________________
વિવાહ અને રાજ્ય : યૌવનમાં પ્રભુનાં લગ્ન થયા. જન્મથી અઢી હજાર વર્ષ જતા પ્રભુએ પિતાનું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ પસાર થયા. ત્યારે પ્રભુના ભોગાવલી કર્મ નાશ પામતા દીક્ષા માટે તત્પર
બન્યા.
દીક્ષા : લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ-પ્રવર્તનની વિનંતિ કરી. ત્યારે પ્રભુએ વરસીદાન દીધું અને દેવકુરૂ નામની શિબિકા વડે પ્રભુ સહસામ્રવન તરફ પધાર્યા. અષાઢ વદ-૯ (જેઠ વદ-૯)ના દિને અશ્વિની નક્ષત્રમાં પાછલા પહોરે છટ્ઠ તપવાળા ભગવાને ૧,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બીજે દિવસે વીરપુર નગરમાં દત્ત બ્રાહ્મણના ઘરે ખીર-પરમાત્ર દ્વારા પારણું કર્યું.
કેવલજ્ઞાન : ૯ માસ સુધી આત્મસાધનાના અનેક આયામોમાંથી પસાર થયા બાદ પ્રભુ પાછા સહસાવનમાં પધાર્યા. ત્યાં બોરસલીના વૃક્ષ નીચે પ્રતિમામાં ઉભા રહેલ ૫રમાત્માને માગસર સુદ-૧૧ના દિને અશ્વિની નક્ષત્રમાં કેવલજ્ઞાન ઉપજ્યું. દેવોએ સમવસરણ વિરચ્યું. પ્રભુએ દેશના દીધી. તીર્થ સ્થપાયું. ભ્રુફુટી નામે યક્ષ અને ગાંધારી નામે યક્ષિણી શાસનદેવતા બન્યાં.
નિર્વાણ ઃ છ માસ ન્યૂન અઢી હજાર વર્ષ સુધી નિરંતર પૃથ્વીતલ પર વિચરતા પ્રભુ અંતે સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ની સાથે અનશન સ્વીકારી ૧ માસને અંતે વૈશાખ વદ-૧૦ (ચૈત્ર વદ-૧૦) અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યાં.
પ્રભુના શાસનમાં જ ૧૦ મા હરિષેણ ચક્રવર્તી અને ૧૧મા જય નામના ચક્રવર્તી થયા હતા.
પરમનું પાવન સ્મરણ
૬૬