્મણી દેવાનંદા. તેની કુક્ષિમાં ચૌદ સપનાં પૂર્વક અષાઢ સુદ-૬ના દિવસે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં પ્રભુનું અવન થયું. પરંતુ ઇન્દ્રનું સિંહાસન કંપ્યું નહીં. બરાબર ૮૨ દિવસ પછી આખા દક્ષિણાર્ધ ભરતક્ષેત્રને જ્ઞાનમાં નિહાળતા શક્રેન્દ્ર જોયું કે પ્રભુ ત્યાં અવતર્યા છે. તેણે નમુત્થણંથી સ્તુતિ કરી, હરિણેગમેષી દેવને આજ્ઞા કરી અને મરીચિના ભવમાં કુળમદ કરી બાંધેલા નીચગોત્ર કર્મને કારણે અયોગ્ય કુલમાં અવતરેલા પ્રભુને યોગ્ય સ્થાને મૂકવા ક્ષત્રિયકુંડગ્રામ નગરનાં સિદ્ધાર્થ રાજા-ત્રિશલા રાણીની કુક્ષિમાં જે બાળકીનો ગર્ભ હતો તેને તથા દેવાનંદાનો ભગવાનનો ગર્ભ પરસ્પર એકબીજામાં સંક્રમિત કરાવ્યો. આસો વદ-૧૩ (ભાદરવા વદ-૧૩)ની રાતે પ્રભુરૂપ ગર્ભનું સંકરણ થયું, ત્યારે દેવાનંદાએ ૧૪ સુપના મુખમાંથી નીકળતાં જોયાં, અને ત્રિશલાદેવીએ ૧૪ સુપના મુખમાં ઉતરતા જોયાં.
સાત મહિના પસાર થયાં. અને પ્રભુ માતાને કષ્ટ ન પડે માટે ગર્ભમાં સ્થિર થયા. પછી અવધિજ્ઞાનથી જોયું તો ખ્યાલ આવ્યો. કે “મારો ગર્ભ પડી ગયો.” એવું વિચારીને ઉલટું માતા વિલાપ કરે છે, તેથી ભગવાને આંગળી સહજ હલાવી, માતાને વળી પ્રસન્ન કરી. આ વખતે ભગવાને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી માતા-પિતા જીવે છે. ત્યાં સુધી મારે દીક્ષા ન લેવી.
ગર્ભકાળ સમાપ્ત થતાં, ચૈત્ર સુદ-૧૩ના મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગની
૮૦ %
જૈન તીર્થંકર ચરિત્ર
Page #100
--------------------------------------------------------------------------
________________
નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. (આજે આ દિવસ ચૈત્રી-ઓળીમાં આવે છે. આ દિવસને ‘મહાવીર જયંતી' ન કહેવાય. ‘મહાવીર જન્મકલ્યાણક' કહેવું જોઇએ.) છપ્પન દિકુમારીકાએ પ્રસૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રોએ અભિષેક કર્યા. સૌધર્મેન્દ્રને અભિષેક વખતે શંકા પડી કે આટલાં નાનકડા ભગવાન આટલો પાણીનો ધોધ શી રીતે સહન કરી શકશે ? વિવેકી સુશ એવાં ઇન્દ્રની થયેલી આ આશાતનાને રોકવા પ્રભુએ જમણો અંગૂઠો મેરૂપર્વતને અડાવ્યો અને મેરૂપર્વત કંપી ઊઠ્યો. ઇન્દ્રે ભગવાનની ક્ષમા પ્રાર્થી.
બીજે દિવસથી રાજાએ નગરમાં દશ દિવસનો મહામહોત્સવ ઊજવ્યો...‘જેને જે દુકાનમાંથી જેટલું લેવું હોય લે, બિલ રાજા ચૂકવશે’. એવી ઘોષણા કરાવી.
નામ સ્થાપન ઃ ભગવાન જેવા ત્રિશલા માતાના ગર્ભમાં આવ્યા, કે શક્રની આજ્ઞાથી કુબે૨ના સેવક તિર્થશૃંભક દેવોએ ભંડારમાં સુવર્ણાદિનો વરસાદ વ૨સાવ્યો. ધન-ધાન્ય-રાજ સમ્માન બધું વધ્યું. આથી ભગવાનનું નામ ‘વર્ધમાન' સ્થાપવામાં આવ્યું.
બાલક્રીડા : સરખી ઉંમરના બાળકોના આગ્રહથી ભગવાન આમળીપીપળીની રમત રમવા ગયા, ત્યાં બલની પરીક્ષા ક૨વા દેવ નીચે આવ્યો. સાપ થઇને ભગવાનની સામે ધસ્યો, તો ભગવાને પકડીને દૂર ઊછાળી મૂક્યો. પોતાનાં ખભે ભગવાનને બેસાડી રાક્ષસનું રૂપ કરી લાંબો તાડ જેવો થતો ગયો, તો પ્રભુએ મજબૂત મુષ્ટિ-પ્રહાર કરી વામણો કરી નાંખ્યો. આ રીતે ભગવાનના સાહસને હરાવી ન શકવાથી છેલ્લે તે બોલ્યો ‘હે કુમાર ! ઇન્દ્રે આપની જેવી પ્રશંસા કરી, તેવા સાહસ-ધીર આપ છો. આપ ખરેખર મહાવીર છો.' ત્યારથી શ્રી વર્ધમાનકુમારનું નામ “મહાવીર'' પ્રખ્યાત થયું.
આઠ વરસના પ્રભુને માતા-પિતાએ ભણવા નિશાળે મૂક્યા. ઇન્દ્રને આશ્ચર્ય થયું. તે બ્રાહ્મણવેશે આવ્યો. પ્રભુને સિંહાસન પર બેસાડ્યા, અને અધ્યાપકના મનમાં જે વ્યાકરણ સંબંધી શંકાઓ હતી તેને પૂછી, પ્રભુએ યોગ્ય સમાધાન આપ્યા. ત્યાં જેને વ્યાકરણ’’ ગ્રંથ રચાયો. ઇન્દ્રે સ્વરૂપ પ્રગટ કર્યું. પ્રભુના જ્ઞાનનો પરિચય આપ્યો.
વિવાહ : યુવાવયમાં પ્રવેશેલા ભગવાનને વિવાહ માટે યુવાન મિત્રો
પરમનું પાવન સ્મરણ
૮૧
Page #101
--------------------------------------------------------------------------
________________
આગ્રહ કરવા લાગ્યા. પ્રભુ ના પાડતા રહ્યા. અંતે એકદા એમના ખંડમાં મા ત્રિશલા આવ્યા, અને કહ્યું: “તારી ઇચ્છા ભલે ન હોય. પણ મારી ઇચ્છા રાખવા ખાતર પણ તારે વિવાહ કરવા પડશે.'' અને પોતાના કર્મો જોઇને પ્રભુ મૌન રહ્યાં. તુર્તજ ઘોષણા થઇ. વસંતપુર નગરના રાજા સમરવીરની રાણી પદ્માવતીની પુત્રી યશોદા સાથે વિવાહ થયાં. તેના જમાલિ સાથે લગ્ન થયાં. અને તેને પણ શેષવતી નામે પુત્રી થઇ જે ભગવાની દોહિત્રી થઇ.
દીક્ષા : અઠ્ઠાવીશ વર્ષે પ્રભુના માતાપિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે ભાઇ નંદીવર્ધન પાસે પ્રભુએ દીક્ષાની આજ્ઞા માંગી. પરંતુ મોટા ભાઇએ કહ્યુંઃ “માતા-પિતાના વિયોગ તારા યોગથી જ સહ્ય બનશે. એમના વિયોગની સાથે તારો વિયોગ મારાથી સહન નહીં કરાય.'’ આથી ભગવાને કહ્યું: “ભલે, પરંતુ ક્યાં સુધી ?'' અને ૨ વર્ષની મર્યાદા નક્કી થઇ. પછી પ્રભુ ૨ વર્ષ સુધી સંસારમાં રહ્યા. પ્રભુ પોતાના માટે બનાવેલી રસોઇ ન વાપરતા, પરંતુ સેવકો આદિ માટે બનાવેલી નિર્દોષ રસોઇ વાપરતા. અનાસક્ત યોગી તરીકે પ્રભુ સંસારમાં રહ્યા. પછી લોકાંતિક દેવોએ વિનંતિ કરી. પ્રભુએ વર્ષીદાન દીધું. ચંદ્રપ્રભા શિબિકામાં બેસી જ્ઞાતખંડવનમાં અશોક વૃક્ષ નીચે પ્રભુ પધાર્યા અને એકાકી પ્રભુએ દીક્ષા લીધી. બાકી બધાં પ્રભુ અનેકોની સાથે દીક્ષિત થયાં હતાં. પ્રભુ મહાવીર એકલાં દીક્ષિત થયાં. કદાચ તે દૂષિત કલિકાળની ભાવિ પરિસ્થિતિનું સૂચક જ નહોતું જાણે ! તે દિવસ માગસર વદ-૧૦ (કાર્તક વદ-૧૦) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. દિવસનો ત્રીજો પ્રહર.
ઉપસર્ગોની વણઝાર ઃ ભગવાન ત્યાંથી વિહાર કરીને જ્યારે એક મુહૂર્ત જેટલો દિવસ બાકી રહ્યો, ત્યારે કુર્માર ગામ બહાર વૃક્ષ નીચે ધ્યાનમાં રહ્યા. ગોવાળિયો બળદો ભળાવીને ગયો. પાછો આવ્યો ત્યારે બળદો ચરતાં ચરતાં દૂર નીકળી ગયા હતા. ગોવાળિયાએ પ્રભુને પૂછ્યું તો પ્રભુ ધ્યાનના કા૨ણે મૌન રહ્યા. તે શોધવા નીકળ્યો. બળદો ફરતાં ફરતાં પ્રભુની પાસે જ આવી ગયા હતા. ગોવાળીયાએ જોયું. ગુસ્સો આવ્યો, અને જાડું દોરડું વીંઝી ભગવાનને ફટકારવા ધસી ગયો. ઇન્દ્રે એજ વખતે અવધિજ્ઞાનથી જોયું અને ગોવાળીયાને અટકાવી દીધો.
૮૨
જૈન તીર્થંકર ચરિત્ર
Page #102
--------------------------------------------------------------------------
________________
ત્યારે ઇન્દ્ર વિનંતિ કરી કે “પ્રભુ ! આપનાં કર્મ બહુ કઠિન છે. મને આપની સેવામાં રહેવા દો. જેથી ઉપસર્ગોને ખાળી શકું”. પ્રભુ કહે “હે ઇન્દ્ર ! અરિહંત ક્યારેય બીજાઓના બળ પર સાધના કરતા નથી. પોતાના સામર્થ્યથી જ કર્મોનો ક્ષય કરે છે. માટે સહાયની જરૂર નથી !!”
