________________
T
| શત્રુંજય કથા
યાત્રામાં નીચે નજર, ગતિ મધ્યમ જોઇએ અને ભાવ ઉછળતા
જોઇએ. * ભક્તિયોગની સજ્જતાથી યાત્રા મઢેલી હોય.
ભાવુક્તા અને સંવેદના છલકતી હોવી જોઇએ. સમ્યક્ત્વથી સિદ્ધત્વ જ્યાં પથરાયું છે માટે શત્રુંજય પવિત્ર છે. એમાં તારકતા-મહત્તા અને દુર્લભતાના દર્શન કરો. . જેમ તીર્થંકર પરાર્થરસિક છે તેમ તીર્થાધિરાજ પણ અનંતકાળથી પરાર્થરસિક છે.
જ્યાં તીર્થંકર દેવોનું આવાગમન થાય તે પૃથ્વીખંડ પણ ધન્ય બની જાય છે.
ગિરિરાજ માત્ર સિદ્ધક્ષેત્ર નથી પણ સાધનાક્ષેત્ર છે. * શત્રુંજ્યની પ્રાચીનતા અને પ્રભાવક્તા પરમોચ્ચ છે. યાત્રા પ્રવાહ
અને સુકૃતપ્રવાહ પણ ધન્ય ધન્ય બનાવી દે છે. * ઈન્દ્ર મહારાજાની દીર્ઘદ્રષ્ટિતા અને ભરત મહારાજાની પારદર્શકતા
વંદનીય છે. આલંબન સંપ્રાપ્ત થયા. * આચાર અને શ્રદ્ધા બન્ને નબળા પડે એનું જ નામ કલિકાલ.
સાક્ષાત્ પ્રભુની ગેરહાજરીમાં સાક્ષાત પ્રભુની હાજરીની અનુભૂતિ કરાવનારું પરિબળ એટલે પ્રતિમા! ગિરિરાજના પ્રેમમાં પડો, દાદાના પ્રભાવને માણો, વીરલ વ્રતધારીઓની કથા સાંભળો. આલંબનો, આદર્શોના સુવર્ણકળશ
ચડાવી યાત્રાની શુદ્ધિ કરો. * રાગ દશાનું મારણ એ જ છે સાચી તીર્થયાત્રા.
સારા સારા કાળા કાકા , ાિરાણાવાડામાઘણા શાશકાશ શાdainiia Taimultaniusaintimidity Edit ૮૨ /arties Yajnikainandirtais Visitsine