________________
દીક્ષા: હવે લોકાંતિક દેવોથી વિનવાયેલાં પ્રભુએ ૧૦૦ વર્ષની વયે વર્ષીદાન દઈ જયંતી શિબિકામાં બેસી સહસ્ત્રાપ્રવનમાં બાહ્ય પરિવારરૂપ ૧૦૦૦ પુરૂષો અને અત્યંતર પર્ષદારૂપ ૩૦૦ સ્ત્રીઓ સાથે માગસર સુદ-૧૧ નાં દિવસે અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ સહિત દીક્ષાને ગ્રહણ કરી.
કેવલજ્ઞાન : પ્રાત:કાળે પ્રભુએ દીક્ષા સ્વીકારી. તે જ દિવસે સાયંકાળે અશોક વૃક્ષની નીચે પ્રભુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. આમ, સૌથી અલ્પકાલીન છઘસ્થપર્યાય પ્રભુએ વીતાવ્યો. સમવસરણની રચના થઇ. પ્રભુની દેશનાથી છ રાજાઓએ ત્યાંજ દીક્ષા લીધી. પ્રભુનાં પિતા શ્રી કુંભરાજા શ્રાવક થયાં. કુબેર નામે યક્ષ થયો અને વેરોસ્યા યક્ષીણી થયા. '
નિર્વાણ : ૧૦૦ વર્ષ જૂન ૨૫,૦૦૦ વર્ષ સુધી કેવલી અવસ્થામાં વિચરતાં રહ્યાં. ભગવાન અંતે સમેતશિખર જઇને ૫૦૦ સાધુ-૫૦૦ સાધ્વીજી સાથે ૧ માસનું અનશન સ્વીકાર કરી ફાગણ સુદ-૧૨ના દિવસે ભરણી નક્ષત્રમાં નિર્વાણ પામ્યાં.
પરમનું પાવન સ્મરણા
- સ્મરણ
@૬૨
: ૬૨
૦
*