આચારાંગ સૂત્ર તથા કલ્પસૂત્રમાં ભગવાનની સાધનાનું વિસ્તૃત વર્ણન મળે છે. દીક્ષા પછી તેર માસ સુધી ભગવાનના ખભે દેવદૂષ્ય રહ્યું. પછી પ્રભુ વસ્ત્રરહિત થયા. દીક્ષા સમયે પ્રભુના શરીર પર જે સુગંધિત વિલેપન કરવામાં આવ્યું હતું, તેનાથી આકર્ષાયેલાં ભમરા તથા કીડા શરીર પર ફરતા રહ્યા. લોહી-માંસ ચૂસતા રહ્યા. યુવકો આવી આવીને એ વિલેપન માંગતા ત્યારે ભગવાન મૌન રહ્યા તો યુવકો તેમને કષ્ટ આપી નીકળી ગયા. રૂપ-સૌંદર્યથી તથા વિલેપનથી મોહાયેલી યુવતીઓ એકાંત જોઇને ભગવાનની સામે કામભોગની માંગણી કરતી, પ્રભુ મેરૂવત્ અડોલ રહેતા, ત્યારે તે હારીને કષ્ટ આપી, પાછી વળી જતી. આ બધી તો બહુ સામાન્ય ઘટનાઓ હતી. મુખ્ય ઘટનાઓમાં શૂલપાણિ યક્ષે ઘોર પીડા આપી. કટપૂતના વ્યંતરીએ ભયાનક ઠંડીમાં છરાથી ય ભયંકર પાણીનો વરસાદ વેગપૂર્વક વરસાવ્યો. સુદંષ્ટ્ર દવે ગંગાનદીમાં ભયંકર તોફાન કરી ડબાકવાના પ્રયત્ન કર્યા...સંગમ દેવે સાંભળતાં પણ ધ્રુજારી છૂટી જાય એવા એક રાતમાં ૨૦ ઉપસર્ગ કરી છ મહિના ખૂબ જ ત્રાસ આપ્યો... અનાર્ય દેશના માનવીઓ એ સતત પુષ્કળ પીડાઓ વરસાવી ચંડકૌશિકની અગનજ્વાળા અને ઝેરીલા ડંખને સહન કરી પ્રતિબોધ આપ્યો. ૧૫ દિવસ સાથે રહી સમાધિ આપી...વણમાંગ્યા શિષ્યરૂપે ગોશાળો મળ્યો જેની વિકૃત હરકતોના કારણે પ્રભુજીને ખૂબ સહન કરવાનું આવ્યું..અનેક અવળચંડા મનુષ્યોએ પ્રભુને જાસૂસ આદિ માની ખૂબ હેરાન કર્યા.
પ્રભુએ સાધનાકાળમાં વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરી, જેમાંથી એક અભિગ્રહ તપ સાડા પાંચ મહિના સુધી ચાલ્યો, જેનું પારણું ચંદનબાળાના હાથે થયું, જે પાછળથી સંઘસ્થાપના સમયે સૌ પ્રથમ સાધ્વીજી થયા.
પ્રભુ નિર્જન ઝૂંપડીમાં, પ્રપા, કુટિરમાં, ખંડેર-ધર્મ શાળામાં, યક્ષાદિના મંદિર કે સ્મશાનમાં નિવાસ કરતાં. ખુલ્લાં શરીર પર બેસતા મચ્છરોને લગીરે ઉડાડતા નહીં. ક્યારેક સાપ-કાગડા-ગીધ પણ તેમને ડંખ દેતા કે ચાંચ મારતા,
પરમનું પાવન સ્મરણ
છ ૮૩
*
Page #103
--------------------------------------------------------------------------
________________
માનવો ક્યારેક ચોર કે જાસૂસ સમજીને માર મારતા, અપમાનિત કરતા. દેવતાઓ થકી પણ અવારનવાર ઉપસર્ગો થતા રહેતા. આ ઉપરાંત લાઢા વગેરે અનાર્ય ભૂમિમાં ભગવાન વધુ કષ્ટો સહેવા માટે સામેથી ગયા અને અનાર્ય લોકોએ પ્રભુને ખૂબ રંજાડ્યા.
સાધનાકાળમાં સુખાસનમાં (પલાંઠી વાળીને) પ્રભુ ક્યારેય બેઠા નથી. નિરંતર મૌન રહ્યા છે. પ્રભુનો નિદ્રાકાળ ફક્ત ૪૮ મિનિટ છે. ૩૪૯ પારણાના દિવસો છે. સળંગ બે દિવસ આહાર ગ્રહણ કર્યો નથી અને છઠ્ઠથી ઓછા ઉપવાસ પણ પ્રભુએ કર્યા નથી. આ રીતે ૧૨ વર્ષ છ માસ ૧૫ દિવસની દીર્ઘ સાધના પ્રભુની પરિપૂર્ણ થઇ, પ્રભુનાં દરેક ઉપવાસ ચોવિહાર (નિર્જળા) હતા. અને પારણા ઠામચોવિહાર એકાસણા સ્વરૂપ હતા.
પ્રભુવીરના તપનું કોષ્ટક • છ માસી તપ-૧વાર • બે ચાસી તપ-છ વાર - છ માસમાં ૫ દિવસ - દોઢ માસી તપ-બે વાર
ઓછા - ૧ વાર • માસક્ષમણ તપ-૧૨ વાર • ચાર માસી તપ - બે વાર • પાખવાડિક તપ - ૭૨ વાર • ત્રિમાસી તપ - બે વાર • અઠ્ઠમ તપ - ૧૨ વાર • અઢી માસી તપ - બે વાર • છઠ્ઠ તપ - ૨૨૯ વાર. તથા, ભદ્ર-મહાભદ્ર અને સર્વતોભદ્ર પ્રતિમા..
કેવલજ્ઞાન : પરીષહ-ઉપસર્ગોને સહન કરતા પ્રભુ તપથી ભાવિત થતા જંભિકગામની બહાર પધાર્યા. ત્યાં શ્યામક ગાથાપતિના ખેતરમાં ઋજુવાલિકા નદીને કિનારે શાલ વૃક્ષ નીચે ગોદોહિકા આસને બિરાજમાન પ્રભુને સંધ્યાટાણે વૈશાખ સુદ દશમી દિને ઉત્તરાફાલ્ગનિ નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
- ૬૪ ઇન્દ્રો આવ્યા. સમવસરણ રચાયું. પરંતુ ક્ષણમાત્ર દેશના આપીને પ્રભુએ મધ્યમ પાવાપુરી તરફ વિહાર કર્યો. પ્રથમ દેશનામાં કોઇને વિરતિના ભાવ ન થવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ. આ એક અચ્છેરું (આશ્ચર્ય માની ન શકાય તેવી ઘટના) છે.
અપાપાપુરીમાં સોમિલ બ્રાહ્મણનાં યજ્ઞમાં ૫૦૦ બ્રાહ્મણો પુરોહિત
જ ૮૪
6
જૈન તીર્થંકર ચરિત્ર
Page #104
--------------------------------------------------------------------------
________________
બની આવેલા. તેમાં ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે ૧૧ બ્રાહ્મણો મુખ્ય હતા. દેવતાઓને સમવસરણમાં જતા જોઇને, કોઇ સર્વજ્ઞ આવ્યા છે-આવા સમાચાર સાંભળતા જ ઇન્દ્રભૂતિ અહંકારથી વાદ કરવા માટે આવ્યા. પરંતુ ભગવાને એમને પ્રેમથી જીતી લીધા. એમની શંકાનું સમાધાન કરી આપ્યું. અને તેમને પોતાના પ્રથમ શિષ્ય બનાવી દીધા. ૧૧ જણા ગણધર થયા. તેમના ૪૪૦૦ શિષ્યોએ પણ સાથે દીક્ષા લીધી. તે ૧૧ ગણધરોએ પ્રભુ પાસેથી “ઉપ્પન્ન ઈ વા, વિગમે છે વા, ધુવે ઇ વા'-આ ત્રિપદી પામીને મહાસાગર જેવી વિરાટ દ્વાદશાંગી બનાવી. આ ૧૨ ગ્રંથો જિનશાસનના મૂળાધાર જેવા છે. તેમાંથી છેલ્લા ૪ ગણધરો બે-બે મળીને બન્નેના ગણને દેશના આપતા હતા, કેમ કે તેમની દ્વાદશાંગી શબ્દથી સંપૂર્ણપણે સમાન હતી. આથી પ્રભુવીરનાં ગણધર ૧૧ હતાં અને ગણ ૯ હતાં. ગણધર શિષ્ય
શંકા ૧. ઇન્દ્રભૂતિ
પ૦૦
જીવ (છે કે નથી) (ગૌતમ સ્વામી) અગ્નિભૂતિ
૫૦૦ ૩. વાયુભૂતિ
૫૦૦
જીવ/આત્મા એકજ છે કે
જુદા ? ૪. વ્યક્ત
પાંચ મહાભૂત સુધર્મા
જે જેવો હોય, તે તેવો
જ થાય ? મંડિત
બંધ - છે કે નહીં ? ૭. મોર્યપુત્ર
દેવો - છે કે નહીં ? ૮. અકંપિત
૩૦૦
નારકો - છે કે નહીં ? ૯. અલભ્રાતા
૩૦૦
પુણ્યપાપ- છે કે નહીં ? ૧૦. મેતાર્ય
૩૦૦
પરલોક – છે કે નહીં ? ૧૧. પ્રભાસ
૩૦૦
મોક્ષ - છે કે નહીં ? પ્રભુ વીરે ધર્મશાસનની સુદ્રઢતા, સુવ્યવસ્થા અને સુરક્ષા માટે ચાર પ્રકારના સંઘની સ્થાપના કરી. સાધુસંઘના આગેવાન ઇન્દ્રભૂતિ ગૌતમ,
કર્મ
૫૦૦
૫૦૦
૩૫O
૩૫૦
પરમનું પાવન સ્મરણ
૨ ૮૫
Page #105
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજી સંઘના મુખ્યા ચંદનબાળાજી, શ્રાવકોમાં પ્રથમ પંક્તિમાં આનંદ, કામદેવ આદિ શ્રાવકો અને શ્રાવિકા સંઘમાં સુલસા, રેવતી વિગેરે સુપ્રસિદ્ધ થયા...તદુપરાંત રાજા શ્રેણિક, દધિવાહન, શતાનિક, ચંડપ્રદ્યોત, ચેટક, ઉદાયન, ઉદાયી આદિ સેંકડો રાજાઓ, અભયકુમાર આદિ મંત્રીઓ, ધન્યકુમાર આદિ શ્રેષ્ઠિઓ આદિ લાખો લોકોએ પ્રભુ વીરના ઉપદેશને સાંભળ્યો, સ્વીકાર્યો, આચર્યો અને ફેલાવ્યો...
