SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાહ અને રાજ્ય : યૌવનમાં પ્રભુનાં લગ્ન થયા. જન્મથી અઢી હજાર વર્ષ જતા પ્રભુએ પિતાનું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ પસાર થયા. ત્યારે પ્રભુના ભોગાવલી કર્મ નાશ પામતા દીક્ષા માટે તત્પર બન્યા. દીક્ષા : લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ-પ્રવર્તનની વિનંતિ કરી. ત્યારે પ્રભુએ વરસીદાન દીધું અને દેવકુરૂ નામની શિબિકા વડે પ્રભુ સહસામ્રવન તરફ પધાર્યા. અષાઢ વદ-૯ (જેઠ વદ-૯)ના દિને અશ્વિની નક્ષત્રમાં પાછલા પહોરે છટ્ઠ તપવાળા ભગવાને ૧,૦૦૦ રાજાઓ સાથે દીક્ષા લીધી. બીજે દિવસે વીરપુર નગરમાં દત્ત બ્રાહ્મણના ઘરે ખીર-પરમાત્ર દ્વારા પારણું કર્યું. કેવલજ્ઞાન : ૯ માસ સુધી આત્મસાધનાના અનેક આયામોમાંથી પસાર થયા બાદ પ્રભુ પાછા સહસાવનમાં પધાર્યા. ત્યાં બોરસલીના વૃક્ષ નીચે પ્રતિમામાં ઉભા રહેલ ૫રમાત્માને માગસર સુદ-૧૧ના દિને અશ્વિની નક્ષત્રમાં કેવલજ્ઞાન ઉપજ્યું. દેવોએ સમવસરણ વિરચ્યું. પ્રભુએ દેશના દીધી. તીર્થ સ્થપાયું. ભ્રુફુટી નામે યક્ષ અને ગાંધારી નામે યક્ષિણી શાસનદેવતા બન્યાં. નિર્વાણ ઃ છ માસ ન્યૂન અઢી હજાર વર્ષ સુધી નિરંતર પૃથ્વીતલ પર વિચરતા પ્રભુ અંતે સમ્મેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ની સાથે અનશન સ્વીકારી ૧ માસને અંતે વૈશાખ વદ-૧૦ (ચૈત્ર વદ-૧૦) અશ્વિની નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યાં. પ્રભુના શાસનમાં જ ૧૦ મા હરિષેણ ચક્રવર્તી અને ૧૧મા જય નામના ચક્રવર્તી થયા હતા. પરમનું પાવન સ્મરણ ૬૬
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy