________________
સમ્યકત્વ સ્તવ પ્રકરણ
૧૫ અહીં ત્રણ પુજનું દષ્ટાંત કહે છે—જેમ મીણ સહિત કેદ્રવ ધાન્યને ઉષ્ણ જળાદિક ઔષધના મેગે એક ભાગ મીણ રહિત કર્યો તે શુદ્ધ, બીજો ભાગ અરધે શુદ્ધ કર્યો તે અશુદ્ધ અને ત્રીજો ભાગ જે હતું તેને તે રહ્યો, તે અશુદ્ધ જાણવો. તથા જેમ કોઈક વસ્ત્ર મલિન હતું, તે ક્ષારાદિક ઔષધના યેગે અતિ સ્વચ્છ-નિર્મળ થાય, બીજુ ક્ષારાદિક ડે પ્રયત્ન હોવાથી થોડું (અર્ધ) નિર્મળ થાય. અને ત્રીજું મલિન જ રહે. તથા મલિન જળ જેમ નિર્મળી ફળાદિકના યોગે અતિ સ્વચ્છ થાય, બીજું થોડું નિર્મળ થાય અને ત્રીજું મલિન જ રહે. એમ ત્રણ દષ્ટાંતે અંતરકરણગત ઉપશમ સમ્યક્ત્વરૂપ ઔષધના યોગે કરી મિથ્યાત્વમેહનીયનાં દળીયાં મિથ્યાત્વરૂપ મીણથી ભરેલાં હતાં તેને એક ભાગ તો શુદ્ધ કર્યો-મીણ રહિત કર્યો, બીજો ભાગ અર્ધ મીણ રહિત થયે, એટલામાં અંતર્મુહૂર્તના કાળની સમાપ્તિ થઈ તેથી બીજો ભાગ તે અર્ધ શુદ્ધ થયો પણ ત્રીજો ભાગ શુદ્ધ કરવાને તો પોંચી શક્ય જ નહીં તેથી તે ત્રીજો ભાગ તો સંપૂર્ણ મિથ્યાત્વરૂપ મીણ સહિત વિષથી ભરેલો જ રહી ગયો.
હવે તે ત્રણ પુજના ત્રણ નામ કહ્યા છે. તેમાં પહેલે શુદ્ધપુંજ તે દર્શન (સમકિત) મોહની, બીજે અર્ધશુદ્ધ તે મિશ્રમેહની અને ત્રીજો સર્વથા અશુદ્ધ તે મિથ્યાત્વમેહની કહેવાય છે.
શ્રી વિશેષાવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે – " तद्यथेह प्रदीपस्य, स्वच्छाभ्रपटलैहम् ।
न करोत्यावृति कांचि-देवमेतद्रवेरपि ॥ एकपुञ्जी द्विपुञ्जी च, त्रिपुञ्जी वा ननु क्रमात् ।
दर्शन्युभयवांश्चैव, मिथ्यादृष्टिश्च कीर्तितः॥”. “ આ લેકમાં જેમ સ્વચ્છ અબ્રકના પડતર રહેલે દિવો ઘરમાં સર્વસ્થાને ઉદ્યોત કરે અને કાંઈપણ આવરણને કરતો નથી. તે જ પ્રમાણે ઉજજવળ વાદળાવડે સૂર્ય પ્રકાશ પણ આવરણ કરતો નથી. તેવી રીતે શોધેલા મિથ્યાત્વના દળીયાં પણ ન્યૂન શ્રદ્ધા કરે નહીં એમ સમકિત મેહની માટે સમજવું. તેમાં જે ત્રણ પુંજી છે તે સમ્યગ્દર્શની, બે પુંછ છે તે મિશ્રદર્શની અને એક પુંજી છે તે મિથ્યાદષ્ટિ છે.”
વળી કર્મગ્રંથના અભિપ્રાયે કહ્યું છે કેकम्मग्गंथेसु धुवं, पढमोवसमी करेइ पुंजतियं । તો પુખ છે, અને માતા છે વા ”