શ્રેણિક, સુલસા, રેવતી, ઉદાયી આદિ અનેકોએ પ્રભુ પ્રત્યેના ઉત્કૃષ્ટ સમર્પણના પ્રભાવે ભગવાન બનવા માટે અત્યાવશ્યક તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું....ભગવાનના પોતાના શિષ્ય ૧૪,૦૦૦ સાધુ ભગવંત, ૩૬,૦૦૦ સાધ્વીજી ભગવંત, ૧,૫૯,૦૦૦ શ્રાવકો, ૩,૩૬,૦૦ શ્રાવિકાઓ આદિ વિશાળ-સંખ્યક શ્રદ્ધાળુ, ચુસ્ત આચારયુક્ત અનુયાયી વર્ગ હતો, તો શ્રી ગૌતમસ્વામિજીના ૫૦,૦૦૦ કેવળજ્ઞાની શિષ્ય આદિ અન્ય શિષ્યપરંપરા પણ ખૂબ વિશાળ હતી.
કેવલજ્ઞાન પછી ભગવાન ૩૦ વર્ષ લગાતાર વિચરતા રહ્યા. પ્રભુનાં ૩૦ ચાતુર્માસ અનુક્રમે-રાજગૃહી-વૈશાલી-વાણિજ્ય ગ્રામ-રાજગૃહી-વાણિજ્ય ગ્રામ-રાજગૃહી-રાજગૃહી-વૈશાલી-વાણિજ્ય ગ્રામ-રાજગૃહી-વાણિજ્યગ્રામ
વૈશાલી-વૈશાલી-રાજગૃહી-રાજગૃહી-વૈશાલી-મિથિલા-રાજગૃહી-રાજગૃહી (નાલંદા)-મિથિલા-મિથિલા-રાજગૃહી અને અંતિમ ચાતુર્માસ અપાપાપુરી (પાવાપુરી) નગરીમાં હસ્તિપાલ રાજાની જૂની કચેરીમાં વિતાવ્યો.
સાધનાકાળમાં જાતે બની બેઠેલા શિષ્ય અને પાછળથી પ્રભુજીને છોડી પોતાનો જુદો આજીવક સંપ્રદાય સ્થાપનાર ગોશાલકે તેજોદ્વેષથી તેજોલેશ્યા છોડી. ગુરૂભક્ત સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ સાધુઓએ બલિદાન આપ્યું. પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઇ તેજોલેશ્યા પાછી વળી પરંતુ તેજોલેશ્યાના દાહક પુદ્ગલોની અસરથી પરમાત્માને છ મહિનાના લોહીના ઝાડા થયા, ત્યારે પરમ ગુરૂભક્ત સિંહ અણગારે પ્રભુના આદેશથી રેવતી શ્રાવિકાના ઘરેથી નિર્દોષ ઔષધરૂપ ગોચરી વહોરી, એનાથી પ્રભુનો રોગ શમ્યો. ઉત્કૃષ્ટ અહોભાવપૂર્ણ સુપાત્રદાનથી રેવતીએ તીર્થંકર નામકર્મ બાંધ્યું.
નિર્વાણ : આસો વદ-તેરસે ભગવાને અનશન સ્વીકાર્યું. દરેક તીર્થંકર
૮૬
જૈન તીર્થંકર ચરિત્ર
Page #106
--------------------------------------------------------------------------
________________
અનશન પછી મૌન સેવતાં. પરંતુ પ્રભુ ૧૬ પ્રહર - ૪૮ કલાક સુધી અખંડ બોલતાં જ રહ્યાં. પપ અધ્યયન પુણ્ય ફળના કહ્યા, પપ અધ્યયન પાપફળના કહ્યા. ૩૬ અણપૂછાયેલા પ્રશ્નોના ઉત્તરવરૂપ ઉત્તરાધ્યયન કહ્યા. એમ કરતાં કારતક વદ અમાસ કારતક વદ [આસો વદ-0))] આવી. અંતિમ સમવસરણ રચાયું. નવ મલ્લિ ને નવ લિચ્છવી રાજાઓ આવ્યા. પુણ્યપાલ રાજાને આવેલાં ૮ સ્વપ્નોનાં અર્થ કહ્યા. તથા, ગૌતમસ્વામીને અન્યત્ર દેવશર્માને પ્રતિબોધ કરવા મોકલી આપ્યા.
જ્યારે પ્રભુનો નિર્વાણ સમય હતો, લગભગ તેજ સમયે ભસ્મરાશિ નામનો ગ્રહ પ્રભુનાં જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગણીમાં સંક્રાંત થતો હતો. ઇન્દ્ર પ્રભુને વિનંતિ કરી. “પ્રભો ! એક ક્ષણનું આયુષ્ય લંબાવી દો તો આપની નજર તે ગ્રહ પર પડી જશે અને એના કારણે આપના શાસનને થનારું નુકસાન અટકી જશે.” પ્રભુ કહે “અરિહંતો પણ આયુષ્યને વધારવાની શક્તિ ધરાવતા નથી અને ભવિતવ્યતામાં લખાયેલું ઘટીને જ રહે છે.” અવસરે પ્રભુ શૈલેશી અવસ્થાને પામ્યા. શરીરથી મુક્ત થયા, કર્મોથી મુક્ત થયા, અને શુદ્ધ નિર્મળ આત્મસ્વભાવને પામીને શાશ્વત મોક્ષમાં સ્થિર થયાં.
૧૮ ગણરાજાઓએ ભેગા થઇને વિચાર્યું કે ભાવપ્રકાશ તો ગયો, હવે દ્રવ્યપ્રકાશ કરીએ અને દીવા પ્રગટાવ્યા. એનું અનુકરણ આખી પ્રજાએ કર્યું અને લોકમાં દિવાળી પર્વ ચાલુ થયું.
ભગવાનના નિર્વાણ પછી પવિત્ર રાખને લોકો લેતા જ ગયા. રાખ ન મળી તો માટી લેતા ગયા. આથી ત્યાં મોટો ખાડો પડી ગયો. કાલાંતરે ત્યાં પાણી ભરાયું. જે આજે “જલમંદિર' તરીકે વિખ્યાત છે. કા.સુ-૧ મે ગૌતમસ્વામીને કેવલજ્ઞાન મળ્યું. ત્યારથી નૂતન વર્ષનો પ્રારંભ ગણાયો.
આ અવસર્પિણી કાળમાં આપણા ભરતક્ષેત્રમાં ધર્મતીર્થનું પ્રવર્તન કરી આત્મહિતકર ઉપદેશથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા તીર્થકર ભગવંતના ચરિત્રનો આંશિક નિર્દેશ કર્યો છે. વિસ્તારથી જાણવાની રૂચિવાળી જીવો ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, ચઉપન્ન મહાપુરૂષ ચરિયું તથા દરેક તીર્થકરના અલગ-અલગ ચરિત્રના વિશિષ્ટ ગ્રંથો ઉપલબ્ધ છે તેનો અભ્યાસ કરી પ્રભુ પ્રત્યેના ભક્તિભાવને અંતરમાં વસાવી આત્મહિત સાધો એ જ અભ્યર્થના... પરમનું પાવન સ્મરણ જ ૮૭ ઋ
Page #107
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
નં.
તીર્થકર નામ
ચ્યવન સ્થાન | ચ્યવન નક્ષત્ર | ચ્યવન તિથી
28ષભદેવજી | સર્વાર્થસિદ્ધ | ઉત્તરાષાઢા જેઠવદ-૪ | 2. | અજિતનાથજી | વિજય વિમાન રોહિણી | વૈશાખ સુદ-૧૩ 3. ] સંભવનાથજી | ૯મો દેવલોક | મૃગશીર્ષ ફાગણ સુદ-૮ 4. | અભિનંદન સ્વામી | વિજયવિમાન | અભિજિત | વૈશાખ સુદ-૪ 5. | સુમતિનાથજી વૈજયંતવિમાન મઘા શ્રાવણ સુદ-૨ 6. | પદ્મપ્રભસ્વામી | ૯મું રૈવેયક ચિત્રા | પોષ વદ-૬ 7. સુપાર્શ્વનાથજી | છટ્ટ ગ્રેવેયક | અનુરાધા શ્રાવણ વદ-૮ 8. | ચંદ્રપ્રભસ્વામી |વૈજયંતવિમાન | અનુરાધા ફાગણ વદ-૫ 9. | સુવિધિનાથજી | વૈજયંતવિમાન | મૂળ મહા વદ-૯ 10. | શીતલનાથજી દશમો દેવલોક | પૂર્વાષાઢા | ચૈત્ર વદ-૬ 11. |શ્રેયાંસનાથજી | ૭મો દેવલોક | શ્રવણ વૈશાખ વદ-૬ 12. વાસુપૂજ્ય સ્વામી ૧૦મો દેવલોક || શતભિષા | જેઠ સુદ-૯ 13. | વિમલનાથજી | ૮મો દેવલોક | ઉ. ભાદ્રપદ વૈશાખ વદ-૧૨ 14. | અનંતનાથજી | ૧૦મો દેવલોક | - રેવતી અષાઢ વદ-૭ 15. | ધર્મનાથજી વૈજયંતવિમાન | પુષ્ય વૈશાખ સુદ-૭ 16. | શાંતિનાથજી | સર્વાર્થસિદ્ધ
ભરણી
શ્રાવણ વદ-૭ 17. | કુંથુનાથજી સર્વાર્થસિદ્ધ કૃત્તિકા અષાઢ વદ-૯ 18. | અરનાથજી | ૯મું રૈવેયક રેવતી ફાગણ સુદ-૨ 19. | મલ્લીનાથજી વિજયંત વિમાન | અશ્વિની | ફાગણ સુદ-૪ 20. | મુનિસુવ્રતસ્વામી ૧૦મો દેવલોક શ્રવણ શ્રાવણ સુદ-૧૫ 21. | નમિનાથજી અપરાજિત વિમાન અશ્વિની આસો સુદ-૧૫ 22. | નેમનાથજી અપરાજિત વિમાન | ચિત્રા | આસો સુદ-૧૨ 23. | પાર્શ્વનાથજી |૧૦મો દેવલોક | વિશાખા ફાગણ વદ-૪ 24. મહાવીરસ્વામી ૧૦મો દેવલોક | ઉ. ફાલ્ગની | અષાઢ સુદ-૬
- ૮૮૬
જેને તીર્થંકર ચરિત્ર
Page #108
--------------------------------------------------------------------------
________________
નં. | માતાનું
નામ
મરૂદેવી
વિજયા
1.
