________________
૧૩
શ્રી નિગેાદ ષત્રિંશિકા પ્રકરણ. હાય. (ìલક્ષ્ય ) ઉત્કૃષ્ટપદ, ( િિä) છ દિશાની સ્પર્ધાનાવાળા ( સમથનોêમિ ) સમસ્ત-સંપૂર્ણ ગાળામાં હેાય છે. ( નન્નસ્થ ) ખીજે હાતુ નથી. વિવેચનઃ—જધન્યપદ લેાકને અંતે જ્યાં નિષ્કુટ-ખૂણા હાય ત્યાં હાય છે, કારણ કે ત્યાં આવેલ ગેાળાઓમાં ( અસંખ્યાતા નિગેાદના એક ગાળા થાય છે, તે આગળ કહેશે ) કેટલાકને ત્રણ દિશાની, કેટલાકને ચાર દિશાની અને કેટલાકને પાંચ દિશાની સ્પર્શના હેાય છે. તેમાંથી જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શીનાવાળા ગેાળામાં હાય છે. તેને બાકીની ત્રણ દિશાઓની સ્પર્શના અલાકથી આચ્છાદિત થયેલી હોય છે. અલેાકમાં જીવની ગતિ નહીં હોવાથી ત્યાં જીવા હોતા નથી. આવા ઓછી સ્પનાવાળા ખડગાળા કહેવાય છે, માટે જઘન્યપદ ત્રણ દિશાની સ્પર્શે - નાવાળા ખડગોળામાં હોય છે.
જે ગોળામાં છ દિશામાં નવા ગોળાને ઉત્પન્ન કરનાર નિગોદરાશિની સ્પર્શના હોય છે તે ઉત્કૃષ્ટપદ કહેવાય છે. આ ઉત્કૃષ્ટપદ સંપૂર્ણ ગોળામાં જ હોય છે, પણ ખંડગોળામાં હોતુ નથી. સંપૂર્ણ ગોળા તેા લેાકમધ્યે જ હોય છે, લેાકને છેડે હોતા નથી. ।। ૩ ।
હવે ગ્રંથકાર પ્રતિવાદીને જે શંકા ઉપસ્થિત થઇ શકે એવી શંકા સ્વત: ઉપજાવે છે:—
અવતરણુ—ગ્રંથકાર પ્રતિવાદી તરફથી શંકા કરતા સતા કહે છે:— उक्कोसमसंखगुणं, जहन्नयाओ पयं हवइ किं नु । नणु तिद्दिसिफुसणाओ, छद्दिसिफुसणा भवे दुगुणा ॥ ४ ॥
અર્થ :-( નહાયાઓ ચં) જઘન્યપદથી (હોલ અપવમુળ) ઉત્કૃષ્ટપદ અસંખ્યગુણુ (હિં સુ ધવદ્દ) કેવી રીતે હોય ? કારણ કે (તિિિલલનાઓ) ત્રણ ક્રિશાની સ્પર્શના કરતાં ( ઇ་િલિલા ) છ દિશાની સ્પર્ધાના સામાન્ય રીતે ( કુશળા મલે) ખમણી થવી જોઈએ.
વિવેચનઃ—ખડગાળામાં જઘન્ય પદ કહ્યું તે ખડગાળાની સ્પર્શના ત્રણ દિશાની છે અને સંપૂર્ણ ગોળામાં ઉત્કૃષ્ટ પદ કહ્યું તેની સ્પર્શીના છ દિશાની છે, માટે ખમણી થાય પણ અસંખ્યાતગુણી કેવી રીતે થાય ? વળી જઘન્ય પદ્દે એક આકાશપ્રદેશમાં રહેલ જીવપ્રદેશરાશિની અપેક્ષાએ સર્વ જીવાની સંખ્યા અસંખ્યાતગુણી કહી અને તેથી ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ વિશેષાધિક કહ્યા; માટે તે પણુ ( ઉત્કૃષ્ટપદસ્થિત જીવપ્રદેશ ) તમારા કથન પ્રમાણે જઘન્યપદથી અસંખ્યાતગુણા થાય તે કેવી રીતે ઘટે ? ।। ૪ ।
હવે આ પાંચમી ગાથામાં તે વિરાધને પરિહાર સમજાવે છે:—