________________
પધાર્યા. છઠ્ઠના તપવાળા ભગવાને કારતક વદ-૧૩ (આસો વદ-૧૩)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૧૦૦૦ રાજાઓની પાસે દીક્ષા લીધી.
બીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં “સોમદેવ” રાજાની પાસે ભીક્ષા ગ્રહણ કરી. પંચ દિવ્ય થયાં. રાજાએ ત્યાં પીઠ બનાવ્યું.
કેવલજ્ઞાન : દીક્ષા પછી છ માસ પસાર થયા પછી ભગવાન ફરીથી પોતાના નગરના સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ્ઠ તપ કરી સ્થિર રહેલાં ભગવાનને ચૈત્ર સુદ-૧૫ના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇન્દ્રો અને માનવી આવ્યાં. સમવસરણની રચના થઇ. તીર્થની સ્થાપના થઇ. કુસુમનામે શાસનદેવ અને અય્યતા નામે યક્ષિણી શાસનદેવી થયાં.
નિર્વાણ કેવલજ્ઞાન થયાં પછી છ માસ અને સોળ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ પસાર થયા બાદ પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં ૧ માસનું અનશન સ્વકારી માગસર વદ-૧૧ (કારતક વદ-૧૧)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ૩૦૮ (મતાંતરે ૧૦૩) સાધુ ભગવંતો સાથે મોક્ષમાં પધાર્યા. દેવ-મનુષ્યોએ નિર્વાણ મહોત્સવ મનાવ્યો.
જ ૩૦
જૈન તીર્થકર ચરિત્ર