2.
3.
4.
5.
મંગળા
6. |સુસીમા
7.
પૃથ્વી
8.
લક્ષ્મણા
9.
રામા
10.
नन्हा
11.
વિષ્ણુ
12. જયા
સેના
સિદ્ધાર્થા
માતાની
ગતિ
મોક્ષ
મોક્ષ
મોક્ષ
મોક્ષ
મોક્ષ
મોક્ષ
મોક્ષ
મોક્ષ
પિતાનું
પિતાની ગર્ભસ્થિતી
નામ
ગતિ
(માસ-દિવસ)
નાભિરાજ નાગકુમાર દેવ
૯-૮||
૮-૨૫
૯-૬
૮-૨૮
૯-૬
૯-૬
૯-૧૬
જિતશત્રુ બીજા દેવલોકે
જિતારી |બીજા દેવલોકે
સંવ૨ |બીજા દેવલોકે
મેઘ
ચોથા દેવલોકે ચોથા દેવલોકે
બીજા દેવલોકે
શ્રીધર |બીજા દેવલોકે
પ્રતિષ્ઠ
બીજા દેવલોકે
મહાસેન|બીજા દેવલોકે
ત્રીજા દેવલોકે
સુગ્રીવ
ત્રીજા દેવલોકે
દ્રઢથ
ત્રીજા દેવલોકે
ત્રીજા દેવલોકે વિષ્ણુરાજ ત્રીજા દેવલોકે
ત્રીજા દેવલોકે ત્રીજા દેવલોકે
પરમનું પાવન સ્મરણ
13. શ્યામા
14. | સુયશા
|ત્રીજા દેવલોકે
ત્રીજા દેવલોકે
15. | સુવ્રતા 16. |અચિરા |ત્રીજા દેવલોકે 17. શ્રી ચોથા દેવલોકે
શૂર
18. |મહાદેવી |ચોથા દેવલોકે | સુદર્શન
19. પ્રભાવતી ચોથા દેવલોકે
વસુપૂજ્ય ત્રીજા દેવલોકે કૃતવર્મા ત્રીજા દેવલોકે
સિંહસેન ત્રીજા દેવલોકે
ત્રીજા દેવલોકે ૮-૨૬
૯-૬
૯-૬
૮-૨૦
૮-૨૧
૯-૬
૮-૨૬
૯-૬
૯-૬
૯-૮
ત્રીજા દેવલોકે
ભાનુ વિશ્વસેન ત્રીજા દેવલોકે
કુંભ
20. પદ્માવતી ચોથા દેવલોકે | સુમિત્ર ચોથા દેવલોકે
21. વપ્રા ચોથા દેવલોકે
વિજય ચોથા દેવલોકે
22.
શિવા
ત્રીજા દેવલોકે
ચોથા દેવલોકે
ચોથા દેવલોકે
સમુદ્રવિજય ચોથા દેવલોકે અશ્વસેન ચોથા દેવલોકે
23.
વામા
24. |દેવાનંદા- મોક્ષે ૠષભદત્ત મોક્ષે
ત્રિશલા બારમા દેવલોકે| સિદ્ધાર્થ બારમા દેવલોકે
૮૯
6-2
6-2
૯-૮
૯-૮
૯-૮
૯-૬
||6--2
Page #109
--------------------------------------------------------------------------
________________
કુલ
નામ
ભવ
૧૩
૩.
મકર
જન્મ જન્મ | જન્મ જન્મ વર્ણનું નગરી | તિથી
નક્ષત્ર | રાશિ 1. | અયોધ્યા | ફાગણ વદ ૮ | ઉત્તરાષાઢા | ધન ||1. પીળો
| અયોધ્યા | મહા સુદ ૮ | રોહિણી | પૃષભ ||2. | પીળો | | 3 | શ્રાવસ્તિ | માગસર સુદ ૧૪ | મૃગશીર્ષ | મિથુન ||3. | પીળો | ૩
| અયોધ્યા | મહા સુદ ૮ | અભિજિત | મિથુન ||4. 5. | અયોધ્યા | વૈશાખ સુદ ૮ ] મઘા | સિંહ | | 6. | કૌશાંબી | આસો વદ ૧૨ | ચિત્રા | કન્યા ||6. | લાલ |
7. | વારાણસી જેઠ સુદ ૧૨ | વિશાખા | તુલા | 7. | પીળો | | 8 | ચંદ્રાનના | માગસર વદ ૧૨ | અનુરાધા |વૃશ્ચિક 8. | સફેદ |
9. | કાકંદી | કારતક વદ ૫ | મૂળ ધન II9. | સફેદ | ૩ 10. | દિલપુર, પોષ વદ ૧૨ | પૂર્વાષાઢા | ધન II10. | પીળો | ૩ 11. | સિંહપુર | મહા વદ ૧૨ | શ્રવણ
11. | પીળો | ૩ 12. | ચંપાપુરી મહાવદ ૧૪ | શતભિષા | કુંભ
12. | લાલ | 13 | કાંપિલ્યપુર મહા સુદ ૩ | ઉ. ભાદ્રપદ | મીન 13. | પીળો | ૩ 14. અયોધ્યા | ચૈત્ર વદ ૧૩ [ રેવતી | મીન 14. | પીળો | ૩ 15. | રનપુર | મહા સુદ ૩ | પુષ્ય | કર્ક | 15. | પીળો | ૩. | 16. હસ્તિનાપુર વૈશાખ વદ ૧૩ | ભરણી | મેષ | 16. | પીળો | ૧૨ 17. હસ્તિનાપુર ચૈત્ર વદ ૧૪ | કૃત્તિકા વૃશ્ચિક ||17.
17. | પીળો | ૩ 18. હિસ્તિનાપુર માગસર સુદ ૧૦ | રેવતી | મીન 18. | પીળો | ૩ 19 | મિથિલા | માગસર સુદ ૧૧ | અશ્વિની | મકર | 19. | લીલો | ૩ | 20 | રાજગૃહી | વૈશાખ વદ ૮ | શ્રવણ | મકર Il20.
21. | મિથિલા | અષાઢ વદ ૮ | અશ્વિની | મેષ | 21. | પીળો | ૩ | 2. | સૂર્યપુર | શ્રાવણ સુદ ૫ | ચિત્રા | કન્યા Il22. / શ્યામ | ૯ 23. | વારાણસી | માગસર વદ ૧૦, વિશાખા | તુલા 23. | લીલો | ૧૦ 24 | ક્ષત્રિયકુંડ | ચૈત્ર સુદ ૧૩ ઉ. ફાલ્ગની | કન્યા) 2િ4. | પીળો | ૨૭
3
ITI
યામ
( ૯૦
જૈન તીર્થકર ચરિત્ર
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉત્સધાં ગુલ
| اه اه اه اه اه
૧ ૮
૧
૨
પત્નીનું
સંતાન
કુલ આયુષ્ય નામ
સંખ્યા સુનંદા, સુમંગલા ૫૦૦ ધનુષ || ૧૦૦ પુત્ર, પુત્રી ૮૪ લાખ પૂર્વ મનોરમા ૪પ૦ ધનુષ
૭૨ લાખ પૂર્વ ત્રિલોચના ૪૦૦ ધનુષ |
૬૦ લાખ પૂર્વ | રંભા ૩૫૦ ધનુષ |
૫૦ લાખ પૂર્વ રિવતી પ્રમુખ ૮ ૩૦૦ ધનુષ
T૪૦ લાખ પૂર્વ | લક્ષ્મી
૨૫૦ ધનુષ | ૧ ૩ [૩૦ લાખ પૂર્વ પ્રિયદર્શના ૨૦૦ ધનુષ
| ૨૦ લાખ પૂર્વ અનેક રાજકન્યા ૧૫૦ ધનુષ
૧૦ લાખ પૂર્વ સોમદત્તા ૧૦૦ ધનુષ |
૧૯
૨ લાખ પૂર્વ ચંદ્રકાંતા ૯૦ ધનુષ
૧ લાખ પૂર્વ સુશીલા ૮૦ ધનુષ
૮૪ લાખ વર્ષ અભિરામા ૭૦ ધનુષ
૭૨ લાખ વર્ષ શ્રીકાંતા ૬૦ ધનુષ
૬૦ લાખ વર્ષ | કમલાદેવી ૫૦ ધનુષ ૮૮ ૩૦ લાખ વર્ષ સુનંદા
૪૫ ધનુષ - ૧૯ ૧૦ લાખ વર્ષ વિજયા પ્રમુખ ૬૪ હજાર ૪૦ ધનુષ દોઢ કરોડ ૧ લાખ વર્ષ કૃષ્ણાશ્રીપ્રમુખ ૬૪ હજાર ૩૫ ધનુષ દોઢ કરોડ ૯૫ હજાર વર્ષ | સુરશ્રી પ્રમુખ ૬૪ હજાર ૩૦ ધનુષ સવા કરોડ | ૮૪ હજાર વર્ષ
– ૫૫ હજાર વર્ષT મનજીતા ૨૦ ધનુષ
૩૦ હજાર વર્ષ | આનંદા ૧૫ ધનુષ
૧૦ હજાર વર્ષ
૧૦૦૦ વર્ષ પ્રભાવતી ૯ હાથ
૧૦૦ વર્ષ યશોદા
૭ હાથ | ૧ પુત્રી - ૭૨ વર્ષ
–
૧
૧
પરમનું પાવન સ્મરણ
૯૧
Page #111
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ પર્યાય દીક્ષા તિથી | દીક્ષા નક્ષત્ર 1. |૮૩ લાખ પૂર્વ
ફાગણ વદ ૮ | ઉત્તરાષાઢા 2. | ૭૧ લાખ પૂર્વ + ૧ પૂર્વાગ મહા સુદ ૯ - રોહિણી 3 |૫૯ લાખ પૂર્વ + ૪ પૂર્વાગ | માગસર સુદ પૂનમ મૃગશીર્ષ 4. |૪૯ લાખ પૂર્વ + ૮ પૂર્વાગ | મહા સુદ ૧૨ અભિજીત 5. |૩૯ લાખ પૂર્વ + ૧૨ પૂર્વાગ વૈશાખ સુદ ૯ મઘા 6. | ૨૯ લાખ પૂર્વ + ૧૬ પૂર્વાગ આસો વદ ૧૩ ચિત્રા 7. | ૧૯ લાખ પૂર્વ + ૨૦ પૂર્વાગ જેઠ સુદ ૧૩ અનુરાધા 8. |૯ લાખ પૂર્વ + ૨૪ પૂર્વાગ | માગસર વદ ૧૩ અનુરાધા ૭. |૧ લાખ પૂર્વ + ૨૮ પૂર્વાગ | કારતક વદ ૬ મૂળ 10. | ૭૫ હજાર પૂર્વ
પોષ વદ ૧૨ પૂર્વાષાઢા 11. ૬૩ લાખ વર્ષ
મહા વદ ૧૩. શ્રવણ 12. | ૧૮ લાખ વર્ષ
મહા વદ અમાસ શતભિષા 13. I૪૫ લાખ વર્ષ
મહા સુદ ૪ | ઉ. ભાદ્રપદ 14. સાડા૨૨ લાખ વર્ષ
ચૈત્ર વદ ૧૪ રેવતી 15. સાડા સાત લાખ વર્ષ
મહા સુદ ૧૩ પુષ્ય 16. | ૭૫૦૦૦ વર્ષ
વૈશાખ વદ ૧૪ ભરણી ૭૧૨૫૦ વર્ષ
ચૈત્ર વદ ૫
કૃત્તિકા 18. ૬૩૦૦૦ વર્ષ
માગસર સુદ ૧૧ રેવતી 19. | ૧૦૦ વર્ષ
માગસર સુદ ૧૧ અશ્વિની 20. |૨૨૫૦૦ વર્ષ
ફાગણ સુદ ૧૨ શ્રવણ 21. | ૭૫૦૦ વર્ષ
જેઠ વદ ૯ અશ્વિની 22. [૩૦૦ વર્ષ
શ્રાવણ સુદ ૬ ચિત્રા 23. |૩૦ વર્ષ
માગસર વદ ૧૧ વિશાખા 24. T૩૦ વર્ષ
કારતક વદ ૧૦ | ઉત્તરાષાઢા
મહા વદ ૧૩
શ્રવણ
17. |
( ૯૨ 5
જૈન તીર્થકર ચરિત્ર
Page #112
--------------------------------------------------------------------------
________________
દીક્ષા નગર
દીક્ષા વન
દિક્ષા વૃક્ષ | દીક્ષા શિબિકા
સિદ્ધાર્થ
વટ
| |
સહ સામ્ર
સદ્ધચ્છદ.
સુદર્શના સુપ્રભા સિદ્ધાર્થી અર્થસિદ્ધ
સહ સામ્ર
પ્રિયાલ પ્રિયંગુ
સહસામ્ર
સહ સામ્ર
શાલ
સહસ્સામ્ર
સહસ્ત્રાષ્ટ્ર સહસ્રામ્ર
સહ સામ્ર
સહસ્ત્રા
સહ સામ્ર
સહ સામ્ર
વિનીતા અયોધ્યા શ્રાવસ્તિ અયોધ્યા અયોધ્યા કૌશાંબી વારાણસી ચંદ્રાનના કાકન્દી ભક્િલપુર | સિંહપુર ચંપાપુરી કાંપિલ્યપુર અયોધ્યા રત્નપુર હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર મિથિલા રાજગૃહિ મિથિલા દ્વારિકા
વારાણસી 24 | ક્ષત્રિયકુંડ
છત્રાક શિરીષ નાગ શાલી પ્રિયંગુ તંદુલ પાડલ જંબૂ અશોક દધિપર્ણ નંદી કદંબ સહકાર
અભયેકરા નિવૃત્તિકરા મનોહરા મનોરમા સુરપ્રભા ચંદ્રપ્રભા વિમલપ્રભા
પૃથ્વી દેવદત્તા સાગરદત્તા નાગદત્તા સર્વાર્થી વિજયા વૈજયંતિ જયંતિ
સહસ્રાષ્ટ્ર
14.
સહસ્સામ્ર
16.
સહ સામ્ર
સહસ્રાઝ
સહ સામ્ર
સહસ્રામ્ર
અશોક
20.
સહસામ્ર નીલગૃહ સહસ્ત્રામ
21.
22.
સહ સામ્ર
ચંપક બિકુલ વેતસ ધાતકી શાલી
અપરાજિતા દેવકુરૂ ઉત્તરકુરૂ વિશાખા ચંદ્રપ્રભા
23.
આશ્રમ જ્ઞાતખંડવન
પરમનું પાવન સ્મરણ
૯૩
Page #113
--------------------------------------------------------------------------
________________
દીક્ષા તપ | છ8
છઠ્ઠ
છ8
છ8 એકાસણું
છ8
છ8
છઠ્ઠ છઠ્ઠ
-
છઠ્ઠ
છ8 12.] ૧ ઉપવાસ
છઠ્ઠ
સહ દીક્ષા
દીક્ષા પર્યાય ૪૦૦૦ ૧ લાખ પૂર્વ ૧૦૦૦ | ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાગજૂન ૧૦૦૦. | ૧ લાખ પૂર્વમાં ૪ પૂર્વાગચૂન ૧૦૦૦ | ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વાગજૂન ૧૦૦૦ | ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વાગચૂન ૧૦૦૦ | ૧ લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાગજૂન ૧૦૦૦ ૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વાગજૂન | ૧૦૦૦ | ૧ લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાગચૂન | ૧૦૦૦ | ૧ લાખ પૂર્વમાં ૨૮ પૂર્વાગજૂન ૧૦૦૦ | ૨૫ હજાર પૂર્વ ૧૦૦૦. ૨૧ લાખ વર્ષ ૬૦૦ | ૫૪ લાખ વર્ષ ૧૦૦૦ ૧૫ લાખ વર્ષ ૧૦૦૦ સાડા સાત લાખ વર્ષ ૧૦૦૦
| અઢી લાખ વર્ષ ૧૦૦૦ ૨૫ હજાર વર્ષ ૧૦૦૦ ૨૩,૭૫૦ વર્ષ ૧૦૦૦ | ૨૧ હજાર વર્ષ ૩૦૦ સ્ત્રી,
૫૪૯૦૦ વર્ષ ૧૦૦૦ પુરૂષ ૧૦૦૦
| ૭૫૦૦ વર્ષ ૧૦૦૦ . ૨૫૦૦ વર્ષ ૧૦૦૦ ૭૦૦ વર્ષ ૩૦૦ | ૭૦ વર્ષ એકાકી | ૪૨ વર્ષ -
14.
છ8
15.
16.
છઠ્ઠ છઠ્ઠ છઠ્ઠ
17.
18.
છ8
અટ્ટમ
છ8
21. | 22. |
છઠ્ઠ છઠ્ઠ અટ્ટમ
24.
છ8
( ૯૪
*
જૈન તીર્થકર ચરિત્ર
Page #114
--------------------------------------------------------------------------
________________
ગતિ
મોક્ષ મોક્ષ
ખીર
(નં. | પ્રથમ પારણાંની | પ્રથમ ભિક્ષા પ્રથમ ભિક્ષા દાતાની
નગરી દાતા | પારણું 1. | હસ્તિનાપુર શ્રેયાંસકુમાર, ઇશુરસ | તે જ ભવે મોક્ષ 2. | અયોધ્યા બ્રહ્મદત્ત પરમાન્ન (ખીર) |’ મોક્ષ 3. | શ્રાવસ્તિ
સુરેન્દ્રદત્ત ખીર 4. | અયોધ્યા
ઈન્દ્રદત્ત 5. | વિજયપુર
પદ્મ ખીર
મોક્ષ 16. | બ્રહ્મસ્થલ
સોમદત્ત ખીર મોક્ષ 7. | પાટલીખંડ મહેન્દ્ર ખીર
મોક્ષ 8. | પાખંડ સોમદત્ત ખીર
મોક્ષ 9. 1 શ્વેતપુર
પુષ્પરાજા ખીર ત્રીજેભવે મોક્ષ 10. | રિખપુર
પુનર્વસુ ખીર | ત્રીજે ભવે મોક્ષ 11. | સિદ્ધાર્થપુર
નંદ
ખીર ત્રીજભવે મોક્ષ 12. | મહાપુર
સુનદ ખીર ત્રીજેભવે મોક્ષ ધાન્યકુટ
જય
ખીર ત્રીજભવે મોક્ષ 14. વર્ધમાનપુર વિજય ખીર ત્રીજભવે મોક્ષ 15. | સોમનસપુર ધર્મસિંહ ખીર ત્રીજભવે મોક્ષ 16. મંદિરપુર
સુમિત્ર ખીર ત્રીજભવે મોક્ષ 17. ચક્રપુર
વ્યાધ્રસિંહ ખીર | ત્રીજભવે મોક્ષ 18. | રાજગૃહિ
અપરાજિત ખીર ત્રીજભવે મોક્ષ 19. | મિથીલા
વિશ્વસેન ખીર ત્રીજેભવે મોક્ષ 20. | રાજગૃહિ
બ્રહ્મદત્ત |--
ખીર ત્રીજે ભવે મોક્ષ 21. | વીરપુર
हत्त
ખીર ત્રીજે ભવે મોક્ષ 22. | દ્વારવતી વરદત્ત બ્રાહ્મણ ખીર ત્રીજભવે મોક્ષ 23. | કોષ્ટક
ધન્યગૃહસ્થ | ખીર ત્રીજભવે મોક્ષ 24 | કોલ્લાક | બહુલ બ્રાહ્મણ ખીર
ત્રીજભવે મોક્ષ
પરમનું પાવન સ્મરણ
૯૫
%
Page #115
--------------------------------------------------------------------------
________________
નં.
કેવલજ્ઞાન તિથી
1. મહાવદ-૧૧
2. | પોષ સુદ-૧૧
૩. | આસો વદ-૫
કેવલજ્ઞાન
નક્ષત્ર
12.
મહા સુદ-૨
13.| પોષ સુદ-૬ 14. | ચૈત્ર વદ-૧૪
ઉત્તરાષાઢા
રોહિણી
મૃગશીર્ષ
અભિજિત
4. | પોષ સુદ-૧૪ 5. | ચૈત્ર સુદ-૧૧
મા
6. | ચૈત્ર સુદ-૧૫
ચિત્રા
7.
મહા વદ-૬
વિશાખા
8.
મહા વદ-૭
અનુરાધા
9.
