________________
१५
ઘણા શાસ્ત્રોનું અવગાહન કર્યા પછી યોગનો જે સાર મળ્યો તે ગ્રન્થકારે આપણને આ ગ્રન્થમાં પીરસ્યો છે. થોડો પણ સાર આપણા જીવનને આરાધનાથી તરબતર કરી દેશે. હા, આ ગ્રન્થ માત્ર વાંચી જવાથી આરાધનાની સુગંધ નહીં મળે. વાંચ્યા પછી એના પર ચિંતન-મનન કરી એને જીવનમાં ઉતારવાથી જીવન આરાધનાથી મઘમઘાયમાન બનશે.
આ ગ્રન્થના શબ્દો માત્ર ગ્રન્થસ્થ ન રહેતાં હૃદયસ્થ, જીવનસ્થ અને આત્મસ્થ બને એ જ શુભાભિલાષા. સટીક આ ગ્રન્થના અભ્યાસ દ્વારા સર્વે જીવો અંતર્મુખ બની શીઘ્ર પરમપદને સન્મુખ બને એ જ અભ્યર્થના.
પિંડવાડા (રાજસ્થાન)
વિ.સં. ૨૦૬૯
અષાઢ સુદ-૬ (પ્રભુવીરચ્યવનકલ્યાણકદિન)
પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો શિષ્યાણુ મુનિ રત્નબોધિવિજય