________________
ભગવાન જ્યારે દ્વારિકામાં પધાર્યાં. ત્યારે તૃતીય વાસુદેવ સ્વયંભૂ અને બલદેવ ભદ્ર પણ દેશનામાં આવ્યો. તેમણે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. સંસાર અલ્પ કર્યો.
નિર્વાણ : બે લાખ વર્ષ ન્યૂન પંદર લાખ વર્ષ સુધી ધરતી પર અનેક ભવ્યજીવોનો ઉદ્ધાર કરી અંતે પ્રભુ સમ્મેતશિખર પધાર્યા. છ હજાર સાધુ ભગવંતો સાથે ૧ માસનું અનશન સ્વીકારી અષાઢ વદ-૭ (જેઠ વદ-૭)નાં દિને પુષ્યનક્ષત્રમાં ભગવાન બધા મુનિઓની સાથે અજ૨-અમર-અવ્યય પદને પામ્યાં.
૪૬
જૈન તીર્થંકર ચરિત્ર