કારતક સુદ-૩
મૂળ
10.
માગસર વદ-૧૪ પુર્વાષાઢા
11. | પોષ અમાસ
શ્રવણ
શતભિષા
ઉ.ભાદ્રપદ
રેવતી
15. | પોષ સુદ-૧૫
પુષ્ય
ભરણી
કૃત્તિકા
16. | પોષ સુદ-૯ 17.| ચૈત્ર સુદ-૩ 18. કારતક સુદ-૧૨| રેવતી 19. | માગસર સુદ-૧૧ અશ્વિની
20. માગસર સુદ-૧૩ શ્રવણ 21. માગસર સુદ-૧૧ અશ્વિની
22. | ભાદરવો અમાસ ચિત્રા
કેવલજ્ઞાન કેટલા સાથે
૯૬
૧૦,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૩૩૩
૫૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૬૦૦
૭૦૦
૭૦૦
८००
002
૧,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૧,૦૦૦
૫૩૬
૫૪
23.
ફાગણ વદ-૪ વિશાખા
24. વૈશાખ સુદ-૧૦ ઉત્તરા ફાલ્ગુની | એકલા
કેવલજ્ઞાન
તપ
૧૦,૦૦૦
અઠ્ઠમ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
એક ઉપવાસ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
છઠ્ઠ
અઠ્ઠમ
છઠ્ઠ
છઠ્ઠ
અઠ્ઠમ
અઠ્ઠમ
છઠ્ઠ
જૈન તીર્થંકર ચરિત્ર
Page #116
--------------------------------------------------------------------------
________________
વડ
કેવલજ્ઞાન
જ્ઞાન કેવલજ્ઞાન છવાસ્થકાળ નગરી ભૂમિ વૃક્ષ અયોધ્યા શકટમુખ || વટ (ન્યગ્રોધ)| ૧૦૦૦ વર્ષ અયોધ્યા સહ સામ્ર સપ્તચ્છેદ ૧૨ વર્ષ શ્રાવસ્તિ સહસ્સામ્ર શાલ ૧૪ વર્ષ અયોધ્યા સહસ્રાષ્ટ્ર
રાયણ ૧૮ વર્ષ અયોધ્યા સહસ્સામ્ર પ્રિયંગુ ૨૦ વર્ષ કૌશાંબી સહસ્સામ્ર
૬ માસ વારાણસી સહસ્સામ્ર શિરીષ ૯ માસ ચંદ્રાનના સહસ્સામ્ર પુત્રાગ ૩ માસ કાકન્દી સહસ્રામ માલૂર ૪ માસ ભદિલપુર સહસ્રમ્ર પીપળો ૩ માસ સિંહપુર સહસ્સામ્ર અશોક ૨ માસ ચંપાપુરી વિહારગૃહ ગુલાબ ૧ માસ કાંડિલ્યપુર સહસ્સામ્ર જાંબુ ૨ માસ અયોધ્યા સહસામ્ર અશોક
૩ વર્ષ 15. રત્નપુર વપ્રકાંચન દધિપર્ણ ( ૨ વર્ષ 16. હસ્તિનાપુર સહસામ્ર
નંદી
૧ વર્ષ હસ્તિનાપુર સહ સામ્ર
૧૬ વર્ષ 18. હસ્તિનાપુર સહસ્સામ્ર આંબો ૩ વર્ષ 19.| મિથિલા સહસાગ્ર
| ત્રીજે પહોરે રાજગૃહિ નીલગૃહ
ચંપક
૧૧ માસ મિથિલા સહસ્રાઝ બોરસલી ૯ માસ રૈવતગિરી સહસાવન વેતસ ૫૪ દિવસ
વારાણસી આશ્રમપદ ધાતકી 24. | જૈભિકનગરની | ઋજુવાલિકા, શાલી | સાડાબાર વર્ષ બહાર નદીના કિનારે
| ૧ પખવાડિયું)
12.
13. |
14 |
તિલક
પરમનું પાવન સ્મરણ
જ ૯૭
Page #117
--------------------------------------------------------------------------
________________
નં.
1.
2
3.
+
4.
5.
6.
7.
8.
21.
22.
23.
કેવળજ્ઞાન પર્યાય
24.
૧ લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ન્યૂન
૧ લાખ પૂર્વમાં ૧૨ વર્ષ, ૧ પૂર્વાંગ ન્યૂન ૧ લાખ પૂર્વમાં ૧૪ વર્ષ, ૪ પૂર્વાંગ ન્યૂન
9.
10. | ૨૫,૦૦૦ પૂર્વમાં ૩ માસ ન્યૂન
11.
૨૧ લાખ વર્ષમાં ૨ માસ ન્યૂન
12.
૫૪ લાખ વર્ષમાં ૧ માસ ન્યૂન
13.
૧૫ લાખ વર્ષમાં ૨ માસ ન્યૂન
14. | ૭,૪૯,૯૯૭ વર્ષ
15. | ૨,૪૯,૯૯૮,વર્ષ
16. | ૨૪,૯૯૯ વર્ષ
17.
૨૩,૭૩૪ વર્ષ
18. | ૨૦,૯૯૭ વર્ષ
19. | ૫૪,૯૦૦ વર્ષ
20.
૧ લાખ પૂર્વમાં ૧૮ વર્ષ, ૧૨ પૂર્વાંગ ન્યૂન
૧ લાખ પૂર્વમાં ૨૦ વર્ષ, ૧૬ પૂર્વાંગ ન્યૂન
૧ લાખ પૂર્વમાં ૬ માસ, ૨૦ પૂર્વાંગ ન્યૂન
૧ લાખ પૂર્વમાં ૯ માસ, ૨૪ પૂર્વાંગ ન્યૂન
૧ લાખ પૂર્વમાં ૩ માસ, ૨૮ પૂર્વાંગ ન્યૂન
કુસુમદેવ
માતંગદેવ
વિજયદેવ
૧ લાખ પૂર્વમાં ૪ માસ, ૧૬ પૂર્વાંગ ન્યૂન અજિતદેવ
બ્રહ્મદેવ
ઈશ્વરદેવ
૭૫૦૦ વર્ષમાં ૧૧ માસ ન્યૂન
૨૫૦૦ વર્ષમાં ૯ માસ ન્યૂન
૭૦૦ વર્ષમાં કંઈક ન્યૂન
૭૦ વર્ષમાં કંઈક ન્યૂન
૨૯ વર્ષ સાડા પાંચ મહિના
શાસન દેવ (યક્ષ)
૯૮
ગોમુખ
| મહાયક્ષદેવ
ત્રિમુખદેવ
યક્ષેશ્વરદેવ
તુંબરૂદેવ
કુમારદેવ
ષભુખદેવ
પાતાલદેવ
કિન્નરદેવ
ગરૂડદેવ
ગંધર્વદેવ
શાસન દેવ
વર્ણ
ભૃકૂટીદેવ
ગોમેધદેવ
પાર્શ્વદેવ
માતંગદેવ
સુવર્ણ
શ્યામ
શ્યામ
શ્યામ
નીલ
શ્વેત
શ્યામ
નીલ
શ્વેત
શ્વેત
શ્વેત
શ્યામ
શ્વેત
રાતો
રાતો
શ્યામ
શ્યામ
ષભુખદેવ
શ્યામ
કુબેરદેવ ઇન્દ્રધનુષ્ય જેવો
વરૂણદેવ
શ્વેત
સુવર્ણ
શ્યામ
શ્યામ
શ્યામ
જૈન તીર્થંકર ચરિત્ર
Page #118
--------------------------------------------------------------------------
________________
નં. વાહન
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
N | O | ≠ | O O | N
18.
19.
20.
21.
22.
23.
24.
હાથી
હાથી
મયુર
હાથી
મૃગ
ગરૂડ
હાથી
હંસ
કાચબો
મયૂર
૧
૧
૧
૧
૧
૧
પદ્માસન ૪
વૃષભ ૧
હંસ ૧
મગર
કાચબો
મુખ
સુવર
૧
૪
|જી |
પરમનું પાવન સ્મરણ
૬
| P | જી
૧
ܩ | ܩ
રથ
શંખ
૬
હાથી ૪
૧
વૃષભ
વૃષભ ૪
પુરૂષ ૩
કાચબો
૧
હાથી
૧
શાસન દેવી
(યક્ષીણી)
ચક્રેશ્વરી દેવી
અજિતબલા
દુરિતારી દેવી
કાલિકા દેવી
મહાકાલી દેવી
અચ્યુતાદેવી
શાન્તાદેવી
ભ્રુકુટીદેવી
સુતારાદેવી
અશોકાદેવી
માનવીદેવી
ચંદ્રાદેવી
વિદિતાદેવી
અંકુશાદેવી
કંદર્પદવી
નિર્વાણીદેવી
બલાદેવી
ધારિણીદેવી
વૈરોટ્યાદેવી
નરદત્તાદેવી
ગાંધારીદેવી
અંબિકાદેવી
પદ્માવતીદેવી
સિદ્ધાયિકા દેવી
૯૯
|શાસનદેવી
વર્ણ
સુવર્ણ
સુવર્ણ
ગૌર
શ્યામ
સુવર્ણ
શ્યામ
સુવર્ણ
પીળો
ગૌર
નીલ
ગૌર
શાસનદેવી
વાહન
શ્યામ
સુવર્ણ
ગૌર
ગૌર
ગૌર
ગૌર
નીલ
ગરૂડ
લોહાસન
બકરો (મેષ)
કમળ
કમળ
મનુષ્ય
હાથી
હંસ
બળદ
મેઘના કમળ
સિંહ
અશ્વ
કમળ
કમળ
મત્સ્ય
કમળ
મયૂર
કમળ
શ્યામ
કમળ
ગૌર
ભદ્રાસન
શ્વેત
હંસ
સુવર્ણ
સિંહ
સુવર્ણ કુર્સ્ટ (સર્પજાતિ)
નીલ
સિંહ
Page #119
--------------------------------------------------------------------------
________________
નં.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
+
પ્રથમ શિષ્ય
ઋષભસેન
સિંહસેન
1.
2.
3.
ચારૂ
4.
વજ્રનાભ અજિતા
5.
અમર
6.
સુવ્રત
7.
વિદર્ભ
8.
દિન્ન
9.
વરાહ
10. આનંદ
11.
ગૌસ્તુભ
12.
સુધર્મ
13.
