________________
નિગોદ ષત્રિંશિકા પ્રકરણ.
૨૧૫ અર્થ:-(૩ોસમકુનું) ઉત્કૃષ્ટ પદને છોડ્યા વિના (7) સર્વ બાજુએ (નિય) નિગદની (Tri૬) અવગાહનાવાળી (gg) એક એક પ્રદેશની ( નિહાળહૈં) વૃદ્ધિ અને હાનિએ કરીને (છો) ગેળા (નિualit) બનાવાય છે. * વિવેચન – લેકની મધ્યમાં આવેલા ગોળાની અંદર રહેલ ઘણું જીવપ્રદેશવડે સ્પર્શાએલ આકાશપ્રદેશ રૂપ ઉત્કૃષ્ટ પદ છે. એક અવગાહનાવાળી નિગદના વિવક્ષિત (અમુક જે કલ્પીએ તે) પ્રદેશને છોડ્યા વિના સર્વ દિશામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે વિવક્ષિત અવગાહનાના કેટલાક પ્રદેશને મૂકતી એવી અન્ય અન્ય નિદેની સ્થાપનાવડે અસંખ્ય ગેળાઓ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ-જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમાં ભાગરૂપ આકાશપ્રદેશમાં એક નિગદ અવગાહેલ છે, તેને જ વિષે (તેટલી જ અવગાહનામાં) બીજી અસંખ્યાતી નિગોદે અવગાહેલી છે, તેમ જ તે વિવક્ષિત નિગદની અવગાહનાની અપેક્ષાએ તેને કેટલાક પ્રદેશને મૂકીને બાકીના કેટલાક પ્રદેશમાં વ્યાપીને રહેલી એવી સર્વ દિશાઓમાં અસંખ્યાતી નિગેદો છે, તેનાવડે ગોળાઓ ઉત્પન્ન થાય છે. તે ૬ છે - હવે બીજા ગેળા કેવી રીતે નીપજે છે? તે કહે છે –
तत्तो चिय गोलाओ, उकोसपयं मुइत्तु जो अन्नो। .. होइ निगोओ तमि वि, अन्नो निप्फजई गोलो ॥७॥
અર્થ –(ત શિર ઢા) ત્યાર પછી તે ગેળાના (૩ોવાં ) ઉત્કૃષ્ટ પદને () છડીને (કો અt) જે બીજી (ઘોર નિજો) નિદ રહેલી છે. (મિ વિ) તેમાં પણ (અન્નો નિષદ નોટો) બીજા ઉત્કૃષ્ટપદથી બીજા ગેળાઓ નીપજે છે. * વિવેચન—ઉપર કહેલા ગોળને આશ્રીને બીજા ગોળા બને છે. કેવી રીતે? ઉત્તર–પ્રથમના ગેળાનું વિવક્ષિત ઉત્કૃષ્ટ પદ છોડીને જે બીજી નિદે રહી છે, તેમાં અન્ય ઉત્કૃષ્ટ પદની કલ્પનાથી બીજા ગોળા બને છે. ભાવાર્થ આ પ્રમાણે–પ્રથમના ઉત્કૃષ્ટ પદને આશ્રી વિવક્ષિત નિગદની અવગાહનામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે જે અન્ય નિગોદી સ્થાપી છે, તેમાંની કેઈ એક પણ નિગદને આશ્રીને બીજી નિગોદે સ્થાપવાથી બીજા ગોળા બને છે, એટલે એક એક આકાશપ્રદેશની વૃદ્ધિહાનિવડે જે નિગોદ રહી છે તે નિગોદમાં અન્ય ઉત્કૃષ્ટ પદ સ્થાપવાથી બીજા ગેળા બને છે. (એ પ્રમાણે અસંખ્યાતા ગોળા બને છે. ) ૭