મંદર
NK | š
યશ
અરિષ્ઠ
ચક્રાયુધ
સ્વયંભૂ
કુંભ
इन्द्र
કુંભ
શુભ
નરદત્ત
પ્રથમ શિષ્યા
બ્રાહ્મી
ફલ્ગુ
શ્યામા
દિશ
ઈન્દ્રભૂતિ
કુલ શ્રાવક
૩,૫૦,૦૦૦
૨,૯૮,૦૦૦
૨,૯૩,૦૦૦
૬,૩૬,૦૦૦
૨,૮૮,૦૦૦
૫,૨૭,૦૦૦
૨,૮૧,૦૦
૫,૧૬,૦૦૦
૨,૭૬,૦૦૦
૫,૦૫,૦૦૦
૨,૫૭,૦૦૦
૪,૯૩,૦૦૦
૨,૫૦,૦૦૦ ૪,૯૧,૦૦૦
૨,૨૯,૦૦૦
૪,૭૨,૦૦૦
સુલસા
૨,૮૯,૦૦૦
૪,૫૮,૦૦૦
ધારિણી
૨,૭૯,૦૦૦
૪,૪૮,૦૦૦
ધારિણી
૨,૧૫,૦૦૦
૪,૩૬,૦૦૦
શિવા
૨,૦૮,૦૦૦
૪,૩૪,૦૦૦
ચિ
૨,૦૬,૦૦૦
૪,૧૪,૦૦૦
અંજુકા
૨,૦૪,૦૦૦ ૪,૧૩,૦૦૦
ભાવિતા
૨,૯૦,૦૦૦
૩,૯૩,૦૦૦
રક્ષિતા
૧,૭૯,૦૦૦
૩,૮૧,૦૦૦
રક્ષિકા
૧,૮૪,૦૦૦
૩,૭૨,૦૦૦
બંધુમતી
૧,૮૩,૦૦૦
૩,૭૦,૦૦૦
પુષ્પવતી
૧,૭૨,૦૦૦
૩,૫૦,૦૦૦
અમલા
૧,૭૦,૦૦૦
૩,૪૮,૦૦૦
યક્ષિણી ૧,૬૯,૦૦૦ ૩,૩૯,૦૦૦
પુષ્પચૂલા ૧,૬૪,૦૦૦ ૩,૭૭,૦૦૦
ચંદના
૧,૫૯,૦૦૦ ૩,૧૮,૦૦૦
કાશ્યપી
ચિંત
સોમા
સુમના
વારૂણી
કુલ શ્રાવિકા
૫,૫૪,૦૦૦
૫,૪૫,૦૦૦
૧૦૦
જૈન તીર્થંકર ચરિત્ર
Page #120
--------------------------------------------------------------------------
________________
કુલ સાધુજી | કુલ સાધ્વીજી | કેવળજ્ઞાની મન:પર્યવ અવધિ
સાધુ | જ્ઞાની | જ્ઞાની | 1. | ૮૪,૦૦૦ |૩,૦૦,૦૦૦ ૨૦,૦૦૦ ૧૨,૭૫૦/ ૯,૦૦૦ | 2. [૧,૦૦,૦૦૦ ૩,૩૦,૦૦૦ ૨૨,૦૦૦ ૧૨,૫૫૦ ૯,૪૦૦ | 3. | ૨,૦૦,૦૦૦/૩,૩૬,૦૦૦ ૧૫,૦૦૦ / ૧૨,૧૫૦/ ૯,૬૦૦ | 4. ૩,૦૦,૦૦૦ ૬,૩૦,૦૦૦ ૧૪,૦૦૦ / ૧૧,૬૫૦ ૯,૮૦૦ 5. |૩, ૨૦,૦૦૦/૫,૩૦,૦૦૦] ૧૩,૦૦૦|૧૦,૪૫૦૧૧,૦૦૦ 6. [૩,૩૦,૦૦૦૪, ૨૦,૦૦૦ ૧૨,૦૦૦] ૧૦,૩૦૦/૧૦,૦૦૦ 7. |૩,૦૦,૦૦૦ ૪,૩૦,૦૦૦ ૧૧,૦૦૦ | ૯,૧૫૦ | ૯,૦૦૦ 8. | ૨,૫૦,૦૦૦/૩,૮૦,૦૦૦] ૧૦,૦૦૦, ૮,૦૦૦ ૮,૦૦૦ 9. [૨,૦૦,૦૦૦ ૧,૨૦,૦૦૦] ૭,૫૦૦ | ૭,૫૦૦ | ૮,૪૦૦ 10. ૧,૦૦,૦૦૦૧,૦૬,૦૦૦૭,૦૦૦ | ૭,૫૦૦ ૭, ૨૦૦ 11. | ૮૪,૦૦૦ ૧,૦૩,૦૦૦ ૬,૫૦૦ | ૬,૦૦૦ | ૬,૦૦૦ 12. [ ૭૨,૦૦૦ ૧,૦૦,૦૦૦/ ૬,૦૦૦ | ૬,૦૦૦ 13.| ૬૮,૦૦૦ ૧,૦૮,૦૦૦ ૫,૫૦૦ | ૫,૫૦૦ ૪,૮૦૦ 14.| ૬૬,૦૦૦ | ૬૨,૦૦૦ | ૫,૦૦૦ | ૫,૦૦૦ | ૪,૩૦૦ 15. | ૬૪,૦૦૦ | ૬૨,૪૦૦ | ૪,૫૦૦ | ૪,૫૦૦ | ૩,૬૦૦ 16. | ૬૨,૦૦૦ | ૬૧,૬૦૦ | ૪,૩૦૦ | ૪,૦૦૦ | ૩,૦૦૦ 17.| ૬૦,૦૦૦ | ૬૦,૬૦૦ | ૩, ૨૩૨ | ૩,૩૪૦ | ૨,૫૦૦. 18. | ૫૦,૦૦૦ | ૬૦,૦૦૦ | ૨,૮૦૦ | ૨,૫૫૧ | ૨,૬૦૦. 19. | ૪૦,૦૦૦ | પપ,૦૦૦ | ૨, ૨૦૦ | ૧,૭૫૦ | ૨, ૨૦૦ 20. | ૩૦,૦૦૦ | ૫૦,૦૦૦ | ૧,૮૦૦ | ૧,૫૦૦ | ૧,૮૦૦ 21. | ૨૦,૦૦૦ | ૪૧,૦૦૦ | ૧,૬૦૦ | ૧, ૨૫૦ | ૧,૬૦૦ | 22. | ૧૮,૦૦૦ | ૩૪,૦૦૦ | ૧,૫૦૦ | ૧,૦૦૦ | ૧,૫૦૦ | 23.| ૧૬,૦૦૦ | ૩૮,૦૦૦ | ૧,૦૦૦ | ૭૫૦ | ૧,૪૦૦ 24. | ૧૪,૦૦૦ | ૩૬,૦૦૦ | ૭૦૦ | ૫૦૦ | ૧,૩૦૦
૪૦૦
પરમનું પાવન સ્મરણ
૧૦૧
Page #121
--------------------------------------------------------------------------
________________
7. |
૯૫
યુદ્ધવીર્યરાજા
૮ ૧
11.
નિં. | કુલ ગણધર કુલ ગણ | મુખ્ય ભક્તરાજા કેવળજ્ઞાની સાધ્વીજી 1. | ૮૪ | ૮૪ | ભરત ચક્રવર્તી ૪૦,૦૦૦ ૯૫.
૯૫ સગર ચક્રવર્તી ૪૪,૦૦૦ ૧૦૨ ૧૦૨
મૃગસેન રાજા | ૩૦,૦૦૦ ૧૧૬ ૧૧૬ ચિત્રવીર્યરાજા ૨૮,૦૦૦ ૧૦૦ ૧૦૦ સત્યવીર્યરાજા | ૨૬,૦૦૦ ૧૦૭ ૧૦૭ અજિતસેન રાજા ૨૪,૦૦૦
૯૫ દાનવીર્ય રાજા ૨૨,૦૦૦ 8. | ૯૩ ૯૩. મઘવારાજા ૨૦,૦૦૦ 9. | ૮૮ ८८
૧૫,૦૦૦ 10. | ૮૧ |
સીમંધરરાજા ૧૪,૦૦૦ 11. | ૭૬
ત્રિપુષ્ઠ વાસુદેવ ૧૩,૦૦૦
દ્વિપૃષ્ઠ વાસુદેવ | ૧૨,૦૦૦
૫૭. સ્વયંભૂવાસુદેવ ૧૧,૦૦૦ 14. ૫૦ ૫૦
૫૦ પુરૂષોત્તમવાસુદેવ ૧૦,૦૦૦ 15. ૪૩ ૪૩. પુરૂષસિંહ વાસુદેવ ૯,૦૦૦ 16. ૩૬ ૩૬ કુણાલરાજા ૮,૬૦૦
૩૫. કુબેરરાજા ૬,૪૦૦ ૩૩.
૩૩ સુભમ ચક્રવતી ૫,૬૦૦ ૨૮
અજીતરાજા ૪,૪૦૦ ૧૮
૧૮ વિજયરાજા ૩,૬૦૦ ૧૭.
૧ ૭. હરિષેણ ચક્રવર્તી ૩, ૨૦૦ 22. ૧૧ | ૧૧ કૃષ્ણવાસુદેવ ૩,૦૦૦ 23. ૧૦
*૧૦ પ્રસન્નજીત રાજા ૨,૦૦૦ [24.| ૧૧ | ૯ | શ્રેણિકરાજા ૧,૪૦૦
12.
12. / ૬૬
13.
13.
૫૭
14.
17.
૩૫
19.
૨૮
20.
21.
1.1 ૧૭
૧૦૨
જૈન તીર્થકર ચરિત્ર
Page #122
--------------------------------------------------------------------------
________________
નિં. વેક્રિય લબ્ધિધારી | ચૌદપૂર્વ | વાદી મુનિ | સામાન્ય મુનિ
૨૦,૬૦૦ | ૪,૭૫૦ ૧૨,૬૫૦ ૪, ૧૬૬ ૨૦,૪૦૦ ૩,૭૨૦ ૧૨,૪૦૦ ૧૯,૪૩૫ ૧૯,૮૦૦ ૨,૧૫૦ ૧૨,૦૦૦ ૧, ૨૯, ૧૯૮ ૧૯,૦૦૦ ૧,૫૦૦ ૧૧,૦૦૦ ૨,૩૨,૯૩૪ ૧૮,૪૦૦ ૨,૪૦૦ ૧૦,૪૫૦ ૨,૫૪, ૨૦૦ ૧૬,૮૦૦ ૨,૩૦૦ ૯,૬૦૦ ૨,૬૯,૫૮૫ ૧૫,૩૦૦ ૨,૦૩૦ ૮,૪૦૦ ૨,૪૫,૦૨૫ ૧૪,૦૦૦ ૨,૦૦૦ ૭,૬૦૦ ૨,૦૦,૩૦૭
૧૩,૦૦૦ ૧,૫૦૦ ૬,૦૦૦ ૧,પ૬,૦૧૨ 10. | ૧૨,૦૦૦ ૧,૪૦૦ ૫,૮૦૦ ૫૯,૦૧૯ 11. | ૧૧,૦૦૦ ૧,૩૦૦ ૫,૦૦૦ ૪૮, ૧૨૪
૧૦,૦૦૦ ૧,૨૦૦ ૪,૭૦૦ ૩૮,૬૩૪
૯,૦૦૦. ૧,૧૦૦ ૩,૬૦૦ ૩૮,૪૪૪ 14. ૮,૦૦૦ ૧,૦૦૦ ૩,૨૦૦. ૩૯,૪૫૦ ૭,૦૦૦ ૯૦૦
૨,૮૦૦ ૪૦,૬૫૭ 16. ૬,૦૦૦ ૮૦૦ ૨,૪૦૦ ૪૧,૪૬૪
૫,૧૦૦ ૬૭૦ ૨,૦૦૦ ૪૩, ૧૨૩ 18. ૭,૩૦૦ ૬૧૦ ૧,૬૦૦ ૩૨,૫૦૬ ૨,૯૦૦
૬૬૮ ૧,૪૦૦ ૨૮,૮૫૪ 20. ૨,૦૦૦ ૫૦૦ ૧, ૨૦૦ ૨૧,૮૮૨ 21. ૫,૦૦૦ ૪૫૦ ૧,૦૦૦ ૯,૦૮૩ ૧,૫૦૦ ૪૦૦ ૮૦૦
૧૧, ૨૮૯ ૧,૧૦૦ ૩૫૦ ૬૦૦ ૧૦,૭૯૦ 24. ૭૦૦ ૩૦૦ ૪૦૦ ૧૦,૦૮૯
12.
15.
17.
19.
22.
23.
પરમનું પાવન સ્મરણ
૧૦૩
*
Page #123
--------------------------------------------------------------------------
________________
11. |
નિ. નિર્વાણ આસન નિર્વાણ તપ નિર્વાણ તિથી નિર્વાણ સમય | 1. | પાસને | ૬ ઉપવાસ પોષ વદ ૧૩ | દિવસના પ્રથમ પ્રહરે 2. | કાયોત્સર્ગ | માસખમણ ચૈત્ર સુદ ૫ | દિવસના પ્રથમ પ્રહરે 3. | કાયોત્સર્ગ | મા ખમણ ચૈત્ર સુદ ૫ દિવસના પાછલા પ્રહરે 4. | કાયોત્સર્ગ | માસખમણ, વૈશાખ સુદ ૮ | દિવસના પ્રથમ પ્રહરે
કાયોત્સર્ગ | મા ખમણ] ચૈત્ર સુદ ૯ | દિવસના પ્રથમ પ્રહરે 6. | કાયોત્સર્ગ | મા ખમણ) કારકત વદ ૧૧ દિવસના પાછલા પ્રહરે | 7. | કાયોત્સર્ગ | માસખમણ) મહા વદ ૭ | દિવસના પ્રથમ પ્રહરે 8. | કાયોત્સર્ગ | મા ખમણ | શ્રાવણ વદ ૭ | દિવસના પ્રથમ પ્રહરે 9. | કાયોત્સર્ગ | | માલખમણ ભાદરવા સુદ ૯ દિવસના પાછલા પ્રહરે 10. | કાયોત્સર્ગ | મા ખમણ ચૈત્ર વદ ૯ | દિવસના પ્રથમ પ્રહરે
માસખમણ | અષાઢ સુદ ૩ | દિવસના પ્રથમ પ્રહરે 12. | કાયોત્સર્ગ | માસખમણ, અષાઢ સુદ ૧૪|દિવસના પાછલા પ્રહરે 13. કાયોત્સર્ગ | મા ખમણ જેઠ વદ ૭ | રાત્રિના પ્રથમ પ્રહરે 14 | કાયોત્સર્ગ | મા ખમણ ચૈત્ર સુદ ૫ | રાત્રિના પ્રથમ પ્રહરે 15. | કાયોત્સર્ગ | માસખમણ જેઠ સુદ ૫ | રાત્રિના પાછલા પ્રહરે | 16. | કાયોત્સર્ગ | મા ખમણ, વૈશાખ વદ ૧૩| રાત્રિના પ્રથમ પ્રહરે
કાયોત્સર્ગ | | મા ખમણ, ચૈત્ર વદ ૧ | રાત્રિના પ્રથમ પ્રહરે 18. | કાયોત્સર્ગ | માસખમણ માગસર વદ ૧૦ રાત્રિના પાછલા પ્રહરે | 19. | કાયોત્સર્ગ | મા ખમણફાગણ સુદ ૧૨ રાત્રિના પ્રથમ પ્રહરે 20. | કાયોત્સર્ગ | માસખમણ, વૈશાખ વદ ૯ | રાત્રિના પ્રથમ પ્રહરે 21. | કાયોત્સર્ગ | માસખમણ, ચૈત્ર વદ ૧૦ | રાત્રિના પ્રથમ પ્રહરે 22. | પદ્માસને | મા ખમણ, અષાઢ સુદ ૮ | રાત્રિના પાછલા પ્રહરે
કાયોત્સર્ગ | મા ખમણ શ્રાવણ સુદ ૮ | રાત્રિના પ્રથમ પ્રહરે 24 પદ્માસને | ૨ ઉપવાસ આસો અમાસ | રાત્રિના પાછલા પ્રહરે
T
/
૧૦૪
જેન તીર્થંકર ચરિત્ર
Page #124
--------------------------------------------------------------------------
________________
નિર્વાણ સાથી
2.
શ્રવણ
નં. નિર્વાણ નક્ષત્ર નિર્વાણ ભૂમિ
અભિજીત અષ્ટાપદપર્વત મૃગશીર્ષ
સમેતશિખર મૃગશીર્ષ | સમેતશિખર | મુખ્ય સમેતશિખર | પુનર્વસુ સમેતશિખર ચિત્રા સમેતશિખર મૂળ સમેતશિખર
સમેતશિખર
સમેતશિખર 10. | પૂર્વાષાઢા સમેતશિખર 11. | ધનિષ્ઠા ચંપાપુરી 12. | ઉ. ભાદ્રપદ સિમેતશિખર 13. / રેવતી/પુષ્ય સિમેતશિખર [14 | રેવતી/પુષ્ય સમેતશિખર
પુષ્ય સમેતશિખર ભરણી સમેતશિખર
કૃત્તિકા સમેતશિખર 18. | રેવતી
સમેતશિખર
૧૦,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૩૦૮ ૫૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૧,૦૦૦ ૬૦૦ ૬,૦૦૦ ૭,૦૦૦ ૧૦૮
15.
16. |
૯૦૦
17
૧,૦૦૦
અશ્વિની
| સમેતશિખર
20. શ્રવણ 21. | અશ્વિની
| ચિત્રા [23. | વિશાખા 24. | સ્વાતિ
૧,૦૦૦ ૫૦૦ સાધુજી, ૫૦૦ સાધ્વીજી ૧,૦૦૦ ૧,૦૦૦ ૫૩૬ ૩૩ એકાકી
સમેતશિખર , સમેતશિખર
ગિરનાર સમેતશિખર | પાવાપુરી
22.
પરમનું પાવન સ્મરણ
૧૦૫
Page #125
--------------------------------------------------------------------------
________________
પર્યાયાન્ત (મોક્ષ મોક્ષગમનકાળ, કેટલી
શાસનકાળ ની શરૂઆત) | પાટપર્યત મોક્ષગયા અંતમૂહુર્ત અસંખ્યાતપાટ ૫૦ લાખ ક્રોડ સાગર ૧ દિવસે સંખ્યાતપાટ
૩૦ લાખ ક્રોડ સાગર 3. |૧ દિવસાદિ સંખ્યાતપાટ ૧૦ લાખ ક્રોડ સાગર 4. |૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯ લાખ ક્રોડ સાગર 5. |૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯૦ હજાર ક્રોડ સાગર 6. ]૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯ હજાર ક્રોડ સાગર 7. ]૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯૦૦ ક્રોડ સાગર 8. I૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯૦ ક્રોડ સાગર |૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯ ક્રોડ સાગરમાં 10. |૧ દિવસાદિ સંખ્યાતપાટ
૧ ક્રોડ સાગરમાં 11. ૧ દિવસાદિ સંખ્યાતપાટ
૧૦૦ સાગર અને 12. ૧ દિવસાદિ સંખ્યાતપાટ ૬૬, ૨૬,૦૦૦ વર્ષ જૂન | 13. T૧ દિવસાદિ સંખ્યાતપાટ
૫૪ સાગર | 14.|૧ દિવસાદિ સંખ્યાતપાટ
૩૦ સાગર 15. (૧ દિવસાદિ સંખ્યાતપાટ
૯ સાગર 16. |૧ દિવસાદિ સંખ્યાતપાટ
૪ સાગર 17. ૧ દિવસાદિ સંખ્યાતપાટ | |૩ સાગરમાં પોણો પલ્ય ન્યૂન 18.7૧ દિવસાદિ સંખ્યાતપાટ
અર્ધા પલ્યોપમ | 19.|૧ દિવસાદિ સંખ્યાતપાટ
પા પલ્યમાં 20. |૧ દિવસાદિ સંખ્યાતપાટ ૧૦૦૦ ક્રોડ વર્ષ જૂન 21. ૧ દિવસાદિ સ ખ્યાતપાટ
૧ હજાર ક્રોડ વર્ષ 22. ૧ દિવસાદિ સંખ્યાતપાટ
૫૪ લાખ વર્ષ 23. J૧ દિવસાદિ સંખ્યાતપાટ
૬ લાખ વર્ષ 24. T૧ દિવસાદિ સંખ્યાતપાટ
૫ લાખ વર્ષ 25. | ૨ વર્ષ ૮ પાટ
૮૩૭૫૦ વર્ષ 26. | ૩ વર્ષ ૪ પાટ
૨૫૦ વર્ષ 27. | ૪ વર્ષ ૩ પાટ
૨૧ હજાર વર્ષ
૧૦૬ 6
જૈન તીર્થકર ચરિત્ર
Page #126
--------------------------------------------------------------------------
________________ नाणं पयासगं GTH શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય શ્રેણિ usleis જૈનમ્ પરિવાર ) mm SHUBHAY Cell:98205 30299